બજાર નિયમનકાર સંસ્થા SEBI એ બુધવારે ગુજરાત સ્થિત છ કંપની અને મહારાષ્ટ્ર સ્થિત એક કંપનીને રોકાણકારોની તકરાર નિવારવામાં નિષ્ફળ રહેવા બદલ જામીનગીરી બજારમાં કામકાજ કરતાં અટકાવી છે. આ કંપનીઓમાં ઈશ્વર મેડિકલ સર્વિસિસ , નિયોન રેઝિન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ , ઇન્ડો અમેરિકન ઓપ્ટિક્સ , ભુવન ત્રિપુરા ઇન્ડસ્ટ્રીઝ , આકાર લેમિનેટર્સ , શિકાગો સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ અને હિન્દુસ્તાન ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સનો સમાવેશ થાય છે. સેબીએ ઈશ્વર મેડિકલ સર્વિસિને બાદ કરતાં આ કંપનીઓના કેટલાક ડિરેક્ટરો પર પણ બજારમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. 24 સપ્ટેમ્બર 2008 ના અંતે ઈશ્વર મેડિકલ સામે રોકાણકારોની 143 ફરિયાદો પેન્ડિંગ હતી. તેવી જ રીતે સેબીને નિયોન રેઝિન્સ સામે પણ કેટલાંક રોકાણકારોની ફરિયાદ મળી હતી. સેબીએ જણાવ્યું હતું કે , સેબી નિયોન રેઝિન્સ અને તેના ડિરેક્ટર્સ - શેખર જૈન , રશ્મિ ઓઝા , હરીશ અગ્રવાલ , સંજય જૈન , સંદીપ મિત્તલ , વી એસ રાઠોડ અને જી પી સુરેખાને જામીનગીરી બજારમાં કામકાજ કરતા અટકાવે છે અને તેમના પર જામીનગીરી વેચવા , ખરીદવા કે અન્ય સોદા કરવાનો પ્રતિબંધ મૂકે છે. સેબીએ ઇન્ડો અમેરિકન ઓપ્ટિક્સ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ યશવંતરાય ધીરુભાઈ દેસાઈ , બીના અમિત શાહને જામીનગીરી બજારમાં કામ કરતાં અટકાવ્યાં છે. તેમની સામે જામીનગીરી બજારમાં ખરીદ , વેચાણ કે અન્ય સોદા કરવા સામે પણ પ્રતિબંધ મૂક્યો છે. સેબીએ ભુવન ત્રિપુરા ઇન્ડસ્ટ્રીઝ અને તેના ડિરેક્ટર વૈષ્ણવ ત્રિભુવન નયનકુમાર પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તેવી જ રીતે આકાર લેમિનેટર્સ અને તેના ડિરેક્ટર્સ હિતેષ રવીન્દ્ર શાહ , વિનોદભાઈ તારાચંદ શેઠ અને હસમુખભાઈ તારાચંદ શેઠને બજારમાં કામકાજ કરતા અટકાવ્યા છે. આ ઉપરાંત શિકાગો સોફ્ટવેર અને તેના ડિરેક્ટર અરવિંદભાઈ વી શાહ , મંજુલાબેન ડી દેસાઈ , ધીરુભાઈ આર દેસાઈ , હિન્દુસ્તાન ઇન્ડસ્ટ્રીઝ અને તેના ડિરેક્ટર્સ ડી ડબલ્યુ કોકબિલ , ભાગુભાઈ પટેલ પર પ્રતિબંધ મૂક્યો છે. |
No comments:
Post a Comment