Translate

Saturday, November 30, 2013

What is ThetaHealing




કામ માટે જાણીતું છે ; કોર , જીન , ઐતિહાસિક, અને સોલ . ThetaHealing સર્જકનો બિનશરતી પ્રેમ પર આધાર અમારા કુદરતી અંતર્જ્ઞાન વાપરવા માટે મૂકવામાં કેવી રીતે શીખવે છે કે એક ટેકનિક છે.1995 માં, Vianna Stibal , એક નેચરોપેથ , મસાજ થેરાપિસ્ટ અને સાહજિક રીડર, તે તેના વાંચન કર્યું જે રીતે ઇન્સ્ટન્ટ હીલિંગ પરિણમી શકે છે કે શોધ કરી. Vianna , ત્રણ બાળકોની માતા ઝડપથી તેના જમણા પગ નાશ કરવામાં આવ્યો હતો કે કેન્સર હોવાનું નિદાન થયું હતું . તે પરંપરાગત થી વૈકલ્પિક દવા માટે, પ્રયાસ કર્યો હતો બધું નિષ્ફળ ગયા હતા . પછી, તે વાંચન ઉપયોગમાં સરળ ટેકનિક સારવાર કરી શકે છે શોધ કરી. તેના પગ ThetaHealing ® ની શોધ પછી ઝડપથી સાજા કર્યા.® ThetaHealing વાસ્તવિક "કાર્ય" કરવા માટે બધા કે સર્જક ના બિનશરતી પ્રેમ પર આધાર અમારા કુદરતી અંતર્જ્ઞાન વાપરવા માટે મૂકવામાં કેવી રીતે શીખવે છે કે એક ટેકનિક છે. અમે " થીટા " રાજ્ય સમાવવા માટે તમારા મગજ તરંગ ચક્ર બદલીને , તમે ખરેખર બધા કે સર્જક જોઈ શકે છે તત્કાલ શારીરિક અને ભાવનાત્મક હીલિંગ બનાવી છે .ThetaHealing ® ટેકનિકનો શીખવાની પર, તમે દરેક સ્વયંભૂ શારીરિક અને ભાવનાત્મક હીલિંગ વિશે લાવવા માટે વાપરી શકાય છે કે સાહજિક ક્ષમતા ધરાવે છે કે નહીં તે જોવા આવશે. આ વ્યક્તિગત પ્રક્રિયા મદદથી, તમે તમારી જાતને , સાથે સાથે તમારા મિત્રો અને કુટુંબ મદદ કરશે.ThetaHealing ® બધા સ્તરો પર બદલવા માટે ક્ષમતા વિકાસ માટે રોગનિવારક સ્વાવલંબન માર્ગદર્શિકા તરીકે Vianna દ્વારા રચાયેલ છે : શારીરિક, માનસિક , ભાવનાત્મક અને આધ્યાત્મિક બધા કે ના સર્જક છે ઉપયોગ કરીને . ThetaHealing ® શ્રેષ્ઠ બધા ચાર સ્તર પર માન્યતા અને લાગણી ઝેરી લાગણી રોગ અને લાગણીઓ, લાગણીઓ અને વિચાર શક્તિ આપણા શરીર પર સીધેસીધી અસર છે કે જાગૃતિ ફાળો આપી શકે છે કે વધતી જતી વૈજ્ઞાનિક પુરાવા સાથે, મન મહત્તમ સ્વાસ્થ્ય બનાવવા માટે શરીર પર અસર કેવી રીતે બદલવા વધી રસ છે. માન્યતા અને લાગણી કામ હકારાત્મક , ફાયદાકારક સાથે નકારાત્મક લાગણીઓ , લાગણીઓ અને વિચારો દૂર કરો અને બદલો કરવાની ક્ષમતા ધરાવતા લોકો સશક્તિકરણ . ThetaHealing ® સૌથી સરળતાથી તમારા જીવન માટે પ્રાપ્ય ચમત્કાર તરીકે વર્ણવી શકાય છે.ThetaHealing ® પણ શ્રેષ્ઠ અસ્તિત્વના 7 વિમાનો માટે જાણીતા છે ; બધા કે પ્રેમ અને ઊર્જા ઉચ્ચતમ સ્તર સાથે કનેક્ટ કરવા માટે આવતો હોય છે. આ ખ્યાલ મદદથી, વ્યવસાયી સૌથી વધુ સ્પષ્ટતા અને શાણપણ પ્રેમ પ્રાપ્ત કરી શકો છો .
 

Thursday, November 21, 2013

અરવિંદનો શેર આઠ વર્ષની ઊંચાઈએ

અમદાવાદ સ્થિત ટેક્સટાઈલ કંપની અરવિંદ લિ . નો શેર આઠ વર્ષની ટોચ પર પહોંચ્યો છે . મંગળવારે બીએસઈ ખાતે અરવિંદના શેરે રૂ .126.65 ની સપાટી દર્શાવી હતી , જે ઓક્ટોબર 2005 પછીની તેની સૌથી ઊંચી સપાટી હતી .

છેલ્લાં દોઢ મહિનામાં અરવિંદના કાઉન્ટરમાં ભારે લેવાલી પાછળ શેરમાં 61 ટકાનો ઉછાળો નોંધાયો છે અને શેર રૂ . ૭૦ની સપાટીએથી સુધરી રૂ .125 પર જોવા મળ્યો છે . કંપની ટેક્સટાઈલ ઉપરાંત રિયલ એસ્ટેટમાં પણ સક્રિય છે .

અરવિંદ મિલના કામકાજની માફક તેના શેરમાં પણ મોટી વધ - ઘટ જોવા મળતી રહી છે . કંપનીએ મોટાભાગનો સમય ડિવિડન્ડ આપ્યું નથી . 2000 નાં વર્ષથી અત્યાર સુધી કંપનીના શેર પર નજર નાખીએ તો સપ્ટેમ્બર 2001 માં રૂ .7 ની સપાટીએથી તે સતત સુધરતો રહ્યો હતો અને સપ્ટેમ્બર 2005 માં તેણે રૂ 140 ની સપાટી વટાવી હતી . ભારતીય શેરબજાર તે વખતે તેજીના એકધારા દોરમાંથી પસાર થઈ રહ્યું હતું . જોકે અરવિંદનો શેર 2005 માં તેની સર્વોચ્ચ સપાટી દર્શાવ્યા બાદ ફરી એકવાર રોકાણકારોનો અપ્રિય બન્યો હતો .

કંપનીના જંગી ઋણ અને તેના ઊંચા વ્યાજ ખર્ચ જેવી સમસ્યાઓ પાછળ તે સતત ઘટતો રહી માર્ચ 2009 માં રૂ . 10 સુધી આવી ગયો હતો . જ્યારથી ફરી એકવાર તેમાં સુધારાનું ચક્ર શરૂ થયું હતું . ઓક્ટોબર 2011 માં શેરે ફરી ત્રણ આંકડામાં એટલેકે રૂ . 109 નું સ્તર દર્શાવ્યું હતું . જ્યારબાદ તે રૂ . 60-100 ની વચ્ચે અથડાતો રહ્યો હતો . કંપનીની કામગીરીમાં પણ આવી વધ - ઘટ ચાલુ રહી હતી . તેણે ક્યારેક નફો તો ક્યારેક ખોટ દર્શાવી હતી .

છેલ્લા દોઢ - બે મહિનામાં કંપનીના શેરમાં એક દિશામાં સુધારો જોવા મળ્યો છે અને તેણે 61 ટકાનું નોંધપાત્ર વળતર દર્શાવ્યું છે . કંપનીએ ચાલુ નાણાકિય વર્ષના બીજા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 39 ટકા વૃદ્ધિ દર્શાવી હતી . જ્યારથી લઈને અત્યાર સુધીમાં કંપનીનો શેર 25 ટકાનો સુધારો દર્શાવી રહ્યો છે . કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ . 64.78 કરોડનો નફો દર્શાવ્યો હતો . જેની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ . 90.05 કરોડનો નફો નોંધ્યો હતો . કંપનીનું વેચાણ પણ સમાનગાળામાં રૂ . 1347 કરોડથી વધી રૂ . 1763 કરોડ થયું હતું .

કંપનીના શેરમાં તાજેતરના સુધારા બાદ ટેકનિકલ એનાલિસ્ટ શેરને લઈને વધુ તેજી જોઈ રહ્યાં છે . હાલમાં પ્રથમ લક્ષ્ય રૂ . 144 છે . જો તે પાર થશે તો રૂ . 170 નો ભાવ જોવા મળી શકે છે , એમ જીઓજીત બીએનપી પારિબાના રિસર્ચ હેડ એલેક્સ મેથ્યૂઝ જણાવે છે . તેમના મતે જ્યારે પણ શેર નવી ઊંચાઈ બનાવી રહ્યો હોય ત્યારે તે તેજીનું સૂચક છે . જેઓ ટ્રેડિંગ પોઝીશન લેવા ઈચ્છતાં હોય તેમના માટે રૂ . 112 ની સપાટી મહત્વનો સ્ટોપ લોસ રહેશે એમ તેઓ જણાવે છે

ગુજરાતમાં રૂ.100 કરોડની ડિવિડન્ડ ક્લબ

ડિવિડન્ડની જાહેરાત માત્ર સામાન્ય રોકાણકારો માટે નહીં , કંપનીના પ્રમોટરો માટે પણ આવક નું મોટું સાધન રહ્યું છે . ગુજરાતની ટોચની કંપનીઓના કેટલાક પ્રમોટરોની ડિવિડન્ડની આવક તો તેમના કુલ વેતન - ભથ્થા કરતાં અનેક ગણી વધારે છે .

દેશની ઘણી મોટી કંપનીઓ દ્વારા જંગી ડિવિડન્ડ ચૂકવણીથી પ્રમોટરો રૂ .100 કરોડની ક્લબમાં છે , ત્યારે ગુજરાત પણ તેમાં આગળ વધી રહ્યું છે . ગુજરાતના ટોચના પ્રમોટર્સ ગૌતમ અદાણી , કેડિલાના પંકજ પટેલ અને ટોરેન્ટના મહેતાબંધુની ડિવિડન્ડની આવક અબજો રૂપિયામાં રહી છે .

અગાઉના નાણાકીય વર્ષમાં એક અબજ રૂપિયાની ડિવિડન્ડ આવકમાં ગુજરાતની બે કંપની હતી , તે સંખ્યા હાલમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં વધીને ચાર થઇ છે .

નાણાંકીય વર્ષ 2012-13 માં ગુજરાતની કંપનીઓના પ્રમોટરોની ડિવિડન્ડની આવકને ધ્યાનમાં લેતા ચાર કંપની અદાણી એન્ટરપ્રાઇઝ , કેડિલા હેલ્થકેર , ટોરેન્ટ ફાર્મા અને અદાણી પોર્ટમાં વર્તમાન પ્રમોટર હોલ્ડિંગના આધારે ડિવિડન્ડની આવક રૂ .100 કરોડને વટાવી જાય છે .

ટોરેન્ટ ફાર્મા દ્વારા ગત વર્ષે જાહેર કરવામાં આવેલા સ્પેશ્યલ ડિવિડન્ડના કારણે પ્રમોટર મહેતા બ્રધર્સની ડિવિડન્ડની આવક વધીને રૂ .162 કરોડની થઈ હતી , જે આગલા વર્ષે રૂ .60 કરોડ હતી .

હાલ કંપનીમાં પ્રમોટર હોલ્ડિંગ 71.51 ટકા રહ્યું છે . કંપનીએ દરેક ગણતરી બાદ કુલ રૂ .227.30 કરોડની ડિવિડન્ડની જોગવાઈ કરી હોવાનું વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું .

દેશની ટોચની કંપનીઓ , ખાસ કરીને મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા રોકાણકારોને ઊંચા ડિવિડન્ડની ભલામણ કરવામાં આવતી હોવાનું જોવા મળ્યું છે . ઉપરાંત દેશની ટોચની આઇટી કંપનીઓને પણ યાદીમાં મૂકી શકાય . પ્રમોટરો પણ શેરહોલ્ડર હોવાથી તેમના હાથમાં આવનારી રકમ ડિવિડન્ડ ડીસ્ટ્રીબ્યુશન ટેક્સ ( ડીડીટી ) ના કપાત પછી આવે છે જે આવકવેરાની કલમ 10 (34) હેઠળ સંપૂર્ણ ટેક્સ મુક્ત હોય છે તેમ ચાર્ટડ એકાઉન્ટન્ટ કંપની નૌતમલાલ આર વકીલ એન્ડ કંપનીના જૈનિક એન વકીલ કહે છે .

ગુજરાતના ટોચના ગ્રુપની કંપનીઓના પ્રમોટરો દ્વારા 2012-13 ના વર્ષમાં મેળવાયેલા વાર્ષિક વળતર કરતાં ડિવિડન્ડની આવક 3 થી 10 ગણી વધુ રહી હોવાનું પણ જોવાયું છે . ઉદાહરણ તરીકે અરવિંદ મિલના સંજય લાલભાઈનું 2012-13 નું વાર્ષિક રેમ્યુનરેશન રૂ .4.6 કરોડનું હતું . તેની સામે ડિવિડન્ડની આવક રૂ .18.7 કરોડની હતી .

કંપનીમાં પ્રમોટર શેરહોલ્ડિંગ 43.95 ટકા છે . કંપનીએ વર્ષ માટે રૂ .42.58 કરોડની ડિવિડન્ડની જોગવાઈ કરી હતી જે 2011-12 ના વર્ષમાં રૂ .25.80 કરોડ હતી . કંપનીએ શેર દીઠ ડિવિડન્ડ વધારીને રૂ .1.65 ( રૂ .1.00) ની ભલામણ કરી હતી

સસ્તો CNG ગુજરાતમાં કિટની માગ વધારશે

ગુજરાતને દિલ્હી - મુંબઈના ભાવે સીએનજી પૂરો પાડવાના હાઈ કોર્ટના આદેશથી ઓટોગેસ ડીલર્સને રાહત મળી છે , કારણ કે સીએનજીના ભાવમાં તીવ્ર વૃદ્ધિના કારણે પેટ્રોલમાંથી સીએનજી કારનું રૂપાંતરણ સમગ્ર રાજ્યમાં લગભગ બંધ સમાન હતું અને અનેક ફિટિંગ વર્કશોપ બંધ થયા હતા . જોકે , સીએનજી સસ્તો થયા બાદ રાજ્યમાં દર મહિને અંદાજે 1,000 થી વધુ કારના સીએનજીમાં કન્વર્ઝનની અપેક્ષા ડીલર્સ રાખે છે .

સોમવારે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ ( પીપીએસી ) ગુજરાત હાઈ કોર્ટમાં એડ્ મિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ ( એપીએમ ) મુજબ ઘરેલુ અને વાહનોના ઉપયોગ માટે નેચરલ ગેસ ( સીએનજી અને પીએનજી ) પૂરો પાડવાની એફિડેવિટ કરી હતી .

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન ( સીજીડી ) કંપનીઓને સુધારેલા દરે નેચરલ ગેસ પૂરો પડશે , જેના પગલે હવે ગુજરાતમાં પણ ગ્રાહકોને દિલ્હી - મુંબઈના ભાવે નેચરલ ગેસ મળશે .

શરૂઆતમાં સીએનજી સસ્તો હોવાથી તથા પ્રદૂષણ ઘટાડતો હોવાથી દર મહિને ગુજરાતમાં સરેરાશ 7,000 સીએનજી કિટનું વેચાણ હતું , જે છેલ્લા ચાર - પાંચ મહિનાથી ઘટીને માત્ર 700 કિટ જેટલું થઈ ગયું છે . સીએનજી સસ્તો થશે તો દર મહિને સરેરાશ 1,000 કિમી કાર ચલાવનાર વ્યક્તિને પ્રતિ કિમી રૂ .1-1.25 જેટલો લાભ થશે અને તેના કારણે રાજ્યમાં ફરી વખત સીએનજી કિટની માંગમાં વધારો જોવા મળશે . ’’ એમ ગુજરાત ઓટોગેસ ફોરમના પ્રેસિડન્ટ મનીષ દવેએ જણાવ્યું હતું .

તેમણે કહ્યું હતું કે જો રાજ્ય સરકાર પણ હાલના 15 ટકા વેટમાં ઘટાડો કરે તો સીએનજી કિટ માટેની માંગમાં વધુ વૃદ્ધિ જોવા મળશે . બે વર્ષ અગાઉ સુધી રાજ્યમાં સીએનજી કિટ ફિટિંગ કરતાં અંદાજે 800 થી વધુ વર્કશોપ હતા , પરંતુ છેલ્લાં બે વર્ષમાં ઓછી માંગના કારણે અનેક વર્કશોપ બંધ થયા છે .

હાલમાં સીએનજીમાં પ્રતિ કિમી રૂ .3.50 જેટલો ખર્ચ આવે છે તેથી સ્વાભાવિક રીતે કારચાલકો તેનાથી દૂર થયા છે , પરંતુ પ્રતિ કિમી રૂ .1-1.25 નો ઘટાડો ફરી વખત સીએનજી કિટનું આકર્ષણ વધારશે . એમ તેમણે કહ્યું હતું .

તેમણે ઉમેર્યું હતું કે સીએનજીના ભાવમાં છેલ્લાં બે વર્ષમાં તોતિંગ વધારો થયો હોવાથી ગ્રાહકો ભાવ ઘટાડા સાથે તરત સીએનજી તરફ ના પણ વળે . જોકે , એક - બે મહિનામાં કન્વર્ઝન ધમધમતું થવાની ધારણા છે . એવી શક્યતા પણ છે કે ડીઝલ કારના બદલે લોકો પેટ્રોલ કાર ખરીદે , જેથી કન્વર્ઝનનો વિકલ્પ ખુલ્લો રહે .

અમદાવાદ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અનિલ સંઘવીએ જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયાની નબળાઈ છતાં આયાતી સીએનજી કિટના દરમાં લાંબા સમયથી કોઈ વધારો થયો નથી કારણ કે માંગ તળિયે છે .
અંદાજે 60 ટકા કિટ આયાતી હોય છે અને દસ જેટલી બ્રાન્ડની માંગ સૌથી વધુ છે . સીએનજીના ભાવમાં ઘટાડો થવાથી લોકોને તેમાં બચતનો માર્ગ નજર પડશે અને તેના કારણે અમને પ્રતિ માસ 1,000 કારમાં કિટ ફિટિંગની અપેક્ષા છે . એમ સંઘવીએ કહ્યું હતું .

અમદાવાદમાં હાલમાં સીએનજીનો ભાવ રૂ .68.80 પ્રતિ કિગ્રા છે અને ડિસેમ્બરથી અમદાવાદમાં સીએનજીનો ભાવ ઘટવાની સંભાવના છે .

મુંબઈ શેરબજાર રેડ ઝોનમાં: બેન્ક ડાઉન

અમેરિકામાં QE કાર્યક્રમ અપેક્ષા કરતાં વહેલા પાછા ખેંચાવાના સંકેત બાદ વૈશ્વિક રાહે મુંબઈ શેરબજાર આજે બપોરે પણ

રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું.


બપોરે 12.10 વાગ્યે BSE સેન્સેક્સ 262.15 પોઈન્ટ ઘટીને 20,372.98 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 79.45 પોઈન્ટ ઘટીને 6,043.45 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.51 ટકા અને 0.33 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે બેન્ક , કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ , રિયલ્ટી , કેપિટલ ગૂડ્ઝ , ઓઈલ-ગેસ , FMCG તેમજ પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી. આજે બપોરે પણ તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજાર ઓપનિંગ : મુંબઈ શેરબજાર આજે નીચે ગેપમાં ખૂલ્યું હતું . ટ્રેડિંગની થોડી ક્ષણોમાં BSE સેન્સેક્સ 78.38 પોઈન્ટ ઘટીને 20,556.75 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 45.25 પોઈન્ટ ઘટીને 6,077.65 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.10 ટકા ઘટીને અને 0.23 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

આજે સવારે બેન્ક , રિયલ્ટી , કેપિટલ ગૂડ્ઝ , ઓઈલ - ગેસ , FMCG તેમજ પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી . આજે સવારથી તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા .

બુધવારે BSE સેન્સેક્સ ઉપરમાં 20895.30 અને નીચામાં 20589.12 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 255.69 પોઈન્ટ ઘટીને 20,635.13 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 6,204.35 અને 6,106.95 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 80.45 પોઈન્ટ વધીને 6,122.90 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

Friday, November 1, 2013

MCX બોર્ડમાંથી જિજ્ઞેશ શાહનું રાજીનામું

એનએસઇએલના કૌભાંડ બાદ પોતાના સામ્રાજ્યને બચાવવા પ્રયાસ કરી રહેલા ફાઇનાન્શિયલ ટેક્ નોલોજિસ ગ્રૂપના સ્થાપક જિજ્ઞેશ શાહે એમસીએક્સના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે .

શાહે ગુરુવારે નિયમનકારની નોટિસનો જવાબ આપ્યો હતો અને એમસીએક્સમાં એફટીના નોમિની તરીકે રાજીનામું પણ આપ્યું હતું . નિયમનકારે જિજ્ઞેશ શાહને નોટિસ ફટકારીને તેમને ડાયરેક્ટર તરીકે ફીટ એન્ડ પ્રોપર કેમ ગેરલાયક જાહેર કરવા તેનો જવાબ માંગ્યો હતો .

એફટીની પ્રેસ રિલીઝમાં શાહે જણાવ્યું હતું કે , એનએસઇએલની કટોકટીના કારણે મારી બે દાયકાની મહેનત પર પાણી ફરી વળ્યું છે . મને માત્ર નાણાકીય નુકસાન નથી થયું , પરંતુ મને અને મારા પરિવારને સૌથી વધારે દુ : બાબતનું છે કે મારી વિશ્વસનીયતા ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે .

એફએમસીની નોટિસ અંગે એફટીના પ્રતિભાવથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે તેમાં જણાવાયું છે કે ગ્રાન્ટ થોર્નટને એનએસઇએલનો જે ફોરેન્સિક ઓડિટ કર્યો તેમાં એફટીની કોઈ ગરબડ બહાર આવી હતી . તેમણે કહ્યું કે એનએસઇએલ કેસમાં અનેક એજન્સીઓ તપાસ કરી રહી હોવાથી એફટી સામે અત્યારે કોઈ પ્રતિકૂળ તારણ કાઢવું અત્યારે વધારે પડતું વહેલું ગણાશે .

સૂત્રોએ જણાવ્યું હતું કે એફટી બોર્ડના સ્વતંત્ર અને નોન - એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ દ્વારા શાહની જગ્યાએ નવા હોદ્દેદારની પસંદગી કરવામાં આવશે . જિજ્ઞેશ શાહ તેમની કંપની લા - ફિન સાથે એફટીમાં લગભગ 45.6 ટકા હિસ્સો ધરાવે છે .
એમસીએક્સમાં એફટી ૨૬ ટકા હિસ્સો ધરાવે છે . કંપનીએ ગુરુવારે સ્ટોક એક્સ્ચેન્જને જણાવ્યું હતું કે કંપનીના નોન એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન જિજ્ઞેશ શાહે તાત્કાલિક અસરથી કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે .

કોમોડિટી માર્કેટની નિયમનકાર ( એમસીએક્સ ) એફટી , જિજ્ઞેશ શાહ , શ્રીકાંત જાવળગેકર અને જોસેફ મેસીને ચાલુ મહિનાના પ્રારંભમાં નોટિસ આપી હતી અને તેમને ફીટ એન્ડ પ્રોપર તરીકે શા માટે ગેરલાયક જાહેર કરવા તેનો જવાબ માંગ્યો હતો . ચારેયે ગુરુવારે વ્યક્તિગત રીતે નોટિસનો જવાબ આપ્યો હતો . એફટીએ 80 પાનાંનો જવાબ આપ્યો હતો અને તેની સાથે પરિશિષ્ટ તરીકે 200 પાનાં જોડ્યાં હતાં .

શાહે જણાવ્યું હતું કે , એમસીએક્સ જેવી સંસ્થા સ્થાપવા અને ભારતને વૈશ્વિક નકશા પર મૂકવા માટે મેં સખત મહેનત કરી હતી . હું નથી ઇચ્છતો કે કોઈ ઘટનાના કારણે તેની પ્રતિષ્ઠા ખરડાય .

જોકે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શાહે વકીલોની સલાહને અનુસરીને રાજીનામું આપ્યું હોવાની શક્યતા છે .

Sensex at new high - investors ready for Samvat 2070



The Sensex may have hit a new high a day before Diwali, but the excitement is missing. At least among local investors, most of who seem content to watch from the sidelines, even as their overseas counterparts have been buying shares hand over fist. The bellwether index broke past its previous high of 21206 after 70 months this morning amid a raging debate if the market can sustain its gains. Will liquidity triumph fundamentals or will fundamentals catch up with the market? That is the question troubling buyers who have missed the 3500-odd point surge in the Sensex since late August, and are still hesitant to take the plunge because of worrying economic data.

Read more at: http://www.moneycontrol.com/news/market-edge/sensex-at-new-high-investors-ready-for-samvat-2070-warily_981296.html?utm_source=ref_article
FIIs ના અવિરત મૂડીપ્રવાહને કારણે મુંબઈ શેરબજારે આજે ઈન્ટ્રા ડેમાં નવી ટોચ રચી હતી અને નિફ્ટીએ

પણ 6300ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી.


નિષ્ણાતોના મતે જ્યાં સુધી યુએસ ફેડરલ તેની હળવી નાણા નીતિ જારી રાખશે ત્યાં સુધી ભારતીય બજારમાં તેજી જળવાઈ રહેવાની ધારણા છે.

બપોરે 12 વાગ્યે BSE સેન્સેક્સ 45.88 પોઈન્ટ વધીને 21,210.40 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 12.65 પોઈન્ટ વધીને 6,311.80 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.01 ટકા અને 0.87 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે રિયલ્ટી , બેન્ક , મેટલ , ઓટો , જાહેર એકમો તેમજ કેપિટલ ગૂડ્ઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ , FMCG તેમજ ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
The Sensex may have hit a new high a day before Diwali, but the excitement is missing. At least among local investors, most of who seem content to watch from the sidelines, even as their overseas counterparts have been buying shares hand over fist. The bellwether index broke past its previous high of 21206 after 70 months this morning amid a raging debate if the market can sustain its gains. Will liquidity triumph fundamentals or will fundamentals catch up with the market? That is the question troubling buyers who have missed the 3500-odd point surge in the Sensex since late August, and are still hesitant to take the plunge because of worrying economic data.

Read more at: http://www.moneycontrol.com/news/market-edge/sensex-at-new-high-investors-ready-for-samvat-2070-warily_981296.html?utm_source=ref_article
The Sensex may have hit a new high a day before Diwali, but the excitement is missing. At least among local investors, most of who seem content to watch from the sidelines, even as their overseas counterparts have been buying shares hand over fist. The bellwether index broke past its previous high of 21206 after 70 months this morning amid a raging debate if the market can sustain its gains. Will liquidity triumph fundamentals or will fundamentals catch up with the market? That is the question troubling buyers who have missed the 3500-odd point surge in the Sensex since late August, and are still hesitant to take the plunge because of worrying economic data.

Read more at: http://www.moneycontrol.com/news/market-edge/sensex-at-new-high-investors-ready-for-samvat-2070-warily_981296.html?utm_source=ref_article
The Sensex may have hit a new high a day before Diwali, but the excitement is missing. At least among local investors, most of who seem content to watch from the sidelines, even as their overseas counterparts have been buying shares hand over fist. The bellwether index broke past its previous high of 21206 after 70 months this morning amid a raging debate if the market can sustain its gains. Will liquidity triumph fundamentals or will fundamentals catch up with the market? That is the question troubling buyers who have missed the 3500-odd point surge in the Sensex since late August, and are still hesitant to take the plunge because of worrying economic data.

Read more at: http://www.moneycontrol.com/news/market-edge/sensex-at-new-high-investors-ready-for-samvat-2070-warily_981296.html?utm_source=ref_article

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports