Saturday, October 18, 2014

કાળા નાણાંના મામલામાં હાથ લાગી મોટી સફળતા

નાણાં મંત્રી અરૂણ જેટલીએ કાળા નાણાં પર પ્રેસ-કૉન્ફરન્સ આપી છે. એમાં સ્વિત્ઝર્લેન્ડથી કાળા નાણાં ભારત પાછા લાવવા પર તેમણે જાણકારી આપી હતી. ભારત સરકારે કાળા નાણાં અંગે સ્વિસ સરકાર પાસેથી સહયોગ માંગ્યો. ત્રણ અધિકારીઓની ટીમ પાછી સ્વિત્ઝર્લેન્ડથી પાછી ફરી છે.

કાળા નાણાંના મુદ્દે જેમના અકાઉન્ટ છે એમની જાણકારી માંગી લીધી છે. સ્વિત્ઝર્લેન્ડ ભારત સરકાર દ્વારા માગવામાં આવેલી આ સ્પષ્ટતાની સમિક્ષા આપશે. નામ જાહેર કરવામાં અમને વાંધો નથી, પણ એની પ્રક્રિયાનું અનુકરણ જરૂરી છે એવી સ્પષ્ટતા અરૂણ જેટલી દ્વારા કરવામાં આવી હતી. ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટના નિયમનું અનુકરણ કરવું પડશે. કોર્ટની પ્રક્રિયા અને તપાસ પૂરી થશે પછી અમે નામ જાહેર કરીશું એમ પણ એફએમ દ્વારા કહેવામાં આવ્યું છે..

નાણાં મંત્રી અરૂણ જેટલીએ ગઈ કાલે સાંજે કાળા નાણાં પર જાહેરાત કરી એ પહેલાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ મુદ્દા પર જાણકારી આપી હતી.

વિપક્ષી નેતા સલમાન ખુરશીદે કહ્યું સરકાર પાંસે જવાબ માગતા કહ્યું કે રાષ્ટ્ર હિતમાં સંધીનો ભંગ કરવો પડે તે એ કરવું જોઈએ. સંધ્ધી હોય, અને જો દેશ હિત માટે તેનો ભંગ થાય તો તેવું કરવું જોઈએ.

No comments:

Post a Comment