હનુમાન ચાલીસાની દરેક પંક્તિમાં છૂપાયેલો છે મર્મ અને જીવન જીવવાનું રહસ્ય

હનુમાન ચાલીસાની દરેક પંક્તિમાં છૂપાયેલો છે મર્મ અને જીવન જીવવાનું રહસ્યઆજકાલ હનુમાન દરેકના માનીતા ભગવાન માનવામાં આવે છે. હનુમાનની લીલાઓનું વર્ણન તુલસીદાસે શ્રીરામચરિત માનસમાં કર્યું છે સાથે જ હનુમાન ચાલીસાની 40 પંક્તિઓમાં હનુમાનના દરેક સારા કામને વણી લેવામાં આવ્યા છે, પરંતુ આજકાલના યુવાનો તે દરેક વાતોને જાણતા નથી હોતા. હા, હનુમાનમાં વિશ્વાસ રાખીને ચાલીસાનો પાઠ જરૂર કરશે પરંતુ દરેક પંક્તિમાં શું અર્થ છુપાયેલો છે કદાચ નથી જાણતા હોતા. આજે અમે એવા જ લોકો માટે હનુમાન ચાલીસાની 40 પંક્તિઓમાં કહેલી વાતને ગુજરાતીમાં લઈ આવ્યા છીએ. જાણો હનુમાન ચાલીસામાં કહેલી દરેક વાતોને. હનુમાન ચાલીસા વિશે જાણતા પહેલા જાણી લો હનુમાન ચાલીસા પાઠ કરવાની નાની વિધિ...
પૂજન વિધિઃ- બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરો. કુશ અથવા ઉનના આસન પર હનુમાનજીની પ્રતિમા, ચિત્ર અથવા યંત્રને (ભોજપત્ર અથવા તામ્ર-પત્ર પર ઉત્કીર્ણ કરવાવીને) સામે રાખો અને સિંદૂર, ચોખા, લાલ પુષ્પ, અગરબત્તી તથા દીવો પ્રગટાવી પૂજન કરો. બુંદીના લાડવાનો ભોગ લગાવો. પુષ્પ હાથમાં લઇ નિમ્ન શ્લોકનું ઉચ્ચારણ કરો:
अतुलित बलधामं हेम शैलाभदेहं, दनुज-वन कृशानुं ज्ञानिनामग्रण्यम् ।
सकल गुणनिधानं वानराणामधीशं, रघुपति प्रियभक्तं वातजातं नमामि ॥
ત્યારબાદ પુષ્પ અર્પણ કરીને મનમાં હનુમાનજીનું ધ્યાન કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો. અંતમાં લાલ ચંદનની માળા લઇ “हं हनुमते रुद्रात्मकाय हूं फट्” મંત્રનો ૧૦૮ વાર નિત્ય જાય કરો.
શ્રીહનુમાન ચાલીસા
દોહા
श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि ।
बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥
ભાવાર્થ - શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.
बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार ।
बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥
ભાવાર્થ - હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.
ચૌપાઈ
जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥
ભાવાર્થ - હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.
रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥
ભાવાર્થ - હે પવનસુત, અંજનીનન્દન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી


.

14 વર્ષ પછી શનિવારે હનુમાન જયંતીનો શુભ સંયોગ

14 વર્ષ પછી શનિવારે હનુમાન જયંતીનો શુભ સંયોગ, રાશિ મુજબ કરો આ ઉપાયચૈત્રશુદ પુનમ શનિવાર તા.૦૪-૦૪-૨૦૧પનાં રોજ હનુમાન જયંતિ ઉજવાશે. શનિવાર અને હનુમાન જયંતિ એ શાસ્ત્રાનુસાર એક શુભ સંયોગ માનવામાં આવે છે. શનિવાર એ હનુમાનજીનો પ્રિય વાર છે. અને હનુમંત ઉપાસના માટે શનિવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. છેલ્લે ૧૪ વર્ષ પહેલા તો ૨૭-૦૪-૨૦૦૨ વિક્રમ સવંત ૨૦પ૮નાં ચૈત્ર શુદ પુનમ અને શનિવારે હનુમાન જયંતિ ઉજવાયેલ. આમ ૧૪ વર્ષનાં લાંબા સમય પછી આ વર્ષે હનુમાન જયંતિ અને શનિવારનો શુભ સંયોગ પ્રાપ્ત થયો છે.
 
ચૈત્રશુદ પુનમ શનિવાર તા.૦૪-૦૪-૨૦૧પનાં રોજ કન્યા રાશિ અને હસ્ત નક્ષત્રમાં થનાર આ ગ્રહણ ગ્રસ્તોદિત ભારતનાં છેક છેવાડાનાં અંતીમ સરહદે પૂર્વીય ભાગોમાં દેખાશે. ઉપરાંત એશીયા, પેસેફીક મહાસાગર, ઓસ્ટ્રેલીયા, અમેરીકા અને ઉત્તરીય અમેરીકા તથા પેસેફીકમાં દેખાશે.
 
આ ગ્રહણ નો સ્પર્શ બપોરનાં ૧પ-૪પ કલાકે શરૂં થશે અને તેનો મોક્ષ સાંજના ( ૧૯-૧૪ ) ૦૭-૧૪ કલાકે થશે. સૂર્ય કે ચંદ્ર પર થતી પ્રાકૃતિક અસરોથી વિશીષ્ટ પ્રકારનાં હાનિકારક કિરણોનો ઉત્ર્સગ મોટા પ્રમાણમાં થાય છે. આથી સીધુ જ આંખ દ્વારા ગ્રહણ નું જોવુ એ આંખને માટે હાનિકારક બને છે. ખાસ પ્રકારનાં ચશ્મા વડે ગ્રહણ જોવુ એ વજ્ઞાનિક સિદ્ધાંતને આપણા શાસ્ત્રોએ હજારો વર્ષો પહેલા પ્રતિપાદીત કરેલો. આ જ કિરણોની વિપરીત અસર તાજા રાંધેલા કે વાસી ખોરાક પર પણ થાય છે. આથી ગ્રહણનાં સમયમાં અન્ન ભક્ષણ પણ ત્યાજય કરવાની શાસ્ત્રાજ્ઞા છે.
 
ચંદ્ર ઔષધમાત્રનું પોષણ કરે છે. આથી ચંદ્રગ્રહણ વખતે પણ શુદ્ધિકરણનો આગ્રહ રાખવો જોઇએ. ગ્રહણનાં સમયને ભજન અને ભકિત માટે શ્રેષ્ઠ કહ્યો છે. ગ્રહણનાં સમયે લોકો અનાજ અને પાણીનાં માટલા વગેરે ઉપર દર્ભ મુકી દે છે.