Wednesday, July 9, 2014

આર્થિક સરવે-2013-14: અર્થતંત્રમાં સુધારાનો સંકેત

નવી દિલ્હી : નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વેક્ષણમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન GDP 5.4% થી 5.9% રહેવાની ધારણા દર્શાવવામાં આવી છે .

આ સર્વેક્ષણમાં મંદ પડેલા દેશના આર્થિક તેમજ ઔદ્યોગિક વિકાસ દર અંગે ચિંતા જતાવવા સાથે તેમાથી બહાર આવવાની રૂપરેખા પણ દર્શાવી છે.

આ માટે નાણાકીય સ્થિતિ સુધારવાની હિમાયત કરવામાં આવી છે. ફિસ્કલ કોન્સોલિડેશન માટે ટેક્સ- GDP રેશિયો વધારવાનું આવશ્યક હોવાનું જણાવતાં સર્વિસ સેક્ટરનો પુનરોધ્ધાર એક મોટો પડકાર હોવાની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

2014-14 માં દેશની રાજકોષીય ખાધ GDP ના 4.5 ટકાએ સિમિત રહેવાનો ઉલ્લેખ કરતાં રાજ્યો અને કેન્દ્ર સરકાનું દેવાનો GDP રેશિયો ઘટ્યો હોવાનું પણ જણાવાયું છે.

દેશના ધીમા આર્થિક તેમજ ઔદ્યોગિક વિકાસનો ઉલ્લેખ કરતાં આ સરવેમાં તેમાં ધીમા અને તબક્કાવાર સુધારાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

રિટેલ અને WPI ફુગાવો આગામી દિવસોમાં ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. IMF એ પણ આગામી વર્ષે વૈશ્વિક કોમોડિટીઝના ભાવ સ્થિર રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

No comments:

Post a Comment