Wednesday, July 30, 2014

શેરબજારની તેજીમાં સોનું ઝાંખું પડ્યું

શેરબજારની તેજીમાં સોનું ઝાંખું પડ્યુંભારતીય શેરોએ વર્ષે રોકાણકારોને લગભગ

23
ટકા જેટલું સુંદર વળતર આપીને સોનાના ચળકાટને ઝાંખો પાડી દીધો છે . કેલેન્ડર વર્ષ 2014 માં અત્યાર સુધીમાં બીએસઇના બેંચમાર્ક સેન્સેક્સે રોકાણકારો માટે 22.76 ટકા વળતર નોંધાવ્યું છે , જ્યારે ગાળામાં સોનાના ભાવ 5 ટકા ઘટ્યા છે . જોકે , ચાંદીમાં 2.38 ટકાનું સાધારણ વળતર મળી શક્યું છે .

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર , વર્ષ ભારતીય શેરો માટે સારું પુરવાર થઈ રહ્યું છે . રોકાણકારો માટે સ્થાનિક સેન્ટિમેન્ટમાં થયેલો સુધારો તથા વિદેશી ફંડોના પુષ્કળ રોકાણપ્રવાહ પર ભારતીય શેરબજારો વિક્રમ ઊંચાઈ પર પહોંચ્યા છે .

સામાન્ય રીતે શેરની કિંમત અને સોનાના ભાવ વિરોધી વલણોને અનુસરે છે . સોનામાં કરેલા રોકાણને સામાન્ય રીતે ફુગાવા સામેના રક્ષણ ( હેજ ) તરીકે પસંદ કરવામાં આવે છે . રોકાણકારો એવું વિચારીને સોના - ચાંદીમાં તેમનાં નાણાં રોકે છે કે શેરબજારમાં અનિશ્ચિત પરિસ્થિતિ સર્જાય ત્યારે રોકાણ સલામતી આપશે .

પાછલા એક દાયકાથી વધુ સમયગાળા સુધી શેરબજારો કરતાં ખૂબ સારું વળતર આપનાર સોનું હવે છેલ્લાં સતત બે વર્ષમાં શેરો સામે પીછેહટ બતાવી રહ્યું છે .

31 ડિસેમ્બર 2013 ના રોજ સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ રૂ . 29,800 અને ચાંદીનો ભાવ કિલોગ્રામ દીઠ રૂ . 43,755 હતો . સોમવારે સોનાનો બંધ ભાવ રૂ . 28,370 હતો , જ્યારે ચાંદી કિલો દીઠ રૂ . 44,800 પર હતી . બીજી બાજુ , સેન્સેક્સ ગયા વર્ષે 31 ડિસેમ્બરે 21,170.68 પોઇન્ટ હતો , જે સોમવારે 25,991 પર બંધ રહ્યો હતો . તેણે 25 જુલાઈના રોજ 26,300.17 ની ઓલ - ટાઇમ સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી .

વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારોમાં આવેલી તેજીના મુખ્ય ચાલક બળ રહ્યા છે , તેમણે વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 25.5 અબજ યુએસ ડોલર ( રૂ .1.53 લાખ કરોડ ) ભારતીય શેરબજારમાં ઠાલવ્યા છે .

ગયા વર્ષે સેન્સેક્સે રોકાણકારોને 9 ટકા હકારાત્મક વળતર કમાઈ આપ્યું હતું , જ્યારે સોનાના ભાવ આશરે 3 ટકા ઘટ્યા હતા અને ચાંદીના ભાવમાં 24 ટકાનું ગાબડું પડ્યું હતું .

2012 માં સેન્સેક્સે 24 ટકા તેજી બતાવી હતી , જ્યારે સોનાના ભાવ આશરે 12.95 ટકા વધ્યા હતા . આમ 2012 માં સેન્સેક્સે સોનાના ભાવથી બે ગણો વધારો બતાવ્યો હતો . 2012 ના વર્ષમાં ચાંદીનો ભાવ આશરે 12.84 ટકા વધ્યો હતો

No comments:

Post a Comment