Saturday, December 10, 2011

એર ઈન્ડિયા, કિંગફિશરનાં બેન્ક ખાતાં સ્થગિત

સર્વિસ ટેક્સ વિભાગે સર્વિસ ટેક્સનાં બાકી લેણાં ન ચૂકવવા બદલ દેશની બે સૌથી મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા અને કિંગફિશર એરલાઇન્સનાં ખાતાં સ્થગિત કરી દીધાં છે. છેલ્લા કેટલાક મહિનાઓથી સર્વિસ ટેક્સ જવાબદારી પેટે એર ઇન્ડિયાએ રૂ. 170 કરોડ અને વિજય માલ્યાની એરલાઇન્સે રૂ. 100 કરોડની ચુકવણી કરી નથી.

આ પગલું ઉડ્ડયન ઉદ્યોગ , ખાસ કરીને આ બે એરલાઇન્સમાં રોકડની ગંભીર અછતનો સંકેત આપે છે. ઓઇલ કંપનીઓ , એરપોર્ટ ઓપરેટરોથી માંડીને સરકારી એજન્સીઓ પાસેથી આ એરલાઇન્સ પાસેથી ઉઘરાણી જાણે કે રોજિંદી ઘટના બની ગઈ છે.

No comments:

Post a Comment