૧૬૭ એકર જમીન પર ૧૦૮ કરોડના ખર્ચે ઊભું થયું છે અક્ષરધામ કૉમ્પ્લેક્સ

અમેરિકાના ન્યુ જર્સી પાસે રૉબિન્સવિલેમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)એ ૧૬૭ એકર જમીન પર ભવ્ય અક્ષરધામ મંદિરનું નિર્માણ કર્યુ છે, જેનું ઉદ્ઘાટન રવિવારે પ્રમુખસ્વામી મહારાજના હસ્તે થયું હતું. આ મંદિર ૧૮ મિલ્યન ડૉલર (આશરે ૧૦૮ કરોડ રૂપિયા)ના ખર્ચે તૈયાર થયું છે અને એ અમેરિકાનું સૌથી મોટું અને સૌથી મોંઘું મંદિર બન્યું છે. આ મંદિરની સંકલ્પના તૈયાર થયાનાં ત્રણ જ વર્ષમાં એ ઊભું કરવામાં આવ્યું છે.
ઇટાલિયન માર્બલનો ઉપયોગ
આ મંદિર ૧૩૩ ફૂટ લાંબું, ૮૭ ફૂટ પહોળું અને ૪૨ ફૂટની હાઇટ ધરાવે છે. એમાં ૬૩,૦૦૦ ક્યુબિક ફૂટ ઇટાલિયન માર્બલ વપરાયો છે. એમાં વપરાયેલા સ્ટૉનની સંખ્યા ૧૩,૪૯૯ છે. આ તમામ પથ્થરોએ આશરે ૨૧,૫૦૦ દરિયાઈ માઇલ (આશરે ૩૪,૬૦૦ કિલોમીટર)નો પ્રવાસ કર્યો છે. એમાં ૯૮ પિલર્સ છે અને ૧૭૬ બીમ છે. પથ્થરો પર ૯૧ હાથી અને ૪૪ ગણેશમૂર્તિ કોતરવામાં આવી છે. એ સિવાય મયૂરદ્વાર પર ૨૩૬ મોર કોતરવામાં આવ્યા છે. આ મંદિર પૂરું કરવા માટે ૪૭ લાખ માનવકલાક લાગ્યા છે. આ મંદિર હજારો વર્ષ સુધી ટકી શકશે અને અમેરિકાના વિન્ટરમાં પણ એને કોઈ અસર નહીં થાય.
કેટલી મૂર્તિ?
આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ, હરિકૃષ્ણ મહારાજ, રામ-સીતા-લક્ષ્મણ-હનુમાન, શિવ-પાર્વતી-ગણેશજી-કાર્તિકેય, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ, નરનારાયણ, વિઠ્ઠલ-રુક્મિણી, લક્ષ્મીનારાયણ અને તિરુપતિ બાલાજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.
અમેરિકાના ન્યુ જર્સી પાસે રૉબિન્સવિલેમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)એ ૧૬૭ એકર જમીન પર ભવ્ય અક્ષરધામ મંદિરનું નિર્માણ કર્યુ છે, જેનું ઉદ્ઘાટન રવિવારે પ્રમુખસ્વામી મહારાજના હસ્તે થયું હતું. આ મંદિર ૧૮ મિલ્યન ડૉલર (આશરે ૧૦૮ કરોડ રૂપિયા)ના ખર્ચે તૈયાર થયું છે અને એ અમેરિકાનું સૌથી મોટું અને સૌથી મોંઘું મંદિર બન્યું છે. આ મંદિરની સંકલ્પના તૈયાર થયાનાં ત્રણ જ વર્ષમાં એ ઊભું કરવામાં આવ્યું છે.
ઇટાલિયન માર્બલનો ઉપયોગ
આ મંદિર ૧૩૩ ફૂટ લાંબું, ૮૭ ફૂટ પહોળું અને ૪૨ ફૂટની હાઇટ ધરાવે છે. એમાં ૬૩,૦૦૦ ક્યુબિક ફૂટ ઇટાલિયન માર્બલ વપરાયો છે. એમાં વપરાયેલા સ્ટૉનની સંખ્યા ૧૩,૪૯૯ છે. આ તમામ પથ્થરોએ આશરે ૨૧,૫૦૦ દરિયાઈ માઇલ (આશરે ૩૪,૬૦૦ કિલોમીટર)નો પ્રવાસ કર્યો છે. એમાં ૯૮ પિલર્સ છે અને ૧૭૬ બીમ છે. પથ્થરો પર ૯૧ હાથી અને ૪૪ ગણેશમૂર્તિ કોતરવામાં આવી છે. એ સિવાય મયૂરદ્વાર પર ૨૩૬ મોર કોતરવામાં આવ્યા છે. આ મંદિર પૂરું કરવા માટે ૪૭ લાખ માનવકલાક લાગ્યા છે. આ મંદિર હજારો વર્ષ સુધી ટકી શકશે અને અમેરિકાના વિન્ટરમાં પણ એને કોઈ અસર નહીં થાય.
કેટલી મૂર્તિ?
આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ, હરિકૃષ્ણ મહારાજ, રામ-સીતા-લક્ષ્મણ-હનુમાન, શિવ-પાર્વતી-ગણેશજી-કાર્તિકેય, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ, નરનારાયણ, વિઠ્ઠલ-રુક્મિણી, લક્ષ્મીનારાયણ અને તિરુપતિ બાલાજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.
No comments:
Post a Comment