Translate

Monday, February 21, 2011

રોકાણકારોને ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સમાં આકર્ષણ

રોકાણકારો વધી રહેલા ફુગાવા અને નાણાભંડોળની તંગ પરિસ્થિતિને લીધે વધતા જતા વ્યાજદરોનો લાભ લેવા બેન્કોની ડિપોઝિટ્સના બદલે ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ (એફએમપી)માં તેમનાં નાણાં રોકવા આતુર છે.

એફએમપી ક્લોઝ-એન્ડેડ ડેટ સ્કીમ્સ છે. આ પરોક્ષ રીતે સંચાલિત અને નીચું પોર્ટફોલિયો ટર્નઓવર ધરાવતાં ફંડો છે , જેના પરિણામે તેમાં સોદાકીય ખર્ચ ઓછો હોય છે અને વળતર વધુ મળે છે. 31 ડિસેમ્બર 2010 ના રોજ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પાસે એયુએમ (એસેટ અન્ડર મેનેજમેન્ટ) રૂ. 6,51,708 કરોડ હતું , જેમાંથી એફએમપીનો હિસ્સો રૂ. 68,418 કરોડ જેટલો હતો.

એમ્કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસના હેડ-વેલ્થ મેનેજમેન્ટ એન્ડ સ્ટ્રેટેજી , ઓમ આહુજાએ જણાવ્યું હતું કે , વળતર વધી રહ્યાં છે પરંતુ અત્યારના સ્તરથી તેમાં વધુ વધારો મર્યાદિત જણાય છે. '' આ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવા માટે ફેબ્રુઆરી અને માર્ચ આદર્શ મહિના છે , કારણ કે રોકાણકારો થોડા વેરાલાભનો દાવો પણ કરી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વ્યાજદરો વધવાના હોય તો રોકાણકારો વધતા વ્યાજદરોના વિવિધ તબક્કે હપતામાં નાણાં રોકી શકે છે. બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણકારના આવકના સ્તર અનુસાર (છેલ્લા સ્લેબમાં 30 ટકા) વેરો વસૂલ થાય છે , જ્યારે 13 માસના એફએમપી માત્ર 20.6 ટકા (ફુગાવાને ગણતરીમાં લીધા પછી , જેને ઇન્ડેક્સેશન કહેવાય છે.) વેરો વસૂલ કરે છે.

એફએમપીના કિસ્સામાં ડબલ ઇન્ડેક્સેશન વેરા પછીના વળતરને વધારે છે. ઉદાહરણ તરીકે , જો કોઈ રોકાણકાર 29 માર્ચ 2011 ના રોજ 370 દિવસની એફએમપીમાં રોકાણ કરે છે તો તેની મુદત 2 એપ્રિલ 2012 ના રોજ પૂરી થશે. જોકે , આવકવેરાના હેતુ માટે નાણાકીય વર્ષ 2010-11 માં રોકાણ થયું છે અને નાણાકીય વર્ષ 2012-13 માં વેચાણ થાય છે.

આમ , રોકાણકારો 2011-12 અને 2012-13 એમ બે વર્ષ માટે ઇન્ડેક્સેશનનો લાભ મેળવે છે અને તે અનુસાર વેરાખર્ચ ઘટે છે. એક વર્ષની મુદતની અને 9-9.5 ટકા વ્યાજ ઓફર કરતી ફિક્સ્ડ ડિપોઝિટ વેરા બાદ આશરે 6.5 ટકા જ આપે છે.

જ્યારે રોકાણકાર જો તેનાં નાણાં 100 ટકા બેન્ક સીડી પોર્ટફોલિયો ધરાવતી 15 માસની એફએમપીમાં રોકે તો તેને બેન્ક ડિપોઝિટ કરતાં ઓછામાં ઓછું 50 બેસિસ પોઇન્ટ (અડધા ટકા) વધુ વળતર મળી શકે છે.

ફંડ મેનેજરોને નિશ્ચિત મુદતના પોર્ટફોલિયો પર વળતરનો નિર્દેશ આપવાની મંજૂરી નથી , તેમ છતાં સામાન્ય મત એવો છે કે વેરા પછીનું વળતર સરળતાથી 8.5-9 ટકાની આસપાસ હશે.

ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન્સ ડિવિડન્ડ અને ગ્રોથ ઓપ્શન્સમાં ઉપલબ્ધ હોય છે , પરંતુ એક વર્ષથી ઓછી મુદતનાં રોકાણો માટે રોકાણકાર ડિવિડન્ડ ઓપ્શન પસંદ કરે એ વધુ યોગ્ય છે , કારણ કે આવકને ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય , જેના પર 13.841 ટકા વેરો વસૂલ થશે .

આમાં નકારાત્મક પાસું એ છે કે તરલતાની સમસ્યા નડી શકે છે . કારણ કે મુદત પહેલાં નાણાં ઉપાડનારને નેટ એસેટ વેલ્યૂ કરતાં નીચા ભાવે વેચાણ કરવું પડે અથવા તેમની મૂડીમાં ખોટ વેઠવી પડે એ શક્ય છે.


<a href="http://netspiderads2.indiatimes.com/ads.dll/clickthrough?slotid=36120" target="_blank"><img src="http://netspiderads2.indiatimes.com/ads.dll/photoserv?slotid=36120" border="0" width="462" height="48" alt="Advertisement"></a>

બજેટ સુધી FIIs સાવચેતીભર્યું વલણ અપનાવશે

ચાલુ મહિનામાં શેર્સ તેમજ બોન્ડ્સમાં 277 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરનાર વિદેશી રોકાણકારો આગામી

તારીખ
28 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ સુધી સાવચેતીભર્યું વલણ અપનાવે તેવી શક્યતા છે.

વિદેશી રોકાણકારો બજેટમાં સરકાર નાણા ખાધ , જાહેર દેવું અને માળખાગત ક્ષેત્ર માટે કેવું વલણ અપનાવે છે તેના પર આધાર રાખીને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે , તેમ CNI રિસર્ચના CMD કિશોર પી ઓસવાલે જણાવ્યું હતું.

ફેબ્રુઆરીના અત્યાર સુધીના કુલ 13 ટ્રેડિંગ સેશનમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય શેર તેમજ બોન્ડમાં 277 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ સમયગાળા દરમિયાન ડોલરમાં FII 60.98 મિલિયન ડોલરનું મૂડીરોકાણ કર્યું છે , તેમ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવાયું હતું.

Saturday, February 19, 2011

વર્લ્ડકપનો શાનદાર પ્રારંભ

ઢાકા : અત્રેના બંગબંધુ સ્ટેડિયમમાં ગુરુવારે રોક સ્ટાર બ્રાયન એડમ્સની હાજરીમાં 10 માં ક્રિકેટ વર્લ્ડકપનો ભપકાદાર પ્રારંભ
થયો હતો. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિનાએ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં વર્લ્ડકપના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી.


એશિયામાં 1996 બાદ પહેલી વાર વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે એ આર રહેમાન હાજર ન હતા પણ તેમના રંગ દે બસંતીના ટાઈટલ ગીત પર ભારતીય કલાકારોએ તેમના નૃત્ય દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.

ભારતને તેના કાર્યક્રમ રજૂ કરવા માટે 20 મિનિટનો સમય મળ્યો હતો. ભારતીય કલાકારોએ સંયોજન સાથે ખુબ જ સુંદર નૃત્ય દ્વારા દર્શકોનું મન મોહી લીધું હતું.

ભારે આતશબાજી અને મહાનુભાવોની હાજરી વચ્ચે વર્લ્ડકપના ઉદ્ઘાટનનો ભપકાદાર સમારંભ યોજાયો હતો. 14 દેશો વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં બાંગ્લાદેશની લોકપ્રિય ગાયિકા રુના લૈલા , ભારતના શંકર , ઈશાન , લોએ દર્શકોને સંગીતના તાલે ડોલાવ્યા હતા.

પ્રોફિટ બુકિંગથી BSE સેન્સેક્સ -295 તૂટ્યો

સતત પાંચ સેશનના સુધારા બાદ આજે મુંબઈ શેરબજાર ઘટીને બંધ રહ્યું હતું. દિવસ દરમિયાન BSE

સેન્સેક્સ ઉપરમાં
18690.97 અને નીચામાં 18159.82 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 295.30 પોઈન્ટ ઘટીને 18211.52 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5599.25 અને 5441.95 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 87.50 પોઈન્ટ ઘટીને 5458.95 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.96 ટકા અને 2.32 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE રિયલ્ટી ઈન્ડેક્સ 4.03 ટકા , BSE ઓટો ઈન્ડેક્સ 2.42 ટકા , BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 1.88 ટકા ગગડ્યા હતા.

આજે નિફ્ટીમાં ઘટેલા મુખ્ય શેરોમાં રિલાયન્સ કેપિટેલ(- 6.83%), RComm(-6.65%), સુઝલોન એનર્જી(- 5.75%), રિલાયન્સ પાવર (- 5.30%) અને જયપ્રકાશ એસોસિએટ્સ(- 5.21%) નો સમાવેશ થાય છે.

આજે વધેલા શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર ( 2.21%), જિંદાલ સ્ટીલ( 1.63%), BHEL (0.96%), સિપ્લા ( 0.69%) અને ડો. રેડીઝ લેબ ( 0.61%) નો સમાવેશ થાય છે

SAILનો FPO માર્ચ-એપ્રિલમાં લાવવા તૈયારી

દેશની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક સરકારી માલિકીની કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રૂ. 7,000 કરોડની ફોલો ઓન પબ્લિક ઓફર માટે પ્રક્રિયા શરૂ કરી છે. કંપની માર્ચના અંત અથવા એપ્રિલની શરૂઆતમાં માર્કેટમાં એફપીઓ લાવશે તેમ હિલચાલથી વાકેફ લોકોએ જણાવ્યું હતું.

સેઇલનો ઇશ્યૂ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પ્રવેશવાનો હતો , પરંતુ પબ્લિક ઓફરમાં સલાહકાર ચાર ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સના હિતની ટક્કર વિશે વાંધો ઉઠાવતા ઇશ્યૂમાં વિલંબ થયો હતો.

આ બેન્કર્સે સ્પર્ધક કંપની ટાટા સ્ટીલના ઇશ્યૂનો પણ મેન્ડેટ સ્વીકાર્યો હતો જેની સમાન ફોલો ઓન પબ્લિક ઓફર જાન્યુઆરી 2010 માં આવી હતી. સેઇલે આ બેન્કર્સને નોટિસ આપતાં આરોપ મૂક્યો હતો કે સ્ટીલ સેક્ટરની કંપની ટાટા સ્ટીલને પણ બેન્કર્સ દ્વારા સલાહ આપવામાં આવે તે હિતની ટક્કર સમાન છે.

