આમિર ખાનના શો ‘સત્યમેવ જયતે’ની ત્રીજી સીઝન ૨૧ સપ્ટેમ્બરે શરૂ થઈ રહી છે. આ સીઝનમાં બૉલીવુડના ઘણા સ્ટાર્સ શોમાં જોવા મળશે, સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ થશે અને જનતા સાથે લાઇવ ઇન્ટરઍક્શન પણ થશે.
પહેલી બે સીઝનમાં સળગતા સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પ્રકાશ પાડનારો આમિર ખાન મીડિયા સાથે ત્રીજી સીઝનની વાત કરતાં ગળગળો થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. તેણે કહ્યું હતું કે આ શો તેના માટે એક ઇમોશ્ાનલ સફર બની રહ્યો છે.
No comments:
Post a Comment