Translate

Friday, June 5, 2015

US: જાણો, જૂન-2015માં તમારી કેટેગરીના વિઝાનું સ્ટેટસ

(તમામ તસવીરો પ્રતીકાત્મક)
 
વોશિંગ્ટનઃ અમેરિકામાં જૂન માસનું વિઝા બુલેટિન જાહેર થયું છે. વિઝા બુલેટિન અનુસાર વિવિધ કેટેગરીના વિઝાનું કરંટ સ્ટેટસ આ પ્રમાણે છેઃ
 
ફેમિલી સ્પોન્સર્ડ વિઝામાં પહેલી કેટેગરી બે સપ્તાહ આગળ વધી છે, જ્યારે F2A કેટેગરી એક મહિનો આગળ વધી છે. તે સિવાય F2B, F3 અને F4 ત્રણેય કેટેગરી યથાવત્ છે.
 
US: જાણો, જૂન-2015માં તમારી કેટેગરીના વિઝાનું સ્ટેટસએમ્પ્લોયમેન્ટ બેઝ્ડ કેટેગરીમાં પ્રોફેશનલ ડિગ્રી ધરાવનારાની E-2 કેટેગરી અંદાજે સાડા છ મહિના જેટલી આગળ વધતાં યુવાનોમાં ઉત્સાહ છે. જ્યારે E-3 કેટેગરી એક સપ્તાહ આગળ વધી છે. તે સિવાય અન્ય કેટેગરીઓ મે-2015 માસ પ્રમાણે યથાવત્ છે.






જૂન-2015 ની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરી સંપૂર્ણ વિઝા ઇન્ફર્મેશન
 
F1- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યક્તિના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F2A- કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની તથા અપરણીત બાળકો 
F2B- કાયમી વસવાટ કરનારાઓના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F3- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યતકિતના પરિણીત પુત્રો અને પુત્રીઓ
F4- યુએસ સિટીઝનના એડલ્ટ બ્રધર અને સિસ્ટર
 
જૂન-2015 માસની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીની વિગતો
 
કેટેગરીકટ-ઓફ ડેટ
F101 સપ્ટેમ્બર 07  
F2A01 ઓક્ટોબર 13
F2B15 સપ્ટેમ્બર 08
F322 ફેબ્રુઆરી 04
F408 સપ્ટેમ્બર 02
 એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સિસના વિઝાની વિગતો
 
E1 -  પ્રાયોરિટી વર્કર્સ (ચઢિયાતા કામદારો) 
E2 - પ્રોફેશનલ ડિગ્રી ધરાવનાર વ્યક્તિ
E3 - સ્કિલ્ડ અને પ્રોફેશનલ વર્કર
E4 - સ્પેશિયલ ઇમિગ્રન્ટ્સ
E5 - ખાસ પ્રોગ્રામ, નક્કી કરેલા વિભાગમાં રોજગાર ઉત્પન્ન કરનાર અને ખાસ પ્રકારની નોકરીઓની તક
 
જૂન-2015 માસની એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝાની ઇન્ફર્મેશન
 
કેટેગરી        કટ-ઓફ ડેટ
E1કરંટ ડેટ
E201 ઓક્ટોબર 08  
E322 જાન્યુઆરી 04
E4કરંટ ડેટ
E5કરંટ ડેટ

Thursday, June 4, 2015

જીવના જોખમે થતું GOLD SMUGGLING

અમદાવાદના એરપોર્ટ પર ફરી એક વખત ગેરકાયદે રીતે લવાતું સોનું પકડાયા હોવાના સમાચાર છે. કડક સુરક્ષા વચ્ચે જો કે આ સોનું તેના ગંતવ્ય સુધી પહોંચ્યુ નહીં પણ ગુનેગારો તેને લઇ જવા માટે એક પછી એક નવા નુસખા અપનાવી રહ્યા છે. આ સોનું જે પકડાયુ તેને હાઇ પ્રેશર કાર વોશરમાં છૂપાવવામાં આવ્યુ હતુ. આ પહેલા પણ ઘણા બનાવો બન્યા છે, જેમાં અલગ અલગ પ્રકારના જુગાડ કરીને સોનું પહોંચાડવાના કારસો રચવામાં આવ્યો છે. પરંતુ ચાંપતી સુરક્ષાના લીધે આ પ્રકારના કિસ્સાઓમાં ગુનેગારો પકડાઇ ગયા છે.


કોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLING
 કોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLINGકોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLINGકોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLINGકોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLINGકોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLINGકોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLINGકોઇએ છૂપાવ્યું ગુદામાર્ગમાં તો કોઇએ નીકરમાં, જીવના જોખમે થતું GOLD SMUGGLING

ધો-10નું 54.42 ટકા પરિણામ: ગત વર્ષ કરતાં 10 ટકા ઓછું, 303 શાળાનું 100 ટકા પરિણામ

ગુજરાતરાજ્ય માધ્યમિક ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 54.42 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષના 63.85 કરતા 10 ટકા ઓછું છે. 
 અમદાવાદના સંસ્કાર કેન્દ્ર ખાતે આવેલા સફળ વિદ્યાર્થીઓ
પરિણામના મુખ્ય મુદ્દા
 
-સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રાસ(આણંદ) 97.83 ટકા
-સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ગોઢીંબ (મહિસાગર) 5.68 ટકા
-સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ 74.61 ટકા
-સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર 20.16
-100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 303
- વિદ્યાર્થીઓનું પરિણામ 50.17 ટકા
-વિદ્યાર્થિનીઓનું પરિણામ 61.53 ટકા
-અંગ્રેજી માધ્યમનું પરિણામ 91.11 ટકા
-ગુજરાતી માધ્યમનું પરિણામ 51.33 ટકા
-હિન્દી માધ્યમનું પરિણામ 72.54 ટકા
-392 ગેરરીતિના કેસ + 1678 કેસ વીડિયો ફૂટેજના આધારે
 
કઈ રીતે જોઈ શકાશે પરિણામ ?
 
પરિણામની વિગતો www.gseb.org પરથી મેળવી શકશે. વિદ્યાર્થીઓ ખાનગી મોબાઈલ કંપનીઓ પાસેથી રૂ. એેકના દરે પોતાનો સીટ નંબર લખીને 5207011 પર તેમજ પોતાનો સીટ નંબર લખીને 588881111 પર SMS કરીને પરિણામની વિગતો મેળવી શકશે. જ્યારે 18002335500 ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર પરથી પરિણામની પૂછપરછ કરી શકાશે. 
 

Wednesday, June 3, 2015

ન્યૂજર્સીના પટેલને બે વર્ષની જેલઃ લોકોને ગેરકાયદે ઘૂસાડી કરોડો કમાયો

વોશિંગ્ટનઃ ન્યૂજર્સીની કોર્ટે આજે સંદીપકુમાર પટેલ નામના વ્યક્તિને ભારતમાંથી લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસડાવના આરોપમાં 30 મહિનાની જેલની સજા ફટકારી છે. તે સિવાય કોર્ટે સંદીપકુમાર પટેલને 50000 ડોલરનો (અંદાજે 32 લાખ રૂ.) દંડ અને ઇન્ટરનલ રેવન્યૂ સર્વિસ (IRS)માં 423,452 ડોલર (અંદાજે 2.71 કરોડ રૂ.) જમા કરવાનો આદેશ આપ્યો છે.
 
