Thursday, February 10, 2011

ભારતીય શેરબજાર માટે FII નિર્ણાયક

ભારતીય શેરબજારો મોટા ભાગે વિદેશી રોકાણકારો પર જ નિર્ભર રહ્યાં છે અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મર્યાદિત ભૂમિકા છતાં FII બજારનો ટ્રેન્ડ નક્કી કરે છે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં એડ્વાન્સ ટેક્સમાં 18 ટકા મજબૂત વૃદ્ધિ જોવા મળી તે પછી કેલેન્ડર વર્ષ 2011 માટે ઊંચી અપેક્ષા બંધાઈ હતી , પરંતુ જાન્યુઆરીમાં ઊંચો ફુગાવો અને તેના પરિણામે કંપનીઓની કામગીરીના નફામાં ઘટાડો થયો અને સરકારના સ્તરે સુધારા પ્રક્રિયા લગભગ અટકી ગઈ. આ બધાની સંયુક્ત અસર બજાર પર થવાથી તે તીવ્રતાથી તૂટ્યું અને ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ કોઈ રાહત જણાતી નથી.

હવે ભારત માટે તાજેતરમાં વ્યક્ત કરવામાં આવેલા કેટલાક અભિપ્રાયો પર નજર નાખીએ.
મોર્ગન સ્ટેન્લીઃ તાજેતરમાં 89 ફંડ મેનેજરોનો સરવે કરવામાં આવ્યો તેમાં ચોથા ભાગના માને છે કે ભારત 2011 માં ઊભરતાં બજારોમાં વધુ સારો દેખાવ કરશે

No comments:

Post a Comment