જે લોકો વિરૂદ્ધ આરોપો ઘડવામાં આવ્યા છે તેમાં યૂપીએ સરકારના ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજા, ડીએમકે પ્રમુખ કરૂણાનિધિની પુત્રી અને ભૂતપૂર્વ સાંસદ કનિમોઝી, કરૂણાનિધિની પત્ની દયાલૂ અમ્મા, સ્વાન ટેલોકોમ પ્રાઈવેટ લિમિટેડ (એસટીપીએલ)ના પ્રમોટર શાહિદ ઉસ્માન બલવા અને વિનોદ ગોયંકા, કુસેગાંવ રીયલ્ટી પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર આસિફ બલવા અને રાજીવ અગ્રવાલ, બોલિવૂડ પ્રોડ્યૂસર કરીમ મોરાની અને કલંગૈર ટીવીના એમડી શરદ કુમારનો સમાવેશ થાય છે.
કંપનીઓમાં સ્વાન ટેલિકોમ પ્રાઈવેટ લિમિટેડ ઉપરાંત કુસેગાંવ રીયલ્ટી પ્રાઈવેટ લિમિટેડ, સિનેયુગ મીડિયા એન્ડ એન્ટરટેન્મેન્ટ, કલંગૈર ટીવી પ્રાઈવેટ લિમિટેડ, ડાયનામિક્સ રીયલ્ટી, એવરસ્માઈલ કંન્સ્ટ્રક્શન કંપની, કૉનવુડ કંસ્ટ્ર્રક્શન એન્ડ ડેવલપર્સ, ડીબી રીયલ્ટી લિમિટેડ અને નિહાર કંન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ વિરૂદ્ધ આરોપ ઘડવામાં આવ્યા હતાં.
આરોપ છે કે સ્વાન ટેલિકોમના પ્રમોટરોએ યૂએએસ લાઈસેન્સ (ટેલિકૉમ સર્વિસ) માટે ડીએમકેની ચેનલ કલૈંગનર ટીવીને 200 કરોડ રૂપિયા ચુકવ્યા હતાં. આ માટે તેમણે પોતાની ગ્રુપ કંપની ડાયનામિક્સ રીયલ્ટીનો ઉપયોગ કર્યો હતો અને કુસેગાંવ ફ્રૂટ્સ એન્ડ વેજિટેબલ્સ પ્રાઈવેટ લિમિટેડ (હાલ કુસેગાંવ રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડ) મારફતે નાણાં આપ્યા હતાં. આ લેવડ દેવડ કાયદેસર રીતે થયેલી હોવાનુ બતાવવાના ભાગરૂપે બાદમાં વધુ રકમ સાથે નાણાં પરત કરવામાં આવ્યા હતાં. હકીકતમાં આ રકમ રાજા અને તેમના સહયોગીઓને એસટીપીએલને લાભ પહોંચાડવાના બદલે આપવામાં આવી હતી.
આ કેસમાં ઈડી તરફથી દાખલ કરવામાં આવેલા આરોપપત્રમાં કહેવામાં આવ્યું હતું કે દેવા (કરજ)ના નામે આપવામાં આવેલા આ રકમ હકીકતમાં ગેરકાયદેસર હતી. આરોપનામામાં વધુમાં જણાવાયું છે કે દેવુ ચુકવવાના પ્રયત્નના ભાગરૂપે આ કામ આરોપી વ્યક્તિઓ અને કંપનીઓ દ્વારા બે ભાગમાં કરવામાં આવ્યું હતું. પહેલા ભાગમાં કુસેગાંવ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ પ્રાઈવેટ લિમિટેડ અને સિનેયુગ મીડિયા એન્ડ એન્ટર્ટેન્મેન્ટ મારફતે કલૈંગનર ટીવીને 200 કરોડ રૂપિયાની લોન આપવા માટે આપવામાં આવ્યા અને બાદમાં કલૈંગનર ટીવી તરફથી વધારે નાણાંની ચુકવણી કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે કેસના મુખ્ય આરોપી એવા એ રાજા યુપીએ સરકારમાં ટેલિકોમ પ્રધાન રહી ચુક્યા છે. તેમના જ કાર્યકાળમાં 2જી સ્પેક્ટ્રમ ફાળવણીમાં મોટા પાયે કથિત ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપો લાગ્યા હતાં. આ ગેરરીતિ લગભગ 1 લાખ 76 હજાર કરોડની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ મામલે એ રાજા અને કનિમોઝી સહિતનાઓ જેલવાસ ભોગવી આવ્યા છે અને હાલ તેઓ જામીન પર બહાર છે.
No comments:
Post a Comment