Translate

Thursday, February 10, 2011

ADAGના શેરહોલ્ડર્સે 11,500 કરોડ રૂપિયા ગુમાવ્યા

અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપની છ કંપનીના 1.1 કરોડ કરતાં વધુ રોકાણકારોએ ઓછામાં ઓછા રૂ. 11,500

કરોડ ગુમાવ્યા હતા.


ટેલિકોમ કંપનીઓ માટે સ્પેક્ટ્રમ ફાળવણીની તપાસનો રેલો આ ગ્રૂપ સુધી આવી શકે તેવી બજારમાં અફવાને કારણે ગ્રૂપ કંપનીઓના શેરના ભાવમાં જોરદાર ઘટાડો થયો હતો. જોકે એડીએજીએ જણાવ્યું હતું કે ' દુષ્ટહેતુ ધરાવતા કોર્પોરેટ હરીફો ' દ્વારા આ અફવા ફેલાવવામાં આવી છે અને સેબીએ તેની તપાસ કરવી જોઈએ.

સીબીઆઇની તપાસની ચાલી રહી છે ત્યારે ડીલિંગ રૂપ મંત્રણામાં કોર્પોરેટ ગવર્નન્સનો છવાયેલો રહ્યો હતો. રિલાયન્સ એડીએજીએ સિક્યોરિટી કાયદાના ભંગના આરોપનો સ્વીકાર કે ઇનકાર કર્યા વગર સેબી સાથે તેનું સેટલમેન્ટ કર્યું હતું.

ઇન્વેસ્ટમેન્ટ એડ્વાઇઝરી કંપની ક્રિસના સ્થાપક ડિરેક્ટર અરુણ કેજરીવાલે જણાવ્યું હતું કે , કેટલીક ગ્રૂપ કંપનીઓના કોર્પોરેટ ગવર્નન્સ સંબંધિત અફવાનું બજારમાં પૂર આવ્યું હતું , તેથી રોકાણકારો ગૂંચવણમાં મુકાઈ ગયા હતા.

નબળા બજારથી આ નકારાત્મક સેન્ટિમેન્ટ વધુ તીવ્ર બન્યું હતું. '' ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સીબીઆઇએ મંગળવારે એટિસલાટ ડીબી ટેલિકોમ ઇન્ડિયાના વાઇસ ચેરમેન શાહિદ બાલવાની ધરપકડ કરી હતી.

તમામ એડીએજી શેરના ભાવમાં 10 ટકાથી વધુ ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ફ્રા 19 ટકા , રિલાયન્સ મીડિયાવક્સ 17 ટકા , આરકોમ અને રિલાયન્સ કેપિટલ 16 ટકા , રિલાયન્સ પાવર 12 ટકા અને રિલાયન્સ બ્રોડકાસ્ટ 10 ટકા તૂટ્યો હતો. કેટલાક શેરમાં ટ્રેડિંગ વોલ્યુમ અગાઉના સપ્તાહની સરેરાશ કરતાં દસ ગણું થયું હતું.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports