Translate

Monday, January 31, 2011

5 Things to consider before: Tax Planning

Evaluate your options


Know the options, risk associated and lock-in period associated with the tax saving investment option under Rs. 1 Lakh Limit (Section 80 C)

Choose your objective


Know the capital gains tax treatment (short and long term) of the investment option

Plan cautiously


Hurriedly investing lump sums as a quick tax saving scheme could have potentially adverse results. You also lose on one of the biggest benefits in investment: the power of compounding. Think carefully before investing; never rush in!

Health is wealth


Invest in a health insurance scheme, if you don’t already have one. It’s a smart tax saving tool on a premium of upto Rs. 15,000 p.a., and gives health cover as well!

Avoid rush hour tax planning


Don’t leave tax planning to the last minute. This may create a liquidity crunch. Plan your taxes well in advance, and invest at regular intervals rather than in a lumpsum.

Saturday, January 29, 2011

BSE સેન્સેક્સમાં 288 પોઈન્ટનું જંગી ગાબડું

BSE ફુગાવાની ચિંતા અને FII ની વેચવાલીથી મુંબઈ શેરબજારમાં આજે જંગી ગાબડું પડ્યું હતું. દિવસ

દરમિયાન સેન્સેક્સ 18723.12 અને 18235.45 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 288.46 પોઈન્ટ ઘટીને 18,395.97 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.


5512.15 નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5614.40 અને 5459.55 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 92.15 પોઈન્ટ ઘટીને પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.66 ટકા અને 3.59 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

સેન્સેક્સ 4 માસમાં 15 ટકા ઘટી શકે

બેંચમાર્ક સેન્સેક્સે આ વર્ષે એશિયામાં સૌથી ખરાબ દેખાવ કર્યો છે. બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના વિક્રમ કોટકે જણાવ્યું હતું કે સેન્સેક્સ ચાર માસમાં વધુ 15 ટકા ઘટે એવી શક્યતા છે , કેમ કે વધી રહેલા ખર્ચા નફાને ઘટાડશે અને વ્યાજદરોમાં વધારો થશે. વિક્રમ કોટકે 2010 ની તેજી વિશે આગાહી કરી હતી.

40 વર્ષની વયના વિક્રમ કોટક બિરલા સનના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે 4.2 અબજ ડોલરના ભંડોળના સંચાલનમાં મદદ કરે છે. તેમણે રોકડ વધારીને 15 ટકા કરી છે અને તેઓ કહે છે તેમ , તેઓ ' તેનું રોકાણ કરવાના મૂડમાં નથી. ' મેમાં રોકડ રકમ 10 ટકા જેટલી હતી.

બીએસઇ સેન્સેક્સ પાંચમી નવેમ્બરની વિક્રમ સપાટીથી 10 ટકા ઘટ્યો છે. કેટલાક રોકાણકારો પાંચમી નવેમ્બરની સપાટીથી થયેલા ઘટાડાને કરેક્શન માને છે.

કોટકે જણાવ્યું હતું કે , કાં તો તમારું બજાર ઘટીને એવા સ્તરે આવી જશે કે લોકોને ફુગાવા અને વ્યાજદરોની ચિંતા નહીં થાય અથવા તમે આ સમસ્યાને હલ કરી દેશો. બજારો વધવા માટે અમને કોઈ કારણ જણાતું નથી.

આરબીઆઇના ગવર્નર ડી સુબ્બારાવે ફુગાવાનો અંદાજ વધારીને 7 ટકા કર્યા પછી માર્ચથી અત્યાર સુધીમાં મંગળવારે સાતમી વાર વ્યાજદરોમાં વધારો કર્યો હતો

Friday, January 21, 2011

જાણો... વાઇબ્રન્ટ સોદા કેટલા વાસ્તવિક ?