એડિસનના રહેવાસી પટેલને ગત વર્ષે આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 
ન્યૂજર્સીના પટેલને બે વર્ષની જેલઃ લોકોને ગેરકાયદે ઘૂસાડી કરોડો કમાયો 
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર, વર્ષ 2001થી 2009 દરમિયાન આઠ વર્ષના ગાળામાં પટેલે ભારતીય નાગરિકોના ખોટી રીતે H1B વિઝા મેળવ્યા. તેણે વિઝા માટે ખોટો દાવો કર્યો હતો કે, તે ન્યૂજર્સીની વિવિધ કંપનીઓમાં ટેક્નિકલ ફિલ્ડ્સમાં લોકોને નોકરી આપશે. આવી રીતે સંદીપે લોકોને અમેરિકામાં ઘૂસાડ્યા.
 
ખોટી રીતે મેળવેલા વિઝા પર અમેરિકામાં ઘૂસવા બદલ લોકો જરૂરી સર્ટિફિકેટ મેળવવા પટેલને મોટી લાખો રૂપિયા ચૂકવતા હતા. પોતાની સ્કીમને છુપાવવા માટે પટેલે પેરોલ ચેક્સ અને પેરોલ ફોર્મ્સ પણ ઇશ્યૂ કર્યા હતા. 
 
અમેરિકામાં પટેલ થકી ઘૂસેલા લોકોએ તેની પાસેથી પેરોલ ચેક લઇને પાછા તેને જ આપી દેવાના. તે સિવાય કંપનીના નામે જે ટેક્સનો ખર્ચ થતો તે પણ સંદીપ પટેલ ઘૂસણખોરી કરનારા લોકો પાસેથી જ વસૂલ કરતો હતો. 
 
તે સિવાય લોકોના વિઝા એક્સ્ટેન્ડ કરવા માટે પણ સંદીપ કુમાર જે ખોટા ડોક્યુમેન્ટ્સ કોર્ટમાં રજૂ કરતો હતો તેનો તમામ ખર્ચ તે લોકો પાસેથી જ વસૂલતો હતો. 
 
પટેલે ઇન્કમ ટેક્સ રિટર્નમાં પોતાના પેરોલમાં ખર્ચ વધુ પડતો દર્શાવતા તે IRSની નજરે ચડ્યો હતો. તેણે ચાર વર્ષમાં પેરોલમાં 1.4 મિલિયન ડોલરનો (અંદાજે 8.96 કરોડ રૂ.) ખર્ચ દર્શાવ્યો હતો. આથી તે વર્ષોમાં પેરોલમાં ખોટો ખર્ચ દર્શાવવા બદલ તેને 400000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન

મુંબઈઃ ભારતના ટોપ ઉદ્યોગપતિઓમાં જેમની ગણના થાય છે તેવા અનિલ અંબાણી 4 જૂનના રોજ 56 વર્ષ પૂરા કરશે. આ પ્રસંગે ભાસ્કર તેમના વાચકોને અંબાણી પરિવાર સાથે જોડાયેલ રોચક વાતો જણાવવામાં શ્રેણી ચલાવી રહ્યું છે. જે અંતર્ગત અમે તમને મુકેશ અને અનિલ અંબાણીના બાળકો વિશે જણાવી રહ્યા છીએ. જણાવીએ કે જે રીતે ધીરૂભાઈ અંબાણીએ પોતાના બાળકો અનિલ અને મુકેશને બિઝનેસની ટ્રેનિંગ આપી હતી, તેવી જ રીતે હવે મુકેશ અને અનિલ અંબાણી પણ પોતાના બાળકોને તાલિમ આપી રહ્યા છે. 
અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન
આ છે અંબાણી પરિવારનું ભવિષ્ય
મુકેશ અંબાણીને ત્રણ બાળકો છે. તેમા ટ્વિન્સ ઈશા અને આકાશ મોટા છે. બન્નેને પાછલા વર્ષે જ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ કરવામાં આવ્યા. જ્યારે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંદ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે, મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીને બે પુત્ર છે. અનિલ અંબાણીએ પણ પોતાના મોટા પુત્ર જય અનમોલ અંબાણીને પાછલા વર્ષે કંપનીની પોલિસી મેકર્સની યાદીમાં સામેલ કર્યા. નાનો પુત્ર અંશુલ હાલમાં  અભ્યાસ કરે છે. અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન
અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન
અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન
અંબાણી પરિવારની યંગ બ્રિગેડ, કોઈ ફોટોગ્રાફી તો કોઈ ફુટબોલના શોખીન

નવા આઈડિયાએ બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં બની 100 કરોડની કંપની = www.storeking.in

નવી દિલ્હીઃ વિચાર નવો હોય, તો કોઈપણ બિઝનેસ સફળ થઈ શકે છે. લગભગ આ જ વાત અપનાવીને બેંગાલુરુના શ્રીધર (Sridhar Gundaiah)એ વર્ષ 2012માં સ્ટોરકિંગના નામે ઈ-કોમર્સ બિઝનેસ શરૂ કર્યું. શ્રીધરની ઈ-કોમર્સ કંપની અન્ય કંપનીઓ કરતાં થોડી અલગ છે. અન્ય ઈ-કોમર્સ કંપનીઓ પર તમે અંગ્રેજીના ઇન્ટરફેસનો ઉપયોગ કરીને સામાન ઓર્ડર કરો છો, જ્યારે સ્ટોરકિંગ પર તમને ભાષાની આઝાદી મળે છે. સ્ટોરકિંગ પર તમે સ્થાનિક ભાષામાં પણ સામાન ઓર્ડર કરી શકો છો. શ્રીધરનો આ નવો પ્રયોગ એટલો સફળ થયો કે કંપનીનો કારોબાર સતત વિસ્તરી રહ્યો છે. 3 વર્ષમાં આ કંપની 100 કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગઈ છે. હાલમાં સ્ટોરકિંગ બેંગાલુરુમાં કામ કરે છે અને તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં સામાન ઓર્ડર કરવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે. ઝડપથી કંપની મધ્ય પ્રદેશમાં પણ સેવા આપશે. 
તસવીરઃ વર્ષ 2007માં યૂલોપ કંપનીના કર્મચારીઓ સાથે શ્રીધર (સૌથી આગળ)
www.storeking.in

આ પહેલા પણ શ્રીધરે ખોલી હતી કંપની
શ્રીધરનું આ પ્રથમ સ્ટાર્ટઅપ ન હતું. આ પહેલા તેમણે વર્ષ 2007માં યૂલોપ નામથી એક કંપની શરૂ કરી હતી. આ કંપની સમગ્ર ભારતમાં લોકેશન બેસ્ડ સેવા ઉપલબ્ધ કરાવતી હતી. શ્રીધરે યૂનિવર્સિટી ઓફ ગ્રીનવિચ, લંડનથી આઈટી એન્ડ ઈ-કોમર્સમાં માસ્ટર ડિગ્રી લીધી. ત્યાર બાદ વર્ષ 2009માં તેમણે સ્ટોરકિંગ ખોલવાનો વિચાર આવ્યો. તેમણે વિચાર્યું કે તેઓ એવા લોકોની સમસ્યાનું સમાધાન કરશે, જે લોકો પોતાની ભાષામાં જ વસ્તુઓ પસંદ કરવાની આઝાદી ઇચ્છે છે.

આ રીતે વિચાર આવ્યો
શ્રીધર ઘણા વર્ષો પહેલા ચીન ગયા હતા. ત્યાં મોટાભાગના લોકો સ્થાનિક ભાષામાં જ વાતચીત કરતા હતા. ત્યાંથી તેમને વિચાર આવ્યો, કે કોઈપણ બિઝનેસનો સ્થાનિક ભાષામાં વિસ્તાર કરવો જોઈએ. તેના કારણે જ તેમણે લોકોને કન્નડ ભાષાનું પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનો વિચાર આવ્યો. ત્યાર બાદ તેમણે સ્ટોરકિંગની શરૂઆત કરી. આ વિચાર લોકોને પણ પસંદ આવ્યો. સ્ટોરકિંગ દ્વારા લોકો પોતાની ભાષામાં સરળતાથી ઓર્ડર કરતાં હતા. 
તસવીરઃ સ્ટોરકિંગ ફેમિલી. આ તસવીર કંપનીએ પોતાની વેબસાઇટ પર શેર કરી છે.
કેવી રીતે કામ કરે છે સ્ટોરકિંગ
સ્ટોરકિંગ એક ઈ-કોમર્સ કંપની છે. આ કંપની લગભગ 50,500 ઉત્પાદન વેચે છે. હાલમાં તે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં ઉપલબ્ધ છે. સ્ટોરકિંગ પર સરળ રીતે ઓર્ડર કરવાની રીતથી ગામના લોકો પણ તેની સાથે જોડાયા છે. દક્ષિણ ભારતમાં સ્ટોરકિંગના 4500 કિઓસ્ક છે. કંપનીને દર મહિને લગભગ 75000 ઓર્ડર્સ મળે છે. 

91 ટકા ગ્રાહકો નથી જાણતા અંગ્રેજીમાં કેવી રીતે સામાન ઓર્ડર કરવો
હાલના એક અભ્યાસ પરથી જાણવા મળ્યું કે, 91 ટકા લોકો અંગ્રેજી ઇન્ટરફેસમાં સામાન ઓર્ડર કરવામાં મુશ્કેલી અનુભવે છે. તેઓ અંગ્રેજીના યોગ્ય કી-વર્ડ ટાઇપ નથી કરી શકતા. આ ભાષાના અવરોધને દૂર કર્યા બાદ શ્રીધરનું સ્ટાર્ટઅપ વધુ સફળ થયું, કારણ કે સ્ટોર કિંગ પર લોકો સરળતાથી સામાન ઓર્ડર કરી શકે છે. સ્ટોર કિંગના સીઈઓ અને ફાઉન્ડર શ્રીધર પણ બિઝનેસમાં સ્થાનિક ભાષાની જરૂરત પર સર્વે કરાવી ચૂક્યા છે. આ સર્વેમાં પણ એ વાત સામે આવી છે કે લોકો સ્થાનિક ભાષામાં જ કામકાજ અને વાતચીત કરવાનું પસંદ કરે છે. 
તસવીરઃ કંપની હાલમાં કેટલા ગ્રાહકો છે, તેનો આ ગ્રાફ પણ કંપનીએ પોતાની વેબસાઇટ સ્ટોરકિંગ પર શેર કર્યો છે. સાથે જ ભવિષ્યની પોતાની યોજનાઓ વિશે પણ જણાવ્યું છે.
તસવીરઃ કંપની હાલમાં કેટલા ગ્રાહકો છે, તેનો આ ગ્રાફ પણ કંપનીએ પોતાની વેબસાઇટ સ્ટોરકિંગ પર શેર કર્યો છે. સાથે જ ભવિષ્યની પોતાની યોજનાઓ વિશે પણ જણાવ્યું છે.
આ છે ભવિષ્યની યોજના
શ્રીધર આવતા થોડા મહિનામાં સ્ટોરકિંગનું વિસ્તરણ કરશે. સૌથીપહેલા તેઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સેવા ઉપલબ્ધ કરાવશે. ખાસ વાત એ છે કે કંપની જે જગ્યા પર સેવા આપશે, સમગ્ર કારોબાર ત્યાંની સ્થાનિક ભાષામાં હશે. 

વિદેશી કંપનીઓ કરી રહી છે રોકાણ
સ્ટોર કિંગમાં લક્ઝમબર્ગની વેંચર ફર્મ માંગરોવ કેપિટલ પાર્ટનર્સને પણ રોકાણ કર્યું છે. હાલમાં સ્ટોરકિંગનું કુલ ફન્ડિંગ 38 કરોડ રૂપિયા જેટલું થયું છે.

બર્થ-ડે: ...ને આ ગુજરાતી યુવતીને લોકો કહેવા લાગ્યા ‘ભારતીય શકીરા’ મૌલી દવે

મૌલી  દવે
2007માં યોજાયેલા સારેગામાપા ચેલેન્જમાં પોતાની ગાયકી પ્રતિભાથી એક ગુજરાતી યુવતીએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યો અને વિદેશોમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોના દિલ જીતી લીધા હતા. તેની ગાવાની સ્ટાઇલ અને અવાજના કારણે તેને ભારતીય શકીરાનો ટેગ આપવામાં આવ્યો અને તે આ જ નામથી વધારે લોકપ્રિય બની. આ સિંગર અન્ય કોઇ નહીં પરંતુ જેટલો મધુર તેનો અવાજ છે એટલી જ સુંદર મૌલી દવે.
 
મૌલીનો જન્મ અમદાવાદમાં હેંમત અને દિપ્તી દવે પરિવારમાં 3 જૂનના રોજ થયો. તે માત્ર 10 મહિનાની હતી ત્યારથી જ તેણે ગાવાની શરૂઆત કરી દીધી હતી અને તેના સગાસંબધીઓ તેને પુમ-પુમ કહીને બોલાવતા હતા, માત્ર 10 મહિનાની હતી ત્યારે જ લોકો તેનું સાચું નામ ભૂલી ગયા હતા અને તેને આ હુલામણા નામથી બોલાવતા હતા. મૌલી જ્યારે બે વર્ષની હતી ત્યારે તેના માતા પિતા અમેરિકા સ્થાયી થવા જતા રહ્યાં હતા. યુએસના હોસ્ટન, ટેક્સાસમાં તેના માતા દિપ્તી દવેએ એ તમામ બાબતો મૌલીને શીખવી જેના કારણે મૌલીને જીવનમાં ક્યારેય બીજા પર નિર્ભર રહેવું ના પડે.
 
જેના કારણે મૌલી સ્પોર્ટ્સ, માર્શલ આર્ટ્સ, ક્લાસિકલ ડાન્સ, ક્લાસિકલ મ્યુઝીક, ઇન્સ્ટ્રુમેન્ટ, ફાઇન આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ જેવા વિવિધ ક્ષેત્રનું જ્ઞાન મેળવી શકી. તેની માતાનું માનવું હતું કે મૌલી માટે એક નહીં અનેક ક્ષેત્રના દરવાજા ખુલ્લા હોવા જોઇએ અને તે વિવિધ તકોનો લાભ લઇ શકતી હોવી જોઇએ.
 
અમદાવાદમાં શીખ્યું ક્લાસિકલ મ્યુઝિક
 
બર્થ-ડે: ...ને આ ગુજરાતી યુવતીને લોકો કહેવા લાગ્યા ‘ભારતીય શકીરા’મૌલીના માતાએ તેને અને તેના ભાઇ ઓમકારને દાદીમા સાથે રહેવા માટે અમદાવાદ મોકલ્યા હતા, અમદાવાદમાં 1995થી 2000 સુધી મૌલી રહી હતી, જ્યાં તેણે દિવ્યાંગ ઠાકુર પાસે ભારતીય ક્લાસિકલ મ્યુઝીક શીખ્યું. તેમજ 12 વર્ષની ઉમરે તેણે કુચીપુડી નૃત્ય શીખવાની શરૂઆત કરી હતી અને ડિપ્લોમા મેળવ્યું હતું. આ સાથે જ તેણે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષા શીખવાની પણ શરૂઆત કરી હતી. 2000માં તે યુએસ પરત ફરી હતી, જ્યાં તેણે નાની ઇવેન્ટમાં 12 વર્ષની ઉમરે પ્રોફેશનલ સિંગિંગ પર્ફોર્મન્સ શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેણે ભરતનાટ્યમ, ઓડિસી અને હિપ હોપ ડાન્સ સ્ટાઇલ પણ શીખી છે.

