Saturday, September 27, 2014

સોનુ અને સેન્સેક્સ બંને 27,000ની નીચેઃ હવે શેમાં રોકાણ ફાયદો આપશે?

સર્વેક્ષણમાં 10માંથી સાત નિષ્ણાતોની સેન્સેક્સમાં રોકાણ કરવાની સલાહ 
 
મુંબઇઃ સોનુ અને સેન્સેક્સમાં 'કૌન કિતના સોણા' એ મુદ્દે દલાલ સ્ટ્રીટ અને બજારમાં ચર્ચા થઇ રહી છે. સોનાના ભાવ ગબડીને 27,000ની આસપાસ આવી ગયા છે અને સેન્સેક્સ પણ ઘટીને અત્યારે 27,000ની નીચે ચાલી રહ્યો છે. આ બંનેના સ્તરો અત્યારે રોકાણકારોને આકર્ષિત કરી રહ્યા છે. તો શામાં રોકાણ કરવું જોઇએ?
 
આ મુદ્દે નિષ્ણાતોનો અભિપ્રાય બિલકુલ સ્પષ્ટ છે. નિષ્ણાતો કહે છે કે સોનામાં ફંડામેન્ટલ અત્યારે નબળા છે. ભારતમાં આર્થિક સુધારાની આશાએ આવેલી તેજી પર એફઆઇઆઇના ભરોસાનો ટેકો છે. તેથી તેઓ હાલ શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપે છે. હિન્દી વેબસાઇટ મની ભાસ્કરે કરેલા સર્વેક્ષણમાં આ તારણ નિકળે છે.
 
સોનુ અને સેન્સેક્સ બંને 27,000ની નીચેઃ હવે શેમાં રોકાણ ફાયદો આપશે?આ સર્વેક્ષણમાં 10માંથી સાત નિષ્ણાતોએ સેન્સેક્સમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તેમના મતે સોનામાં ફંડામેન્ટલ અત્યારે નબળા છે. વળી, અમેરિકન ડોલર મજબૂત થવાથી તેમાં વેચવાલીથી વધુ ઘટાડો આવી શકે છે. જ્યારે શેરબજારમાં તેજીનો અવકાશ ઘણો છે. ઉપરાંત, આર્થિક સુધારામાં વેગ આવવાથી રોકાણકારો માટે સારો મોકો છે.
 
સેન્સેક્સમાં રોકાણ તરફી નિષ્ણાતો
 
 ટ્રેડ સ્વિફ્ટના એમડી સંદીપ જૈન સેન્સેક્સમાં રોકાણ કરવાની સલાહ આપે છે. જૈનના જણાવ્યા અનુસાર, ડોલરમાં મજબૂતી અને ચીનમાં ઘટતી માગના કારણે સોનાના ભાવમાં દબાણ આવી શકે છે. જ્યારે ભારતીય અર્થતંત્રમાં સુધારો થવાની આશા પ્રબળ છે. તેથી સેન્સેક્સમાંથી વધુ વળતર મળવાની શક્યતા છે.
 
એન્જલ કોમોડિટીના ડાયરેક્ટર નવીન માથુર કહે છે કે ભારતના અર્થતંત્રમાં સુધારો આવી રહ્યો છે અને રોકાણકારો માટે માહોલ પણ સારો છે તેથી હમણાં સેન્સેક્સમાં તેજી ચાલુ રહેશે. બીજી બાજુ, ડોલર ઇન્ડેક્સ ચાર વર્ષની ટોચે છે, તેથી સોનાની કિંમતો દબાણમાં રહેશે.
 
માઇસ્ટોકના એનાલિસ્ટ લોકેશ ઉપ્પલ માને છે કે સોના કરતા સેન્સેક્સ બહેતર છે. કારણ કે આર્થિક સુધારા પર તેજી ચાલી રહી છે. સોનામાં હાલ ફંડામેન્ટલ્સ નબળા છે. તેઓ ટૂંકા ગાળા માટે સેન્સેક્સનું ટાર્ગેટ 30,000 આપે છે, જેમાં 25,500 સ્ટોપલોસ છે. 
 