ગુજરાત સરકારના રૂ. 20 લાખ કરોડથી વધુના ખાતરીબદ્ધ રોકાણના દાવામાં કેટલાક એવા પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે જેને '
બહુ દૂરના ' ગણાવી શકાય અને કેટલાંક એવાં પણ રોકાણનો સમાવેશ થાય છે જે આમેય ગુજરાતમાં આવવાનાં જ હતાં. ઉદાહરણ તરીકે , હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીના ચેરમેન અજિત ગુલાબચંદે રાજ્યમાં રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટમાં આગામી 2-5 વર્ષમાં રૂ. 1,200 કરોડના રોકાણની જાહેરાત કરી. નિયમ મુજબ , ગુજરાત સરકાર માત્ર સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા મારફતે જ વીજળી ખરીદશે અને એચસીસીના સૂચિત પ્રોજેક્ટની કાર્યક્ષમતા સામે હજુ પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તેવી જ રીતે , છત્તીસગઢ સ્થિત રૂ. 1,050 કરોડની વંદના પાવર ઇન્ફ્રાટેકે નવલખી પોર્ટ નજીક રૂ. 10,000 કરોડના કોલસા આધારિત પાવર પ્લાન્ટની જાહેરાત કરી. રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે , જો તેઓ રાજ્ય સરકારની માલિકીવાળી વીજસેવા કંપનીની સ્પર્ધાત્મક બિડમાં સફળ થશે તો જ તેમનું આયોજન ફળીભૂત થશે. રિન્યૂએબલ અને પરંપરાગત વીજળી ક્ષેત્રના મોટા ભાગના પ્રોજેક્ટોનું કોઈ ભાવિ નથી.માત્ર બે દિવસમાં થયેલા કુલ રૂ. 20.83 લાખ કરોડના રોકાણના કરારમાં ત્રીજા ભાગનો હિસ્સો એકલા ઊર્જા ક્ષેત્રનો હતો. 2009 ની વાઇબ્રન્ટ સમિટ દરમિયાન એચસીસીએ રૂ. 40,000 કરોડના રોકાણ સાથે લવાસા મોડલનું ગુજરાતમાં અનુકરણ કરવાની દરખાસ્ત કરી હતી. જોકે , કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે એચસીસી પર લવાસા ખાતે પર્યાવરણ નિયમોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને તેના આયોજનમાં ગુજરાત પ્રોજેક્ટ ક્યાંય દેખાતો નથી. કોંગ્રેસના નેતાઓ સહિતના વિવેચકોએ જણાવ્યું હતું કે 2009 દરમિયાન ગુલાબચંદે જાહેર કરેલા પ્રોજેક્ટમાં કોઈ પ્રગતિ થઈ નથી માટે આ વખતે તેમણે અગાઉની જાહેરાતમાં કામ ચાલી રહ્યું છે એવું કહેવાની ફરજ પડી હતી. અમદાવાદ સ્થિત રૂ . 1,000 કરોડની દિશમાન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડની પેટાકંપની દિશમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે અમદાવાદમાં તેના સૂચિત ફાર્મા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે રૂ . 10,400 કરોડના એમઓયુ કર્યા હતા . કંપનીએ ઇટી સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે તે માત્ર રૂ . 400 કરોડનું જ રોકાણ કરશે જ્યારે બાકીનું ( રૂ . 10,000 કરોડનું ) રોકાણ સેઝમાં આવનારા એકમો દ્વારા કરાશે . અહીં એમઓયુનું ડુપ્લિકેશન થવાની શક્યતા છે કારણ કે સેઝમાં એકમ સ્થાપનારી કંપની અલગથી એમઓયુ કરશે પણ ખરેખર તેના રોકાણનો આંક ડેવલપર દ્વારા પહેલેથી પોતાની ગણતરીમાં લેવાઈ ગયો છે . આમ એક જ રોકાણ માટે કંપની અને ડેવલપર બે અલગ અલગ એમઓયુ કરે તેવી શક્યતા છે . ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ( ઓએનજીસી ) એ તેની ઓનશોર કામગીરી માટે રૂ . 12,500 કરોડનું રોકાણ કરવાની ખાતરી આપી છે , આ રોકાણ પહેલેથી જ તેના આયોજનમાં હતું . ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન , હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે રાજ્ય સરકાર હસ્તકની જાહેર કંપની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન સાથે આંતરરાજ્ય પાઇપલાઇન પ્રોજેક્ટ માટે કરાર કર્યા છે . જોકે , 4,000 કિલોમીટર આંતરરાજ્ય ગેસ ગ્રિડ નાંખવાનો રૂ . 12,500 કરોડનો પ્રોજેક્ટ નિયમનકાર પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના લાઇસન્સ વગર શરૂ જ નથી થઈ શકવાનો . સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા , દેના બેન્ક અને બેન્ક ઓફ બરોડા સામાજિક વિકાસમાં રૂ . 18,000 કરોડનું રોકાણ કરશે . હકીકતમાં આ ભંડોળ કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ મારફતે આવતું હોય છે . જનરલ મોટર્સે હાલોલ ખાતે તેના પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 85,000 યુનિટથી વધારીને 1.5 લાખ યુનિટ કરવા રૂ . 