2007માં યુએસમાં જીતી મિસ ટીન ઇન્ડિયા ટેક્સાસ પેજન્ટ

મૌલી મિસ ટીન ઇન્ડિયા ટેક્સાસ પેજન્ટમાં ભાગ લેવા નહોતી ઇચ્છતી પરંતુ તેના માતાએ તેને ઘણી સમજાવી હતી, જેના કારણે મૌલીએ 2007માં આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, એટલું જ નહીં પરંતુ તે આ ઇવેન્ટ પણ જીતી હતી.
 
2007માં સારેગામાપા ચેલેન્જમાં લીધો ભાગબર્થ-ડે: ...ને આ ગુજરાતી યુવતીને લોકો કહેવા લાગ્યા ‘ભારતીય શકીરા’

જે વર્ષે મિસ ટીન ઇન્ડિયા ટેક્સાસ પેજન્ટમાં ભાગ લીધો હતો એ જ વર્ષે તેણે ભારતના સિંગિંગ કાર્યક્રમ સારેગામાપામાં ભાગ લીધો હતો, પ્રારંભથી જ તેણે જજો અને દર્શકોનું દીલ જીતી લીધું હતું, બધાને લાગતુ હતું યુએસથી આવેલી આ છોકરી લાંબુ ખેંચી નહીં શકે પરંતુ તેણે પોતાની ગાયકીથી બધાને ચોંકાવી દીધા હતા. આ સ્પર્ધામાં તે ફાઇન્લિસ્ટ સુધી પહોંચી હતી. આ શો દરમિયાન તેણે ગાયેલા ‘મૈયા મૈયા’ સોંગે ઘણી પ્રસિદ્ધિ અપાવી હતી અને તેને ભારતીય શકીરાના નામથી સંબોધવામાં આવી. આ ઉપરાંત તેણે અન્ય કેટલીક ટીવી શ્રેણી અને શોમાં પણ ભાગ લીધો છે, તેમજ ટીવીએસ સ્કૂટી જેવી વિવિધ જાહેરખબરોમાં પોતાનો અવાજ આપ્યો છે.
 
ગૌરવંતી ગુજરાત એવોર્ડ

મૌલીએ 2010માં યોજાયેલા ગૌરવંતી ગુજરાત એવોર્ડ દરમિયાન તેને અપકમિંગ સિંગરની ટ્રોફીથી નવાજવામાં આવી હતી અને બે વિવિધ એવોર્ડ માટે તેને નોમિનેટ પણ કરવામાં આવી હતી. 2010માં તેને જય વીરુ ફિલ્મ માટે ગાયેલા આગરે કા ઘાઘરા સોંગ માટે અપકમિંગ ડેબુડન્ટ સિંગરની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી

બિગ બઝારે પોતાના સ્ટોરમાં મેગીના વેચાણ પર મૂક્યો બેન, ટૂંક સમયમાં નિર્ણય લેશે દિલ્હી સરકાર

નેસ્લેની નૂડલ્સ મેગીની મુશ્કેલીઓમાં સતત વધારો થતો જાય છે. દિલ્હીમાં મેગીના 13 નુમનામાંથી 10 નમુના ફેલ થયા છે. આ વિશે આજે બુધવારની દિલ્હી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એક ખાસ બેઠક પણ બોલાવામાં આવી છે. બેઠકમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સહિત નેસ્લેના અધિકારીઓનો પણ સમાવેશ થશે. દિલ્હી સરકારે નેસ્લે અધિકારીઓ સામે સમન્સ જાહેર કર્યો છે. અમુક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિલ્હીમાં મેગીના પ્રતિબંધ વિશે આ બેઠકમાં વિચારણાં કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે દિલ્હી સરકાર મેબી બનાવનાર કંપની નેસ્લે સામે કાર્યાવહી કરવાનું પણ વિચારી રહી છે. મુંબઈમાં મેગીના બે સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જોકે તેમાં કોઈ હાનિકારક તત્વો જોવા મળ્યા નથી. જોકે ગોરખપુર અને કોલકાતામાં તપાસ દરમિયાન મેગીના નમુના સ્વાસ્થય માટે હાનિકારક જોવા મળ્યાં છે.  
 
બિગ બઝારે મેગી પર લગાવ્યો પ્રતિબંધબિગ બઝારે પોતાના સ્ટોરમાં મેગીના વેચાણ પર મૂક્યો બેન, ટૂંક સમયમાં નિર્ણય લેશે દિલ્હી સરકાર
દેશમાં મેગી પર એટલો બધો વિવાદ વધી ગયો છે કે દેશના અગ્રણી રિટેલ સેક્ટર બિગ બઝારે પણ તેમના સ્ટોરમાંથી મેગી હટાવવાનો નિર્ણય કર્યો છે. હવેથી સમગ્ર દેશના બિગ બઝારમાં મેગી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 
 
સ્વાસ્થય મંત્રીએ કહ્યું લઈ શકે છે મહત્વનો નિર્ણય

દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈને આ મામલે જણાવ્યું છે કે, દરેક માહિતી મેળવવામાં આવી રહી છે અને આ વિશે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. દિલ્હી સરકાર નેસ્લે સામે કેસ પણ દાખલ કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આજે બેઠકમાં નેસ્લેના અધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે.
 
સીસુંની માત્રા હતી વધારે

અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે શહેરના વિવિધ વિભાગમાંથી ગયા સપ્તાહમાં મેગીના 13 નમુના લેવામાં આવ્યા હતાં. તેમાંથી 10 નમુનામાં સીસાની માત્રા વધારે જોવા મળી છે. સીસાની નક્કી કરેલી માત્રા 2.5 પીપીએમ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાંચ સેમ્પલમાં મોનોસોડિયમ ગ્લૂટામેટ જોવા મળ્યું છે. જ્યારે લેબલ પર તેની માહિતી આપવામાં આવી નથી. જે દર્શાવે છે કે બ્રાન્ડ ખોટી માહિતી આપે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા પાસેથી સૂચના મળ્યા પછી સ્વાસ્થય વિભાગના ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ આ નમુના લીધા છે. 
 
ઘણાં રાજ્યોમાં ચાલી રહી છે મેગીની તપાસ

નોંધનીય છે કે, દેશના ઘણાં રાજ્યોમાં મેગીની તપાસ ચાલી રહી છે. કેરળમાં સરકારી દુકાનોમાંથી મેગી હટાવવાનો આદેશ પહેલાથી જ આપવામાં આવ્યો છે. હરિયાણા, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ મેગીના નમુનાને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જોકે નેસ્લે કંપનીએ દાવો કર્યો છે કે, અન્ય લેબોરેટરીમાં અને તેમની પોતાની લેબમાં પણ મેગીને ખાવા માટે યોગ્ય નોંધવામાં આવી છે. 
શું છે મેગીમાં તકલીફ
 
મેગીમાં સીસાનો હિસ્સો 17 ગણો વધુ
 
મેગીની ગુણવત્તા અંગે હોબાળો મચી ગયો છે. ઘણાં સેમ્પલ્સમાં મેગીના નૂડલ્સમાં મર્યાદાથી 17 ગણું વધુ સીસું (લેડ) અને મોનો સોડિયમ ગ્લુટામેટ મળ્યા છે. એમએસજીને સામાન્ય બોલચાલમાં ‘અજીનોમોટો’ કહેવામાં આવે છે. સીસું ઝેરી ધાતુ છે. કેન્સર, મગજના રોગો, કિડનીની બીમારી અને મૃત્યુ પણ થઇ શકે છે.
 
લેડ સુરક્ષિત મર્યાદામાં : નેસ્લે
 
મેગીના મુદ્દે વિવાદમાં ઘેરાયેલી નેસ્લે ઇન્ડિયાએ જણાવ્યું કે કંપનીએ પોતાની અને બહારની લેબમાં તપાસ કરાવી છે. તેમાં સીસું સુરક્ષિત મર્યાદામાં છે. જો કે, કંપનીએ મોનોસોડિયમ ગ્લુટામેટ અંગે કશું જ કહ્યું નથી.
 
ક્યારથી આવી મેગી ચર્ચામાં
 
મે મહિનાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ ખાદ્ય સુરક્ષા અને ઓષધિ પ્રશાસને કંપનીને પુછ્યું કે તમે ફેબ્રુઆરી 2014માં બનેવી નૂડલ્સ વેચીને પરત કેમ લીધી. જ્યારે આ નુડલ્સની તપાસ કરવામાં આવી તો તેમાં મોનો સોડિયમ ગ્લૂકોમેટ જેવા જોખમી તત્વો જોવા મળ્યા હતાં. આ બાળકોમાં મેગી ખાધા પછી ઉત્પન્ન તાય છે. મેગીમાં મોનો સોડિયમ ગ્લૂકોમેટની માત્રા જરૂર કરતા વધારે જોવા મળી છે. ત્યારપછીથી સમગ્ર દેશમાં બહુરાષ્ટ્રીય કંપની નેસ્લેએ મેગી નુડલ્સના સેમ્પલ ભેગા કરીને તેની તપાસ કરવાનું શરૂ કર્યું છે. 
 
મેગી અંગે ગતિશીલ ગુજરાતની ઢીલી નીતિ
 
ઉત્તર પ્રદેશમાં મેગીનો વિવાદ બહાર આવ્યા બાદ દેશના અનેક રાજ્યોમાં મેગીના સેમ્પલ લેવાનું શરૂ થયું છે. દિલ્હીમાં પણ મેગી નૂડલ્સ લેબ ટેસ્ટમાં ફેલ થયા છે. કેરળમાં પણ સરકારી રીટેલ શોપમાંથી મેગીને હાંકી કઢાઈ છે. ગતિશીલ ગણાતા ગુજરાતમાં હજી સુધી કોઈ ચહલપહલ જોવા મળતી નથી.

સોમનાથ મંદિરમાં હવે માત્ર હિન્દુઓને જ મળશે પ્રવેશ, મંદિર પરિસરમાં લગાવવામાં આવી નોટિસ

વેરાવળ: વિશ્વ વિખ્યાત એવા દેશના બાર જયોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મંદિર ખાતે છેલ્લા બે દિવસથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં દર્શાનાર્થે આવતા બિન હિન્દુ દર્શાનાર્થીઓને ટ્રસ્ટની મંજુર બાદ જ મંદિરમાં પ્રવેશ આપવમાં આવશે તેવા સુચના બોર્ડો પ્રવેશ દ્વાર પર લગાવાતા દેશ વિદેશથી દર્શનાર્થે આવતા ભાવીકોમાં કુતુહલ સર્જાયું છે. સોમનાથ મંદિરમાં હવે માત્ર હિન્દુઓને જ પ્રવેશ મળશે, તેવી સૂચનાનું બોર્ડ મંદિર પરિસરમાં મારવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં મારવામાં આવેલા બોર્ડમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે બિન હિન્દુઓએ મંદિરમાં પ્રવેશવા માટે ઓફિસમાંથી મંજૂરી લેવી પડશે.  
સોમનાથ મંદિરમાં હવે માત્ર હિન્દુઓને જ મળશે પ્રવેશ, મંદિર પરિસરમાં લગાવવામાં આવી નોટિસ
- મંદિર પરિસરમાં લગાવવામાં આવી નોટીસ
- દર્શન કરવા માટે  ઓફિસમાંથી લેવી પડશે મંજૂરી 
- સોમનાથ મંદિરમાં બિન હિન્દુઓને પ્રવેશ માટે પ્રતિબંધની સુચનાનું બોર્ડ લગાવવામાં આવ્યું 
 
જો કે ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનાં જણાવ્યા મુજબ સોમનાથ મંદિર હિન્દુ સમાજની આસ્થાનું કેન્દ્ર છે અને દરેક હિન્દુ મંદિરો પર આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવેલા છે જેથી સોમનાથ મંદિર ખાતે પણ આ બોર્ડ લગાવવામાં આવ્યા છે : વિજયસિંહ ચાવડા, જનરલ મેનેજર, સોમનાથ ટ્રસ્ટ
સોમનાથ મંદિરમાં હવે માત્ર હિન્દુઓને જ મળશે પ્રવેશ, મંદિર પરિસરમાં લગાવવામાં આવી નોટિસ
 
અત્રે નોંઘનીય છે કે, સોમનાથ મંદિર ટૂસ્ટના ટ્રસ્ટી પદે દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી બીરાજમાન છે અને બીનસાંપ્રદાયીક દેશમાં સોમનાથ મંદિર ખાતે દેશ વિદેશના લાખો ભાવીકો દર્શનાર્થે આવે છે ત્યારે એકાએક સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના બોર્ડ લગાવાતા દર્શાનાર્થે આવતા ભાવકો આ બોર્ડ વાંચી અચરજ પામી રહ્યા છે.સોમનાથ મંદિરમાં હવે માત્ર હિન્દુઓને જ મળશે પ્રવેશ, મંદિર પરિસરમાં લગાવવામાં આવી નોટિસ

જયપુરમાં શરૂ થઈ મેટ્રો, મહિલા ડ્રાઈવરે દોડાવી ટ્રેન

શરૂઆતમાં મેટ્રો નવ સ્ટેશન્સને કવર કરશે.રાજસ્થાનનું જયપુર શહેર વિશ્વના ચૂનંદા શહેરોમાં સામેલ થઇ ગયું, જ્યાં મેટ્રો ટ્રેન ચાલે છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધિયા દ્વારા બુધવારે બપોરે મેટ્રો ટ્રેનને લીલીઝંડી દેખાડવામાં આવી.  અહીંની મેટ્રો અન્ય શહેરોની મેટ્રોની તુલનામાં કેટલીક ખાસિયત ધરાવે છે. તેમાં એક ખાસિયત છે કે મેટ્રોનું સંચાલન મહિલાઓના હાથમાં છે. 
 રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરારાજે સિંધિયાએ જયપુરમાં માનસરોવર મેટ્રો સ્ટેશન પર લીલીઝંડી દેખાડી હતી. ખુદ તેઓ પણ આ મેટ્રો ટ્રેનમાં સવાર થયા હતા. આ સાથે જ જયપુરનું નામ પણ વિશ્વના એ શહેરોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં મેટ્રોની સુવિધા છે. બુધવારે બપોરે બે વાગ્યાથી આ સેવાને જાહેર જનતા માટે ખુલી મુકવામાં આવશે. 
 
સૌથી ગતિસભર રીતે પૂર્ણ થયો પ્રોજેક્ટ
 
અનેક ડેડલાઈન મીસ થવા છતાં જયપુર મેટ્રો સર્વિસને દેશમાં સૌથી ઝડપથી પૂર્ણ થયેલો મેટ્રો રેલ પ્રોજેક્ટ માનવામાં આવે છે. તેને રેકોર્ડ ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. 
 
સ્કૂટર નહીં ચલાવનારી ટ્રેન ચલાવશે 
 
જયપુર મેટ્રોની ઓપરેટિંગ ટીમના 24 સભ્યો પૈકી 6 મહિલાઓ છે. તેમાંની એક ઝુંઝુનુ જિલ્લાના ખેતડીની રહેવાસી કુસુમ કંવરના અનુસાર મને વાતનું ગર્વ છે કે મેટ્રોના સંચાલનમાં હું ભાગીદાર બની છું. મારા પપ્પા વાતે ગર્વ અનુભવી રહ્યા છે કે જે દીકરીને તેઓ બાઇક ચલાવવાનો ઇનકાર કરતા હતા તે હવે જયપુરમાં મેટ્રો ચલાવશે. 
 
કુસુમની સાથી મોનિકા મિત્તલે જણાવ્યું હતું કે, મારું બેન્ક પીઓમાં સિલેક્શન થયું હતું પણ મેટ્રો ઓપરેટર બનવાથી જે ખુશી થઇ તેને વર્ણવી શકાય તેમ નથી. સામાન્ય રીતે લોકોને મહિલાઓના ડ્રાઇવિંગ પર ઓછો વિશ્વાસ રહે છે પણ મારા માટે સેફ્ટી સૌથી વધારે મહત્વપૂર્ણ છે. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે પહોંચાડવા મારું લક્ષ્ય છે.આ મહિલાઓમાંથી અમુકને પરિવારજનોએ તેમના ગામમાં વાહન પણ ચલાવવા દીધું ન હતું. હવે તેઓ જાહેર પરિવહનનું એક એવું માધ્યમ સંભાળશે જે આગામી સમયમાં જાહેર પરિવહનની દશા અને દિશા બદલી નાખશે. 
 દર એક મિનિટના અંતરે ટ્રેન મળશે.PHOTOS: જયપુરમાં શરૂ થઈ મેટ્રો, મહિલા ડ્રાઈવરે દોડાવી ટ્રેન
મેટ્રોની મુખ્ય બાબતો અને લાભો 
 
*9.63 કિલોમીટરનું અંતર 23 મિનિટમાં પૂર્ણ થશે. 
*માનસરોવર, આતિશ માર્કેટ, વિવેક વિહાર, શ્યામનગર, સોઢાલા, સિવિલ લાઈન્સ, જયપુર જંકશન, સિંધી કેમ્પ, ચાંપોલ એમ નવ સ્ટેશન્સ રસ્તામાં આવશે. 
*ત્રીસ સેકન્ડથી લઈને બે મિનિટના સ્ટોપેજ રહેશે 
*રૂ. 5,10, અને 15ની ટિકિટ રહેશે
*દર દસ મિનિટના અંતરે ટ્રેન મળશે 
*દસ ટ્રેનો આખા દિવસમાં 131 રાઉન્ડ ટ્રીપ લેશે. 
*દરેક ટ્રેનમાં ચાર કોચ હશે 
*સવારે 6.45 કલાકથી રાત્રે નવ કલાક સુધી સેવા ચાલુ રહેશે
*એક ટ્રેનમાં 1100 મુસાફરો સવારી કરી શકશે 
*એક દિવસમા 1.20 લાખ મુસાફરો સવારી કરી શકશે 
*નવ કિલોમીટરના માર્ગ પર ચોથા ભાગનો ટ્રાફિક ઘટી જવાની શક્યતા છે. 
*બે હજાર જેટલી મેટ્રોની નજીકની કોલોનિઝને નવા ફીડર માર્ગો ખુલતા લાભ થશે. 
*પર્યટકોની સંખ્યામાં પાંચથી દસ ટકાનો વધારો થવાની શક્યતા છે
*જયપુરમાં દર વર્ષે પંદર લાખ મુસાફરો આવે છે. 

મારુતિએ 27.6 Kmpl માઈલેજ આપતી Celerio ડીઝલ કાર લોન્ચ કરી

મારુતિએ 27.6 Kmpl માઈલેજ આપતી Celerio ડીઝલ કાર લોન્ચ કરીદેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની કાર મારુતિ સેલેરિયોનું ડીઝલ વર્ઝન લોન્ચ કર્યું છે. 800 સીસી ડીઝલ એન્જિનની સાથે કંપનીની આ પહેલી કાર છે. કંપનીનો દાવો છે કે મારુતિ સેલેરિયોનું ડીઝલ વર્ઝન 27.62 કિલોમીટર પ્રતિ કલાક માઈલેજ આપશે.
નવું ડીઝલ એન્જિન 800cc  કેટેગરીમાં સૌથી નાનું એન્જિન છે. આ એન્જિન મારુતિએ જાતે ડિઝાઈન કર્યું છે, પરંતુ તેને ફિયાટ સાથે મળીને તૈયાર કરાયું છે. નાની કાર ખરીદવા માંગતા લોકો માટે આ એક મોટું આકર્ષણ હશે.
 
શું છે વિશેષતા

> એન્જિનમાં 800 સીસીના ટ્વિન સિલિન્ડર છે. જે 50 બીએચપીનો પાવર જનરેટ કરે છે. આ એન્જિનના કારણે તે દેશની સૌથી વધુ ઈંધણ એફિશિયન્ટ કાર બની ગઈ છે.  
> સેલેરિયો ઝેડએક્સઆઈ એએમટી બોડી કલર હેન્ડલ્સ સાથે આવશે.
 >  તેમાં વિંગ મિરર અને રિયર વિન્ડો વાયપર પણ લાગેલા હશે.
> આ ઉપરાંત કી-લેસ એન્ટ્રી, સ્ટીયરિંગ પર ઓડિયો કન્ટ્રોલ, ટેમ્પરેચર ડિસ્પ્લે જેવા ફિચર્સ પણ હશે. ।
> મારુતિ સેલેરિયોના આ મોડલમાં એબીએસ તથા પેસેન્જર એરબેગ નહીં હોય.
 
4 મોડલમાં આવશે મારુતિ સેલેરિયો ડીઝલ
 
કંપનીના જણાવ્યા મુજબ, સેલેરિયો ડીઝલને 4 વેરિયન્ટમાં લોન્ચ કરાશે. જેમાં એલએક્સઆઈ, વીએક્સઆઈ, ઝેડએક્સઆઈ અને ઝેડએક્સઆઈ(ઓ)નો સમાવેશ થાય છે. આ ચારેયની કિંમત 4.30 લાખ રૂપિયાથી લઈને 5.50 લાખ રૂપિયા હશે.
 
કોની સાથે ટક્કર
 
સેલેરિયો ડીઝલની ટક્કર શેવરલે બીટી ડીઝલ, હ્યુન્ડાઈ આઈ 10 ગ્રાન્ડ અને ટાટાની હેચબેક કારો સાથે થશે.
 
ઓટોમેટિક વર્ઝન પણ લોન્ચ થશે
 
કંપની ડીઝલ એન્જિનમાં ઓટોમેટિક વર્ઝન પણ રજૂ કરશે. કંપની ઓટોમેટિક વર્ઝન ક્યારે લોન્ચ કરશે તે કહેવું હાલ મુશ્કેલ છે પરંતુ પોસાય તેવા ભાવમાં ઓટોમેટિક કાર ખૂબ લોકપ્રિય સાબિત થઈ શકે છે.
 
સૌથી સસ્તી કાર હશે
 
ડીઝલ સેલેરિયો કાર સેગમેન્ટમાં ભારતમાં અત્યાર સુધીની સૌથી સસ્તી ડીઝલ કાર છે.

Tuesday, June 2, 2015

15 જૂનથી દેશભરમાં ફ્રી રોમિંગની સુવિધા

હવે દેશમાં મોબાઈલ સેવા રોમિંગ ફ્રી થશે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે આ અંગે આજે જાહેરાત કરી છે.

roming

નવી દિલ્હી, તા. 2 જૂન

તેમણે કહ્યુ છે કે 15 જૂનથી સમગ્ર દેશમાં આ સેવા લાગૂ કરવામાં આવશે. જો કે હાલ આ સેવા ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ના નેટવર્ક પર શરૂ થશે. રવિશંકર પ્રસાદે એનડીએ સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર આ અંગેની જાહેરાત કરી છે.

જમ્મૂ કાશ્મીરમાં મોબાઈલ ટાવરો પર સતત થઈ રહેલા હુમલાઓને જોતા કેન્દ્રીય મંત્રીએ કહ્યુ છે કે ટાવરોની સુરક્ષા વધરાવામાં આવશે. આ ઉપરાંત તેમણે મહત્વપૂર્ણ પર્યટક સ્થળો પર સેહલાણીએને સુવિધાઓ આપવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યુ છે કે આવનારા બે વર્ષમાં પ્રવાસન સ્થળો પર વાઈ-ફાઈ સુવિધા અપાશે.દૂર સંચાર મંત્રીએ એમ પણ કહ્યુ કે સ્પેક્ટ્રમ શેરિંગ અને ટ્રેડિંગ પોલીસી આ મહીને કેબીનેટ પાસે જશે. તેમણે કહ્યુ છે કે આશા છે કે જુલાઈ કે ઓગસ્ટ સુધી પોસ્ટ વિભાગને પેમેન્ટ બેંક લાઈસન્સ મળી જશે.

બીએસએનએલે ગયા મહિને પોતાની લેન્ડલાઈન સેવાના ઠપ્પ થઈ રહેલા બિઝનેસને સુધારવા માટે રાતે ફ્રી કોલિંગની સુવિધા શરૂ કરી છે. 1 મેથી પ્રભાવીત થયેલી આ સ્કીમ હેઠળ બીએસએનએસે દેશના કોઈ પણ ઓપરેટર (મોબાઈલ ફોન સહિત)ને રાતે 9 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ફ્રી કોલિંગની સુવિધા આપી છે.

RIL-પાયોનિયર JVએ EFSને $2.15 અબજમાં વેચી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેની શેલ ગેસની સંયુક્ત સાહસ ભાગીદાર પાયોનિયર નેચરલ રિસોર્સિસ કંપનીએ ઇએફએસ મિડસ્ટ્રીમનું એન્ટરપ્રાઇઝ પ્રોડક્ટ્સ 
પાર્ટનર્સને 2.15 અબજ ડોલરમાં વેચાણ કરવા કરાર કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇએફએસ મિડસ્ટ્રીમમાં રિલાયન્સનું મૂડીરોકાણ 30 કરોડ ડોલર છે. સોદો નોંધપાત્ર પ્રીમિયમે થયો છે. રિલાયન્સ ઇએફએસના વેચાણમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ શેલ ગેસ પોર્ટફોલિયોના વધુ વિસ્તરણ અને ઋણની ચુકવણી માટે કરશે. 

રિલાયન્સ હોલ્ડિંગ યુએસએના પ્રેસિડન્ટ અને સીઇઓ વોલ્ટર વાન દિ વિવેરે જણાવ્યું હતું કે, "ઇએફએસનું વેચાણ અમારા શેરધારકોના મૂલ્યમાં નોંધપાત્ર વૃદ્ધિની તક આપશે. અમે એન્ટરપ્રાઇઝ સાથે લાંબા ગાળાના સંબંધથી ખુશ છીએ. એન્ટરપ્રાઇઝ ઉત્તર અમેરિકાની અગ્રણી ઇન્ટિગ્રેટેડ મિડસ્ટ્રીમ ઊર્જા કંપનીઓમાં સામેલ છે." રિલાયન્સે ત્રણ સંયુક્ત સાહસ દ્વારા અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાં 8.1 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. 

એન્ટરપ્રાઇઝ પ્રોડક્ટ પાર્ટનર્સ એક્વિઝિશન માટે બે હપતામાં રકમ ચૂકવશે. 2015ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ડીલ પૂરી થવાના સમયે 1.15 અબજ ડોલર ચૂકવાશે. જ્યારે ડીલ ક્લોઝ થયાના 12 મહિના પછી એક અબજ ડોલરનું પેમેન્ટ કરાશે. નીચા વોલ્યુમ અને રિયલાઇઝેશનમાં નોંધપાત્ર ઘટાડાને લીધે રિલાયન્સના શેલ ગેસ બિઝનેસની આવક અને નફામાં ઘટાડો નોંધાયો છે. 

કંપનીએ અમેરિકા ખાતેના ત્રણ શેલ ગેસ સંયુક્ત સાહસમાં મૂડીખર્ચ ઘટાડ્યો છે. એસેટ્સનું વેચાણ કંપનીને તરલતાની સ્થિતિ હળવી કરવામાં મદદ કરશે.

BSE સેન્સેક્સમાં 661 પોઈન્ટનું તોતિંગ ગાબડું

:RBIની સમીક્ષા બેઠકમાં આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિને લઈને વ્યાજદરમાં વધુ ઘટાડા અંગે અનિશ્ચિતતા જણાતા બજારમાં વેચવાલીનું ઘોડાપૂર જોવા મળ્યું હતું અને રેટ સેન્સિટિવ શેરો સહિત સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સ 661 પોઈન્ટ અથવા 2.37 ટકા તૂટ્યો હતો.

RBIએ રેપો રેટમાં અપેક્ષા પ્રમાણે 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો જે, બજારની અપેક્ષાએ ખરો ઉતર્યો ન હતો. હવે રેટમાં વધુ ઘટાડાનો નિર્ણય કરતાં પહેલાં ફુગાવાની સ્થિતિ, વૈશ્વિક બજારોની વોલેટિલિટીની રૂપિયા પર થતી અસર વગેરે જેવા મેક્રોઈકોનોમિક ડેટાની સ્થિતિ ચકાસવામાં આવશે, તેમ મધ્યસ્થ બેન્કે જણાવ્યું હતું.

આજે દિવસ દરમિયાન મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ઉપરમાં 27902.53 અને નીચામાં 27158.35 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 688.54 પોઈન્ટ ગગડીને 27,155.95 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,445.35 અને 8,226.25 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 196.95 પોઈન્ટ ગગડીને 8236.45 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.22 ટકા અને 2.06 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE રિયલ્ટી ઈન્ડેક્સ 3.83 ટકા, BSE બેન્કેક્સ 3.46 ટકા, BSE FMCG ઈન્ડેક્સ 2.83 ટકા, BSE ઓટો ઈન્ડેક્સ 2.08 ટકા અને BSE IT ઈન્ડેક્સ 1.42 ટકા ઘટ્યા હતા.

ભવ્ય નજારો : 1000 કરોડની સંપત્તિના માલિક 25 કરોડ ખર્ચી સંન્યાસી બન્યાં

દિલ્હીના જાણીતા ઉદ્યોગપતિ ભંવરલાલ દોશીએ અબજો રૂપિયાનું સામ્રાજ્ય અને વિલાસ છોડીને અમદાવાદમાં રવિવારના રોજ દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી છે. મંડાર નિવાસી બિઝનેસમેન ભંવરલાલ દોશી હવે મુનિરાજ ભવ્યરત્નવિજયજી મહારાજ સાહેબ તરીકે ઓળખાશે. શહેરના એઇએસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા દીક્ષા મહોત્સવમાં 1 લાખથી વધુ જૈન શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
 
મને ઓઘો મળ્યો મારા ભવનો ફેરો ટળ્યો
 
આ એક અનોખો દીક્ષા સમારંભ હતો. મૂળ રાજસ્થાનના અબજોપતિ ઉદ્યોગપતિ ભંવરલાલ દોશીએ દીક્ષા લીધી. આ સમારંભની ભવ્યતા એવી હતી કે તેના માટે રૂ.25 કરોડ ખર્ચાઈ ગયા. તેનો થીમ જહાજનો રખાયો હતો. મંડપ જહાજ જેવો, સેવક જહાજના કેપ્ટનની ભૂમિકામાં હતા. તેનું કારણ એ હતું કે ભવસાગર પાર કરવા સંયમરૂપી જહાજ જરૂરી છે.

ભવ્ય નજારો: સંયમ જહાજ માટે ખાસ નાવિકોનો ડ્રેસ કોડ

ઉદ્યોગપતિ ભંવરલાલ દોશીનો દીક્ષા સમારોહ રવિવારે અમદાવાદ એજ્યુકેશન ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા. દીક્ષા જ્યારે સ્થળે વિશાળ સંયમ જહાજ બનાવવામાં આવ્યું હતું.ભવ્ય નજારો : 1000 કરોડની સંપત્તિના માલિક 25 કરોડ ખર્ચી સંન્યાસી બન્યાં
 
9 ચો. ફૂટના મંડપમાં એક લાખ લોકો ઉમટી પડ્યા
262 બસો, 25 સુરક્ષા એજન્સી, 30 આયોજન સમિતિ
1000 સાધુ અને વ્યવસ્થા માટે દોઢ હજાર સ્વયંસેવક
15 કરોડ રૂપિયા દાન, 2.41 કરોડમાં દોશીનું નામકરણ
15  કરોડ કુલ ઉછામણીના ઉપજ્યા
3.61  કરોડ વિજય તિલક
2.41  કરોડ નામકરણ
1  હજાર સાધુ-સાધ્વી
1  લાખ શ્રાવકો ઉપસ્થિત
65  હજાર લોકોએ ભોજન લીઘુ
25  કરોડ મહોત્સવ ખર્ચ
દેવો સે બડા જૈન મુનિ કા માન: ભંવરલાલની દીક્ષા બાદ ફરતી થઈ તસવીરો

દેવો સે બડા જૈન મુનિ કા માન: ભંવરલાલની દીક્ષા બાદ ફરતી થઈ તસવીરો

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે આજે વહેલી સવારે 1 લાખથી વધુ લોકોની ઉપસ્થિતિમાં મુમુક્ષુ ભંવરલાલ દોશીએ દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં સંયમ જીવન સ્વીકાર્યુ હતુ. લક્ષાધિપતિ ભંવરલાલે પોતાના સંસારી જીવનની સાથોસાથ તમામ ધનદૌલતનો ત્યાગ કરી દીધો હતો. માથાના વાળ પણ ત્યાગી દીધા હતા અને ભંવરલાલમાંથી ભવ્યરત્નવીજયજી બન્યા હતા.
 
ભંવરલાલની દીક્ષા બાદ જૈન સમાજમાં વોટ્સએપ ભવ્યરત્નવીજયજી મહારાજ સાહેબના યશોગાન કરતી કેટલીક તસવીરો ફરતી થઈ હતી. જેમાં સંયમજીવન સ્વીકારવા બદલ ભંવરલાલની ભારોભાર પ્રસંશા છલકતી હતી.

મુંબઈમાં બને છે વિશ્વની સૌથી ઊંચી રહેણાંક ઇમારત: 1450 ફૂટની ઊંચાઈ, 117 માળ

- મુંબઇના વર્લીમાં બની રહી ધ વર્લ્ડ વન ટાવર: પ્રોજેક્ટમાં થશે 2000 કરોડ રૂપિયા ખર્ચ 
- ફ્લેટ ખરીદનારને મળશે પ્રાઇવેટ જેટ / રોલ્સ રોયની સુવિધા

પ્રોજેક્ટ 17 એકરમાં હાથ ધરાઇ રહ્યો છે. તેને બનાવવામાં 2000 કરોડ રૂપિયા ખર્ચ થશે. ઇમારતનો પ્રથમ ફ્લોર જમીનથી 75 મીટરની ઊંચાઇએ બનાવવામાં આવ્યો છે.ફ્લેટ્સનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જોર્જિયો અરમાનીએ કર્યું છે. તે જિમ , ક્લબ હાઉસ ,સ્પા , ક્રિક્રેટ પીચ પણ ધરાવે છે. ઇમારત 2016 - 17માં બનીને તૈયાર થઇ જશે. લોધા ગ્રુપ તેની વેબસાઈટ પર લખે છે,"કલ્પના કરો કે તમે ખાનગી જેટમાંથી ઉતરો અને રોલ્સ રોયસમાં ઘરે પહોંચો. ત્યારે એક બટલર તમારી દરેક જરૂરિયાતને પૂર્ણ કરવા તૈયાર હોય. ઘરે પરત ફરવાના અનુભવને નવો અહેસાસ મળશે. જે અતુલ્ય હશે. આથી જ તેનું નામ સિજન્ટ ફ્લોર રાખ્યું છે. વર્લ્ડ ટાવર્સના દરેક ટાવરમાં અલગ જ ફેસિલિટી હશે."
 ‘ ધ વર્લ્ડ વન ટાવર ’
 
- ‘ ધ વર્લ્ડ વન ટાવર ’ ની ખાસિયતો
- 1450 ફૂટની ઊંચાઈ
- 117  માળ ઇમારતમાં
- 300 ફ્લેટ હશે
- 8 કરોડ રૂિપયા આરંભિક કિંમત
 
ત્રણ ટાવર્સનો સમુહ

વર્લ્ડ ટાવર વન એ મૂળતઃ ત્રણે ટાવરનો સમુહ છે. જે વક્રાકાર છે. વર્લ્ડ વન એ વિશ્વનો સૌથી મોટો રહેણાક ટાવર છે. જ્યારે વર્લ્ડ વ્યુ તથા વર્લ્ડ ક્રેસ્ટ નામના ટાવર્સ એ કંપનીના મતે 'મુંબઈની આભને આંબતી મહત્વકાંક્ષાઓ'ના પ્રતિક છે. ટાવર્સના નિર્માણ માટે લોખંડ સિમેન્ટ ઉપરાંત કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
 
રિસેપ્શન લોબી પણ અરમાની/કાસા દ્વારા ડિઝાઈન કરવામા આવી છે. લોધા ગ્રુપનો દાવો છે કે, અગાઉ ક્યારેય ન જોવામાં ન આવ્યું હોય તેવું વોટર આર્ટ વર્લ્ડ ટાવર વનમાં જોવા મળશે. લોધાગ્રુપના પ્રોજેક્ટ્સ મુંબઈ, થાણે, દહીંસર, પુના અને હૈદરાબાદમાં ચાલી રહ્યા છે.
‘ ધ વર્લ્ડ વન ટાવર ’‘ ધ વર્લ્ડ વન ટાવર ’
- કયા માળે કેવું મકાન
 
81 માળથી ઉપર
ડુપ્લેક્સ વર્લ્ડ મેન્શન , તેના વિષે હાલમાં જાણકારી અપાઇ નથી.
 
41 થી 80 માળ
વર્લ્ડ વિલા (ખાનગી પુલ સાથે) - 7000 વર્ગફૂટ.અરમાનીએ પૂરું ડિઝાનિંગ કર્યું છે.
 
1 થી 40 માળ
3 બીએચકે ફ્લેટ - 2800 વર્ગફૂટ, 4 બીએચકે ફ્લેટ - 3400 વર્ગફૂટ. અહીં માત્ર અરમાની દ્વારા ડિઝાઇન થયેલ  ફર્નિચર મળશે.
 
6 માળના પોડિયમ અને કાર પાર્કિંગ

- વિશ્વના બીજા ટાવરો અને તેમની ઉંચાઈ
 
પેટ્રન ટાવર, મલેશિયા
1483 ફૂટ
 
શાંઘાઇ સેન્ટર, શાંઘાઇ
1614 ફૂટ
 
બૂર્જ ખલીફા,દુબઇ
2716 ફૂટ

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports