Sunday, February 6, 2011

શેરબજારમાં ઘટાડો આગળ વધી શકે છે

ભારતીય શેરબજાર આ સપ્તાહમાં પણ ગબડવાનું ચાલુ રાખે એવી શક્યતા છે. કારણ કે વધતા જતા ફુગાવાની ચિંતા અને ઇજિપ્તમાં ચાલુ

રહેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે રોકાણકારો તેમના રોકાણમાં ઘટાડો કરે એવી શક્યતા છે એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.


બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનો મુખ્ય શેર નિર્દેશાંક સેન્સેક્સ જાન્યુઆરી માસમાં 10.6 ટકા ગબડ્યો હતો અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ તેનો ઘટાડો ચાલુ રહ્યો હતો. ગયા શુક્રવારે સેન્સેક્સ 441 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો.

મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝના એસોસિયેટ ડિરેક્ટર , ઇક્વિટીઝ એન્ડ ડેરિવેટિવ્ઝ , મનીષ શાહે જણાવ્યું હતું કે , વડાપ્રધાન મનમોહને જણાવ્યું હતું કે વૃદ્ધિના વેગમાન સામે ફુગાવો ' ગંભીર ખતરો ' ઊભો કરી રહ્યો છે એવું નિવેદન આપ્યું તેથી રોકાણકારોના માનસને આંચકો લાગ્યો હતો.

No comments:

Post a Comment