450 કરોડનું રોકાણ કરવાની છે . તે સમિટના સ્થળે અવ્યવસ્થાને કારણે એમઓયુ કરી શકી ન હતી . કંપનીના ઉચ્ચ અધિકારીએ ઇટીને જણાવ્યું હતું કે જનરલ મોટર્સ તેનું વિસ્તરણ આયોજન બહાર પાડવાની હતી તે સમયે જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આવ્યું તે માત્ર એક યોગાનુયોગ હતો . કંપનીના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે , આ રોકાણ એમઓયુ કર્યા વગર પણ થવાનું જ હતું પરંતુ મુખ્યમંત્રીએ અમને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેને સમિટ મારફતે સત્તાવાર બનાવાય . અમદાવાદ સ્થિત એક અગ્રણી કેમિકલ વેપારીએ જણાવ્યું હતું કે , તેણે અમને રૂ . 1.5 લાખથી પણ વધુ આપવાના બાકી છે . મને જ્યારે એમઓયુના કદની જાણ થઈ ત્યારે મને આઘાત લાગ્યો હતો . અમદાવાદ સ્થિત આઇટી કંપનીએ તેના આયોજનમાં રાજ્ય સરકારની ક્યાંય ભૂમિકા ન હોવા છતાં માત્ર કરવા ખાતર એમઓયુ કર્યા હતા . રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ , એસ્સાર ગ્રૂપ અને અદાણી ગ્રૂપ જેવી મોટી કંપનીઓ ગુજરાતમાં તેમનું વિસ્તરણ કરી રહી છે અને સમિટમાં જાહેર કરેલું રોકાણ સમિટ ના યોજાયું હોત તો પણ થવાનું હતું . રાજ્ય સત્તાવાળાના રોકાણના આંકડાના દાવા સંકુચિત હોવા અને રોકાણ કરતાં વધુ પ્રોજેક્ટને સમાવ્યા હોવા છતાં આ ત્રણ અગ્રણી કોર્પોરેટે કુલ રૂ . 1,65,000 કરોડના એમઓયુ કર્યા હતા . સરકારનાં આંતરિક સૂત્રો જણાવે છે કે મુખ્ય સચિવ તેમની માસિક સમીક્ષાની બેઠકમાં એમઓયુમાં લક્ષ્યાંક પ્રમાણેનો દેખાવ નહીં કરનાર વિવિધ વિભાગના અધિકારીઓનો ઊધડો લેશે . એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે , તેનાથી સંબંધિત વિભાગો અન્ય સમકક્ષ વિભાગની તુલનાએ ખરાબ દેખાશે . તેથી મોટા રોકાણ ખેંચવાના સ્થાને અમે વધુ પ્રોજેક્ટને સમાવવાને વધુ પ્રાધાન્ય આપ્યું . ટોચના અધિકારીઓની અવારનવાર બદલી થતી હોવાથી વચલા સ્તરના અધિકારીઓએ લક્ષ્યાંકનું પાલન નહીં કરવા બદલ ઉપરી અધિકારીના રોષનો ભોગ બનવું પડશે . ઉદ્યોગ વિભાગ અને ઇન્ડસ્ટ્રિયલ એક્સ્ટેન્શન બ્યૂરો ( ઇન્ડેક્સ્ટ - બી ) એ 2009 ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટના છ મહિના પછી આયોજન 2011 ની સમિટ માટે તૈયારી શરૂ કરી દીધી હતી . ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સરકારી સ્ટાફના કર્મચારીઓને જે નામથી બોલાવવું ગમે છે તે કર્મયોગીઓએ નોલેજ પાર્ટનર અને પબ્લિક રિલેશન પાર્ટનર શોધવાનું શરૂ કર્યું હતું અને બાદમાં આયોજનનો વિગતવાર અહેવાલ તૈયાર કર્યો હતો . સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓનાં બનેલાં સાત પ્રતિનિધિમંડળો સાત દેશો અને દેશનાં છ મોટાં શહેરોમાં ફરી વળ્યાં હતાં . ઉદ્યોગ સચિવ મહેશ્વર સાહુના પિતાનું સમિટના એક મહિના પહેલાં જ અવસાન થયું હતું પરંતુ તેઓ માત્ર બે જ દિવસમાં ફરી કામે ચઢી ગયા હતા . ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે , અમે સરકારી જાહેર રજાઓના દિવસે પણ સખત પરિશ્રમ કર્યો છે . એક દિવસ લિફ્ટમેન તેનો સમય પૂરો થતાં જતો રહ્યો હતો અને અમારે ઇમારતમાં નીચે ઊતરવા ટોર્ચનો સહારો લેવો પડ્યો હતો . અમે જ્યારે પાર્કિંગ સ્લોટમાં મૂકેલા અમારાં વાહનો પાસે પહોંચ્યા ત્યારે રખડતા કૂતરાઓએ અમારી સામે ભસવાનું શરૂ કર્યું હતું .મુખ્યમંત્રીએ પણ તેના કર્મયોગીઓના સખત પરિશ્રમને શુક્રવારના સમાપન સમારંભમાં વધાવ્યો હતો . 2009 માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટને મળેલા પ્રતિસાદથી પ્રેરાઈને સરકારે ચાલુ વર્ષે સમિટના થોડા દિવસો પહેલાં જ હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે નીતિ બહાર પાડી હતી . આ પગલાથી કંપનીઓને તેમનું રોકાણ આયોજન સઘન બનાવવા પ્રોત્સાહન મળ્યું હોવાનું માનવામાં આવે છે . ( પૂરક માહિતીઃ હિમાંશુ દરજી , મિતુલ ઠક્કર , શ્રમણા ગાંગુલી , વિશાલ દત્તા , પરાગ દવે અને કેયૂર ધનદેવ)

નિફ્ટી 5700ની ઉપર બંધ : Rcomm વધ્યો

નીચા મથાળે ફરી લેવાલી નીકળતાં મુંબઈ શેરબજાર આજે ઉતાર-ચઢાવ બાદ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 19100.26 અને નીચામાં 19100.26 પોઈન્ટની સપાટી વચ્ચે ટ્રેડ થયા બાદ 68.22 પોઈન્ટ વધીને 19046.54 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5729.45 અને 5634.50 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 20.55 પોઈન્ટ વધીને 5711.60 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.14 ટકા અને 0.04 ટકા વધીને બંધ રહ્યા હતા. આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 1.50 ટકા , BSE FMCG ઈન્ડેક્સ 1.36 ટકા અને BSE ઓટો ઈન્ડેક્સ 0.22 ટકા ઘટ્યો હતો જ્યારે BSE બેન્કેક્સ 1.75 ટકા અને BSE IT ઈન્ડેક્સ 0.96 ટકા વધ્યો હતો. આજે વધેલા શેરોમાં RComm ( 2.68%) , ICICI બેન્ક (2.68%) , HDFC બેન્ક (2%) , જિંદાલ સ્ટીલ (1.85%) અને સેસા ગોવાનો સમાવેશ થાય છે. આજે વધેલા શેરોમાં GAIL (- 2.85%) , ITC (- 2.51%) , રેનબેક્સી (-1.99%) , ONGC (- 1.77%) અને BPCL (- 1.51%)નો સમાવેશ થાય છે. NSE માં આજે 1460 શેરોમાં ઘટાડા અને 1390 શેરોમાં વધારા સાથે માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી.

RIMની ગુપ્ત માહિતી લીક થયાની કેનેડાની ફરિયાદ

કેનેડાના હાઈ કમિશને ભારતના ગૃહ સચિવ જી કે પિલ્લાઈને ફરિયાદ કરી છે કે બ્લેકબેરી સ્માર્ટફોન કંપની રિસર્ચ ઇન મોશન ( RIM) દ્વારા સરકારને સુપરત કરવામાં આવેલી ગુપ્ત માહિતી પ્રસાર માધ્યમોમાં લીક થઈ રહી છે. પિલ્લાઈને લખેલા પત્રમાં કેનેડાના હાઈ કમિશનર સ્ટુવર્ટ બેકે જણાવ્યું હતું કે એ વાત ' સંપૂર્ણપણે ન માની શકાય તેવી ' છે કે રિમ તેમજ ગૃહ અને ટેલિકોમ મંત્રાલયોના અધિકારીઓ વચ્ચેની બેઠકની ગુપ્ત કાર્યનોંધ તાજેતરમાં ભારતના મીડિયામાં આવેલા ' હાનિકારક આર્ટિકલ્સ ' માટેનો સ્રોત છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે મીડિયા લીકથી 2008 ની શરૂઆતથી સુરક્ષા સંબંધિત મુદ્દે રિમ અને ભારત સરકાર વચ્ચેની ' સંવેદનશીલ મંત્રણામાં મુશ્કેલી ઊભી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે આ ' લીક ' મદદગાર નથી અને તેનાથી સંવેદનશીલ મંત્રણા માટે જરૂરી છે તેવા વિશ્વાસને અસર થાય છે. ઇટીએ 6 જાન્યુઆરીએ અહેવાલ આપ્યો હતો કે કંપનીએ ભારતની સુરક્ષા એજન્સીઓની ચિંતા દૂર કરવા માટે જાન્યુઆરી 2013 સુધી વધુ 18 થી 24 મહિનોનો સમય માંગ્યો છે. ભારતની સુરક્ષા એજન્સીઓ બ્લેકબેરીની કોર્પોરેટ ઇ-મેઇલ સર્વિસિસ માટે એન્ક્રિપ્શન કોડની માંગણી કરી રહી છે. કંપનીએ સરકારને આ વચગાળાના સમયગાળા સુધી તેની સર્વિસ પર પ્રતિબંધ ન મૂકવા જણાવ્યું હતું. આ અહેવાલ રિમ , ગૃહ અને ટેલિકોમ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે 29 ડિસેમ્બરે યોજાયેલી કાર્યનોંધ આધારિત હતો. રિમ ત્રણ વર્ષથી ભારતની સુરક્ષા એજન્સીઓ સાથે લડત લડી રહી છે. સુરક્ષા એજન્સીઓ બ્લેકબેરીના કોમ્યુનિકેશન પર દેખરેખ રાખવાની ટેક્નોલોજી માંગી રહી છે. ગયા સપ્તાહે કંપનીએ મેસેન્જર સર્વિસ અને પબ્લિક ઇ-મેઇલ સર્વિસની દેખરેખ માટે ટેક્નોલોજી આપી હતી , પરંતુ કોર્પોરેટ ઇ-મેઇલ સર્વિસના દેખરેખ માટેની ટેક્નોલોજી ન હોવાનું જણાવ્યું હતું. કેનેડાના હાઈ કમિશનરે જણાવ્યું હતું કે રિમના ટોચના એક્ઝિક્યુટિવ સ્થિતિની સમીક્ષા કરવા નવી દિલ્હીની મુલાકાત ન લે ત્યાં સુધી ભારત સરકાર સાથેની હાલમાં ચાલી રહેલી તમામ મંત્રણાને મોકૂફ રાખવાની કંપનીએ તેના કર્મચારીઓને સૂચના આપી છે.

મિડ-કેપએ ભંડોળ મેળવવાની યોજના પડતી મૂકી

છેલ્લા બે માસમાં ઓછામાં ઓછી અડધો ડઝન કંપનીઓએ શેરોના વેચાણ અથવા કન્વર્ટિબલ્સ મારફત ભંડોળ એકત્ર કરવાની તેમની યોજનાને પડતી મૂકી છે. એક્વા લોજિસ્ટિક્સ સહિતની ત્રણ કંપનીઓએ વિદેશમાં શેર વેચાણની ઓફર્સ માંડી વાળી છે , જ્યારે અન્ય કંપનીઓએ રાઇટ્સ શેર વેચાણની યોજનાને મુલતવી રાખી છે એમ તેમણે રજૂ કરેલી માહિતી પરથી જણાય છે. બે કંપનીઓએ રોકાણકારોને પ્રેફરન્શિયલ ધોરણે શેરો વેચવાની યોજના પડતી મૂકી છે. ફોર્ચ્યુન ફાઇનાન્શિયલ સર્વિસિસ ગ્રૂપના સીઇઓ , દેવેશ કુમારે જણાવ્યું હતું કે , ઘટતા જતા બજારમાં ખાસ કરીને લિક્વિડિટીની ચિંતા હોય છે , તેથી રોકાણકારો નાના કદની કંપનીઓમાં રસ ગુમાવતા હોય છે.

Tuesday, January 11, 2011

How Instant Gratification affects your Financial Life

7 Income Tax saving tips you might not know

BSE સેન્સેક્સમાં 468 પોઈન્ટનું તોતિંગ ગાબડું

RBI વ્યાજદર વધારશે તેવા ભય અને વિદેશી રોકાણકારોની ધૂમ વેચવાલીથી મુંબઈ શેરબજાર આજે 2.38

ટકા તૂટ્યું હતું.


દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 19,720.43 અને નીચામાં 19,158.43 પોઈન્ટની વચ્ચે ટ્રેડ થયા બાદ 467.69 પોઈન્ટ ઘટીને 19,224.12 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5,907.25 અને 5,740.95 પોઈન્ટની વચ્ચે ટ્રેડ થયા બાદ 141.75 પોઈન્ટ ઘટીને 5762.85 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Sunday, January 9, 2011

BSE સેન્સેક્સમાં 493 પોઈન્ટનો કડાકો

વ્યાજદરમાં વધારો થશે તેવા ભયે મુંબઈ શેરબજાર આજે 2.44 ટકા ગગડીને બંધ રહ્યું હતું

.


દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 20,210.62 અને નીચામાં 19,629.22 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 492.93 પોઈન્ટ ઘટીને 19,691.81 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 6,051.20 અને 5,883.60 પોઈન્ટ વચ્ચે ટ્રેડ થયા બાદ 143.65 પોઈન્ટ ઘટીને 5904.60 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.49 ટકા અને 2.86 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE મેટલ ઈન્ડેક્સ 4.03 ટકા , BSE ઓટો ઈન્ડેક્સ 3.26 ટકા , BSE કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 3.18 ટકા ઘટ્યા હતા. આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.

2.91%) આજે સેન્સેક્સમાં ઘટેલા શેરોમાં હિન્દાલ્કો (- 3.78%), M&M (-3.73%), સેસા ગોવા (- 3.49%), ટાટા મોટર્સ (- અને SAIL (-2.84%) નો સમાવેશ થાય છે.

0.74%) આજે વધેલા મુખ્ય શેરોમાં સન ફાર્મા ( 1.76%), RComm(1.04%), કેઈર્ન ઈન્ડિયા ( 0.94%), ICICI બેન્ક ( અનેપાવર ગ્રીડ( 0.66%) નો સમાવેશ થયો છે.

આજે NSE માં 1882 શેરોમાં ઘટાડા અને 779 શેરોમાં વધારા સાથે માર્કેટબ્રેડ્થ નેગેટિલ રહી હતી.

12.15 વાગ્યે : મુંબઈ શેરબજાર આજે બપોરે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું .ઓલરાઉન્ડ વેચવાલીને પગલે બપોરે 12.15 વાગ્યે BSE સેન્સેક્સ 218.89 પોઈન્ટ ઘટીને 19965.85 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 65.40 પોઈન્ટ ઘટીને 5982.85 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.25 ટકા અને 1.30 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે ઓટો , મેટલ તેમજ રિયલ્ટી શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે બપોરે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજાર ઓપનિંગ : મુંબઈ શેરબજાર આજે નીચે ગેપમાં ખૂલ્યું હતું. ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં BSE સેન્સેક્સ 6.92 પોઈન્ટ ઘટીને 20177.82 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18.10 પોઈન્ટ ઘટીને 6030.15 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.08 ટકા ઘટીને અને 0.04 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે કેપિટલ ગૂડ્ઝ તેમજ બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

116.36 ગુરુવારે BSE સેન્સેક્સ ઉપરમાં 20,425.85 અને નીચામાં 20,107.17 પોઈન્ટની સપાટી વચ્ચે ટ્રેડ થયા બાદ પોઈન્ટ ઘટીને 20184.74 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી આજે ઈન્ટ્રા ડેમાં 6,116.15 પોઈન્ટની ટોચે અને 6,022.30 પોઈન્ટની નીચી સપાટીએ ટ્રેડ થયા બાદ 31.55 પોઈન્ટ ઘટીને 6048.25 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Wednesday, January 5, 2011

સોશિયલ નેટવર્કિંગ 2010ની સૌથી ચર્ચાસ્પદ પ્રવૃત્તિ રહી

અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન તેમાં સામેલ છે. પ્રિયંકા અને બિપાશાને પણ તેમાં રસ છે. શશી થરૂર અને લલિત પણ તેમાં સામેલ છે. તેથી સામાન્ય લોકો અનુકરણ કરી રહ્યા હોવાનો તેમના પર ભાગ્યે જ દોષ મૂકી શકાય છે.

તે નિશંક છે કે સોશિયલ નેટવર્કિંગ 2010 ની સ્ટાર એક્ટિવિટી રહી છે. તેની સાથેનું જોડાણ આ વર્ષની ઘણી ઊંચાઈ (કેટલાંકના મત પ્રમાણે પડતી માટે પણ) માટે અસરકર્તા રહ્યું છે. એક સમય એવો હતો કે સોશિયલ નેટવર્કને મહાનુભાવોના મેળાવડા તરીકે અને ખાસ કરીને તેમાં મોડા આવવું તેમજ કેમેરા અને લોકોની વચ્ચે ઘેરાયેલા રહેવું તેવું માનવામાં આવતું હતું.

હવે ફેસબુક અને ટ્વિટરનું સોશિયલ ગેધરિંગ આવ્યું છે. તેમાં તમામ પ્રકારનો મેળાવડો થાય છે. માર્કેટિંગથી લઇને માર્કેટ રિસર્ચ , પીઆરથી લઇને ઇ-કોમર્સ , મિત્રો અને કુટુંબના સભ્યો સાથે જોડાણ સહિતની તમામ બાબતો માટે સોશિયલ મિડિયા એક જવાબ બન્યો છે.

હવે માત્ર ફેશનપરસ્ત લોકો કે બિગડા બેટા તેનાથી જોડાયેલા નથી , પરંતુ તકવાદી લોબિસ્ટ અને ઇમેજ મેનેજર્સ પણ જોડાયા છે અને રાજકીય નેતાઓ પણ તેમાંથી બાકાત રહેવા માગતા નથી.

ફ્યુચર બ્રાન્ડના સીઇઓ સંતોષ દેસાઇ જણાવે છે કે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ માત્ર ભાવાત્મક જોડાણનું સર્જન કરતા નથી , પરંતુ સંબંધોને વધુ ગહન પણ બનાવે છે. આપણે હવે મિત્રો સાથે વાતચીત કરવા માગતા હોઈએ ત્યારે સમય અને અંતરના અવરોધ રહ્યા નથી.

સોશિયલ મીડિયા કોઈ સરહદ , ભૂગોળ , રાજકારણ કે સંકુચિતતાના બંધનમાં નથી. તેથી સાયબર સ્પેસ હવે તમામ પ્રકારના અવાજ કે તાકીદે સ્ફૂરેલા અભિપ્રાયનું માધ્યમ બન્યું છે. લોકપ્રિયતા અને સેલિબ્રિટીનું મૂલ્યાંકન હવે બોક્સ ઓફિસની આવક કે ચૂંટણીમાં વિજયી સરસાઇની જેમ સોશિયલ નેટવર્કિંગના ફોલોઅર્સની સંખ્યાને આધારે કાઢવામાં આવે છે.

પરંતુ તે દરેક કિસ્સામાં સાચુ નથી. ટ્વિટરને સતત ટ્વીટ કરતા શશી થરૂર 2009 ની ચુંટણીમાં થિરુવનંતપુરમની બેઠક પર જંગી સરરાઇથી જીતી ગયા હતા અને છ લાખ કરતા વધુ ટ્વિટર ફોલોઅર્સ ધરાવતા હોવા છતાં 2010 માં પ્રધાનપદ ગુમાવવું પડ્યું હતું.

જોકે તેમણે તેમની ટ્વિટર ફોલોઅર્સની સંખ્યાના આધારે શાહરુખ ખાન પાસેથી લોકપ્રિયતાનો ખિતાબ ખૂંચવી લીધો હતો અને એક ચેનલે આ ' સિદ્ધિ ' માટે તેમને એવોર્ડ પણ આપ્યો હતો.

રાડિયા કેસમાં તપાસના ઘેરાવામાં આવેલા કેટલાંક વરિષ્ઠ પત્રકારોને પણ ટ્વિટિંગની શક્તિ સમજાઈ હતી. પ્રથમ તેમણે સાઇટ પર પોસ્ટ મારફત પોતાનો રોષ વ્યક્તિ કર્યો હતો. આખરે તેઓ ટ્વિટરના પ્રભાવમાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર ઘણી લડાઈ પણ જોવા મળી હતી. રાજકીય મુદ્દાથી લઇને ક્રિકેટના વિવાદ અને બોલિવૂડમાં કેટફાઇટ સહિતના તમામ મુદ્દે ટ્વિટર એક હથિયાર બન્યું હતું. આ લોકપ્રિયતાને પગલે ફેસબુકના યુઝર્સની સંખ્યા 50 કરોડ થઈ હતી , જે તેની સફળતાનો સંકેત છે.

સિક્યોરિટી કંપની નાઇપેક્સના જણાવ્યા અનુસાર ઇન્ટરનેટ સોશિયલ નેટવર્કિંગના 11 ખેલાડીઓના બિઝનેસના મૂલ્યમાં છેલ્લા છ મહિનામાં આશરે 20 અબજ કે 54 ટકાનો વધારો થયો છે. તેનાથી આવી સાઇટ માટે રોકાણકારો પણ આકર્ષાયા છે.

ભારતમાં રોકાણથી મળતા લાભથી આકર્ષાતા NRI

હવે વ્યાવસાયિકો વિદેશમાં થોડા સમય રહેવાની વાત સામાન્ય થઈ ગઈ છે. આજ કારણોસર પોતાને બિનનિવાસી ભારતીય કહેવડાવનારાનો સામનો

હવે ફાઇનાન્શિયલ એડ્વાયઝરોએ સમયાંતરે કરવું પડે છે. લેડરસેવન ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ફાઇનાન્શિયલ પ્લાનર સુરેશ સદગોપન કહે છે કે, મોટા ભાગના NRI છેવટે ભારત આવવા માંગતા હોવાથી તેઓ અહીં રોકાણ કરવા માટે આતુર હોય છે.

લાગણીવશ થવા ઉપરાંત ભારત સાથે સંપર્ક જીવંત રાખવો એટલા માટે સમજભર્યું છે કે, ભારત અત્યારે સૌથી ઝડપથી વિકસતા દેશો પૈકીનું એક હોવાથી અહીં ઊંચું વળતર મળે છે. એક બેન્કના વેલ્થ મેનેજર જણાવે છે કે, વિદેશમાં દ્વિઅંકી વળતર મેળવવું શક્ય નથી જ્યારે ભારતમાં 8-9 ટકાના વળતરની અપેક્ષા રાખી શકાય છે. ઉદાહરણ તરીકે પાછલાં થોડાં વર્ષ સુધી ભારતીય શેરબજારોએ 100 ટકા સુધીનું વળતર આપ્યું છે. વિકસિત દેશોમાં આની કલ્પના પણ કરી શકાતી નથી. નિશ્ચિત આવક રળી આપતાં રોકાણોમાં પણ 8-10 ટકાનું વળતર મળે છે, જ્યારે વિદેશમાં 3-4 ટકાનું રોકાણ પણ સારું ગણવામાં આવે છે.

