Friday, September 26, 2014

USની ધરતી પર પગ મૂકે એ પહેલાં જ PM મોદી સામે સમન્સ


(મોદીને અમેરિકાની કોર્ટ દ્વારા ઇસ્યુ કરાયેલા સમન્સની તસવીર, ટ્વીટર પર આ તસવીર ફરી રહી છે)

- યુએસ જતા પહેલાં મોદી દ્વારા ઓબામાની પ્રશંસા
- અનેક અંતર દૂર થશે, નવા સંબંધો રચાશે : મોદી


ન્યૂ યોર્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની ધરતી પર નવ વરસના પ્રતિબંધ બાદ પગ મુકે એ પહેલાં જ અમેરિકાની એક અદાલતે તેમની સામે સમન્સ ઇસ્યુ કરી સનસનાટી મચાવી દીધી છે. ગુજરાતના 2002ના રમખાણૉ મામલે ન્યૂ યોર્કની ફેદરલ કોર્ટે મોદી સામે સમન્સ જારી કર્યા છે. American Justice Center (AJC) દ્વારા લૉ–સુટ ફાઇલ કરાયો હતો. કોર્ટે મોદીને 21 દિવસમાં જવાબ રજૂ કરવા સમય આપ્યો છે. મોદી સામે ઇસ્યુ કરાયેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે 21 દિવસની અંદર જો જવાબ નહીં આપવામાં આવે તો ડિફોલ્ટ જજમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે. નોંધનીય છે કે આ પ્રકારનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઇ મામલે એક પક્ષ નક્કી કરેલા સમયમાં જવાબ આપતો નથી.  
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4.20 વાગે દિલ્હીથી રવાના થયા. પહેલાં તે ફ્રેન્કફર્ટ રોકાયા હતા.  ત્યાંથી તે અમેરિકા જવા રવાના થયા હતા. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો આ પાંચમો વિદેશ પ્રવાસ છે. આ પહેલાં તે 1993માં અમેરિકા ગયા હતા પરંતુ 2005માં મુખ્યપ્રધાન તરીકે જઇ શક્યા નહોતા. અમેરિકાએ વિઝા આપ્યા નહોતા. હવે પીએમ છે તો તેમને વિઝાની જરૂરત નથી.

પહેલો દિવસ મોદી 26 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગે ન્યૂયોર્ક પહોંચશે. યુએનની બેઠકમાં ભાગ લેવા જઇ રહ્યા છે, આથી એરપોર્ટ પર ઓબામા સરકારના બદલે અમેરિકામાં ભારતીય રાજદૂત આગેવાની કરશે. બાદમાં તેઓ ન્યૂયોર્કના મેયર બિલ ડે બ્લાસિયોની મુલાકાત કરશે. મોદી કેટલાક ભારતીય મૂળના ઉદ્યોગપતિઓને પણ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બહુચર્ચિત અને બહુપ્રતિક્ષિત અમેરિકા યાત્રા પર રવાના થઇ ગયા. અમેરિકા પ્રવાસે જતાં પહેલાં તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે તેમનું જીવન યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે આ પ્રવાસથી ઘણું બધું અંતર દૂર થશે. વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો ઇતિહાસ શરૂ થશે.

વડાપ્રધાને સમગ્ર અમેરિકન પ્રવાસ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાાદ તે પાંચ દિવસની યાત્રા પર રવાના થઇ ગયા. રાત્રે તે ફ્રેન્કફર્ટમાં રોકાશે અને ભારતીય સમયાનુસાર શુક્રવારે બપોરે ન્યૂયોર્ક પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હકીકતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 69મા અધિવેશનને સંબોધિત કરવા માટે અમેરિકા ગયા છે. આ તકનો લાભ ઉઠાવતાં તે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને મળશે. ઓબામાએ વોશિંગ્ટનમાં નરેન્દ્ર મોદી માટે વિશેષ ભોજન સમારંભની વ્યવસ્થા કરી છે. નરેન્દ્ર મોદી અનેક દેશોના વડાઓને પણ મળશે.

નવી દિલ્હીથી રવાના થતાં પહેલાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તે પ્રમુખ ઓબામા સાથે પરસ્પર અને વૈશ્વિક હિતો પર ચર્ચા કરશે. બન્ને દેશો પોતાના સંબંધોને નવી ઊંચાઇ પર કેવી રીતે લઇ જઇ શકે છે તે અંગે ચર્ચા કરશે.
 
 

No comments:

Post a Comment