સેઇલના ચેરમેન સી એસ વર્માએ ઇટીને જણાવ્યું હતું કે , બેન્કર્સ સાથેનો ઇશ્યૂ ઉકેલવામાં આવ્યો છે અને અમે માર્કેટની સ્થિતિના આધારે માર્ચના અંત સુધીમાં બજારમાં પ્રવેશ કરીશું.

3 મહિનામાં યૂનિટેક-DB રિયલ્ટીના શેર્સ 40% તૂટ્યા

દેશની બીજા ક્રમની મોટી રિયલ્ટી કંપની યૂનિટેક અને તેની હરિફ કંપની DB રિયલ્ટીના મૂલ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં 40 ટકાનો તોતિંગ ઘટાડો જોવાયો છે. ટેલિકોમ લાયસન્સ ફાળવવા અંગેના કાંડમાં આ બન્ને કંપનીઓની તપાસ થઈ રહી છે.

10 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 29 શેરો ધરાવતો રિયલ્ટી ઈન્ડેક્સ 24 ટકા ગગડ્યો છે અને આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ માત્ર 10 ટકા જ ઘટ્યો છે. ફેબ્રુઆરી , 2010 માં DB રિયલ્ટીએ પબ્લિક ઈશ્યૂ દ્વારા 1500 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું હતું.

કંપનીએ તેની ભાવિ યોજનાઓ માટે તેમજ દેવાની ચૂકવણી કરવા માટે આ પબ્લિક ઈશ્યૂ યોજ્યો હતો.

પબ્લિક ઈશ્યુના સમયે કંપનીને તેના મુખ્ય બિઝનેસ (રહેણાંકના મકાનોનું નિર્માણ)માંથી કોઈ પણ પ્રકારની આવક થઈ ન હતી અને કંપનીની આવકનો મોટો હિસ્સો ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઈટ્સના વેચાણ દ્વારા આવતો હતો.

છેલ્લા બે ક્વાર્ટરમાં ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઈટ્સના વેચાણ દ્વારા કંપનીની આવકનો વૃદ્ધિ દર 50 ટકા વધ્યો છે પરંતુ , તેના નિર્માણ યોજનામાંથી કંપનીને ખાસ સફળતા મળી નથી.
માર્ચ , 2010 માં DB રિયલ્ટી પર કુલ 594 કરોડ રૂપિયાનું દેવું હતું જે 31 ડિસેમ્બર , 2010 સુધીમાં ઘટીને 387 કરોડ રૂપિયા થઈ ગયું હતું. આ સાથે કંપનીના ડેટ ટુ ઈક્વિટી રેશિયો ઘટીને 0.12 ટકા થઈ ગયો હતો.

જોકે , DB રિયલ્ટીએ 31 માર્ચ , 2010 ના રોજ 1500 કરડ રૂપિયાની કન્ટીજન્સી લાયેબિલિટી અંગે જાણકારી આપી હતી અને તેનાથી કંપનીનો નફો ઘટી શકે છે.

પોતાની યોજનાઓ પરસારી રીતે કામ કરવાને કારણે યૂનિટેકની સ્થિતિ સારી જણાઈ રહી છે.આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં કંપનીની અન્ય કેટલીક યોજનાઓ પણ પૂરી થવામાં છે. માર્ચ , 2010 માં પૂરા થયેલા વર્ષ દરમિયાન યૂનિટેકે ક્યુઆઈપી દ્વારા 4,400 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું હતું.

આમ છતાં કંપનીનો દેવા-ઈક્વિટી રેશિયો 0.40 ટકા જેટવો વધારે છે. જોકે , ડિસેમ્બર ,2010 ના ક્વાર્ટરમાં કંપનીએ 551 કરોડનું દેવું ઘટાડ્યું હતું અને હવે કંપનીનું દેવું 4,617 કરોડ રૂપિયા છે.

મકાનો વધતી માંગને કારણે રિયલ્ટી કંપનીઓના નેટ ઓપરેટિંગ કેશ ફ્લો સુધર્યો છે. જોકે , યુનિટેક હજુ પણ નેગેટિવ કેશ ફ્લોનો સામનો કરી રહી છે.

માંગમાં રિકવરીને કારણે છેલ્લા બે ક્વાર્ટરમાં બન્ને કંપનીઓનું વેચાણ વધ્યું છે પણ મોટું દેવું હજી પણ બન્ને માટે સમસ્યાનું કારણ છે. આ ઉપરાંત વ્યાજદરમાં વધારાને કારણે બન્ને કંપનીઓની હાલત વધુ ખરાબ થશે.

Friday, February 11, 2011

કપાસના ભાવ 57,000ની સપાટી વટાવી ગયા

સ્થાનિક બજારમાં કપાસના ભાવ રૂ. 57,000 પ્રતિ ખાંડીનો ભાવ વટાવી ગયા છે. બજારમાં કાચા કપાસની તીવ્ર અછત વચ્ચે ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને રોજ નવા વિક્રમ બનાવી રહ્યા છે.

બુધવારે ભાવમાં પ્રતિ ખાંડી વધુ રૂ. 2,000 ની વૃદ્ધિ જોવા મળી હતી. પાછલા 12 દિવસમાં કપાસના ભાવ ખાંડીએ રૂ. 10,000 જેટલા ઊછળ્યા છે. ખેડૂતોએ ભાવમાં અવિરત વૃદ્ધિ પાછળ માલ સંગ્રહ કરવાનું વલણ અપનાવતાં તથા આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતી કપાસના ભાવને સહાય કરી રહી છે.
કપાસના ભાવમાં તીવ્ર વૃદ્ધિએ નિકાસકારોની બાજી ઊંધી વાળી દીધી છે. ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ જ્યારે બીજીવારનો નિકાસ ક્વોટા જાહેર કર્યો ત્યારે નિકાસકારોને પ્રતિ ખાંડી રૂ. 8,000 નો લાભ થઈ રહ્યો હતો , જેની સામે હાલના ભાવે તેમને ચોખ્ખું નુકસાન ખમવાનું થઈ રહ્યું છે.

વર્તમાન રૂ. 57,000 ના ભાવે નિકાસકારો ચોખ્ખા નુકસાનમાં છે. હજુ ઘણા નિકાસકારો છે જેઓએ તેમની નિકાસ જવાબદારીઓ પૂરી કરવાની બાકી છે.એમ શેઠ જણાવે છે. મોટા ભાગના નિકાસકારોએ તેમના કન્સાઇનમેન્ટ્સ રૂ. 140-150 પ્રતિ સેન્ટ્સ પ્રતિ પાઉન્ડના ભાવે વેચાણ કર્યું છે. જ્યારે હાલમાં તેઓએ 175 સેન્ટ્સના ભાવે માલ ખરીદવો પડી રહ્યો છે એમ શેઠ ઉમેરે છે.

હાલમાં બજાર સંપૂર્ણપણે વેચાણકારોના હાથમાં ચાલી ગયું છે અને ભાવ દૈનિક ધોરણે ઊંચકાઈ રહ્યા છે.એમ એક ટ્રેડર જણાવે છે. ઉત્પાદક મથકોએ કાચા માલની આવકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

ખેડૂતો રૂ. 1,300 પ્રતિ મણના ભાવે પણ માલ વેચવા માટે તૈયાર નથી. સૌરાષ્ટ્રનાં બજારોમાં દૈનિક ધોરણે કપાસની આવક ઘટીને 1.8 લાખ મણની રહી ગઈ છે. જે સામાન્ય રીતે 4-5 લાખ મણની હોય છે. ગાંસડીના સંદર્ભમાં વાત કરીએ તો દેશમાં દૈનિક આવક 1.5 લાખથી 2 લાખ ગાંસડીની સામે ઘટીને એક લાખ ગાંસડીની જોવા મળે છે.

800 8 ભાવ ખૂબ સારા હોવા છતાં મેં નક્કી કર્યું છે કે હું મારો કપાસ માત્ર રૂ. 1,500 પ્રતિ મણના ભાવે જ વેચીશ.એમ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામના પાચાભાઈ મંગલપરા જણાવે છે. ચાલુ સિઝનમાં તેમણે મણ કપાસ પકવ્યો હતો પરંતુ તેમાંથી એક મણ કપાસ પણ વેચ્યો નથી. તેમના કપાસનું મૂલ્ય લગભગ રૂ. લાખ થવા જાય છે.

બજારમાં એવી અટકળે પણ જોર પકડ્યું છે કે ગુરુવારે સરકાર 10 લાખ ગાંસડીનો બીજો નિકાસ ક્વોટા જાહેર કરશે. ડીજીએફટી ગુરુવારે આ મુદ્દે સમીક્ષા કરશે અને તે અંગે નિર્ણય લેશે. આ ઉપરાંત ડીજીએફટી યાર્ન નિકાસકારોને પણ તેમના નિકાસ ક્વોટાની ફાળવણી ગુરુવારે કરવાની છે.

બજારમાં હાલમાં ઉન્માદ જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિ ક્યાં જઈને અટકશે તેનો કોઈ અંદાજ નથી . ઘણા જીનર્સે તો તેમની ફેક્ટરીઓ બંધ કરવાનો વારો આવ્યો છે કેમ કે તેમને કાચી સામગ્રી મળી રહી નથી તેમજ વર્તમાન ભાવે પડતર પણ નથી .એમ વિજાપુર સ્થિત જીનર વિપુલ પટેલ જણાવે છે . એટલે કે જો જીનર્સ વર્તમાન રૂ . 1,350 પ્રતિ મણના ભાવે કપાસ ખરીદે તો તેમની પડતર રૂ . 60,000 પ્રતિ ખાંડીની બેસે છે .

જ્યારે બજારમાં ભાવ રૂ . 57,000 નો ચાલી રહ્યો છે . આમ રૂ . 2,000 થી વધુની અન્ડરરિકવરી ચાલી રહી છે .

દેશના અગ્રણી જીનર્સમાંના એક જીનરે બુધવારે તેમની નિકાસ કંપની માટે રૂ . 57,000 પ્રતિ ખાંડીના ભાવે માલ ખરીદ્યો હતો . હાલમાં પ્રોસેસર માટે પોસાણ નથી અને તેથી તેઓ પણ બજારમાંથી ડિસ્કાઉન્ટમાં મળતો માળ ખરીદી રહ્યાં છે.

ટેક્સ હેવન્સ પર ઊંચો કર ઝીંકવા ભારતની વિચારણા

ભારતીય કરચોરો વિશે માહિતી ન આપતા દેશો સામે ટેક્સને લગતા પ્રતિબંધ ઝીંકવાની દરખાસ્ત પર ભારત સરકાર વિચારણા કરી રહ્યું છે.

ટેક્સ પ્રતિબંધના ભાગરૂપે આવા દેશો સાથે બિઝનેસ જોડાણ ધરાવતા ભારતીય કરદાતાઓ અને કંપનીઓ પર ઊંચો ટેક્સ બોજ લાદી શકાય છે અને તેમના માટે દસ્તાવેજના નિયમો પણ કડક બની શકે છે.

ટેક્સની ભાષામાં આવા દેશો ' સહકાર ન આપતા વિસ્તાર ' ( નોન-કોઓપરેટિવ જ્યુરિસડિક્શન્સ) ગણવામાં આવે છે.

કરચોરી રોકવા માટે સરકાર દ્વારા રચવામાં આવેલી નિષ્ણાતોની એક પેનલે આ દરખાસ્તો ઘડી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સમિતિનો અહેવાલ નાણામંત્રાલયને મોકલવામાં આવ્યો છે જેથી બજેટમાં તેના પર વિચારણા થઈ શકે.

આ દરખાસ્તો એવા સમયે આવી છે જ્યારે કરચોરો દ્વારા વિદેશમાં છુપાવાયેલાં કાળાં નાણાંની માહિતી મેળવવા સરકાર પર ભારે દબાણ છે. જોકે , કોઈ પણ દેશને સહકાર ન આપતો વિસ્તાર જાહેર કરવા માટે સરકારને કાનૂની આધારની જરૂર પડે છે. તેનો એક ઉપાય આવકવેરા ધારામાં જરૂરી ફેરફાર કરવાનો છે.

નિષ્ણાતોની સમિતિએ ભલામણ કરી છે કે કરચોરી શોધવામાં મદદ ન કરતાં રાષ્ટ્રોમાં વેપાર કરતા લોકો પર વધુ ટેક્સ લાદવામાં આવે. આવી કંપનીઓના ટ્રાન્ઝેક્શન પર ટ્રાન્સફર પ્રાઇસિંગ ઓડિટ પણ લાગુ થશે.

ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ (ઓઇસીડી) દ્વારા ઘડવામાં આવેલા માહિતીના આદાનપ્રદાનનાં ધોરણોનું પાલન ન કરતા દેશોને સહકાર ન આપતો વિસ્તાર ગણવામાં આવશે. તકનીકી રીતે જે ટેક્સ હેવને ભારત સાથે માહિતીના આદાનપ્રદાનના કરાર કર્યા હોય , પરંતુ ઓઇસીડીના નિયમોનું પાલન કરતું ન હોય તેની સામે ટેક્સ પ્રતિબંધ લાદી શકાય છે. ટેક્સ હેવન્સ પર ઊંચો કર ઝીંકવા ભારતની વિચારણા

રેકિટનો માલ લેવાનું બંધ કરતું ફ્યુચર ગ્રુપ

દેશના સૌથી મોટા રિટેલર ફ્યુચર ગ્રૂપ અને વિશ્વની સૌથી મોટી ઘરગથ્થુ પ્રોડક્ટ્સ ઉત્પાદક રેકિટ બેન્કિસર (આરબી) વચ્ચે નફાના માર્જિનના મુદ્દે ટક્કર શરૂ થઈ છે. ફ્યુચર ગ્રૂપે ગુરુવારથી આરબીની તમામ બ્રાન્ડ્સનો સંગ્રહ કરવાનું અટકાવ્યું છે.

રેકિટે કેટલીક બ્રાન્ડ પર રિટેલરનું માર્જિન 16 ટકાથી ઘટાડી 14 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યા બાદ તેણે આ પગલું લીધું છે. તેના આ પગલાંને બીજા રિટેલરો પણ અનુસરશે તેમ માનવામાં આવે છે.

મુંબઈ શેરબજારમાં ઉતાર-ચઢાવ : રિયલ્ટી ડાઉન 11 Feb Open

મુંબઈ શેરબજારમાં આજે કારોબારની ફ્લેટ શરૂઆત

style=""> થઈ
હતી . જોકે , થોડી વારમાં સેન્સેક્સ રેડ ઝોનમાં આવી ગયો હતો .

ટ્રેડિંગ શરૂ થયાની થોડી મિનિટોમાં BSE સેન્સેક્સ 9.83 પોઈન્ટ વધીને 17,472.87 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 2.75 પોઈન્ટ વધીને 5228.55 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.34 ટકા અને 0.17 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

આજે સવારે રિયલ્ટી , ટેકનો અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે ઓટો તેમજ બેન્ક શેરોમાં લેવાલી જોવા મળી હતી .

ગુરુવારે BSE સેન્સેક્સ ઉપરમાં 17636.88 અને નીચામાં 17362.59 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 129.73 પોઈન્ટ ઘટીને 17,463.04 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5272.50 અને 5196.80 પોઈન્ટની વચ્ચે ટ્રેડ થયા બાદ 27.75 પોઈન્ટ ઘટીને 5225.80 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

Thursday, February 10, 2011

ADAGના શેરહોલ્ડર્સે 11,500 કરોડ રૂપિયા ગુમાવ્યા

અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપની છ કંપનીના 1.1 કરોડ કરતાં વધુ રોકાણકારોએ ઓછામાં ઓછા રૂ. 11,500

કરોડ ગુમાવ્યા હતા.


ટેલિકોમ કંપનીઓ માટે સ્પેક્ટ્રમ ફાળવણીની તપાસનો રેલો આ ગ્રૂપ સુધી આવી શકે તેવી બજારમાં અફવાને કારણે ગ્રૂપ કંપનીઓના શેરના ભાવમાં જોરદાર ઘટાડો થયો હતો. જોકે એડીએજીએ જણાવ્યું હતું કે ' દુષ્ટહેતુ ધરાવતા કોર્પોરેટ હરીફો ' દ્વારા આ અફવા ફેલાવવામાં આવી છે અને સેબીએ તેની તપાસ કરવી જોઈએ.

સીબીઆઇની તપાસની ચાલી રહી છે ત્યારે ડીલિંગ રૂપ મંત્રણામાં કોર્પોરેટ ગવર્નન્સનો છવાયેલો રહ્યો હતો. રિલાયન્સ એડીએજીએ સિક્યોરિટી કાયદાના ભંગના આરોપનો સ્વીકાર કે ઇનકાર કર્યા વગર સેબી સાથે તેનું સેટલમેન્ટ કર્યું હતું.

ઇન્વેસ્ટમેન્ટ એડ્વાઇઝરી કંપની ક્રિસના સ્થાપક ડિરેક્ટર અરુણ કેજરીવાલે જણાવ્યું હતું કે , કેટલીક ગ્રૂપ કંપનીઓના કોર્પોરેટ ગવર્નન્સ સંબંધિત અફવાનું બજારમાં પૂર આવ્યું હતું , તેથી રોકાણકારો ગૂંચવણમાં મુકાઈ ગયા હતા.

નબળા બજારથી આ નકારાત્મક સેન્ટિમેન્ટ વધુ તીવ્ર બન્યું હતું. '' ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સીબીઆઇએ મંગળવારે એટિસલાટ ડીબી ટેલિકોમ ઇન્ડિયાના વાઇસ ચેરમેન શાહિદ બાલવાની ધરપકડ કરી હતી.

તમામ એડીએજી શેરના ભાવમાં 10 ટકાથી વધુ ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ફ્રા 19 ટકા , રિલાયન્સ મીડિયાવક્સ 17 ટકા , આરકોમ અને રિલાયન્સ કેપિટલ 16 ટકા , રિલાયન્સ પાવર 12 ટકા અને રિલાયન્સ બ્રોડકાસ્ટ 10 ટકા તૂટ્યો હતો. કેટલાક શેરમાં ટ્રેડિંગ વોલ્યુમ અગાઉના સપ્તાહની સરેરાશ કરતાં દસ ગણું થયું હતું.

ભારતીય શેરબજાર માટે FII નિર્ણાયક

ભારતીય શેરબજારો મોટા ભાગે વિદેશી રોકાણકારો પર જ નિર્ભર રહ્યાં છે અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મર્યાદિત ભૂમિકા છતાં FII બજારનો ટ્રેન્ડ નક્કી કરે છે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં એડ્વાન્સ ટેક્સમાં 18 ટકા મજબૂત વૃદ્ધિ જોવા મળી તે પછી કેલેન્ડર વર્ષ 2011 માટે ઊંચી અપેક્ષા બંધાઈ હતી , પરંતુ જાન્યુઆરીમાં ઊંચો ફુગાવો અને તેના પરિણામે કંપનીઓની કામગીરીના નફામાં ઘટાડો થયો અને સરકારના સ્તરે સુધારા પ્રક્રિયા લગભગ અટકી ગઈ. આ બધાની સંયુક્ત અસર બજાર પર થવાથી તે તીવ્રતાથી તૂટ્યું અને ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ કોઈ રાહત જણાતી નથી.

હવે ભારત માટે તાજેતરમાં વ્યક્ત કરવામાં આવેલા કેટલાક અભિપ્રાયો પર નજર નાખીએ.
મોર્ગન સ્ટેન્લીઃ તાજેતરમાં 89 ફંડ મેનેજરોનો સરવે કરવામાં આવ્યો તેમાં ચોથા ભાગના માને છે કે ભારત 2011 માં ઊભરતાં બજારોમાં વધુ સારો દેખાવ કરશે

Monday, February 7, 2011

દાયકાનાં ટોપ-25 MFsમાં ભારતનાં આઠ ફંડ્સનો સમાવેશ

મુંબઈ : એસબીઆઇ મેગ્નમ કોન્ટ્રા , એચડીએફસી ઇક્વિટી અને રિલાયન્સ ગ્રોથ સહિત

આઠ ભારતીય ફંડ્સે છેલ્લા દાયકાનાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાં વિશ્વનાં 25 ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં સ્થાન મેળવ્યું છે એવી માહિતી ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ મોર્નિંગસ્ટારે આપી છે.


અર્થતંત્રની ઝડપી વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારના કુલ મૂલ્યમાં 10 ગણા વધારાનો આ ફંડ્સને લાભ મળ્યો છે. જેને કારણે આ ફંડ્સ રોકાણકારોને ઉત્કૃષ્ટ વળતર આપવામાં સફળ રહ્યાં છે.

આઠ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા દાયકામાં ચક્રવૃદ્ધિ ધોરણે 31 ટકાથી 38 ટકાની રેન્જમાં વૃદ્ધિ દર્શાવી છે. સેન્સેક્સે 10 વર્ષમાં 17.8 ટકાના ચક્રવૃદ્ધિ દરે વળતર આપ્યું છે. આ ગાળામાં રશિયાના આરટીએસે 28.6 ટકા અને ઇન્ડોનેશિયાના જેએસએક્સ કમ્પોઝિટે 24.4 ટકાનું વળતર આપ્યું છે.

મોર્નિંગસ્ટારે જણાવ્યું હતું કે , 15 વર્ષમાં ભારતની 12 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાં વિશ્વનાં ટોચનાં 25 ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં સ્થાન મેળવ્યું છે.

મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ ધ્રુવ રાજ ચેટરજીએ કહ્યું હતું કે , રશિયા અને ઇન્ડોનેશિયાનાં શેરબજારે છેલ્લાં 10-15 વર્ષમાં આપણા કરતાં સારી કામગીરી દર્શાવી છે. જોકે , અન્ય દેશો પાસે વળતર હાંસલ કરવા ભંડોળ નહીં હોવાથી ટોચનાં 25 ફંડ્સની યાદીમાં ભારતીય ઇક્વિટી ફંડ્સે મોટી સંખ્યામાં સ્થાન મેળવ્યું છે.

ભારતીય શેરબજારનું કુલ કેપિટલાઇઝેશન ડિસેમ્બર 2010 માં ગયા દાયકના પ્રારંભના 148 અબજ ડોલરથી વધીને 1.6 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે. જોકે , છેલ્લાં પાંચ વર્ષમાં અથવા વર્ષ 2010 માં કોઈ ભારતીય ફંડે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ફંડ્સની યાદીમાં સ્થાન મેળવ્યું નથી.

છેલ્લાં પાંચ વર્ષમાં ટોપ- 25 ફંડ્સની યાદીમાં ચીન કેન્દ્રી ફંડ્સનું પ્રભુત્વ રહ્યું છે. સેન્સેક્સે ડિસેમ્બર 2010 માં પૂરા થયેલા પાંચ વર્ષમાં 16.9 ટકા અને વર્ષ 2010 માં 17.4 ટકાનું વળતર આપ્યું છે.

ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ડિસેમ્બર 2010 માં પૂરાં થયેલાં પાંચ વર્ષમાં 19.3 ટકા વધ્યો છે. જ્યારે વર્ષ 2010 માં તેમાં 14.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.

એશિયામાં વર્ષ 2010 માં સૌથી ખરાબ પ્રદર્શન કરનારાં બજારોમાં ચીન મોખરે રહ્યું છે. ચીનનો શાંઘાઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ આ ગાળામાં 14 ટકાથી વધુ ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે , વર્ષ 2009 માં તેમાં 80 ટકાનો વધારો જોવા મળ્યો હતો એવી માહિતી મોર્નિંગસ્ટારે આપી હતી.

મોર્નિંગસ્ટારના અહેવાલમાં જણાવ્યા અનુસાર '' ચુસ્ત નાણાનીતિ , એસેટ બબલ પર અંકુશ માટે સરકારે લીધેલાં પગલાં (જેમાં રિયલ એસ્ટેટ માર્કેટ પર નિયંત્રણ) અને મોટી સંખ્યામાં આઇપીઓને કારણે થયેલા કેપિટલ ડાઇવર્ઝનની સૂચકાંક પર અસર પડી છે. સમગ્ર વર્ષમાં ચીનના અર્થતંત્રએ વૃદ્ધિ દર્શાવી હોવા છતાં શેરબજારમાં ઘટાડો નોંધાયો છે.

નવા રોકાણકારો માટેની સોનેરી સલાહો

શેરબજારમાં નવા રોકાણકાર છો? બજારમાં રોકાણ શરૂ કરતાં અગાઉ કઈ બાબતોનો ખ્યાલ રાખવો તે અંગે ઇટીઆઇજી તમને કેટલીક મહત્ત્વની ટિપ્સ આપી રહ્યું છે. હંમેશા એવું જોવા મળે છે કે નવા રોકાણકારો નાણાંથી આકર્ષાઈને શેરબજારમાં રોકાણ શરૂ કરે છે. મોટા ભાગના કિસ્સામાં તેઓ કંપનીના શેરના ભાવમાં વધ-ઘટ પાછળના તર્કને અવગણતા હોય છે. શેરબજારમાં જેઓ પ્રવેશે છે તે તમામ લોકો ચોખ્ખા નફા સાથે જ તેમાંથી બહાર નીકળે છે તેવું નથી. આનાથી ઊલટું બજારમાં પ્રવેશવું સરળ છે અને રોકાણ કરવું અને સતત નફો રળવો તેટલું જ અઘરું છે.

શેરબજારમાં નવા પ્રવેશકો માટે નીચે શું કરવું અને શું ના કરવું જોઈએ તે માટેનાં કેટલાંક સૂચનો આપ્યાં છે. બજારમાં કોઈ યોગાનુયોગ નથી હોતો. જો તમારો હેતુ ટૂંકા ગાળામાં મોટી કમાણી કરવાનો હોય તો અન્ય કોઈ પરિબળો કરતાં નસીબદાર હોવું જરૂરી બની રહે છે. આ માટે તમારે નુકસાન કરવાની તૈયારી પણ રાખવી જરૂરી છે કેમ કે ટૂંકા ગાળામાં શેરના ભાવમાં મોટી વધ-ઘટ જોવા મળતી હોય છે. જેનું કોઈ દેખીતું કારણ પણ જોવામાં આવતું નથી હોતું. જો તમે કંપની વિશે કોઈ સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા ના હોવ તો ઇક્વિટીમાં રોકાણ કરવાનું ટાળો. યોગ્ય યોજના તૈયાર કરીને જ શેરોમાં રોકાણની શરૂઆત કરો. નાણાં રોકો તે અગાઉ કંપનીની નાણાકીય કામગીરી અને તેના બિઝનેસનો અભ્યાસ કરો.

ટોપ-10માંથી 5નાં માર્કેટકેપમાં 40k કરોડનું ધોવાણ

વિતેલાં સપ્તાહ દરમિયાન ટોચની 10 માંથી 5 કંપનીના માર્કેટકેપમાં 40,695.4

કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. જાહેર હસ્તકની કંપની
NTPC એ સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું હતું.

NTPC નું માર્કેટકેપ 12,409.41 કરોડ રૂપિયાના ઘટાડા સાથે 1,45,738.51 કરોડ રૂપિયા થયું હતું.

FMCG કંપની ITC નું માર્કેટકેપ 11,884.95 કરોડ રૂપિયા ઘટીને 1,18,000.58 કરોડ રૂપિયા થયું હતું.

આઈટી ક્ષેત્રની બે અગ્રણી કંપનીઓ TCS અને ઈન્ફોસિસ ટેકનોલોજીસના માર્કેટકેપમાં સંયુક્તપણે 14,042.49 કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. આ સાથે TCS નું માર્કેટકેપ 2,24,706.13 કરોડ જ્યારે ઈન્ફોસિસનું માર્કેટકેપ 1,74,897.05 કરોડ રૂપિયા નોંધાયું હતું.

ખાનગી ક્ષેત્રની ICICI બેન્કના માર્કેટકેપમાં 2,358.51 કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. આ સાથે તેનું માર્કેટકેપ ઘટીને 1,14,465.96 કરોડ રૂપિયા નોંધાયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન માર્કેટકેપમાં વધારો નોંધાવનાર કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેમજ જાહેર ક્ષેત્રની કંપની ONGC એ સારી વૃદ્ધિ નોંધાવી હતી.

ONGC નું માર્કેટકેપ 11,699.62 કરોડ રૂપિયા વધીને 2,54,589.7 કરોડ રૂપિયા નોંધાયું હતું જ્યારે ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ 1,636.53 કરોડ રૂપિયાના ઉછાળા સાથે 3,00,956.95 કરોડ રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું.

સરકાર હસ્તકની કંપની કોલ ઈન્ડિયાએ સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન તેના માર્કેટકેપમાં 2431.8 કરોડ રૂપિયાનો વધારો જોવાયો હતો. કંપનીનું માર્કેટકેપ વધીને 1,94,543.89 કરોડ રૂપિયા થયું હતું.

દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું માર્કેટકેપ 1,787.49 કરોડ રૂપિયા વધીને 1,68,062.8 કરોડ રૂપિયા નોંધાયું હતું.

આ ઉપરાંત ટોચની ટેલિકોમ કંપની ભારતી એરટેલનું માર્કેટકેપ 1,784.83 કરોડ રૂપિયાના વધારા સાથે 1,26,001.71 કરોડ રૂપિયા નોંધાયું હતું.

વિતેલાં સપ્તાહ દરમિયાન મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 2.1 ટકા ગગડીને 18,008.15 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Sunday, February 6, 2011

શેરબજારમાં ઘટાડો આગળ વધી શકે છે

ભારતીય શેરબજાર આ સપ્તાહમાં પણ ગબડવાનું ચાલુ રાખે એવી શક્યતા છે. કારણ કે વધતા જતા ફુગાવાની ચિંતા અને ઇજિપ્તમાં ચાલુ

રહેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે રોકાણકારો તેમના રોકાણમાં ઘટાડો કરે એવી શક્યતા છે એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.


બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનો મુખ્ય શેર નિર્દેશાંક સેન્સેક્સ જાન્યુઆરી માસમાં 10.6 ટકા ગબડ્યો હતો અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ તેનો ઘટાડો ચાલુ રહ્યો હતો. ગયા શુક્રવારે સેન્સેક્સ 441 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો.

મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝના એસોસિયેટ ડિરેક્ટર , ઇક્વિટીઝ એન્ડ ડેરિવેટિવ્ઝ , મનીષ શાહે જણાવ્યું હતું કે , વડાપ્રધાન મનમોહને જણાવ્યું હતું કે વૃદ્ધિના વેગમાન સામે ફુગાવો ' ગંભીર ખતરો ' ઊભો કરી રહ્યો છે એવું નિવેદન આપ્યું તેથી રોકાણકારોના માનસને આંચકો લાગ્યો હતો.

Insurance policies in demat form soon

Insurance policies in dematerialized form could soon be a reality with the Insurance Regulatory and Development Authority constituting a panel to look into electronic policies.

According to insurance companies, the issue of policies in demat form will significantly bring down costs and improve efficiency. It would also make online purchase of insurance plans much easier and benefit life as well as non-life companies. In life companies policies such a move would enable policies to be held in demat form just like mutual funds and other securities. In the non-life industry, it would facilitate trade by allowing shippers use electronic letters of credit.

The working group constituted by IRDA is headed by A Giridhar who will be the chairman of the working group. From the life industry, it will have Sandeep Bakhshi, MD, ICICI Prudential Life, Jayant Dua, MD, Birla Sun Life, V Phillip, CEO, Bajaj Allianz Life, Amitabh Choudhary, HDFC Standard Life. Garuav Garg, MD, Tata AIG Life Insurance is the sole non-life member. The group will also have representatives from the two depositories CDSL and NSDL.

"We had submitted a proposal where companies could be allowed to issue policies in electronic form with the consent of the customer. Considering that the cost of dispatching each policy ranges between Rs 40 to Rs 50 the industry will be able to reduce costs substantially if this were allowed" said SB Mathur, chief executive of Life Insurance Council. He said that while earlier an insurance policy was legally required as evidence of contract the Information Technology Act of 2000 had paved the way for issue of documents in electronic form.

While the industry is eyeing electronic policies in the form of statements through email, the IRDA wants to consider a complete overhaul of the back end as well. This would involve transferring the entire database of policyholders to a central depository such as NSDL or CDSL. However, some of the companies are reluctant to share their databases as they feel that it would increase costs and not serve much of a purpose since policies are not traded.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports