Translate

Sunday, December 28, 2014


30th January 1924 - 29th September 2013

Demise of Padma Bhushan Global Vipassana Acharya Shri Satya Narayan Goenka

Aniwheel 

 

 

 

 

વિપશ્યના સાધના વિધિ સંબંધિત પ્રશ્નોત્તર

શિબિરની અવધિ દસ દિવસની કેમ હોય છે?

વાસ્તવમાં દસ દિવસ પણ ઓછા છે. દસ દિવસની શિબિરમાં સામાન્યત: સાધનાની આવશ્યક ભૂમિકાનો પાયો બંધાતો હોય છે. સાધનામાં પ્રગતિ કરવી એ જીવનભરનું કામ છે. કેટલીય પેઢીઓનો એવો અનુભવ છે કે જો સાધનાને દસ દિવસથી ઓછા સમયમાં શીખવવામાં આવે તો સાધક વિધિને અનુભૂતિના સ્તર પર યોગ્ય રીતે ગ્રહણ નથી કરી શકતો. પરંપરા અનુસાર વિપશ્યના (Vipassana) સાત સપ્તાહની શિબિરોમાં શીખવવામાં આવતી હતી. વીસમી સદીની શરૂઆતમાં આ પરંપરાના આચાર્યોએ જીવનની દ્રુત ગતિને ધ્યાનમાં લઈને અવધિને ટૂંકી કરવાના પ્રયોગ કર્યા. તેઓએ પહેલા ત્રીસ દિવસ, પછી બે સપ્તાહ, પછી દસ દિવસ અને તે પછી સાત દિવસની પણ શિબિરો કરી, અને જોયું કે દસ દિવસથી ઓછા સમયમાં મનને શાંત કરી શરીર અને ચિત્ત ધારાનો ઊંડાઈથી અભ્યાસ કરવો એ સંભવ નથી.

દિવસમાં કેટલા કલાક ધ્યાન કરવાનું હોય છે?

દિવસની શરૂઆત સવારે ચાર વાગ્યે જાગરણ માટેના ઘંટારવથી થાય છે અને સાધના રાતના નવ વાગ્યા સુધી ચાલતી હોય છે. દિવસમાં લગભગ દસ કલાક ધ્યાન કરવાનું હોય છે પણ વચવચમાં પર્યાપ્ત અવકાશ અને વિશ્રામ માટે સમય આપવામાં આવતો હોય છે. પ્રતિદિન સાંજના આચાર્ય ગોયન્કાજીનું વિડીયો પર પ્રવચન રહેતું હોય છે કે જે સાધકોને દિવસભરની સાધનાના અનુભવને સમજવામાં મદદરૂપ થાય છે. આ સમયસારિણી પાછલા દાયકાઓમાં આવી ગયેલા લાખો લોકોને ઉપયુક્ત તથા લાભદાયી સિધ્ધ થયેલી છે.

શિબિરમાં કઈ ભાષાનો ઉપયોગ થતો હોય છે?

સાધનાની શિક્ષા આચાર્ય ગોયન્કાજીના હિન્દી અને અંગ્રેજીમાં રેકોર્ડ કરેલા નિર્દેશો દ્વારા આપવામાં આવે છે. આ નિર્દેશોનો અનુવાદ વિશ્વની ઘણી બધી પ્રમુખ ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો શિબિરના સંચાલક સહાયક આચાર્ય પ્રાદેશિક ભાષા ન જાણતા હોય તો અનુવાદકનો પ્રબંધ કરવામાં આવતો હોય છે. સામાન્યત: શિબિરાર્થી માટે ભાષાને લીધે કોઈ અડચણ ઉભી થતી હોતી નથી. If the teachers conducting a course do not speak the local language fluently, interpreters will be there to help. Language is usually no barrier for someone who wants to join a course.

શિબિરનું શુલ્ક કેટલું હોય છે?

વિપશ્યના શિબિરમાં આવનાર દરેક સાધકનો ખર્ચ એ એમના માટે જુના સાધકોનો ઉપહાર છે, દાન છે. શિબિરમાં રહેવાનું, ખાવા-પીવાનું, શિક્ષાનું કોઈ શુલ્ક લેવામાં આવતું નથી. વિશ્વભરની બધી વિપશ્યના શિબિરો સ્વેચ્છાથી અપાયેલા દાન પર ચાલતી હોય છે. જો શિબિરની સમાપ્તિ પર તમને લાગે કે સાધનાથી તમને કોઈ લાભ મળ્યો છે તો તમે ભવિષ્યમાં આવનાર સાધકોને માટે પોતાની ઈચ્છા અને પોતાના સામર્થ્ય અનુસાર દાન આપી શકો છો.

શિબિરના સંચાલન માટે સહાયક આચાર્યોને કેટલું પારિશ્રમિક આપવામાં આવતું હોય છે?

સહાયક આચાર્યોને કોઈ વેતન, દાન અથવા ભૌતિક લાભરૂપી પારિશ્રમિક આપવામાં આવતું હોતું નથી. તેઓનું જીવિકાનું સાધન અલગ રહેવું જરૂરી છે. આ નિયમને લીધે કેટલાક આચાર્યો સેવા પ્રતિ પુરતો સમય આપી શકતા હોતા નથી, પરંતુ આ નિયમ સાધકનું શોષણ અને શિક્ષાનું વ્યવસાયીકરણ થતું અટકાવે છે. આ પરંપરાના આચાર્યો કેવળ સેવા ભાવથી કામ કરતા હોય છે. શિબિરની સમાપ્તિ પર સાધકોને લાભ મળે, એનું સમાધાન જ એમનું પારિશ્રમિક હોય છે.

હું પલાઠી વાળીને બેસી શકતો નથી. શું એ છતાં પણ હું ધ્યાન કરી શકીશ?

નિશ્ચિત પણે. જો સાધક આયુષ્યના કારણે અથવા કોઈ શારીરિક રોગના કારણે પલાઠી વાળીને ન બેસી શકે તો તેમના માટે ખુરશીઓનો પ્રબંધ કરવામાં આવતો હોય છે.

મારે વિશેષ ભોજનની આવશ્યકતા છે. શું હું મારી સાથે પોતાનું ખાવાનું લાવી શકીશ?

જો તમારા દાક્તરે તમને કોઈ વિશેષ આહારની સલાહ આપી હોય તો તે વિષે અમને સૂચન કરીએ. આ આહાર ઉપલબ્ધ કરવાનો અમે પ્રયત્ન કરીશું. જો ભોજન અત્યંત વિશેષ હશે, કે પછી એવું હશે કે જેનાથી સાધનામાં બાધા આવી શકે તેમ હોય તો શક્ય છે કે તમને થોડો સમય રોકાઈ જવાનું કહેવામાં આવે, જ્યાં સુધી કે તમારા ભોજન પરનો નિર્બંધ ઓછો થયો હોય. અમે તમારી ક્ષમા માંગીએ છીએ પરંતુ સાધકોએ વ્યવસ્થાપન દ્વારા અપાયેલા ભોજનમાંથી જ પોતાનું ભોજન લેવું, એ શિબિરનો નિયમ છે. તેથી તમે પોતાનું ભોજન સાથે નહી લાવી શકો. અધિકતર સાધકોનો એ અનુભવ રહ્યો છે કે શિબિરમાં ભોજનનાર્થે પર્યાપ્ત વિકલ્પ રહેતા હોય છે, અને શિબિરની અવધિ દરમ્યાન સાધકો શુધ્ધ શાકાહારી ભોજનનો આનંદ માણતા હોય છે.

શું ગર્ભવતી મહિલાઓ શિબિરોમાં આવી શકે છે? શું તેમના માટે કોઈ વિશેષ પ્રબંધ અથવા નિર્દેશ રહેતો હોય છે?

ગર્ભવતી મહિલાઓ શિબિરમાં ભાગ લઈ શકતી હોય છે. કેટલીક મહિલાઓ તો એટલા માટે આ વિશેષ સમય દરમ્યાન શિબિરમાં આવતી હોય છે કે જેથી તેઓ મૌન રહીને ગંભીરતાપુર્વક ધ્યાન કરી શકે. ગર્ભવતી મહિલાઓને એટલું અમારું નિવેદન છે કે તેઓ શિબિરમાં આવતા પહેલા નિશ્ચિત કરે કે ગર્ભ સ્થિર હોય. તેઓને આવશ્યકતાનુસાર પર્યાપ્ત ભોજન આપવામાં આવે છે અને આરામથી સાધના કરવાનું કહેવામાં આવતું હોય છે.

શિબિરમાં મૌન કેમ રાખવું પડે છે?

શિબિર દરમ્યાન બધા સાધકો આર્ય મૌન એટલે કે શરીર, વાણી અને મનનું મૌન રાખતા હોય છે. તેઓ અન્ય સાધકોનો બિલકુલ સંપર્ક કરતા નથી. સાધકોને પોતાની જરૂરિયાત પુરતી વ્યવસ્થાપન સાથે અને સાધના સંબંધી પ્રશ્નો માટે સહાયક આચાર્ય સાથે વાત કરવાની છૂટ હોય છે. પહેલા નવ દિવસ મૌનનું પાલન કરવાનું હોય છે. દસમાં દિવસે સામાન્ય જીવનની પ્રક્રિયાઓમાં પુન:પ્રવેશની તૈયારી રૂપે ફરી બોલવાનું શરુ કરવામાં આવતું હોય છે. આ સાધનામાં અભ્યાસની નિરંતરતા જ સફળતાની કૂંચી છે. આ નિરંતરતા જાળવવા માટે મૌન મહત્વપૂર્ણ, આવશ્યક અંગ છે.

શું હું સાધના કરવા માટે યોગ્ય છું?

શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ કોઈ પણ વ્યક્તિ સાચી ઈચ્છા સાથે પર્યાપ્ત પ્રયત્ન કરે તો તેના માટે આર્ય મૌન સહિત, વિપશ્યના સાધના કઠીન નથી. જો તમે નિર્દેશોનું નિષ્ઠા અને ધૈર્યપૂર્વક પાલન કરશો તો સારા પરિણામ જરૂરથી આવશે. યદ્યપિ દિનચર્યાના વર્ણન પરથી સાધના કઠીન હશે તેમ લાગતું હોય છે પણ વાસ્તવમાં એ નથી બહુ કઠોર કે નથી તો બહુ આરામપ્રદ. તદુપરાંત અન્ય સાધકો કે જે શાંતિપૂર્વક વાતાવરણમાં ગંભીરતાથી ધ્યાન કરતા હોય છે, તેમની ઉપસ્થિતિ પણ તમને તમારા પોતાના પ્રયત્નમાં મદદરૂપ થતી હોય છે.

કોણે સાધનામાં ભાગ લેવો જોઈએ?

જે વ્યક્તિ શારીરિક રીતે એટલી કમજોર હોય કે જેનાથી શિબિરની દિનચર્યાનું પાલન બરાબર રીતે ના થઈ શકે, તેવી વ્યક્તિને શિબિરનો પર્યાપ્ત લાભ મળવો મુશ્કેલ છે. આ વાત માનસિક રોગથી પીડિત અને અત્યંત કઠીન માનસિક તોફાનોમાંથી પસાર થતા વ્યક્તિઓને પણ લાગુ પડે છે. સામન્યત: વ્યક્તિ સાથે વાત કરવા ઉપરથી અમને ખ્યાલ આવી શક્તો હોય છે કે તે વ્યક્તિ શિબિરનો ઉચિત લાભ લઈ શકશે કે નહી. કોઈક કોઈક સાધકોને શિબિરમાં બેસતા પહેલા દાક્તરની અનુમતિ લેવાનું પણ કહેવામાં આવતું હોય છે.

શું વિપશ્યના શારીરિક અને માનસિક વ્યાધિનો ઈલાજ કરી શકતી હોય છે?

કેટલાય રોગો માનસિક તણાવના કારણે થતા હોય છે. જો તણાવ દૂર કરવામાં આવે તો રોગ ક્યાં તો દૂર થઈ જાય છે અથવા તો પછી ઓછો થઈ જાય છે. પરંતુ જો રોગ દૂર કરવાના ઉદ્દેશ્યથી વિપશ્યના કરવામાં આવે તો લાભ મળતો હોતો નથી. જે કોઈ સાધક આ ઉદ્દેશ્યથી જોડાય છે એ પોતાનો સમય બરબાદ કરતો હોય છે કારણકે હકીકતમાં આ સાચો ઉદ્દેશ્ય નથી. આમ કરવાથી તે પોતાની હાનિ પણ કરી શકતો હોય છે. નથી તો એ ઠીક રીતે સાધના શીખી શકતો કે નથી રોગથી છુટકારો મેળવવામાં સફળ.

શું વિપશ્યના ડીપ્રેશન દૂર કરતી હોય છે?

વિપશ્યનાનો ઉદ્દેશ્ય રોગને દૂર કરવાનો નથી. જે કોઈ વ્યક્તિ વિપશ્યનાનો સાચી રીતે અભ્યાસ કરતી હોય છે એ બધી પરિસ્થિતિઓમાં સંતુલિત અને પ્રસન્ન રહેતા શીખી જાય છે. પરંતુ કોઈને ગંભીર ડિપ્રેશનનો રોગ હોય તો એ સાધના સારી રીતે નહી કરી શકે અને ઉચિત લાભથી વંચિત રહી જશે. આવી વ્યક્તિએ દાક્તરી સલાહ લેવી હિતાવહ છે. વિપશ્યનાના આચાર્ય અનુભવી સાધક જરૂર છે પરંતુ તેઓ મનોચિકિત્સક નથી.

શું વિપશ્યના કોઈને માનસિક રૂપે અસંતુલિત કરી શકતી હોય છે?

નહી. વિપશ્યના જીવનના દરેક ચઢાવ-ઉતારમાં સજગ, સમતાવાન એટલે કે સંતુલિત રહેવાનું શીખવાડતી હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની ગંભીર માનસિક સમસ્યાઓને છુપાવતી હોય તો એ વિધિને સારી રીતે સમજી નહી શકે અને તેથી ઉચિત લાભ પ્રાપ્ત નહી કરી શકે. એ આવશ્યક છે કે તમે તમારી માનસિક સમસ્યાઓ વિષે અમને બરાબર જાણકારી શિબિરમાં આવતા પહેલા આપો. આ માહિતીના આધારે તમે શિબિરનો પર્યાપ્ત લાભ મેળવી શકશો કે નહી એનો અમે યોગ્ય નિર્ણય લઈ શકીશું.

શું વિપશ્યના શીખવા માટે બૌદ્ધ બનવું પડશે?

વિભિન્ન સંપ્રદાયોના લોકો અને એવા પણ લોકો કે જે કોઈ સંપ્રદાયમાં માનતા ન હોય, બધાયે વિપશ્યનાને લાભદાયક જાણી છે, અનુભવી છે. વિપશ્યના જીવન જીવવાની કળા છે. આ ભગવાન બુદ્ધની શિક્ષાનો સાર છે. પરંતુ આ કોઈ સંપ્રદાય નથી. આ માનવીના મૂલ્યોના સંવર્ધનનો ઉપાય છે કે જે પોતાના અને બીજાના માટે હિતકારી છે.

પૂરા દસ દિવસ સુધી શિબિરમાં રહેવું આવશ્યક છે?

વિપશ્યના એક એક પગલે શીખવવામાં આવતી હોય છે. શિબિર દરમ્યાન દરરોજ સાધનાનો એક નવો આયામ જોડવામાં આવતો હોય છે. જો તમે શિબિર વચ્ચેથી છોડી દેશો તો પૂરી શિક્ષા ગ્રહણ નહી કરી શકો અને સાધનાને તમને પૂરેપૂરો લાભ આપવાનો મોકો નહી આપો. સાધનામાં ગંભીરતાપૂર્વક કામ કરવાથી સાધક એક પ્રક્રિયા શરુ કરતો હોય છે કે જે શિબિરની સમાપ્તિ પર જ પરિપૂર્ણ થતી હોય છે. આ પ્રક્રિયાને વચમાં રોકી લેવી એ જરાય ઉચિત નથી.

શું શિબિરને વચ્ચેથી છોડી દેવું હાનિકારક છે?

શિબિરને વચમાંથી છોડવાથી તમે પોતાને સાધનાને પૂરી રીતે શીખવાનો મોકો નહી આપો. તમે સાધનની પ્રક્રિયાને વચમાં જ રોકી લેશો. આ કારણે તમે દૈનિક જીવનમાં આ સાધનાનો ઉપયોગ નહી કરી શકો. શિબિરને વચમાંથી છોડી દેવાથી તમે જે સમય આપી ચૂક્યા છો તે પણ વ્યર્થ ગુમાવી દેશો.

દસમાં દિવસે જયારે મૌન અને ગંભીર સાધના સમાપ્ત થઈ હોય ત્યારે શું હું શિબિર છોડીને જઈ શકીશ?

શિબિર પછી સામાન્ય જીવનમાં ભળતા પહેલાનો દસમો દિવસ એ એક મહત્વપૂર્ણ પરિવર્તન (ટ્રાન્ઝીશન) દિવસ છે. આ કારણસર સાધકને આ દિવસે શિબિર છોડી જવાની અનુમતિ આપવામાં આવતી હોતી નથી.

વિપશ્યના સાધના પરિચયવિપશ્યના સાધના પરિચય

Aniwheelવિપશ્યના (Vipassana) ભારતની એક અત્યંત પુરાતન ધ્યાન વિધિ છે. આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધે વિપશ્યનાની પુન: શોધ કરી હતી. વિપશ્યનાનો અભિપ્રાય છે કે જે વસ્તુ સાચેમાં જેવી છે, તેને તે પ્રકારે જાણવી. આ અંતરમનની ઊંડાઈઓમાં જઈને આત્મ-નિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિ કરવાની સાધના છે. પોતાના નૈસર્ગિક શ્વાસના નિરીક્ષણથી આરંભ કરીને, પોતાના શરીર અને ચિત્તધારા પર પળે પળ નિમિત્તક પરિવર્તનશીલ ઘટનાઓનું તટસ્થભાવે નિરીક્ષણ કરતા કરતા સાધક અનિત્ય, દુ:ખ, અને અનાત્મના સાર્વત્રિક સત્યો પ્રત્યક્ષ અનુભવે છે. ચિત્ત-વિશોધન અને સદગુણ-વર્ધનનો આ અભ્યાસ (Dhamma) સાધક ને કોઈ સાંપ્રદાયિક આલાંબનોમાં બાંધતો નથી. આ કારણસર વિપશ્યના સાધના સર્વગ્રાહ્ય છે, કોઈ ભેદભાવ વિના બધાજ માટે સમાનરૂપે કલ્યાણકારીણી છે.

વિપશ્યના શું નથી:

  • વિપશ્યના અંધશ્રદ્ધા પર આધારિત કોઈ કર્મકાંડ નથી.
  • આ સાધના બૌદ્ધિક મનોરંજન અથવા દાર્શનિક વાદ-વિવાદ માટે નથી.
  • આ રજાઓ માણવા અથવા સામાજિક આદાન-પ્રદાન માટે નથી.
  • આ રોજિંદા જીવનના તણાવથી બચવાની સાધના નથી.

વિપશ્યના શું છે:

  • આ દુખમુક્તિની સાધના છે.
  • આ મનને નિર્મળ કરવાની એવી વિધિ છે જેનાથી સાધક જીવનના ચઢાવ-ઉતારોનો સામનો શાંતિપૂર્વક સંતુલિત રહીને કરી શકે છે.
  • આ જીવન જીવવાની કળા છે જેનાથી સાધક એક સ્વસ્થ સમાજના નિર્માણમાં મદદગાર થઇ શકે છે.
વિપશ્યના સાધનાનું ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્ય સંપૂર્ણ મુક્તિ છે. એનો ઉદેશ્ય કેવળ શારીરિક વ્યધીયોનું નિર્મુલન કરવાનો નથી. પરંતુ ચિત્તશુદ્ધિને કારણસર કોઈ સાયકોસોમેટીક બીમારી દૂર થતી હોય છે. વાસ્તવમાં વિપશ્યના દુખના ત્રણ કારણો દુર કરે છે — રાગ, દ્વેષ અને અવિદ્યા. જો કોઈ આ વિદ્યાનો અભ્યાસ કરતો રહે, તો તે પગલે પગલે આગળ વધીને, પોતાના માનસના વિકારોથી પૂર્ણ રીતે નિતાંત વિમુક્ત અવસ્થાનો સાક્ષાત્કાર કરી શકતો હોય છે.
વિપશ્યના બૌદ્ધ પરંપરામાં સુરક્ષિત રહી હોવા છતાં એમાં કોઈ સાંપ્રદાયિક તત્વ નથી. કોઈ પણ પૃષ્ઠભૂમિની વ્યક્તિ એને અપનાવી શકે છે અને એનો ઉપયોગ કરી શકે છે. વિપશ્યનાની શિબિર એવા લોકો માટે છે કે જે ઈમાનદારીપૂર્વક આ વિધિ શીખવાની ઈચ્છા ધરાવે છે. એમાં કુળ, જાતી, ધર્મ અથવા રાષ્ટ્રીયતા આડે આવતા નથી. હિંદુ, જૈન, મુસ્લિમ, સિક્ખ, બૌદ્ધ, ઈસાઈ, યહૂદી તથા અન્ય સંપ્રદાયોના લોકોએ ઘણી સફળતાપૂર્વક વિપશ્યનાનો અભ્યાસ કર્યો છે. જો રોગ સાર્વજનીન હોય તો તેનું નિવારણ પણ સાર્વજનીન જ હોવું જોઈએ.

સાધના અને સ્વયંશાસન

આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિની સાધના આસન નથી—શિબિરાર્થીઓએ ગંભીર અભ્યાસ કરવો પડતો હોય છે. પોતાના સ્વયં અનુભવથી સાધક પોતાની પ્રજ્ઞા જગાવે છે. કોઈ અન્ય વ્યક્તિ એને માટે આ કામ નથી કરી શકતી. શિબિરની અનુશાસન સંહિતા સાધનાનું જ એક અભિન્ન અંગ છે.
વિપશ્યના સાધના શીખવા માટે ૧૦ દિવસની અવધિ વાસ્તવમાં ઘણી ઓછી છે. સાધનામાં એકાંત અભ્યાસની નિરંતરતા બનાવી રાખવી નિતાન્ત આવશ્યક છે. આ વાતને ધ્યાનમાં રાખીને આ નિયમાવળી અને સમય-સારિણી બનાવવામાં આવેલી છે. આ આચાર્ય કે વ્યવસ્થાપકની સુવિધા માટે નથી. આ કોઈ પરંપરાનું આંધળું અનુકરણ અથવા કોઈ અંધશ્રદ્ધા નથી. આની પાછળ અનેક સાધકોના અનુભવોનો વૈજ્ઞાનિક આધાર છે. નિયમાવળીનું પાલન સાધનામાં બહુ લાભદાયી થશે.
શિબિરાર્થીએ પુરા ૧૧ દિવસ શિબિર સ્થાન પર રહેવું પડશે. વચ્ચેથી શિબિર છોડીને નહીં જઈ શકાય. અનુશાસન સંહિતાના અન્ય બધા નિયમો પણ ધ્યાનપૂર્વક વાંચી લેવા જરૂરી છે. જો અનુશાસન સંહિતાનું નિષ્ઠા અને ગંભીરતાપુર્વક પાલન કરી શકવાના હો, તો જ શિબિરના પ્રવેશ માટે આવેદન કરો. આવેદકે સમજવું જરૂરી છે કે શિબિરના નિયમો અઘરા પડવાને કારણે જો એ શિબિર છોડશે તો એ તેના માટે હાનિકારક નીવડશે. એનાથી પણ વધારે દુર્ભાગ્યપૂર્ણ વાત તો એ થશે કે વારં વારં સમજાયા છતાં પણ જો કોઈ સાધક નિયમોનું પાલન નહી કરી શકે તો તેને શિબિરમાંથી નીકાળી દેવામાં આવશે.

માનસિક રોગોથી પીડિત લોકો માટે

કોઈ વખત ગંભીર માનસિક રોગથી પીડિત વ્યક્તિ શિબિરમાં એવી આશા સાથે આવે છે કે આ સાધના કરવાથી એનો રોગ દુર થશે. તો ક્યારેક કેટલીક ગંભીર બીમાંરીયોને કારણે શિબિરાર્થી શિબિર પૂરી કરવામાં અસમર્થ રહે છે અને સાધનાના ઉચિત લાભથી વંચિત રહી જાય છે.

અનુશાસન સંહિતા

શીલ (sīla) સાધનાનો આધાર છે. શીલ ના આધાર પર જ સમાધિ (samādhi) —મનની એકાગ્રતા—નો અભ્યાસ કરી શકાય છે. પ્રજ્ઞા (paññā) ના અભ્યાસથી વિકારોનું નિર્મુલન અને પરિણામ-સ્વરૂપ ચિત્ત-શુદ્ધિ થતી હોય છે.

શીલ

સર્વે શિબિરાર્થીઓએ શિબિર દરમિયાન પાંચ શીલોનું પાલન કરવું અનિવાર્ય છે:
  1. જીવ-હત્યાથી વિરત રહીશું.
  2. ચોરીથી વિરત રહીશું.
  3. અબ્રહ્મચર્ય (મૈથુન) થી વિરત રહીશું.
  4. અસત્ય ભાષણથી વિરત રહીશું.
  5. નશાના સેવનથી વિરત રહીશું.
પહેલાના સાધકો, અર્થાત એવા સાધકો કે જેઓએ આચાર્ય ગોયેન્કાજી અથવા એમના સહાયક આચાર્યોની સાથે પહેલા દસ દિવસની શિબિર પૂરી કરેલી છે, અષ્ટ-શીલનું પાલન કરશે.
  1. બપોર પછીના (વિકાલ) ભોજનથી વિરત રહીશું.
  2. શણગાર-પ્રસાધન અને મનોરંજનથી વિરત રહીશું.
  3. ઊંચા વિલાસી શયનના ઉપયોગથી વિરત રહીશું.
પહેલાના સાધકો સાંજના પાંચ વાગ્યે ફક્ત લીંબુ પાણી લેશે, જયારે નવા સાધકો દૂધ, ચા, ફળ લઇ શકશે. રોગ વગેરેની વિશિષ્ઠ જરૂરીયાતવાળા પહેલાના સાધકોને ફળાહારની છૂટ આચાર્યની અનુમતિથી મળી શકશે.

સમર્પણ

સાધના-શિબિરની અવધિમાં સાધકે પોતાના આચાર્યને પ્રતિ, વિપશ્યના વિધિના પ્રતિ તથા સમગ્ર અનુશાસન-સંહિતાના પ્રતિ સંપૂર્ણ સમર્પણ કરવું પડશે. સમર્પિત ભાવ હશે તો જ નિષ્ઠાપૂર્વક કામ થઇ શકશે અને સવિવેક શ્રદ્ધાનો ભાવ જાગશે કે જે સાધકની પોતાની સુરક્ષા અને માર્ગદર્શન માટે નિતાન્ત આવશ્યક છે.

સાંપ્રદાયિક કર્મકાંડ અને અન્ય સાધના-વિધિઓનું સંમિશ્રણ

શિબિરની અવધિમાં સાધક કોઈ પણ અન્ય પ્રકારની સાધના-વિધિ કે પૂજા-પાઠ, ધૂપ-દીપ, માળા-જાપ, ભજન-કીર્તન, વ્રત-ઉપવાસ આદિ કર્મકાંડોના અભ્યાસનું અનુષ્ઠાન નહી કરે. એનો અર્થ બીજી સાધનાઓ અને આધ્યાત્મિક વિધિઓનું અવમુલ્યન નથી, પરંતુ એટલા માટે કે સાધક વિપશ્યના સાધનાને અજમાવવાના આ પ્રયોગને શુદ્ધરૂપે ન્યાય આપી શકે.
વિપશ્યનાની સાથે જાણીજોઈને કોઈ અન્ય સાધના વિધિનું સંમિશ્રણ કરવું હાનિકારક નીવડી શકે છે. જો કોઈ સંદેહ કે પ્રશ્ન હોય તો સંચાલકને મળીને સ્પષ્ટીકરણ કરી લેવું જરૂરી છે.

આચાર્યને મળવું

સાધકને જરૂર હોય તો પોતાની સમસ્યાઓના સંદર્ભમાં આચાર્યને બપોરે ૧૨ થી ૧ ની વચ્ચે એકલામાં મળી શકે છે. રાત્રે ૯ થી ૯.૩૦ વાગ્યાની વચ્ચે પણ સાધના-કક્ષમાં સાધકને સાર્વજનીન પ્રશ્નૌત્તરનો અવસર ઉપલબ્ધ છે. સાધક ધ્યાન રાખશે કે બધ્ધા પ્રશ્ન વિપશ્યના વિધિના સ્પષ્ટીકરણ માટે જ હોય.

આર્ય મૌન

શિબિરની શરૂઆતથી માંડીને દસમાં દિવસની સવારે લગભગ દસ વાગ્યા સુધી આર્ય મૌન અર્થાત વાણી અને શરીર બન્નેથી મૌન પાલન કરીશું. શારીરિક સંકેતોથી અથવા લખી-વાંચીને વિચાર-વિનિમય કરવો પણ વર્જિત છે.
અત્યંત જરૂરી હોય તો વ્યવસ્થાપકની સાથે તથા વિધિને સમજવા માટે આચાર્યની સાથે બોલવાની છૂટ છે. અને આવા સમયે પણ ઓછાંમાં ઓછું જેટલું જરૂરી હોય તેટલું જ બોલવું હિતાવહ છે. વિપશ્યના સાધના વ્યક્તિગત અભ્યાસ છે. તેથી દરેક સાધક પોતે એકલો છે તેમ સમજીને એકાંત સાધનામાં રત રહેશે.

પુરુષો અને મહિલાઓનું અલગ રહેવું

આવાસ, અભ્યાસ, આરામ અને ભોજન આદિ ના સમયે બધા પુરુષો અને મહિલાઓએ અલગ રહેવું અનિવાર્ય છે.

શારીરિક સ્પર્શ

શિબિર દરમિયાન સાધકો એક બીજાને સ્પર્શ બિલકુલ નહી કરે.

યોગાસન અને વ્યાયામ

વિપશ્યના સાધનાની સાથે યોગાસન અને અન્ય શારીરિક વ્યાયામનો સંયોગ માન્ય છે, પરંતુ કેંદ્રોમાં અત્યારે એના માટે જરૂરી એકાંતની સુવિધાઓ ઉપલબ્ધ નથી. તેથી કરીને સાધકોને વિનંતી રહેશે કે તેઓ આની જગ્યાએ આરામનાં નિર્ધારિત સ્થાનો પર ચાલવાનો જ વ્યાયામ કરે.

મંત્રાભિષીક્ત માળા-કંઠી, ગંડા-તાવીજ આદિ

સાધક ઉપરોક્ત વસ્તુઓ પોતાની સાથે ન લાવે. જો ભૂલથી લઈ આવ્યા હોય તો કેંદ્ર પર પ્રવેશ કરતી વખતે આ વસ્તુઓ દસ દિવસના વ્યવસ્થાપકોને સૌંપી દે.

નશીલી વસ્તુઓ, ધુમ્રપાન, જર્દા-તમાકુ અને દવાઓ

દેશ ના કાયદા કાનૂન પ્રમાણે ભાંગ, ચરસ આદિ બધા પ્રકારની નશીલી વસ્તુઓ રાખવી અપરાધ છે. કેંદ્રમાં આ વસ્તુઓનો પ્રવેશ બિલકુલ નિષેધ છે. રોગી સાધક પોતાની બધી દવાઓ સાથે લાવે અને એને લગતી ખબર આચાર્યને આપી દે.

તમાકુ-જર્દા, ધુમ્રપાન

કેંદ્રના સાધના સ્થળ પર ધુમ્રપાન કરવાની અથવા જર્દા-તમાકુ ખાવાની સખત મનાઈ છે.

ભોજન

વિભિન્ન સમુદાયના લોકીની પોતપોતાની રુચિ મુજબનું ભોજન ઉપલબ્ધ કરવામાં અનેક વ્યવહારિક મુશ્કેલીઓ છે. તેથી કરીને સાધકોને પાર્થના છે કે વ્યવસ્થાપકો દ્વારા જે સાદું, સાત્વિક, નિરામીષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે તેનો સ્વીકાર કરે. જો કોઈ રોગી સાધકને ડોકટરે કોઈ વિશેષ ખોરાક ખાવાની સલાહ આપી હોય તો તેઓ આવેદન-પત્ર અને શિબિરમાં પ્રવેશતી સમયે આ સુચના વ્યવસ્થાપકોને જરૂરથી આપે જેથી એને લગતી જરૂરી વ્યવસ્થા થઈ શકે.

વેશભૂષા

શરીર તથા વસ્ત્રોની સ્વચ્છતા, વેશભૂષામાં સાદગી અને શિષ્ટાચાર જરૂરી છે. ઝીણા કપડા પહેરવા નિષેધ છે. મહિલાઓએ કુર્તાની સાથે દુપટ્ટાનો ઉપયોગ અવશ્ય કરવો.

ઘણા કેંદ્રો પર ધોબી સેવા ઉપલબ્ધ હોતી નથી. સાધકે જે કેંદ્ર પર જવાનું હોય ત્યાં આ વિષે પૂછી લેવું. ધોબી સેવા ના હોય તો સાધક જરૂરી કપડા સાથે લઇને આવે. નાના કપડા હાથથી ધોઈ લેવા. નાહવાનું અને કપડા ધોવાનું કામ કેવળ વિશ્રામના સમયમાં જ કરવું જોઈએ, ધ્યાનના સમયમાં નહીં.

No washing machines or dryers are available, so students should bring sufficient clothing. Small items can be hand-washed. Bathing and laundry may be done only in the break periods and not during meditation hours.

બાહ્ય સંપર્ક

પૂર્ણ શિબિર દરમિયાન સાધક કોઈ બાહ્ય સંપર્ક ન રાખે. સાધક કેંદ્રની સીમમાં જ રહે. કોઈને ટેલીફોન અથવા પત્ર દ્વારા પણ સંપર્ક ન કરે. કોઈ અતિથિ આવે તો તેઓએ વ્યવસ્થાપકોનો સંપર્ક કરવો.

વાંચવું, લખવું અને સંગીત

શિબિર દરમિયાન સંગીત કે ગાયન સાંભળવાની, કોઈ વાજિંત્ર વગાડવાની મના છે. શિબિરમાં લખવા-વાચવાની મના હોવાથી સાથે કોઈ લખવા-વાચવાનું સાહિત્ય ન લાવે. શિબિર દરમિયાન ધાર્મિક અને વિપશ્યના સંબંધી પુસ્તકો વાચવા પણ વર્જિત છે. ધ્યાન રહે કે વિપશ્યના સાધના પૂર્ણરીતે પ્રાયોગિક વિધિ છે. લખવા-વાચવાથી એમાં વિઘ્ન પડે છે. તેથી નોટ્સ પણ ન લેવી.

ટેપ રેકોર્ડર અને કેમેરા

આચાર્યની વિશિષ્ટ અનુમતી સિવાય કેંદ્રમાં આ વસ્તુઓનો ઉપયોગ બિલકુલ વર્જિત છે.

શિબિરનો ખર્ચ

વિપસ્યના જેવી અણમોલ સાધનાની શિક્ષા સંપૂર્ણરીતે નિ:શુલ્ક જ અપાય છે. વિપશ્યનાની વિશુદ્ધ પરંપરા અનુસાર શિબિરોનો ખર્ચ આ સાધનાથી લાભાન્વિત થયા હોય તેવા સાધકોના કૃતજ્ઞતાભર્યા ઐચ્છિક દાનથી જ ચાલે છે. જેઓએ આચાર્ય ગોયાન્કાજી અથવા એમના સહાયક આચાર્યો દ્વારા સંચાલિત અલ્પતમ એક દસ દિવસીય શિબિર પૂરી કરી હોય, કેવળ એવા સાધકો પાસેથી જ દાન સ્વીકાર્ય છે.
જેઓને આ વિદ્યા દ્વારા સુખ-શાંતિ મળી હોય, તેઓ એવી મંગળ ચેતનાથી દાન આપે છે કે સર્વત્ર લોકોના હિત-સુખ માટે ધર્મ-સેવાનું આ કાર્ય ચિરકાળ સુધી ચાલુ રહે અને અનેકાનેક લોકોને પણ આવી જ સુખ-શાંતિ મળતી રહે. કેંદ્ર માટે આવકનું બીજુ કોઈ સ્ત્રોત નથી. શિબિરના આચાર્ય તથા ધર્મ-સેવકોને કોઈ વેતન અથવા માનધન નથી આપવામાં આવતું. તેઓ પોતાના સમયનું અને સેવાનું દાન આપતા હોય છે. આ રીતે વિપશ્યનાનો પ્રસાર વ્યાપારીકરણ વગર શુદ્ધરૂપે થતો રહે છે.
દાન ભલે નાનું હોય કે મોટું, એની પાછળ કેવળ લોક-કલ્યાણની ચેતના હોવી જોઈએ. બહુજનના હિત-સુખની મંગલ ચેતના જાગે તો નામ, યશ અથવા બદલામાં પોતાના માટે વિશિષ્ટ સુવિધા મેળવવાના ઉદ્દેશ્યને ત્યજીને પોતાની શ્રદ્ધા અને શક્તિને અનુસાર સાધક દાન આપી શકે છે.

સારાંશ

અનુશાસન સંહિતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવા માટેના થોડા બિંદુ
અન્ય સાધકોને ખલેલ ન પહોચે એનો પૂરે પૂરો ખ્યાલ રહે. અન્ય સાધકોની તરફથી ખલેલ પહોચે તો એની તરફ ધ્યાન ન આપે.
અગર ઉપરોક્ત નિયમોમાંથી કોઈ પણ નિયમની પાછળ કારણ શું છે તે કોઈ સાધક સમજી ન શકે તો જરૂરી છે કે તે આચાર્યને મળીને પોતાનો સંદેહ દૂર કરે.
અનુશાસનનું પાલન નિષ્ઠા અને ગંભીરતાપૂર્વક કરવાથી જ સાધના વિધિ યોગ્ય રીતે સમજી શકાશે અને એનાથી પર્યાપ્ત લાભ પ્રાપ્ત કરી શકાશે. શિબિરનું પૂરું મહત્વ પ્રત્યક્ષ કામ. ઉપર છે. તેથી એવી ગંભીરતા રહે કે જાણે આપ એકલા એકાંતમાં સાધના કરી રહ્યા છો. મન અંદરની તરફ રહે જયારે અસુવિધાઓ કે અડચણોની તરફ બિલકુલ ધ્યાન ન રહે.
સાધકની વિપશ્યનામાં પ્રગતિ એના પોતાના સદગુણો પર અને આ પાંચ અંગો–પરિશ્રમ, શ્રદ્ધા, મનની સરળતા, આરોગ્ય અને પ્રજ્ઞા–પર આધારિત છે.
ઉપરોક્ત જાણકારી તમારી સાધનામાં મહત્તમ સફળતા અપાવે. શિબિરના વ્યવસ્થાપકો તમારી સેવા અને સહયોગ માટે સદા ઉપસ્થિત છે અને તમારી સફળતા અને સુખ-શાંતિની મંગળ કામના કરે છે.

સમય સારિણી

આ સમય સારિણી અભ્યાસની નિરંતરતા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી બનાવી છે.
પ્રાત:કાલ          
૪.00 વાગે      જાગવાનો સમય
૪.૩૦ થી ૬.૩૦   સાધના–નિવાસસ્થાન, ધ્યાનકક્ષ કે ચૈત્યમાં
૬.૩૦ થી ૮.00   નાસ્તો અને વિશ્રામ
૮.૦૦ થી ૯.૦૦   સામુહિક સાધના–ધ્યાનકક્ષમાં
૯.૦૦ થી ૧૧.00   સાધના–આચાર્યના નિર્દેશાનુસાર–નિવાસસ્થાન, ધ્યાનકક્ષ કે ચૈત્યમાં
બપોર          
૧૧.૦૦ થી ૧૨.00   ભોજન
૧૨.૦૦ થી ૧.૦૦   વિશ્રામ
અપરાહ્ણ          
૧.૦૦ થી ૨.30   સાધના–નિવાસસ્થાન, ધ્યાનકક્ષ કે ચૈત્યમાં
૨.૩૦ થી ૩.30   સામુહિક સાધના–ધ્યાનકક્ષમાં
૩.૩૦ થી ૫.૦૦   સાધના–આચાર્યના નિર્દેશાનુસાર–નિવાસસ્થાન, ધ્યાનકક્ષ કે ચૈત્યમાં
૫.૦૦ થી ૬.૦૦   દૂધ-ચાય, ફળ કે લીંબૂ-પાણી
સાંજ          
૬.૦૦ થી ૭.00   સામુહિક સાધના–ધ્યાનકક્ષમાં
૭.૦૦ થી ૮.૧૫   પ્રવચન
રાત્રી          
૮.૧૫ થી ૯.૦૦   સામુહિક સાધના–ધ્યાનકક્ષમાં
૯.૦૦ થી ૯.૩૦   પ્રશ્નોત્તર–ધ્યાનકક્ષમાં
૯.૩૦ વાગે   પોતપોતાના શયનકક્ષમાં આવી જવું, રોશની બંધ અને શયનનો સમય
આપ ઉપરોક્ત અનુશાસન સંહિતાની કોપી ધ્યાનથી વાંચવા માટે એડોબી એક્રોબેટમાં અહીંયા ડાઉનલોડ કરી શકશો. આપ પ્રસ્તાવિત વિપશ્યના શિબિરના પ્રવેશ માટે આવેદન કરી શકો છો.

વિપશ્યના સાધના

સેમસંગનો ગેલેક્સી નોટ એજ ફોલ્ડેડ સ્ક્રીન સાથે


સેમસંગનો ગેલેક્સી નોટ એજ ફોલ્ડેડ સ્ક્રીન સાથે
 
કોરિયન કંપની સેમસંગને બહુપ્રતિક્ષિત સ્માર્ટફોન ગેલેક્સી નોટ એજ રજૂ કર્યો જે કિનારીએથી વળેલો છે અને વળેલા ભાગમાં નોટિફિકેશન સ્ક્રીનમાં એપ, એલર્ટ્સ અને બીજા આઇકોન છે.
 
કારણ કે, અનોખા લુકવાળા આ ફોનનો ઉપયોગ કરવો ઘણો જ સહેલો છે. ફાયદો એ છેકે કવર લગાવેલું હોવા છતાં પણ તેમાં વારંવાર ઉપયોગ થનારા આઇકોન્સ દેખાતા રહેશે.
 
ફેક્ટ ફાઇલ:
 સેમસંગે બર્લિનના પ્રતિષ્ઠિત ટેક શો 2014માં આ ફોનને પ્રદર્શિત કર્યો હતો.
  • આ એક લિમિટેડ એડિશન ફોન છે અને વિશ્વના વિકસિત દેશોમાં તેને લોન્ચ કરવામાં આવ્યો છે.
  • સેમસંગની વિશ લિસ્ટમાં ભારત પણ છે અને નવા વર્ષે સંભવતઃ ભારતીય યુઝર્સને આ મળી શકશે.
  • આ ફોનની સ્ક્રીન 5.6 ઇંચની છે અને રિઝોલ્યુશન 1440 x 2560 પિક્સલ છે.
  • તેમાં હાઇ ડેફિનેશન રિઝોલ્યુશન છે અને એમોલેડ ડિસપ્લે છે. તે જમણી બાજુ 160 ડિગ્રી વળેલો છે.
  • પ્રોસેસરઃ ઓક્ટા કોર એગ્જિનોસ પ્રોસેસર
  • ઓએસઃ એન્ડ્રોઇડ 4.4 કિટકેટ પર આધારિત છે.
  • આકારઃ 8.3 મિમી, 174 ગ્રામ વજન
  • બેટરીઃ 3000 એમએએચ
  • કિંમતઃ અંદાજે 62,300 રૂપિયા
  • રહેમઃ 3 જીબી રેમ, 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 64 જીબી માઇક્રોસ્લોટ
  • કેમેરાઃ 16 એમપી રિયર, એલઇડી ફ્લેશ, ઓઆઇએસ અને અલ્ટ્રા એચડી વીડિયો રેકોર્ડિંગ
  • ફ્રન્ટ કેમેરાઃ 3.7 એમપી, એફ 1.9 અપર્ચર, 120 ડિગ્રી વાઇડ એંગલ લેંસ
  • અન્ય ફીચરઃ એસ હેલ્થ 3.5, ફિંગર સ્કેનર, યુવી, હાર્ટ મોનિટરિંગ, 4જી એલટીઇ, વાઇફાઇ, બ્લૂટૂથ વી 4.1, જીપીએસ

અંગ્રેજીમાં એક્કો ને ગણિતમાં ઝીરો’ આવી હતી અબજોમાં રમનારા ધીરૂભાઇની કહાણી


(ધીરુભાઈ અંબાણીના ઘરની બહારની તેમના નામની તકતી લગાવવામાં આવી છે તે તસવીર)

‘એ તો યારોનો યાર હતો. આમ કહીએ તો ચાલે કે એ મારો કાનુડો અને હું સુદામા. હું ત્યાંનો ત્યાં જ હતો અને એ તો ઉંચી છલાંગો મારતો હતો. દુનિયાને આંબતો હતો. પણ મારો ભેરૂ મને ક્યારેય ભુલ્યો નહીં. જ્યારે પણ હું મળતો ત્યારે એ રીતે મને ભેટી પડતો કે જોનારા જોતા રહી જતા અને આપણો વટ પડી જતો.’ આટલું બોલતાં તો તેમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા હતા. આંખોમાંથી વહેતા આંસુઓમાં પણ જાણે મિત્રની તસવીર દેખાતી હતી. ધીરૂભાઇ અંબાણીનો 28મીએ જન્મ દિવસ. આજે ધીરૂભાઇ નથી અને તેમની યાદોને સંકોરીના રાખનારા એ મિત્ર વાઘજીભાઇ પણ હયાત નથી. તેમનું ચોરવાડમાં જ ૮૩ વર્ષની જૈફ વયે નિધન થયું હતું, પરંતુ આ બન્ને મિત્રોની યાદો આજે પણ જીવંત છે.
 
આજે એટલે કે ૨૮ ડિસેમ્બરે ધીરુભાઇ અંબાણીનો જન્મ દિવસ છે, ગુજરાતનું ગૌરવ સમા ધીરુભાઇની મિત્રતાના સંસ્મરણો અમે અહીં રજૂ કરી રહ્યાં છીએ,જે એકાદ વર્ષ પહેલા વાઘજીભાઇએ જણાવ્યા હતા. ધીરૂભાઇ માત્ર વેપારી નહોતા પણ ખરા ભાઇબંધ પણ હતા. સંબંધોને સાચવવા તેઓ ક્યારેય પાછી પાની કરતા નહીં. વાઘજીભાઇ જીવાભાઈ રાઠોડ ધીરૂભાઇના એ સ્વભાવનું જાણે કે જીવતુંજાગતું ઉદાહરણ હતા.
 
વાઘજીભાઈએ જણાવ્યું હતું કે મિડલ શાળામાં અમે સાથે ભણતા. અમારે શરૂઆતથી જ જાણે એકબીજા સાથે લેણું હતું. બહુ જલ્દીથી મિત્રો બની ગયા હતા. અમે ક્રિકેટ સાથે રમતા. હું અને ધીરૂ ત્રીજા ધોરણથી પાંચમા ધોરણ સુધી સાથે ભણ્યા હતા. છઠ્ઠાથી એ મેટ્રિક કરવા માટે જુનાગઢ ગયા હતા. આજે જેને વિવેકાનંદ સ્કૂલ કહે છે, તે એ સમયે બહાઉદ્દીનશાળા કહેવાતી, ધીરૂભાઈ ત્યાં ભણવા માટે ગયા હતા. ધીરુભાઈ જુનાગઢની મોઢવણિક બોર્ડિંગમાં રહીને મેટ્રિક પાસ થયા હતા. ચોરવાડમાં તે સુરુબાપાના ડેલામાં રહેતા હતા. ધીરુભાઈના મિત્ર સ્વ. વાઘજીબાપાએ ધીરુભાઈ સાથેની મિત્રતાના સંસ્મરણો વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, ધીરુભાઈનું અંગ્રેજી સારું પણ ગણિત નબળું હતું.  વિધીની કેવી વિચિત્રતા કહેવાય કે કરોડો-અબજોના આંકડા આમ ગણી નાખનારો વ્યક્તિ ત્યારે ગણિતમાં માર ખાતો હતો.
ધીરુભાઈ રૂપિયાના પાઉંડ, સિલિંગ...કે ડોલર બનાવશે

ચશ્માના કાચ સાફ કરતાં કરતાં વાઘજીબાપાએ જાણે પોતાની અંતરદ્રષ્ટિ છેક એ સમયમાં પહોંચાડી મલકતા હોઠે સ્મરણો લાવતા જણાવ્યું હતું કે, તે સમયે ધીરુભાઈ ગણિત લઈને આવતા અને મને કહેતા કે આ સાલ્લું ગણિત માથું ચડાવે છે. ગોખલેનું ગણિત ત્યારે આવતું. ધીરુભાઈ કહેતા કે તને ફાવે તો મને કહે...પછી તે મારે ત્યાં ગણિત લઈને આવતા અને અમારા ફળિયામાં અમે એક ખાટલા પર બેસીને ગણિત ભણતા. આવી રીતે હું તેને અપૂર્ણાંક, ક્ષેત્રફળ, નફાખોટના દાખલાઓ ગણાવતો. ચોથી ગુજરાતીનું ગણિત હું શીખવતો ત્યારે તે કંટાળે છતાં કંઈ નવું શીખવાના આશયથી તત્પર રહેતા. જવાબ રૂપિયામાં આવે તેને પાઉંડ અને સિલિંગમાં બદલવાનો હોય આ વાતમાં તેને વધારે મજા પડતી. વાઘજીબાપાની આ વાત એ સમયની સૂચક હતી કે આગળ જતાં પણ ધીરુભાઈ રૂપિયાના પાઉંડ, સિલિંગ...કે ડોલર બનાવશે...સમય સૌને એક તક આપે છે.વાઘજીભાઈ ઘરની પરિસ્થિતિને વશ થઈ 1948 પછી તરત શિક્ષક તરીકે જોડાયા અને મોડે મોડે 1960માં મેટ્રિક પાસ કર્યું. ધીરુભાઈના નાના ભાઈ નટવરભાઈ આ સમયગાળા દરમિયાન વાઘજીભાઈ પાસે ભણેલા.
‘મારો ગુરુ આવ્યો..’ કહીને ધીરૂભાઈ મને ભેટી પડ્યા હતા

પોતાની વાત આગળ વધારતા વાઘજીબાપાએ જણાવ્યું હતું કે ધીરુભાઈ – કોકિલાબહેન અને તેના સંતાનો ઈ.સ. 1996માં ચોરવાડ આવેલા ત્યારે તેમને હું તેમને મળવા ગયો હતો. આ સમયે ઉમળકા ભેર... ‘મારો ગુરુ આવ્યો..’ કહીને ધીરૂભાઈ મને ભેટી પડ્યા હતા. વાઘજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે મુંબઈ તેના ઘરે ગયો ત્યારે મને સ્ટેશને લેવા માટે એક માણસ મોકલેલો. મને ખૂબ પ્રેમથી રાખ્યો હતો. ધીરુભાઈને જ્યારે પેરેલિસિસનો એટેક આવ્યો ત્યારે વાઘજીભાઈએ સોમનાથ ચાલીને જવાની માનતા કરેલી. ધીરુભાઈને સારું થઈ ગયા પછી વાઘજીભાઈએ એ માનતા પૂર્ણ કરી ધીરુભાઈને પત્ર લખેલો અને તે પત્રનો મુકેશ અંબાણી દ્વારા પ્રત્યુત્તર પણ સાંપડ્યો હતો. આ કાગળો પણ વાઘજીભાઈ પાસે સાચવી રાખ્યા હતા. ધીરુભાઈ પેરેલિસિસમાંથી ઉગરી ગયા પછી જ્યારે ચોરવાડ આવ્યા હતા તેની યાદ વાગોળતા વાઘજીભાઈએ જણાવ્યું હતું કે જ્યારે તેને સારું થયું એટલે તેઓ ચોરવાડ આવેલા. એ સમયે હું તેમને મળવા ગયો ત્યારે તબિયતના કારણે પહેલા તો તે મને ઓળખી શક્યા ન હતાં...કારમાં બેઠેલા હતા...પછી મેં ઓળખાણ આપી તો સાજા હાથે મને બથમાં લઈ લીધો.
કોકિલાબેન મળ્યા ત્યારે ધીરૂભાઇ સાથેની સ્મૃતિઓ તાજી થઇ હતી

થોડા સમય પહેલાં જ્યારે કોકિલાબેન અને પરિવાર જ્યારે ચોરવાડ ધીરુભાઈની સ્મૃતિમાં બાગનું ઉદ્દઘાટન માટે આવ્યા હતા ત્યારે પણ વાઘજીભાઈ તેઓને મળેલા અને ધીરુભાઈ સાથે પોતાની સ્મૃતિઓ તાજી કરી હતી. આ ઉપરાંત મુકેશ અંબાણીએ તેઓના ખબર અંતર પૂછ્યા અને અનિલ અંબાણીએ માન સહિત નમસ્કાર કર્યા હતા. ધીરુભાઈએ વાઘજીભાઈને એક ટી.વી. ભેટ કરેલું તે સમયની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાજીવ ગાંધીએ જ્યારે ટી.વી.નું લાયસન્સ રદ કર્યું ત્યારે તેમણે ધીરુભાઈને પત્ર લખેલો કે – છોકરાઓ એમ કહે છે કે તમારા મિત્ર ધીરુભાઈ જો લઈ દે તો અમારે સાંભળવું છે. આ પત્ર પછી તેમણે પાંચ હજારનો ડ્રાફ્ટ મોકલેલો, તેમાંથી વાઘજીભાઈએ ટી.વી. લીધું. આ પછી વાઘજીભાઈએ ફરી પત્ર લખ્યો અને તેમને કહ્યું કે – છોકરાઓ છાપામાંથી તમારો ફોટો ટી.વી. પર લગાડે છે તો સારો એક તમારો ફોટો મોકલશો. તો સામે ધીરુભાઈએ પણ તરત એક દોસ્તયારીના સ્મરણો વાગોળતા પત્ર સાથે ફોટો મોકલાવેલો.
‘અંગ્રેજીમાં એક્કો ને ગણિતમાં ઝીરો’ આવી હતી અબજોમાં રમનારા ધીરૂભાઇની કહાણી
ધીરુભાઈ ચોરવાડમાંથી મસાલા વિદેશ મોકલતા હતા
વાઘજીભાઈએ જણાવ્યું હતું કે જ્યારે મારે દિકરાના લગ્ન કરવા હતા ત્યારે તેમની પાસે મેં મદદ માંગી હતી. એ સમયે તેમણે મને ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા. એટલું જ નહીં મારી પાસે જ્યારે ત્રણ હજાર રૂપિયા થયા ત્યારે મેં પાછા આપવા કહેલું, આ સમયે ધીરૂભાઈએ તે પાછા આપવાની મનાઈ કરતો પત્ર લખાવ્યો હતો.  ધીરુભાઈ નાના હતા ત્યારે અહીં કોઈ ધંધો કરતા હતા? તેના જવાબમાં વાઘજીભાઈએ જણાવ્યું હતું કે ધીરુભાઈ ચોરવાડમાંથી મસાલા વિદેશ મોકલતા હતા. ‘અંગ્રેજીમાં એક્કો ને ગણિતમાં ઝીરો’ આવી હતી અબજોમાં રમનારા ધીરૂભાઇની કહાણી

 

Tuesday, December 16, 2014

બજાર જંગી ઘટાડાની સાથે બંધ, સેન્સેક્સ 538 અંક તૂટ્યું

દિવસભર બજારમાં ઘટાડાની સાથે કારોબાર થયો અને કારોબારનો અંત પણ તેજ ઘટાડાની સાથે થયો. મિડકેપ શેર 3%ના ઘટાડાની સાથે બંધ થયુ અને સ્મોલકેપ શેરોમાં 3.43%ની કમજોરી પર બંધ મળ્યુ.

કારોબારના અંતમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 538.12 અંક એટલેકે 1.97%ના ઘટાડાની સાથે 26781ના સ્તર પર બંધ થયું છે. જે એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 152 અંક એટલેક 1.85% લપસીને 8067ના સ્તર પર બંધ થયું.

બજારના સેક્ટર પર નજર કરીએ તો મેટલ શેર સૌથી વધારે 4.17%ના ઘટાડાની સાથે બંધ થયા. જે રિયલ્ટી શેર 3.80% તૂટીને બંધ થયા. એફએમસીજીમાં 3.08%ની કમજોરી દર્જ કરવામાં આવી અને બેંક શેર લગભગ 23% નીચે બંધ થયા છે. પાવર અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ શેરોમાં 2.42%ના ઘટાડા પર બંધ દેખાયું. જોકે આઈટી શેર 1.66% અને ટેક્નોલોજી શેર 1.12%ની તેજી સાથે બંધ થવામાં સફળ રહ્યા.

બજારના દિગ્ગજમાં એચસીએલ ટેક 5.03%ની તેજીની સાથે બંધ થયા અને ટીસીએસ 3.83% ચઢીને બંધ થયા. બીપીસીએલમાં 1.75% અને ટેક મહિન્દ્રામાં 1.60%ની તેજીની સાથે બંધ જોયું. ઈન્ફોસિસમાં 0.62%ના વધારાની સાથે બંધ મળ્યુ.

બજારના દિગ્ગજ ઘટનારા શેરોમાં સેસા સ્ટરલાઈટ 7.35% તૂટીને બંધ થયા અને ડૉ રેડ્ડીઝ 6.13% લપસીને બંધ થયા. હિન્ડાલ્કોમાં 5.19%નો ઘટાડો રહ્યો. બેંક ઑફ બરોડા, એસબીઆઈ 5%થી વધારે તૂટીને બંધ થયા. ટાટા પાવર 4.47% અને જિંદાલ સ્ટીલ 4.17%ના કમજોરીની સાથે બંધ થયું.

એક હજાર કરોડનું ગામ: માત્ર 11,332ની વસતિ ધરાવતાં ગુજરાતના ગામમાં 13 બેંક

(ધર્મજ ગામમાં જે બેંક આવેલી છે તેમાંની બે બેંકના બોર્ડ લગાવેલા છે તેની તસવીર)

- એક હજાર કરોડનું ગામ એટલે ધર્મજ!
- માત્ર 11,332ની વસતિ ધરાવતાં ગામમાં ધમધમતી 13 બેંક
- વર્ષ 1959માં સૌપ્રથમ દેના બેંકની શાખા શરૂ થઈ હતી  
- આટલાં નાના ગામમાં એનઆરઆઇ ડિપોઝીટ એક પછી એક બેંકની શાખાઓ શરૂ થવા માટેનું સૌથી મોટું પરિબળ
- રાષ્ટ્રીયકૃત બેંકથી લઈને ખાનગી ક્ષેત્રની મોટી બેંકની પણ ગામમાં હાજરી

આણંદ: માત્ર 17 હેકટરના ક્ષેત્રફળમાં વસેલાં અને 11,333ની વસતિ ધરાવતાં ગામમાં નેશનલાઇઝ, પ્રાઇવેટ અને કો.ઓપરેટિવ સહિતની 13 બેંકની શાખાઓ ધમધમી રહી છે. આ ગામમાં લોન લેનારાંઓ કરતાં ડિપોઝીટ મૂકનારાંઓની સંખ્યા વધુ છે. અલબત્ત, ઇન્વેસ્ટર્સનું ગામ એટલે પેરિસ તરીકે ઓળખાતું આણંદનું ધર્મજ. દુનિયાનો કોઇ દેશ એવો નહીં હોય જ્યાં ધર્મજનો વતની ન વસતો હોય. વિદેશમાં સ્થાયી થયેલાં પરિવારો દ્વારા બેંકમાં મુકવામાં આવતી ડિપોઝીટના કારણે બેંકિગ ક્ષેત્રમાં ધર્મજ બિઝનેસ સેન્ટર બની રહ્યું છે.

ધર્મજમાં બેંકિગ ક્ષેત્રનો વિકાસ પણ ઘણો જૂનો છે. વર્ષ 1959માં 18મી ડિસેમ્બરે દેના બેંકની ગામમાં સૌપ્રથમ શાખા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1969માં સહકારી બેંક શરૂ કરવામાં આવી હતી. તેની સાથે બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાની શાખાઓ પણ શરૂ કરવામાં આવી હતી. હાલમાં ગામમાં 13 બેંકની શાખા ધમધમે છે. જેની પાછળનું મુખ્ય કારણ બેંક ડિપોઝીટને માનવામાં આવે છે. ધર્મજમાંથી વર્ષ 1895થી 1916ના ગાળામાં વિદેશ ગમનની શરૂઆત થઇ હતી. મોટાભાગના લોકો આફ્રિકામાં સ્થાયી થયા હતા. જેઓને વર્ષ 1968માં આફ્રિકાની સ્થાનિક પરિસ્થિતિઓને કારણે ઘર-મિલકત તમામ વસ્તુઓ છોડીને પહેરેલાં વસ્ત્રોમાં ઇંગ્લેન્ડ સ્થળાંતર કરવું પડ્યું હતું. આફ્રિકામાં જહોજલાલીમાં રહેલાં લોકોને ઇંગ્લેન્ડના કેમ્પમાં રહેવાની ફરજ પડી હતી. ત્યારબાદ વિદેશમાં સ્થાયી થયેલાં પરિવારોએ વતનમાં થોડીઘણી બચત કરવા પ્રેરાયાં હતાં.

ધર્મજ આવે એટલે સ્થાનિક બેંકમાં અમુક રકમની ડિપોઝીટ કરીને જવાનો એક ટ્રેન્ડ શરૂ થયો. વિદેશના જુદાં જુદાં દેશોમાં ધર્મજના 3100 ઉપરાંત પરિવારો સ્થાયી થયેલાં છે. જેમાંથી 1500થી 2000 ધર્મજિયન્સ દર વર્ષે વતન આવે છે. એનઆરઆઇ અને સ્થાનિક સુખી, સમૃદ્ધ પરિવારો દ્વારા બચતનું બેંકમાં થતું મોટાપાયે રોકાણના કારણે ઇન્વેસ્ટર્સનું ગામ બની રહ્યું છે. ધર્મજ ગામમાં સૌપ્રથમ શરૂ થયેલી દેના બેંકની શાખામાં રૂ.100 કરોડ ઉપરાંત અને બેંક ઓફ બરોડામાં રૂ.125 કરોડની ડિપોઝીટ તેમજ ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંકમાં રૂ.3397 લાખની ડિપોઝીટ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બેંકની ડિપોઝીટ મળીને કુલ 1300થી 1400 કરોડની આસપાસની ડિપોઝીટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેંકમાં અેનપીએ 0 ટકા છે. બેંકમાં લોન મેળવનારની સંખ્યા ઘણી જ ઓછી છે.

વસતિ 11 હજાર, બેંકની શાખા 13, ગામની કુલ ડિપોઝીટ રૂ.1000 કરોડથી વધુ, ગામની વસતિ કરતાં એનઆરઆઇ વધુ, વતનમાં પણ થોડું રોકાણ જરૂરી, બિઝનેસ સેન્ટર બન્યું, એનઆરઆઇ ડિપોઝીટ મુખ્ય પરિબળ, ધર્મજમાં એનપીએ 0 ટકા છે

(ધર્મજ ગામનું બોર્ડ લગાવેલું છે તે તસવીર)

વસતિ 11 હજાર, બેંકની શાખા 13

દેના બેંક
બેંક ઓફ ઇન્ડિયા
બેંક ઓફ બરોડા
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઇ)
અલ્હાબાદ બેંક
કેનેરા બેંક
આઇસીઆઇસીઆઇ
ઇન્ડસઇન્ડ બેંક
એચડીએફસી બેંક
પંજાબ નેશનલ બેંક
કોર્પોરેશન બેંક
ધી ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંક લિ.

ગામની કુલ ડિપોઝીટ રૂ.1000 કરોડથી વધુ

ધર્મજમાં આવેલી વિવિધ બેન્કની શાખામાં ગામમાં સૌપ્રથમ શરૂ થયેલી દેના બેંકની શાખામાં રૂ.100 કરોડ ઉપરાંત અને બેંક ઓફ બરોડામાં રૂ.125 કરોડની ડિપોઝીટ તેમજ ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંકમાં રૂ.3397 લાખની ડિપોઝીટ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એ મુજબ સરેરાશ દરેક બેંકમાં રૂ.125 કરોડની ડિપોઝીટ ગણવામાં આવે તો ગામની કુલ ડિપોઝીટ રૂ.1000 કરોડથી વધુ થાય છે.
 ગામની વસતિ કરતાં એનઆરઆઇ વધુ

ધર્મજના અગ્રણી રાજેશ પટેલે જણાવ્યું હતું કે ‘ગામમાં વસતાં પરિવારોની સરખામણીમાં વિદેશમાં સ્થાયી થયેલાં ધર્મજના પરિવારોની સંખ્યા વધુ છે. ગામમાં 2770 પરિવારો વસે છે અને વસતિ 11,333 છે. જેની સરખામણીમાં યુ.કે.માં 1700, યુએસએમાં 700, ઓસ્ટ્રેલિયામાં 300, ન્યુઝીલેન્ડમાં 50, આફ્રિકામાં 150 અને કેનેડામાં 200 ઉપરાંત ધર્મજનાં પરિવારો સ્થાયી થયેલાં છે. વિદેશમાં સ્થાયી પરિવારોમાંથી દર વર્ષે 1500થી 2000 ધર્મજિયનો વતન આવે છે.’

વતનમાં પણ થોડું રોકાણ જરૂરી

‘વિદેશમાં સ્થાયી થયાં છતાં વતનમાં પણ થોડીઘણી મૂડી અને રોકાણ કરવું જરૂરી હોય છે. આ ઉપરાંત વિદેશ કરતાં ભારતની બેંકના વ્યાજ દર થોડાં ઊંચા હોય છે. જેથી ધર્મજ આવીએ ત્યારે સ્થાનિક બેંકમાં થોડીઘણી બચતનું રોકાણ કરીને જઇએ છીએ.’ - સંધ્યાબહેન પટેલ, ધમર્જિયન, હાલ કેનેડા.
બિઝનેસ સેન્ટર બન્યું

‘એનઆરઆઇ ગામ છે, જેથી બેંકિગ ક્ષેત્રે બિઝનેસ સેન્ટર બન્યું છે. બેંકની શાખાઓ શરૂ થવા પાછળનું મુખ્ય કારણ ડિપોઝીટ અને કેપિટલ છે. આરબીઆઇના નિયમોનુસાર બેંકમાં એનઆરઆઇ વિદેશી ચલણમાં પણ ફંડનું રોકાણ કરી શકે છે.’ - અરવિંદભાઇ વાઘેલા, સિનિયર બ્રાન્ચ મેનેજર, દેના બેંક.

એનઆરઆઇ ડિપોઝીટ મુખ્ય પરિબળ

‘ધર્મજ ગામના મોટા ભાગના પરિવારો વિદેશમાં સ્થાયી થયેલા છે. ગામમાં બેંકોની શાખાઓ શરૂ થવાનું મુખ્ય કારણ એનઆરઆઇ ડિપોઝીટ છે. ડિપોઝીટ કલેક્શનમાં ધર્મજની બેંકો અગ્રેસર રહી છે.’ - અધિકારી, ધી ધર્મજ કો.ઓપરેટિવ બેંક.

ધર્મજમાં એનપીએ 0 ટકા

‘બેંક ઓફ બરોડાની ધર્મજ શાખામાં 8100 ખાતેદારો છે, જે પૈકી 65 એનઆરઆઇ ખાતેદારો છે. અહીં ડિપોઝીટના પ્રમાણમાં લોનનું પ્રમાણ નહિંવત છે. તેમજ એનપીએ(નોન પરફોર્મિગ અસેટ) 0 ટકા છે. મોટાભાગના લોકો એગ્રિકલ્ચર લોન માટે જ આવે છે.’ - કુમાર ચંચલ, બ્રાન્ચ મેનેજર, બેંક ઓફ બરોડા
 

Saturday, December 13, 2014

બ્રિટનનાં સૌથી ધનિક એનઆરઆઇએ ખરીદી લંડનની ઐતિહાસિક ઇમારત

(તસવીરઃ ઓલ્ડ વોર ઓફિસ બિલ્ડિંગ)બ્રિટનનાં સૌથી ધનિક એનઆરઆઇએ ખરીદી લંડનની ઐતિહાસિક ઇમારત

 
લંડનઃ હિંદુજા ગ્રુપે સ્પેનની ઇન્ડસ્ટ્રિયલ કંપની સાથે હિસ્સેદારી નોંધાવીને યુકેની ઐતિહાસિક એવી ઓલ્ડ વોર ઓફિસ બિલ્ડિંગ ખરીદી લીધી છે. આ ઓફિસ એક સમયે યુદ્ધ વખતે બ્રિટનનાં વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પાસે હતી.  
 
આ ઐતિહાસિક ઇમારતને એનઆરઆઇ ઉદ્યોગપતિઓ તેમજ હિંદુજા ગ્રુપનાં ચેરમેન એસ પી હિંદુજા અને સહ ચેરમેન જી પી હિંદુજાએ ઓબ્રાસ્કોન હુઆર્તે લેઇન ડેસારોલોસ (ઓએચએલડી) સાથે હિસ્સેદારી નોંધાવીને ખરીદી છે. 
 
સેન્ટ્રલ લંડનનાં 57 વ્હાઇટહોલ ખાતે આવેલી આ સીમાચિહ્નરૂપ ઇમારતને હવે નવો ઓપ આપીને ત્યાં એક ફાઇવ સ્ટાર હોટેલ અને રહેણાંક એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત અહીં કેટલાક પ્રાઇવેટ ફંકશન રૂમ તેમજ સ્પા અને ફિટનેસ ફેસિલીટી પણ હશે. 
 
ઇમારતમાં આ પહેલા જાહેર જનતાને પ્રવેશ નહતો, પણ હવે એવી ખાતરી આપવામાં આવી છે કે રી ડેવલપમેન્ટ યોજના હેઠળ ઇમારતમાં આઉટડોર પબ્લિક સ્પેસ પૂરી પાડીને જાહેર જનતાને પ્રવેશ પૂરો પાડવામાં આવશે.  
 
બ્રિટનનાં સંરક્ષણ મંત્રાલયે પણ આ સોદાને સમર્થન આપ્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે 57 વ્હાઇટહોલ તરીકે જાણીતી 5.80 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલી આ પ્રોપર્ટીને હરીફાઇયુક્ત માર્કેટિંગ પ્રક્રિયા દ્વારા આ કંપનીઓને 250 વર્ષનાં ભાડાપટ્ટે વેચવામાં આવી છે. સોદાની રકમ જાહેર નથી કરવામાં આવી.
 
કંપની વતી શ્રીચંદ પી હિન્દુજા અને ગોપીચંદ પી હિન્દુજાએ જણાવ્યું હતું કે, અમે આ વારસાનું માન જાળવવા અને આ રાષ્ટ્રીય ધરોહરને પુનર્જિવિત કરીને તેનાં દરજ્જાને ઉપર ઉઠાવીશું અને લોકો સાથે તેનું પુનઃ જોડાણ કરીશું. 
 
એક સમયે ચર્ચિલની ઓફિસ રહી ચૂકેલી આ ઇમારતને 20મી સદીનાં શરૂઆતનાં તેમજ પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું તે વચ્ચેનાં વર્ષોમાં બનાવવામાં આવી હતી. 
 
ઇતિહાસ તેમજ વ્હાઇટહોલનાં વારસામાં અમૂલ્ય યોગદાન આપનાર ઓલ્ડ વોર ઓફિસ ઘણા અત્યંત મહત્વપૂર્ણ બનાવોની સાક્ષી રહી છે, ખાસ કરીને વિશ્વયુદ્ધ દરમિયાન, અહીંની દિવાલો વચ્ચે જ અગત્યનાં નિર્ણયો લેવાતા હતા.
 
કેવી રીતે ઉભું થયું હિન્દુજા ગ્રુપ, હિંદુજા રહે છે 3000 કરોડનાં બંગલામાં
 
બ્રિટનનાં સૌથી ધનિક એનઆરઆઇએ ખરીદી લંડનની ઐતિહાસિક ઇમારત

તસવીરઃ હિન્દુજા ભાઇઓ ડાબેથી જમણે- અશોક હિન્દુજા, પ્રકાશ હિન્દુજા, ગોપીચંદ હિન્દુજા અને શ્રીચંદ હિન્દુજા (બેઠા છે)
 
 
દુનિયાનાં 100 સૌથી ધનિકોમાં સામેલ હિંદુજા
 
20મી સદીમાં દુનિયાભરમાં પોતાનો વ્યવસાય ફેલાવીને અબજોની સંપત્તિ હાંસલ કરનારા ભારતીયોમાં એક નામ સામેલ છે શ્રીચંદ પી હિંદુજા.સામાન્ય રીતે સમાચારોથી દૂર રહેતા હિંદુજાએ 2006માં આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કર્યું હતું, જ્યારે  તેમણે બ્રિટનની રાણી દ્વારા વેચવામાં આવેલ એક મહેલને ખરીદીને તેને પોતનું નિવાસ સ્થાન બનાવ્યું હતું. તેમનું નિવાસ સ્થાન દુનિયાનું ત્રીજું સૌથી મોંઘુ ખાનગી નિવાસસ્થાન છે.
 
અનેક ક્ષેત્રોમાં કાર્યરત હિંદુજા ગ્રુપનાં સ્થાપક અને ચેરમેન શ્રીચંદ પી હિંદુજા દુનિયાનાં ટોચનાં ધનિકોમાં સામેલ છે. તેઓ બ્રિટનનાં સૌથી ધનિક વ્યક્તિ છે. 1990નાં દાયકાથી તેઓ યુકે અને એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિઓમાં સ્થાન મેળવતા આવ્યા છે. મે, 2014માં  સન્ડે ટાઇમ્સની ધનિક વ્યક્તિઓની યાદીમાં હિન્દુજાને 11.9 અબજ પાઉન્ડ (20.04 અબજ ડોલર)ની સંપત્તિ સાથે બ્રિટનનાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા. ફોર્બસની યાદીમાં તેઓ દુનિયાનાં 94મા સૌથી ધનિક વ્યક્તિ છે.
 
મુંબઇમાં પિતાનાં ટેક્સટાઇલ વ્યવસાયમાં જોડાઇને પોતાની કારકિર્દી શરૂ કરનાર હિંદુજાએ 1960નાં દાયકામાં ભારતની બ્લોકબસ્ટર ફિલ્મ સંગમનાં ઓવરસીઝ રાઇટ્સ મેળવતા તેમનાં નસીબ ખુલી ગયા હતા. હિંદુજાએ મધ્ય પૂર્વનાં બજારોમાં આ ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન અને પ્રમોશન કર્યું હતું, ફિલ્મને મળેલી અનપેક્ષિત સફળતાએ તેમને લાખોની કમાણી કરાવી આપી. આ ઉપરાંત તેમણે ડુંગળી અને બટાટાનું પણ વેચાણ કર્યું અને ભારતમાઁથી ઇરાનમાં આયર્ન ઓરની નિકાસ પણ કરી.
 
બ્રિટનનાં સૌથી ધનિક એનઆરઆઇએ ખરીદી લંડનની ઐતિહાસિક ઇમારત
80નાં દાયકામાં ટાટા,બિરલાની હરોળમાં આવ્યા
 1980નાં દાયકામાં બ્રિટિશ કંપની લીલેન્ડ પાસેથી અશોક લીલેન્ડનું અને શેવરોન પાસેથી ગલ્ફ ઓઇલનું હસ્તાંતરણ કરીને તેમજ 1990નાં દાયકામાં સ્વિટ્ઝરલેન્ડ તેમજ ભારતમાં બેન્કોની સ્થાપના કરીને હિંદુજાએ ભારતમાં ટાટા, બિરલા અને અંબાણીની સમકક્ષ પોતાનું નામ પ્રસ્થાપિત કર્યું હતું. વર્ષ 2012માં હિંદુજા ગ્રુપે દુનિયાની સૌથી મોટી મેટલ ફ્લુઇડ્સ ઉત્પાદક એવી યુએસની કંપની હ્યુટન ઇન્ટરનેશનલનો 100 ટકા હિસ્સો ખરીદી લીધો.

અનેક સેક્ટરમાં હાજરી

હિંદુજાનું વ્યાવસાયિક વલણ અવસરવાદી અને રૂઢિચુસ્ત છે. તેઓ ઓઇલ અને ગેસ, બેંકિંગ અને ફાઇનાન્સ, આઇટી,રિયલ એસ્ટેટ, એનર્જી અને કેમિકલ, પાવર, મીડિયા તેમજ એન્ટરટેઇનમેન્ટ જેવા ડાયવર્સિફાઇડ સેક્ટર્સમાં રોકાણ કરે છે.

(ફોટો- કાર્લટન હાઉસ ટેરેસનો બહારનો ભાગ)
 3000 કરોડ રૂપિયાનો બંગલો

ફોર્બ્સ લાઇફના એક્ટોબર ઇશ્યુમાં લંડનમાં બકિંગહમ પેલેસ પાસે આવેલા હિન્દુજાનાં નિવાસ સ્થાન કાર્લટન હાઉસ ટેરેસની કિંમત 50 કરોડ ડોલર (3000 કરોડ રૂપિયાની આસપાસ) હોવાનું જણાવાયું છે. જે તેને દુનિયાનું ત્રીજું સૌથી મોંઘુ ખાનગી મકાન બનાવે છે. બ્રિટનનાં સૌથી ધનિક એનઆરઆઇએ ખરીદી લંડનની ઐતિહાસિક ઇમારત
 હિન્દુજા શરાબને ક્યારેય હાથ નથી અડાડતા તેમજ ચુસ્ત શાકાહારી છે. બકિંગહમ પેલેસામં બ્રિટનનાં મહારાણીનાં ડાઇનિંગ બેન્કવેટમાં તેઓ પોતાનું વેજીટેરિયન ફૂડ લાવવા માટે જાણીતા છે.
 
 
 

બ્રોકરેજ વગર ભાડાનું મકાન અને લાઇક-માઇન્ડેડ રૂમમેટ પણ શોધી આપતી વેબ્સાઇટ મુંબ્ઈમાં સુપરહિટ

સિંગલ યંગસ્ટર્સને નડતી મુશ્કેલીઓના અનુભવ બાદ એક સ્ટ્રગલર યુવતીએ ફ્રેન્ડ સાથે મળી grabhouse લૉન્ચ કરી : એક જ વર્ષમાં ૨૦,૦૦૦ લોકોને મદદ મળી

સિંગલ યંગસ્ટર્સને મુંબ્ઈમાં ભાડાનું મકાન શોધવામાં ખૂબ્ મુશ્કેલી પડે છે, પરંતુ પરણ્યા ન હોય એવા લોકો માટે મકાન શોધવાની મુશ્કેલીઓનો અનુભવ કરી ચૂકેલી પંખુડી શ્રીવાસ્તવે પ્રતીક શુક્લા નામના યુવક સાથે મળીને એક વેબ્સાઇટ લૉન્ચ કરી છે જે તેના જેવા હજારો યંગસ્ટર્સ માટે રાહતરૂપ નીવડી છે. આ વેબ્સાઇટ માત્ર મકાન શોધી આપવામાં જ નહીં, લાઇક-માઇન્ડેડ રૂમ-પાર્ટનરવાળું ભાડાનું મકાન શોધી આપવામાં પણ મદદરૂપ થાય છે. મોટી રાહતની વાત એ પણ છે કે મુંબ્ઈમાં આવતા સ્ટ્રગલર્સને આવી જગ્યા માટે બ્રોકરેજ પણ નથી ચૂકવવું પડતું અને અન્ય કોઈ એક્સ્ટ્રા ફી પણ ચાર્જ નથી કરવામાં આવતી. આ વેબ્સાઇટે હોમોસેક્સ્યુઅલ કમ્યુનિટીના કેટલાય લોકોને ભાડાની જગ્યા ઉપરાંત લાઇક-માઇન્ડેડ રૂમમેટ શોધી આપવામાં મદદ કરી છે.

આ વેબ્સાઇટનો વિચાર કેમ આવ્યો એ વિશે પંખુડીએ કહ્યું હતું કે ‘હું સ્ટ્રગલર તરીકે મુંબ્ઈમાં આવી ત્યારે સિંગલ હોવાથી કોઈ ભાડે મકાન આપવા તૈયાર નહોતું થતું. થોડા વખતમાં કેટલીયે રૂમ્સ અને રૂમમેટ્સ બ્દલાયાં અને આખરે મારા જેવા અન્ય લોકોને મદદ કરવાનો વિચાર આવ્યો એટલે ત્ત્વ્-ખડગપુરના મારા ફ્રેન્ડ પ્રતીકની સાથે મળીને grabhouse વેબ્સાઇટ લૉન્ચ કરી દીધી.’ ગયા વર્ષે આ વેબ્સાઇટ લૉન્ચ થયા બાદ અત્યાર સુધીમાં લગભગ વીસેક હજાર લોકોને મકાન શોધવામાં તેઓ મદદરૂપ થયા છે. હોમોસેક્સ્યુઅલ કમ્યુનિટીના લોકો સામે તકલીફ કે સૂગ ન ધરાવતા હોય એવા મકાનમાલિકો અને લાઇક-માઇન્ડેડ રૂમ-કમ્પૅનિયન ચાહતા હોય એવા લોકોના ડેટા મેળવીને તેમને પણ મુંબ્ઈમાં રહેવાની રૂમ માટે આ વેબ્સાઇટ પરથી મદદ મળી શકે છે. તેથી આ કમ્યુનિટીના લોકો માટે પણ આ વેબ્સાઇટ રાહતરૂપ છે.  

grabhouse કો-ઓનર પંખુડીએ કહ્યું હતું કે ‘માર્કેટમાં રૂમ ભાડે લેવા જઈએ એટલે દલાલોને કમસે કમ એક મહિનાનું ભાડું તો આપવું જ પડે. જોકે હવે જમાનો બ્દલાયો છે. લોકો ઑનલાઇન શૉપિંગ, કમ્યુનિકેટિંગ અને ટ્રાવેલિંગની વ્યવસ્થા પણ કરી શકે છે તો ટેક્નૉલૉજીની મદદથી ઑનલાઇન રૂમ ભાડે કેમ ન મળે? આ એક એવી દુનિયા છે જેમાં દલાલોનું સ્થાન નથી.’ જોકે બ્રોકરોનો જમાનો પૂરો થવામાં છે એ વાત માનવા બ્રોકરો તૈયાર નથી. કે. કર્મા રિયલ્ટર્સના પ્રકાશ રોહેરાએ કહ્યું હતું કે ‘૫૦ વર્ષ પહેલાંથી તો બ્રોકરો છે અને હજી કમસે કમ ૫૦ વર્ષ તેઓ રહેશે. ડાયરેર ડીલ હોય તો પણ લોકો મકાન ભાડે લે કે ખરીદે ત્યારે દલાલોની મદદ તો લે જ છે, કેમ કે બ્ન્ને પાર્ટી વચ્ચેની ડીલમાં ધ્યાન રાખવા અને વિશ્વાસ ઊભો કરવા માટે કોઈ તો જોઈએને? ઇન્ટરનેટ હજી લોકોનો આટલી હદે વિશ્વાસ નથી મેળવી શક્યું.’

છેલ્લાં બે વર્ષમાં મુંબઈની આસપાસના મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) તરીકે ઓળખાતાં ક્ષેત્રો (મુંબઈ, નવી મુંબઈ, થાણે, વસઈ-વિરાર, મીરા-ભાઈંદર વગેરે શહેરો)માં રહેઠાણોના ભાવ વધતા હોવાથી ગ્રાહકોની ખરીદીની ક્ષમતાને પરવડે એવાં ઘર બાંધવા માટે પ્રૉપર્ટીઝનાં કદ ઘટાડાઈ રહ્યાં છે.
૨૦૧૨થી ફ્લૅટોનાં કદ ઓછામાં ઓછાં આઠ ટકા ઘટાડાયાં હોવાનું પ્રૉપર્ટી ર્પોટલ કૉમન ફ્લોરનાં નિરીક્ષણોમાં જણાવાયું છે. એમાં વધુમાં નોંધવામાં આવ્યું છે કે ૨૦૧૨થી પ્રૉપર્ટીની સાઇઝ ઘટે છે અને એની કિંમતો સ્થિર રહી છે અથવા સાધારણ પ્રમાણમાં વધી છે. આ ટ્રેન્ડ ૨૦૦૯ના વર્ષથી શરૂ થયો છે, પરંતુ છેલ્લાં બે વર્ષમાં વધુ જોવા મળે છે.

Friday, December 12, 2014

નિફ્ટી 8225ની નીચે બંધ, સેન્સેક્સ 251 અંક લપસ્યુ

કમજોરી ગ્લોબલ સંકેતોના કારણથી બજારમાં વેચવાલી રોકવાનુમ નામ નથી લઈ રહી. સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1%ના ઘટાડાની સાથે બંધ થયું છે. આજે બજારની શરૂઆત તો સારી થઈ હતી, પરંતુ કેટલાક કલાકો બાદ બજાર લાલ નિશાનમાં આવી ગયું છે.

આજે ઑયલ એન્ડ ગેસ, રિયલ્ટી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને કેપિટલ ગુડ્સ શેરોની જોરદારી પિટાઈ થઈ છે. બીએસઈના ઑયલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 2.5%થી વધારે તૂટીને બંધ થયા છે. જે બીએસઈના રિયલ્ટી, કન્ઝ્યૂનર ડ્યૂરેબલ્સ અને કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સમાં 2%થી વધારેનો ઘટાડો દર્જ કરવામા આવ્યો છે.

દિગ્ગજ શેરોની પિટાઈની સાથે આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોની પણ જોરદાર ધુલાઈ થઈ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.3% ઘટીને બંધ થયા છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 1.5% લપસીને બંધ થયા છે.

બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 251.33 અંક એટલેકે 0.9%ના ઘટાડાની સાથે 27350.68ના સ્તર પર બંધ થયું છે. જે એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 68.8 અંક એટલેકે 0.83%ની કમજોરીની સાથે 8224.1ના સ્તર પર બંધ થયું છે.

આજના કારોબારી સત્રમાં ગેલ, ટાટા સ્ટીલ, કેર્ન ઈન્ડિયા, ઓએનજીસી, સેસા સ્ટરલાઈટ અને બીએચઈએલ જેવા દિગ્ગજ શેર 4.6-2.9% તૂટીને બંધ થયા છે. જોકે ભારતી એરટેલ, અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનએમડીસી, ઈન્ફોસિસ, સન ફાર્મા અને એચયૂએલ જેવા દિગ્ગજ શેર 1.4-0.6% સુધી મજબૂત થઈને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં સનરાઈઝ એશિયન, પીએમસી, જેટ એરવેઝ, એચએમટી અને ચેન્નઈ પેટ્રો સૌથી વધારે 18.3-8.4% સુધીને ઘટીને બંધ થયા છે. જે સ્મોલકેપ શેરોમાં જેબીએફ ઈન્ડસ્ટ્રીઝ, પર્લ ઈલેક્ટ્રીક, ઓરિએન્ટ હોટલ્સ, એચબીએલ પાવક અને ત્રિવેણી ઈન્જીનિયરિંગ સૌથી વધારે 10-8.25% સુધી કમજોર થઈને બંધ થયા છે.

જાણો તમારા PF એકાઉન્ટનો UAN નંબર, એક્ટિવેટ કરી જાણો તમારું બેલેન્સ

જાણો તમારા PF એકાઉન્ટનો UAN નંબર, કરો એક્ટિવેટ અને જાણો કેટલું છે બેલન્સજાણો તમારા PF એકાઉન્ટનો UAN નંબર, એક્ટિવેટ કરી જાણો તમારું બેલેન્સ

 
નવી દિલ્હીઃ ઓક્ટોબરમાં ઈપીએફઓએ પ્રોવિડન્ટ ફંડ(PF) ખાતાધારકોને યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ની સુવિધા આપી હતી. પરંતુ, હજુ સુધી  ઘણાબધા પીએફ ખાતાધારકોએ એવા છે જેમણે પોતાનો યૂએએન નંબર મળ્યો નથી. એટલું જ નહીં, જેમને નંબર મળ્યો છે તે પણ તેને એક્ટિવેટ કરી શક્યા નથી. પાછલા બે મહિનામાં મોટાભાગના ઈપીએફ ખાતામાં યૂએએન નંબર એક્ટિવેટ નથી થઈ શક્યા. જોકે, ઈપીએફઓ તેના માટે સભ્યોની વચ્ચે જાણકારીનો અભાવ હોવાનું કારણ આપે છે. જોકે, તમારો યૂએન નંબર સરળતાથી જાણી શકાય છે. બસ તમારે ઈપીએફઓની વેબસાઇટ પર જઇને કેટલાક સ્ટેપ ફોલો કરવાના રહેશે.

શું છે યૂએએન નંબર 
યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ના કારણે હવે લોકોને તેના પીએફ એકાઉન્ટ બંધ કરાવવા અને ટ્રાન્સફર કરાવવાની ઝંઝટમાંથી છુટકારો મળી ગયો છે. મોટેભાગે નોકરી છોડ્યા પછી લોકો પીએફ એકાઉન્ટ બંધ કરીને નવી કંપનીમાં નવું ખાતું ખોલાવતા હોય છે. તેમાં ઘણો સમય લાગી જાય છે અને તેના કારણે ખાતાધારકને નુકસાન પણ થાય છે. યૂએએન દ્વારા તમે તમારા એકાઉન્ટનું બેલેન્સ ગમે ત્યાંથી ચેત કરી શકશો, સાથે જ પાસબુક અને યૂએએન કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો, પરંતુ ઘણાબધા લોકોને હજુ સુધી યૂએએનની ખબર જ નથી. ઘણાબધા લોકો એવા પણ છે, જેમને એ પણ ખબર નથી કે તેમને યૂએએન નંબર મળ્યો છે કે નહીં.
 
આવી જાણીએ કેવી રીતે યૂએએન નંબર મળ્યો છે કે નહીં તે અને મળ્યો છે તે કેવી રીતે એક્ટિવેટ કરવો.

UAN સ્ટેટસ ચેક કરવું
તમારું UAN સ્ટેટ ચેક કરવા માટે આ લિંક (http://uanmembers.epfoservices.in/check_uan_status.php) પર ક્લિક કરવું. ત્યાર પછી જે પેજ ખુલે, તેમાં માંગવમાં આવેલ જાણકારી ભરવી. તેમાં રાજ્યનું નામ, શહેરનું નામ, એસ્ટાબલિશમેન્ટ કોડ અને પીએફ એકાઉન્ટ નંબર ભરવાનો રહેશે અને ચેક સ્ટેટ બટન પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરતા જ તમને એક મેસેજ દેખાશે, જેમાં તમને જણાવવામાં આવશે કે તમને યૂએએન નંબર મળ્યો છે કે નહીં. જો તમને યૂએએન નંબર મળી ગયો હોય તો તમે તેના માટે તમારી કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટમાંથી જાણકારી મેળવી શકો છો. 

એક્ટિવેટ કેવી રીતે કરશો 
STEP 1- કંપની પાસેથી યૂએએનની જાણકારી મેળવી તમારે તેને એક્ટિવેટ કરાવાનો રહેશે. તેને એક્ટિવેટ કરવા માટે http://uanmembers.epfoservices.in/index.php?accesscheck=%2Fhome.php લિંક પર ક્લિક કરવું. જે નવું પેજ ખુલે તેના પર activate your UAN પર ક્લિક કરવું.

નવા ખુલેલા પેજ પર activate your UAN પર ક્લિક કરવું
STEP 2- લિંક પર ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે, જેમાં યૂએએન નંબર, મોબાઇલ નંબર, રાજ્ય, શહેર, એસ્ટાબલિશમેન્ટ અને પીએફ એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે. તમામ જાણકારી ભર્યા બાદ વેરિફિકેશન કોડ નાંખીને ‘GET PIN’ પર ક્લિક કરવું. તેના પર ક્લિક કર્યા બાદ 5 મિનિટમાં તમારા મોબાઇલ ફોન પર એક પિન આવશે, જેને ફોર્મમાં નાખીને સબમિટ કરવાનું રહેશે.

ઇ-મેલ પર મળશે એક્ટિવેશન લિંક
STEP 3- પિન સબમિટ કર્યા બાદ જે વિંડો ખુલે તેમાં તમારું નામ, સરનામું, કંપનીનું નામ, યૂએએન અને જન્મતારીખ લખવાની રહેશે. જુઓ ઉપરની તસવીર. તેમાં તમારે તમારો યૂએએન એકાઉન્ટમાં લોગઈન કરવા માટે એક પાસવર્ડ નાંખવાનો રહેશે. ત્યાર બાદ તમારો ઈ-મેલ આઇડી રજિસ્ટર કરવો. સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમને એક ઈ-મેલ ચાલ્યો જશે, જેમાં એક્ટિવેશન લિંક હશે. તમારા ઇ-મેલ આઇડીમાં જઇને તે લિંક પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ ઈપીએફઓની વેબસાઇટનું એક પેજ ખુલશે, જેના પર ઈ-મેલ આઇડી કન્ફર્મેશનનો મેસેજ મળી જશે.

કેવી રીતે લોગઇન કરશો તમારા એકાઉન્ટમાં
STEP 4-
 તમારા યૂએએન અને પાસવર્ડ સાથે લોગઇન કરો. લોગઇન કરવા માટે (http://uanmembers.epfoservices.in/) લિંક પર ક્લિક કરવું. અહીં તમારો યૂએએન નંબર અને પાસવર્ડ નાંખવાનો રહેશે અને લોગઇન બટન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતા જ તમારી સમક્ષ એક પેજ ખુલશે, જે તમારું એકાઉન્ટ પેજ હશે. જાણો તમારા PF એકાઉન્ટનો UAN નંબર, એક્ટિવેટ કરી જાણો તમારું બેલેન્સ

ડાઉનલોડ કરો પાસબુક
STEP 5- તમારા એકાઉન્ટમાં ગયા બાદ તમે તમારું યૂએએન કાર્ડ અને પાસબુક ડાઉનલોડ કરી શકો છો. પાસબુક દ્વારા તમે જોઈ શકો છો કે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે. સાથે જ તેમાં તમારો મેમ્બર આઇડી અને એસ્ટાબલિશમેન્ટ કોડ પણ લખેલો હોય છે. તેમાં તમે તમારો મોબાઇલ નંબર, ઈ-મેલ આઇડી અને પાસવર્ડ પણ બદલી શકો છો.
 
ટ્રાન્સફર ક્લેઇમ
હાલમાં ઈપીએફઓની વેબસાઇટ પર આ ટેબ એક્ટિવેટ નથી, જેને ઝડપથી એક્ટિવેટ કરવામાં આવશે.
 
 

ભારતીય કંપનીઓ રશિયા પાસેથી $2.1 અબજના હીરા ખરીદશે

ભારતના ડાયમંડ બિઝનેસને ગુરુવારે મોટી સફળતા મળી છે. દેશની 12 કંપનીએ રશિયાની અગ્રણી માઇનિંગ કંપની અલરોઝા સાથે આગામી ત્રણ વર્ષ સુધી 2.1 અબજ ડોલરના હીરાની સીધી આયાત કરવાના કરાર કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુટિને વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમાં ભારતીય કંપનીઓએ અલરોઝા સાથે ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, "અમે આજે અલરોઝા સાથે આગામી ત્રણ વર્ષમાં ૨.૧ અબજ ડોલરની આયાત કરવા 12 કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.'' રશિયા વિશ્વમાં હીરાનું સૌથી મોટું ઉત્પાદક છે. જ્યારે ભારત કટ અને પોલિશ્ડ ડાયમંડનું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે.

અલરોઝા સાથે કરાર કરનારી 12 કંપનીમાં કિરણ જેમ્સ, એશિયન સ્ટાર અને રોઝી બ્લ્યૂ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. દરેક કંપનીએ અલરોઝા સાથે અલાયદા કરાર કર્યા છે. મુંબઈની રોઝી બ્લૂ ઇન્ડિયાના એમડી રસેલ મહેતાએ જણાવ્યું હતું કે, "વિવિધ કોન્ટ્રાક્ટ હેઠળ અલરોઝાએ ત્રણ વર્ષ સુધી દર વર્ષે 70 કરોડ ડોલરના ડાયમંડ સપ્લાય કરવાની ખાતરી આપી છે.

કરારને લીધે ટ્રેડિંગ હબ દ્વારા ચાર્જ કરાતા કમિશનમાં નોંધપાત્ર બચત થશે.'' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "દરેક કંપનીએ હીરાની (આયાતની) જુદી જુદી ક્વોન્ટિટી અને ગુણવત્તા માટે જોડાણ કર્યું છે. ડાયમંડનો સપ્લાય ભાવ માસિક ધોરણે બજાર ભાવના આધારે નિર્ધારિત કરાશે.'' ઉલ્લેખનીય છે કે, ભારત હાલમાં દુબઈ અને એન્ટવર્પ (બેલ્જિયમ)થી હીરાની આયાત કરે છે. સીધી આયાતના કરારથી રશિયાને આ દેશોની તુલનામાં લાભ મળશે.

આવતી કાલે ૧૦૦૦મા વીકમાં પ્રવેશતી DDLJનું ભવ્ય સેલિબ્રેશન

મરાઠા મંદિરમાં આવતી કાલે ૧૦૦૦ વિક્રમી વીક પૂરાં કરી રહેલી દુનિયાની એકમાત્ર ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નું ગ્રૅન્ડ સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે તો સાથોસાથ યશરાજ ફિલ્મ્સે જે થિયેટરમાં ૧૦૦૦ વીક પૂરાં થઈ રહ્યાં છે એ મરાઠા મંદિરના આવતી કાલે સાંજના ૬ અને ૯ વાગ્યાના બે શો બુક કરી લીધા છે. બુક કરવામાં આવેલા આ બન્ને શો દરમ્યાન ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને ઇન્ટરવલ દરમ્યાન ફંક્શન રાખવામાં આવ્યું છે.આ ફંક્શનમાં શાહરુખ ખાન હાજર રહેશે. શાહરુખ ફિલ્મના એક ગીત પર પર્ફોર્મ કરશે અને જે મેમોરેબલ ડાયલૉગ છે એ પણ ઇન્વાઇટ કરવામાં આવેલા ગેસ્ટની સામે પ્રેઝન્ટ કરીને સૌને ૨૦ વર્ષ પાછળ લઈ જશે. આ ફંક્શનમાં શાહરુખના હાથે મરાઠા મંદિરના મનોજ દેસાઈનું ટ્રોફી આપીને સન્માન કરવામાં આવશે.

આ સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની પૂરી કાસ્ટને ઇન્વાઇટ કરવામાં આવી છે તો ફિલ્મ સાથે જોડાયેલા ટેક્નિશ્યનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્ક્રીનિંગ અને પાર્ટીનું જે ગેસ્ટ-લિસ્ટ છે એ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને યશ ચોપડાનાં મમ્મી પમેલા ચોપડા તથા રાની મુખરજી-ચોપડાએ બનાવ્યું છે જેમાં શાહરુખથી લઈને લાઇટમૅન અને ક્લૅપ-બૉય સુધ્ધાંને આમંત્રણ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે આદિત્ય ચોપડા સ્ટેજ પર આવવાનું કે માઇક પર બોલવાનું ટાળતા હોય છે, પણ આવતી કાલના ફંક્શનમાં તેઓ પોતાની પહેલી ફિલ્મ વિશે બોલે એવો આગ્રહ યશરાજ ફિલ્મ્સ અને ફિલ્મ સાથે સંકળાયેલા સૌકોઈએ રાખ્યો છે.

આવતી કાલના ગ્રૅન્ડ સ્ક્રીનિંગમાં જવા માટે આમ તો ફિલ્મ સાથે સંકળાયેલા તમામ ઍક્ટરે હા પાડી છે, પણ શાહરુખે આ આખા ફંક્શનને ફૅમિલી-ફંક્શન ગણી લીધું હોવાથી તેનું હાજર રહેવું કન્ફર્મ છે. એ ઉપરાંત અનુપમ ખેર, કિરણ ખેર, પરમિત શેટી પણ હાજર રહેવાનાં છે. કાજોલે ફંક્શનમાં આવવા માટે હા પાડી છે, પણ તેણે સ્ટેજ-પર્ફોર્મન્સ કે સ્પીચ આપવાની ના પાડી દીધી છે. એ ઉપરાંત આદિત્ય ચોપડાનો ખાસ ફ્રેન્ડ અને આ ફિલ્મથી ઍક્ટિંગ-ડેબ્યુ કરનારો પ્રોડ્યુસર-ડિરેક્ટર કરણ જોહર પણ ગ્રૅન્ડ સેલિબ્રેશનમાં હાજર રહેશે.

Thursday, December 11, 2014

યુએસનાં વિઝાની પ્રક્રિયા થશે ગુજરાતીમાં, 3 કરોડનું રોકાણ કરી મેળવો ગ્રીન કાર્ડ

યુએસનાં વિઝાની પ્રક્રિયા થશે ગુજરાતીમાં, 3 કરોડનું રોકાણ કરી મેળવો ગ્રીન કાર્ડ
અમેરિકા વિઝાની પ્રક્રિયામાં ગુજરાતની ભાષાનો પણ સમાવેશ કરે તેવી શકયતાઓ ઉજળી બની છે. વિઝા પ્રક્રિયામાં ગુજરાતના લોકોને પડતી અગવડતાઓને ધ્યાનમાં લઇને ગુજરાતી ભાષાના સમાવેશનો વિચાર થઇ રહ્યો હોવાનું સિનિયર અધિકારીએ જણાવ્યું છે.
 
યુએસ કોન્સ્યુલેટ વાઇસ કોન્સુલ ચેરી કોલીન્સે જણાવ્યું કે અમે કેટલીક સ્થાનિક ભાષાઓનો અમારી વિઝા પ્રક્રિયામાં સમાવેશ કર્યો છે અને આ જ અનુસંધાનમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવાની બાબત વિચારણા હેઠળ છે. ટ્રાવેલ એજન્ટસ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સૌરાષ્ટ્ર ચેપ્ટરના ઉપક્રમે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ પ્રકારે જણાવ્યું હતું.
 
ટીએએઆઇ સૌરાષ્ટ્ર ચેપ્ટરના પ્રમુખ દેવેન્દ્ર શાહે જણાવ્યું કે ટીએએઆઇ સાથે સંકળાયેલા સૌરાષ્ટ્રના 60 જેટલા ટ્રાવેલ એજન્ટોએ અમેરિકાના નાયબ રાજદૂત સાથે આ અંગે ચર્ચા કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે સૌરાષ્ટ્રમાંથી લગભગ 10 હજાર જેટલા લોકો દર વર્ષે અમેરિકાની મુલાકાતે જાય છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ યુએસના નાયબ રાજદૂતે વિઝાની પ્રક્રિયામાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરવા અંગેની હૈયાધારણ આપી છે. 
 

5 વર્ષમાં 3 કરોડ રોકીને મેળવો યુએસનું ઇમિગ્રેશન
 
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ અમેરિકાના વર્તમાન ઇમીગ્રેશન કાયદામાં અને વીઝાની પોલીસીમાં કરેલા ફેરફારે અંગે જાણકારી મળી રહે તે માટે ઓબામાઝ ચેઇન્જીસ ઇન ઇમીગ્રેશન લો એન વીઝા પોઝીશન ફોર યુ એસ અંગે સેમિનારનું આયોજન ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કરવામાં આવ્યુ હતું. આ સેમિનારમાં મુંબઇના જાણીતા યુએસએ ઇમીગ્રેશન લોયર ડો. સુધીર શાહે માર્ગદર્શક વક્તવ્ય આપ્યુ હતું તેમજ રૂપિયા ત્રણ કરોડના રોકાણથી કોઇ પણ વ્યક્તિ પરિવાર સાથે ગ્રીન કાર્ડ મેળવી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.
 
 
સુધીર શાહે જણાવ્યું હતું કે, અમેરિકામાં ગ્રીન કાર્ડ અંગે 1993માં જે નવો કાયદો અમલમાં આવ્યો છે તે પ્રમાણે અમેરિકાના સરકાર માન્ય રીઝનલ સેન્ટરમાં 1 મિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ.3 કરોડનું રોકાણ કોઇ વ્યક્તિ પાંચ વર્ષ માટે કરે તો તેને પ્રાથમિક કક્ષાએ 21 મહિના માટે આ વ્યક્તિ સહિત તેની પત્ની અને 21 વર્ષથી નીચેના તેના સંતાનોને ઇબી-5 વીઝા આપવામાં આવે છે. આવા વ્યક્તિ અને તેના પરિવારને ત્યાર બાદ 21 મહિને ક્રોસ વેરીફીકેશન કરીને સાબિતી આપવી પડે છે કે તેમના દ્વારા આ રોકાણ પાછુ ખેંચવામાં આવ્યુ નથી. ત્યાર બાદ આવા વ્યક્તિઓને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. શરત માત્ર એટલી છે કે, આ તમામ રકમ વ્હાઇટની હોવી જોઇએ અને અમેરિકાની સરકારના માન્ય રીઝનલ સેન્ટરમાં રોકાણ થયેલુ હોવુ જોઇએ.
 
 
અમેરિકન સરકારના આ રીઝનલ સેન્ટરો દ્વારા અમેરિકામાં એરપોર્ટ, રીસોર્ટ, હોટલ, મોટેલ, ડોકયાર્ડ સહિતના ક્ષેત્રમાં રોકાણ કરવામાં આવે છે. આ રોકાણ ઉપર સામાન્ય વ્યાજ પણ ચુકવવામાં આવે છે. ઉપરાંત જો આ રોકાણ પાંચ વર્ષ પછી લેવામાં આવે તો તેમને ડોલરની કિંમતોમાં થયેલા વધારાનો પણ લાભ મળે છે. તાજેતરમાં જ બરાક ઓબામા દ્વારા 20મી નવેમ્બરના રોજ ઇમીગ્રેશનના કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે ખાસ કરીને અમેરિકાની વસ્તી 35 કરોડ છે જેમાંથી એક કરોડ 15 લાખ લોકો ગેરકાયદેસર રીતે રહે છે.
 
 
અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા આ તમામ લોકોને દેશ નિકાલ કરી શકાય તેમ નથી આમ પણ એમને સ્કીલ્ડ લેબરની આવશ્યકતા છે. નવા સુધારા પ્રમાણે અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસનારા પણ ગ્રીન કાર્ડ મેળવી શકે છે.  સ્ટેટસ ચેન્જ કર્યા બાદ ગ્રીન કાર્ડ આપવાની જોગવાઇ કરવામાં આવી છે અને તેનો લાભ મોટા ભાગના લોકો લઇ શકે છે. વિશ્વમાં અમેરિકા જ એવો દેશ છે કે, જેનુ નાગરિકત્વ આપવામાં આવે છે અને તેના માટે વિશ્વના દેશોના લાખો લોકો કતારમાં રહે છે.
સુધીર શાહ સાથે સવાલ- જવાબ:-
 
સવાલ :- અમે પતિ પત્ની અમેરિકન સીટીઝન શીપ ધરાવીએ છે પણ પોંણા ત્રણ વર્ષથી સુરતમાં રહીએ છે તો સીટીઝન શીપમાં સમસ્યા થાય ખરી ?
જવાબ :- અમેરિકાની સીટીઝન શીપ આખીર જીંદગી માટે આપવામાં આવે છે. સીટીઝન શીપ મળ્યા બાદ તે ક્યારેટ રદ થતી નથી. એક વખત સીટીઝન શીપ મળે પછી કોઇ પણ વ્યક્તિ આખી જીંદગી અન્ય દેશમાં રહી શકે છે.
 
::સવાલ :- છુટાછેડા પછી અટક બદલવામાં વિઝા પર અસર થાય ?
:)જવાબ:- ના કોઇ અસર થતી નથી માત્ર તમારા ચેઇન્જ થયેલા નામ અંગે ગેજેટમાં જાહેરાત કરવાની હોય છે અને અખબારમાં તેની જાહેરાત આપવાની હોય છે. આ સરળ પ્રક્રિયા પસાર થયા બાદ કોઇ અસર થતી નથી.
 
::સવાલ:-ગ્રીન કાર્ડના લાભ શું છે?
::) જવાબ:- અમેરિકન ગ્રીન કાર્ડ હોય ત્યારે સૌથી મોટો તમારા બાળકોને અમેરિકામાં ભણવામાં થાય છે. ત્રીજા ભાગની ફી માં તમારૂ બાળક અભ્યાસ કરી શકે છે અને તમે જે ડોલર કમાયા હો તેને  રૂપિયામાં કન્વર્ટ કરવામાં પણ સરળતા રહે છે.
 
::સવાલ :- દીકરો અમેરિકામાં છે અને વિઝીટર વિઝા માટે શું કરવું ?
:-જવાબ :-- વિઝીટર વિઝાની જે  પ્રક્રિયા છે તેને જ ફોલો કરવાની રહે છે અને સરળતાથી વિઝા મળી શકે છે.
 
:- સવાલ :- વિઝા મળ્યા પછી અમેરિકા ગયા નથી અને પાસપોર્ટ એક્સપાયર થઇ ગયો છે તો શું કરવું ?
:::જવાબ :- નવો પાસપોર્ટ બનાવીને નવેસરથી વિઝા મેળવીને તમે અમેરિકા જઇ શકો છો જુના વિઝામાં નથી ગયા તે બાબતને ધ્યાન પર લેવાતી નથી.
 
 
 

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports