નંદન નિલેકણીની અધ્યક્ષતામાં રચાયેલી યુનિક આઇડેન્ટિટી માટેની નેશનલ ઓથોરિટી તમામ ભારતીયોને વિશેષ નંબર આપવાનો લક્ષ્યાંક ધરાવે છે, સ્માર્ટ કાર્ડ નહીં.
વિવિધ મંત્રાલય તેમના હેતુ માટે આ નંબરનો ઉપયોગ કરી બાયોમેટ્રિક કાર્ડ ઇશ્યૂ કરવાનું પસંદ કરે એ વાત જુદી છે. જોકે, નિલેકણીની ટીમ તમામ નાગરિકોને વિશેષ નંબર આપવા પર ધ્યાન કેનિ્દ્રત કરશે અને અન્ય લોકો તેમના હેતુ માટે જરૂરી કાર્ડ ઇશ્યૂ કરવાનું કામ કરશે.
UID નંબર વિશે તમે જાણવા ઇચ્છો તે તમામ વિગતો
સરકાર દેશના દરેક નાગરિકને એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવાની પ્રક્રિયામાં જોર શોરથી જોડાઇ ગઇ છે. સરકારની યોજના અનુસાર 2011 સુધીમાં તમામ નાગરિકોને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સરકારે ઇન્ફોસિસના ચેરમેન નંદન નિલેકણીની પસંદગી કરી છે.
એટલે કે આ નવા ઓર્ગેનાઇઝેશનના ચીફ નંદન નિલેકણી છે. નંદન હવે ઇન્ફોસિસના કૉ-ચેરમેન નથી પણ કેબિનેટ મિનિસ્ટરના દરજ્જાનો હોદ્દો ધરાવે છે. આગળ એક પછી એક જાણીએ કે યુનિક આઇડેન્ટિટી શું છે ?, તે કેવી રીતે કામ કરશે ? વગેરે વગેરે...
No comments:
Post a Comment