Friday, October 31, 2014

નરેન્દ્રમોદી ની સાક્ષીએ દેવેન્દ્ર ફડનવીસેની તાજપોશી, વાનખેડે સ્ટેડિયમમાં

LIVE : નરેન્દ્રની સાક્ષીએ દેવેન્દ્રની તાજપોશી, ખીચોખીચ સ્ટેડિયમમાં જયઘોષથી મોદીનું સ્વાગત

(તસવીર : મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શપથ કાર્યક્રમ દરમિયાન દેવેન્દ્ર ફડણવિસ ઈનસેટ તસવીરમાં સૌથી ઉપર દેવેન્દ્રનાં પત્ની અમૃતા, વચ્ચે નરેન્દ્ર મોદી તથા સૌથી નીચે ગુજરાતના મુખ્ચપ્રધાન આનંદીબેન પટેલ)
 
*અમિત શાહે ફોન કરીને ઉધ્ધવ ઠાકરેને કહ્યું, શપથમાં પધારજો, જવાબ મળ્યો, ચોક્કસ
 

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી પદે આજે દેવેન્દ્ર ફડનવીસે શપથ લીધા છે. વાનખેડે સ્ટેડિયમમાં આશરે 35, 000 જેટલા લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો છે. જેમાં પાંચ હજાર વીઆઈપીઓનો પણ સમાવેશ થાય છે. શપથ સમારંભમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. મોદી ઉપરાંત બીજેપી પ્રમુખ અમિત શાહ, વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી પણ હાજર રહ્યા છે. આ ઉપરાંત શિવસેના ઉદ્ધવ ઠાકરે પણ શપથ સમારંભમાં હાજર રહ્યા છે.

અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો

ભાજપના પ્રમુખ અમિત શાહે આજે શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેને ફોન કરી આજે યોજાનારા દેવેન્દ્ર ફડણવીસના શપથ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. શિવસેનાએ શપથ સમારોહમાં હાજરી ના આપવાની જાહેરાત કરી હતી. શિવસેનાના જણાવ્યા મુજ્બ, અમિત શાહ સાથે થયેલે વાતચીત બાદ ઉધ્ધવ શપથ સમારોહમાં હાજરી આપશે.

કોણ-કોણ હાજર
 

40 હજાર લોકો હાજર રહે એવી શક્યતા છે.  મોદી સિવાય ભાજપના અધ્યક્ષ અમિત શાહ, શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે, શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત, એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ, આરપીઆઈના રામદાસ અઠાવલે, કેન્દ્રીય પ્રધાન નિર્મલા સિતારમણ, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર, નીતિન ગડકરી, વેંકૈયા નાયડુ, દિલ્હી ભાજપના નેતા વિજય ગોયલ, એનસીપી નેતા અજીત પવાર, એનસીપી નેતા છગન ભૂજબળ અહીં પહોંચ્યા છે.આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ, ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકર, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, પંજાબના મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર ખટ્ટર, ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ  હાજર રહ્યાં. ઉપરાંત  શરદ પવાર, રતન ટાટા, આનંદ મહિન્દ્રા, લતા મંગેશકર, આશા ભોંસલે, સલમન ખાન, શાહરુખખાન, રિતિક રોશન, સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર હાજર રહે તેવી વકી છે. 
 
દેવેન્દ્ર ફડણવિસે લીધા શપથ
 
દેવેન્દ્ર ફડણવિસે મરાઠી ભાષામાં ઈશ્વરના નામે શપથ લીધા હતા. તેમના નામની જાહેરાત થઈ, ત્યારથી તેઓ શપથ લઈ રહ્યાં હતા, ત્યારે ભાજપના કાર્યકરોએ હર્ષઘોષ કર્યો હતો.

No comments:

Post a Comment