Tuesday, June 2, 2015

ભવ્ય નજારો : 1000 કરોડની સંપત્તિના માલિક 25 કરોડ ખર્ચી સંન્યાસી બન્યાં

દિલ્હીના જાણીતા ઉદ્યોગપતિ ભંવરલાલ દોશીએ અબજો રૂપિયાનું સામ્રાજ્ય અને વિલાસ છોડીને અમદાવાદમાં રવિવારના રોજ દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી છે. મંડાર નિવાસી બિઝનેસમેન ભંવરલાલ દોશી હવે મુનિરાજ ભવ્યરત્નવિજયજી મહારાજ સાહેબ તરીકે ઓળખાશે. શહેરના એઇએસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા દીક્ષા મહોત્સવમાં 1 લાખથી વધુ જૈન શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
 
મને ઓઘો મળ્યો મારા ભવનો ફેરો ટળ્યો
 
આ એક અનોખો દીક્ષા સમારંભ હતો. મૂળ રાજસ્થાનના અબજોપતિ ઉદ્યોગપતિ ભંવરલાલ દોશીએ દીક્ષા લીધી. આ સમારંભની ભવ્યતા એવી હતી કે તેના માટે રૂ.25 કરોડ ખર્ચાઈ ગયા. તેનો થીમ જહાજનો રખાયો હતો. મંડપ જહાજ જેવો, સેવક જહાજના કેપ્ટનની ભૂમિકામાં હતા. તેનું કારણ એ હતું કે ભવસાગર પાર કરવા સંયમરૂપી જહાજ જરૂરી છે.

ભવ્ય નજારો: સંયમ જહાજ માટે ખાસ નાવિકોનો ડ્રેસ કોડ

ઉદ્યોગપતિ ભંવરલાલ દોશીનો દીક્ષા સમારોહ રવિવારે અમદાવાદ એજ્યુકેશન ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા. દીક્ષા જ્યારે સ્થળે વિશાળ સંયમ જહાજ બનાવવામાં આવ્યું હતું.ભવ્ય નજારો : 1000 કરોડની સંપત્તિના માલિક 25 કરોડ ખર્ચી સંન્યાસી બન્યાં
 
9 ચો. ફૂટના મંડપમાં એક લાખ લોકો ઉમટી પડ્યા
262 બસો, 25 સુરક્ષા એજન્સી, 30 આયોજન સમિતિ
1000 સાધુ અને વ્યવસ્થા માટે દોઢ હજાર સ્વયંસેવક
15 કરોડ રૂપિયા દાન, 2.41 કરોડમાં દોશીનું નામકરણ
15  કરોડ કુલ ઉછામણીના ઉપજ્યા
3.61  કરોડ વિજય તિલક
2.41  કરોડ નામકરણ
1  હજાર સાધુ-સાધ્વી
1  લાખ શ્રાવકો ઉપસ્થિત
65  હજાર લોકોએ ભોજન લીઘુ
25  કરોડ મહોત્સવ ખર્ચ
દેવો સે બડા જૈન મુનિ કા માન: ભંવરલાલની દીક્ષા બાદ ફરતી થઈ તસવીરો

દેવો સે બડા જૈન મુનિ કા માન: ભંવરલાલની દીક્ષા બાદ ફરતી થઈ તસવીરો

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે આજે વહેલી સવારે 1 લાખથી વધુ લોકોની ઉપસ્થિતિમાં મુમુક્ષુ ભંવરલાલ દોશીએ દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં સંયમ જીવન સ્વીકાર્યુ હતુ. લક્ષાધિપતિ ભંવરલાલે પોતાના સંસારી જીવનની સાથોસાથ તમામ ધનદૌલતનો ત્યાગ કરી દીધો હતો. માથાના વાળ પણ ત્યાગી દીધા હતા અને ભંવરલાલમાંથી ભવ્યરત્નવીજયજી બન્યા હતા.
 
ભંવરલાલની દીક્ષા બાદ જૈન સમાજમાં વોટ્સએપ ભવ્યરત્નવીજયજી મહારાજ સાહેબના યશોગાન કરતી કેટલીક તસવીરો ફરતી થઈ હતી. જેમાં સંયમજીવન સ્વીકારવા બદલ ભંવરલાલની ભારોભાર પ્રસંશા છલકતી હતી.

No comments:

Post a Comment