વેવ સ્ટ્રેટેજીના ડાયરેક્ટર આશિષ કયાલ કહે છે કે ટૂંકા ગાળા માટે સોનાના બદલે શેરબજાર તરફી વલણ રાખવું જોઇએ. સોનામાં નબળાઇ છે અને તેના ભાવ વધુ ગબડી શકે છે. નવી સરકારના ઝડપી સુધારાના પગલે શેરબજારમાં તેજી આગળ વધી શકે છે.
 
પેરાડિમના બિરને વકીલના મતે, આ વર્ષના અંત સુધીમાં કોઇને રોકાણ કરવું હોય તો તેણે સોનાના બદલે સેન્સેક્સમાં રોકાણ કરવું જોઇએ. જોકે, તેમના મતે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલી તંગદિલીને પણ નજર અંદાજ નહિ કરવી જોઇએ, જે સોનામાં ઊછાળો લાવી શકે છે.

આ ઉપરાત જેઆરજી વેલ્થ મેનેજમેન્ટના કે સી રેડ્ડી તથા ફંડામેન્ટલ એનાલિસ્ટ આસિફ ઇકબાલ પણ ઉપર જણાવેલા કારણો આપીને સોનાના બદલે સેન્સેક્સમાં રોકાણની સલાહ આપે છે.
 
સેન્સેક્સ વિરુદ્ધ સોનુ
 
વર્ષ સેન્સેક્સમાં વળતર સોનામાં વળતર
2008    -52%    +26.2%
2009    +71.5%        +22.6%
2010    +17.3%            +23.5%
2011    -24.9%         +31.7%
2012    +27.4%         +12.2%
2013    +5.90%         -4.10%
2014    +28.5%         -6.00%
 
આગળ વાંચોઃ સોનામાં કેમ રોકાણ કરવું જોઇએ?
ગ્લોબલ કેપિટલના તરુણ સત્સંગીના મતે, વર્ષના અંત સુધીમાં સોનું 10 ગ્રામ દીઠ રૂ. 28,000 થઇ શકે છે. જ્યારે શેરબજાર ઓલ ટાઇમ ઊંચી સપાટી પર છે. તેથી તેમાં વધુ તેજી જણાતી નથી.
 
નિષ્ઠા ઇન્વેસ્ટમેન્ટના ડાયરેક્ટર રાજેશ શર્મા માને છે કે ટૂંકા ગાળા માટે સોનાની કિંમતોમાં ઊછાળો આવી શકે છે. આ તેજી પાછળ બે કારણો હોઇ શકે છે. એક, શેરબજારમાં વેચવાલીથી ઘટાડો તોળાઇ રહ્યો છે, જેથી સોનામાં તેજી જોવા મળશે. આ સાથે તહેવારોમાં માંગના કારણે સોનામાં હાલના સ્તરેથી તેજી આવી શકે છે.
 
ફંડામેન્ટલ એનાલિસ્ટ વિવેક મિત્તલને સેન્સેક્સના બદલે હાલના ભાવે સોનામાં રોકાણ કરવાનું સારું લાગે છે. તેમના મતે, હાલમાં શેરબજારમાં કોન્સોલિડેશનનો તબક્કો છે. પરંતુ તહેવારો અને લગ્નોની મોસમમાં સોનાની માગ વધી શકે છે. રોકાણકારોએ ટૂંકા ગાળા માટે સોનામાં રોકાણ કરી શકે છે.
 
આ સર્વેક્ષણમાં કુલ 10 નિષ્ણાતોને બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
 
1. ટૂંકા ગાળાના રોકાણ માટે સોનુ અને સેન્સેક્સમાંથી કોણ વધુ સારું?

2. કેમ રોકાણ કરવું સારું છે?
 
નિષ્ણાતો કેમ આવું કહે છે
 
નવી સરકાર બન્યા પછી શેરબજારમાં સતત તેજી ચાલી છે. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઇઓ પર જઇ રહ્યા છે. જોકે, થોડા દિવસથી શેરબજારમાં ઉપલા સ્તરોએ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત નવ માસના નીચા સ્તરે ગબડી છે.
 

No comments:

Post a Comment