લિસ્ટેડ કંપની વિનસમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી અને ગ્રૂપ કંપની ફોરેવરે ભારતની 15 બેન્કોને 6,800 કરોડથી વધારે રકમની ચુકવણી કરવાની છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક એ ધિરાણકારોના કોન્સોર્ટિયમમાં અગ્રણી છે.
બે વર્ષ અગાઉ એસસીબીએ આવો રિપોર્ટ રજિસ્ટર કરાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઇઓડબલ્યુ દ્વારા તેને નકારી કાઢવામાં આવ્યો હતો. હાલનો રિપોર્ટ એક સપ્તાહ અગાઉ દાખલ કરવામાં આવ્યો હતો તેમ બેન્કર્સે જણાવ્યું હતું.
એમઝેએમ લીગલના ઝુલ્ફીકાર મેમણે જણાવ્યું કે, અન્ય બેન્કોએ સીબીઆઇ અને ઇડીમાં દાખલ કરેલી ફરિયાદ તથા એસસીબીની વિનસમ સામે ઇઓડબલ્યુમાં નવી ફરિયાદથી વિનસમ સામે કાનૂની કાર્યવાહીમાં ઝડપ આવશે. ઇઓડબલ્યુ આ તપાસ કરવા માટે સૌથી સારી રીતે સજ્જ છે. પ્રાથમિક તપાસ નોંધાયા બાદ ઇઓડબલ્યુ તાત્કાલિક છેતરપિંડીની તપાસ કરી શકશે જે તેના ન્યાયક્ષેત્રમાં આવે છે.
વિનસમે હંમેશા જણાવ્યું છે કે તે બેન્કોને નાણાં ચૂકવવા માટે તૈયાર છે. પરંતુ સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસને બાદ કરતાં બાકીની તમામ બેન્કોને તેના પર ભરોસો નથી. સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસ વિનસમ સાથે કરાર કરે તેવી શક્યતા છે.
દુબઈથી ટેલિફોન પર વાત કરતાં વિનસમના પ્રમોટર જતિન મહેતાએ કહ્યું કે ક્રોલ રિપોર્ટના આધારે બેન્કોએ વિલફુલ ડિફોલ્ટર હોવાનું નક્કી કર્યું છે પરંતુ રિપોર્ટમાં કોઈ સચ્ચાઈ નથી. સ્ટેન્ચાર્ટનો એજન્ડા અલગ લાગે છે. તે એકથી વધારે તપાસ કરાવવા માંગે છે.
No comments:
Post a Comment