Thursday, September 25, 2014

મોદી આજે રવાના થશે US માટે, આ છ લોકો પર છે સફળતાનો આધાર


નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પાંચ દિવસ માટે અમેરિકાના પ્રવાસે રવાના થશે. પોતાના વ્યસ્ત કાર્યક્રમમાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર(યુએન) મહાસભા અને ભારતીય અમેરિકી સમુદાયને સંબોધિત પણ કરશે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા તેમજ યુએનના મહાસચિવ બાન કી મૂન અને અગ્રણી અમેરિકાના ઉદ્યોગપતિઓને પણ મળશે. પાકિસ્તાનના મીડિયાના અહેવાલ અનુસાર આ પ્રવાસ દરમિયાન મોદી અને નવાઝ શરીફ વચ્ચે પણ બેઠકની સંભાવના છે. જો કે ભારતીય સૂત્રોએ તેનો ઈનકાર કર્યો હતો. મોદીની અમેરિકાની યાત્રા સફળ બનાવવા માટે ભારતનું આખું વહીવટી તંત્ર, રાજનેતાઓ, અમેરિકામાં રહેતા અનેક ભારતીયો મહેનત કરી રહ્યાં છે. અણ અમુક ખાસ છે જેમની પર વધારે દારોમદાર છે. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે નવરાત્રી દરિમયાન મોદીનું વ્રત હોવાથી તેમના ભોજનનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. વિદેશ મંત્રાલયની પ્રોટોકોલ ઓફિસ 1920થી વિદેશી શાસનાધ્યક્ષો અને રાષ્ટ્રાધ્યક્ષોની ખાસ મહેમાનગતિ કરે છે.  વડાપ્રધાન મોદી અંગે પણ એડ્વાન્સ ટીમ સાથે ચર્ચા થઈ ગઈ છે જેથી કોઈ પરેશાની નહીં રહે. અમેરિકાના પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ મધમાખીઓ પાળી રાખી છે. ત્યાંથી મળતા મધનો ઉપયોગ વ્હાઈટ હાઉસના રસોડામાં થાય છે. મોદીના ભોજનમાં પણ તેનો જ ઉપયોગ થશે.
નરેન્દ્રી મોદી આમને પણ મળશે

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષા, બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીના, નેપાળના વડાપ્રધાન સુશીલ કોઈરાલા.
સ્વાગતમાં સંગઠનો

ગુજરાતી સમાજ ઓફ ન્યૂયોર્ક, ઈન્ડો-અમેરિકન સિનિયર્સ ઓર્ગેનાઈઝેશન, યુએસ-ઈન્ડિયા પોલિટિકલ એક્શન કમિટિ, વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા, ન્યૂયોર્ક તામિલ સંગમ, ઈન્ડિયન બિઝનેસ એસો., ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી.
મોદીની અમેરિકા મુલાકાતની સફળતામાં આમનો બહુ મોટો ફાળો હશે. અજીત ડોભાલ ઇન્ડિયન ઇન્ટેલિજન્સ ઓફિસર છે અને 30 મે, 2014થી વડાપ્રધાન મોદીના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે કાર્યરત છે. તેઓ પહેલાં 2004-05 દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા રહી ચુક્યા છે. તેઓએ આક ડિપાર્ટમેન્ટની ઓપરેશન વિંગને 10 વર્ષ સુધી માર્ગદર્શન આપ્યું છે. અજીત ડોભાલ એવા પહેલાં ભારતના પહેલાં પોલીસ ઓફિસર છે જેમને કિર્તી ચક્રથી સન્માનવામાં આવ્યા છે.
પ્રકાશ જાવડેકર
 
મોદી સરકારના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર મોદી અમેરિકા જાય એ પહેલાં જ અમેરિકાની યાત્રાએ ઉપડી ગયા છે. તેઓ પોતે આ બધી વ્યવસ્થા પર દેખરેખ રાખી રહ્યા છે. તેઓ આખા એજન્ડા પર પણ કામ કરી રહ્યા છે. 
સુબ્રમણ્યમ જયશંકર  
 
અમેરિકામાં ભારતના રાજદૂત  સુબ્રમણ્યમ જયશંકર પડદા પાછળ રહીને કામગીરીને અંતિમ ઓપ આપી રહ્યા છે. 26મીએ મોદીના સ્વાગતથી માંડી સન્માનમાં ભોજન સુધીની અનેક જવાબદારીઓ એમની માથે છે. મોદી અમેરિકામાં અનેક લોકોને મળવાના છે. એ માટે બધું નક્કી કરવાની જવાબદારી પણ એમની જ છે. આ જ વરસે તેઓ અમેરિકામાં ભારતના રાજદૂત બનાવાયા છે.
 
રજનીશ ગોયંકા

ભાજપના નેતા અને પક્ષના નાના અને મધ્યમ ઉધોગોના સેલના કંંવીનર છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી અમેરિકામાં જ છે. મેડિસન સ્ક્વેર ખાતે આયોજિત મોદીના કાર્યક્ર્મની તૈયારીઓમાં લાગેલા છે.
 

No comments:

Post a Comment