નવી
દિલ્હી
:
રોકાણકારો
તમામ
રોકાણ
માધ્યમમાં
સોનાને
સલામત
રોકાણ
સાધન
માને
છે
,
પરંતુ
શું
તે
ખરેખર
સારી
કમાણી
કરી
આપે
છે
?
ભૂતકાળનો
ડેટા
અલગ
જ
ચિત્ર
રજૂ
કરે
છે
.
છેલ્લાં
10
વર્ષમાં
સોનાના
ભાવમાં
373
ટકાનો
વધારો
થયો
છે
,
જ્યારે
છેલ્લાં
14
વર્ષમાં
બીએસઇના
સેન્સેક્સમાં
681
ટકાનો
વધારો
થયો
છે
.
ચિંતાજનક
વાતાવરણ
હોય
અથવા
મજબૂત
ખેલાડીઓ
તેમના
જોખમમાં
ઘટાડો
કરવા
માંગતા
હોય
ત્યારે
સામાન્ય
રીતે
સોનામાં
તેજી
જોવા
મળે
છે
.
આવા
વાતારણમાં
ફુગાવામાં
વધારો
,
વૈશ્વિક
આર્થિક
વૃદ્ધિદરમાં
ઘટાડો
વગેરેનો
સમાવેશ
થાય
છે
.
એલકેપીના
ટેક્નિકલ
એનાલિસ્ટ
(
રિટેલ
એડ્વાઇઝરી
)
કુણાલ
બોથરાએ
જણાવ્યું
હતું
કે
,
“
ગોલ્ડ
ચાર્ટ
દર્શાવે
છે
કે
સોનામાં
2000-2001
થી
9
થી
10
વર્ષની
સાઇકલ
ચાલુ
થઈ
હતી
અને
2011
માં
ટોચનું
સર્જન
થયું
હતું
અને
તે
પછીથી
ભાવ
ઊંચા
સ્તરથી
ઘટ્યા
છે
.
તેમણે
વધુમાં
જણાવ્યું
હતું
કે
,
સોનામાં
રોકાણ
સામાન્ય
રીતે
ફુગાવા
સામે
રક્ષણ
મેળવવા
જાય
છે
.
હાલમાં
ભારતના
શેરબજારમાં
મજબૂત
મોમેન્ટમ
છે
,
તેનાથી
બંને
રોકાણ
સાધનના
વળતરમાં
અલગ
ટ્રેન્ડ
જોવા
મળે
છે
.
જોકે
મને
લાગે
છે
કે
સોનું
સેન્સેક્સના
અંદાજિત
મજબૂત
વળતર
કરતાં
વધુ
સારો
દેખાવ
કરી
શકે
છે
.
ડોઇચે
બેન્કના
અહેવાલ
મુજબ
ભારતમાં
સોનાના
ભાવમાં
ટોચના
સ્તરથી
17
ટકાનો
ઘટાડો
થયો
છે
,
જ્યારે
વૈશ્વિક
ભાવમાં
2011
ના
ટોચના
સ્તરથી
આશરે
32
ટકાનો
ઘટાડો
થયો
છે
,
જે
સૂચવે
છે
કે
દેશમાં
સોનાના
ભાવમાં
વધુ
ઘટાડો
થઈ
શકે
છે
.
આ
ઉપરાંત
સોનાની
આયાત
પરનાં
નિયંત્રણો
દૂર
થયા
પછી
તેમાં
વધુ
નરમાઈ
આવી
શકે
છે
.
મોટા
ભાગના
એનાલિસ્ટ્સ
માને
છે
કે
ભારત
માટે
સ્ટ્રક્ચરલ
બુલ
માર્કેટ
છે
અને
સોનામાં
પીછેહટ
થઈ
શકે
છે
.
આવું
એક
દાયકામાં
એક
વખત
જોવા
મળે
છે
અને
બજાર
ઊંચા
સ્તરે
રહેશે
તેવી
ધારણાએ
રોકાણકારો
સોનામાં
તેમના
હોલ્ડિંગમાં
ઘટાડો
કરી
શકે
છે
.
એક્સિસ
કેપિટલના
એમડી
અને
સીઇઓ
નિલેશ
શાહે
જણાવ્યું
હતું
કે
,
તેનો
આધાર
તેમની
રિસ્ક
પ્રોફાઇલ
પર
પણ
છે
.
જોખમ
લેવાની
ક્ષમતા
ધરાવતા
લોકોને
હું
શેરબજારમાં
100
ટકા
નાણાં
રોકવાની
સલાહ
આપીશ
અને
રૂપિયામાં
મૂવમેન્ટ
હોવા
છતાં
સોનામાં
રોકાણ
યોગ્ય
ન
હોય
તેવી
શક્યતા
છે
.
જોકે
ઇરાકની
કટોકટી
અને
અમેરિકાના
આર્થિક
ડેટાને
પગલે
સોનાનો
ભાવ
1,240
ના
નીચા
સ્તરથી
ફરી
વધીને
હાલમાં
1,300
ડોલરના
સ્તરે
ટ્રેડ
થઈ
રહ્યા
છે
.
ઇરાકની
કટોકટી
હજુ
થોડા
વધુ
સમય
ચાલુ
રહેવાની
ધારણા
છે
.
પ્રભુદાસ
લીલાધર
પ્રાઇવેટ
લિમિટેડના
પ્રોડક્ટ
હેડ
(
કોમોડિટી
એન્ડ
કરન્સી
)
વિકાસ
વૈધ
જણાવે
છે
કે
,
“
સોનું
હંમેશા
આખરી
કરન્સી
પુરવાર
થયું
છે
અને
રોકાણકારોએ
તેની
અવગણના
કરવી
જોઈએ
નહીં
.
રોકાણકારોએ
સુરક્ષિત
રોકાણ
માધ્યમ
તરીકે
તેમના
પોર્ટફોલિયોમાં
ઓછામાં
ઓછું
10
ટકા
રોકાણ
સોનામાં
કરવું
જોઈએ
.
તેમણે
વધુમાં
જણાવ્યું
હતું
કે
,
જો
ઇરાકમાં
ત્રાસવાદીઓ
પર
અંકુશ
મેળવવામાં
આવશે
નહીં
અને
આ
કટોકટી
દક્ષિણ
ઇરાકમાં
પણ
ફેલાશે
તો
બુલિયન
અને
ગોલ્ડના
ભાવમાં
વધુ
ઉછાળો
આવી
શકે
છે
.
તેથી
રોકાણકારોએ
1
,
400
ડોલરના
ટાર્ગેટ
અને
1
,
240
ડોલરના
સ્ટોપલોસ
સાથે
સોનામાં
ખરીદી
કરવી
જોઈએ
.
એમસીએક્સ
ગોલ્ડે
ફોર
અવર
ચાર્ટમાં
ફ્લેટ
પેટર્ન
બનાવી
છે
.
બુલિયન
કન્ટિન્યુશન
પેટર્ન
સાથે
ફ્લેગ
પેટર્ન
કોમોડિટીમાં
મજબૂત
આઉટલૂક
દર્શાવે
છે
.
|
|
|
|
No comments:
Post a Comment