ઘણા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ્સ માને છે કે, પ્રોપર્ટી માટે NRIને ઘણું આકર્ષણ હોય છે. ઓળખ ગુપ્ત રાખવાની શરતે એક ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, મને મળતી મોટા ભાગની પૂછપરછ પ્રોપર્ટી અંગેની હોય છે. કેટલાક લોકો છેવટે ભારત આવવા માંગતા હોવાથી પ્રોપર્ટી ખરીદતા હોય છે. કેટલાક લોકો માત્ર રોકાણ માટે પ્રોપર્ટી ખરીદતા હોય છે. તાજેતરમાં જ રિયલ એસ્ટેટનો જે ફુગ્ગો ફૂટ્યો તેને ઊભો કરવામાં NRIનું યોગદાન મહત્ત્વનું હતું.

NRIને અનેકવિધ યોજનાઓમાં રોકાણ કરવાની પરવાનગી મળી હોવાથી તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે પણ આતુર હોય છે. તેઓ કહે છે કે, મ્યુચ્યુઅલમાં વધારે સારું વળતર મળતું હોવાનું તેઓ જાણતા હોવાથી તેઓ અહીં રોકાણ કરવા પણ આતુર હોય છે. આ ઉપરાંત ઓઆઇસી અને પીઆઇઓ પર રોકાણ કરવા પર કોઈ પ્રકારનું બંધન નથી. તેઓ ઇચ્છે ત્યાં રોકાણ કરી શકે છે.

જોકે, ફાઇનાન્શિયલ એડ્વાઇઝર્સની સલાહ હોય છે કે NRIએ રોકાણ કરતાં અગાઉ પોતાની વિગતવાર માહિતી આપતી વખતે તકેદારી રાખવાની રહે છે. વ્યક્તિએ પોતાની સંપૂર્ણ સ્થિતિ અંગે વિગતવાર દસ્તાવેજ રજૂ કરવા જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં અગાઉ શી તકેદારી રાખવી તેની સમજ આપતાં સુરેશ કહે છે કે, તેમણે અરજીપત્રકમાં જણાવવું જોઈએ કે તેઓ NRI છે.

તેમણે વિદેશમાંનું તેમનું સરનામું પણ આપવાનું રહે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, એફડીના કિસ્સામાં તેમને એનઆરઇ અને એનઆરઓ ખાતા વચ્ચેનો ભેદ ખબર હોવો જોઈએ. આ મહત્ત્વનું છે કારણ કે એનઆરઓ ખાતામાં રકમ વિદેશમાં પરત લઈ શકાય છે જ્યારે NRI ખાતામાં તેમ કરી શકાતું નથી. મહત્ત્વના દસ્તાવેજો દર્શાવવાને નાણાકીય નિષ્ણાતો ખૂબ મહત્ત્વ આપે છે. કોઈ વ્યક્તિ વીમો લેવા માંગતી હોય તો કંપની વર્ક પરમિટની વિગત આપે છે. જોકે, આ દસ્તાવેજોની જરૂરિયાત કંપનીએ-કંપનીએ જુદી જુદી રહે છે.

દેશમાં NRI થાપણના પ્રવાહમાં જોરદાર વધારો નોંધાયો

વિદેશમાં વસતા ભારતીયો મોટાપાયે પુનરાગમન કરીને પોતાની બચત સ્થાનિક બેન્કોમાં રોકી રહ્યા

છે. એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં વિદેશી ભારતીયો દ્વારા વિવિધ ભારતીય બેન્કોમાં રોકવામાં આવેલાં નાણા બમણા કરતાં પણ વધી ગયા હતાં.


ભારતીય બેન્કોએ એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન બિનનિવાસી ભારતીય( NRI) પાસેથી 2.7 અબજ ડોલરની થાપણ મેળવી હતી. એક વર્ષ પહેલાના સમયગાળામાં આ પ્રવાહ 1.1 અબજ ડોલરનો હતો , તેમ ભારતીય રિઝર્વ બેન્ક ( RBI) દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા છેલ્લામાં છેલ્લા આંકડામાં દર્શાવાયું હતું. જોકે , મોટાભાગનો નાણા પ્રવાહ એપ્રિલથી જુલાઇના સમયગાળામાં જોવાયો હતો.

એનઆરઆઈ ડિપોઝિટ માર્કેટમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં નોંધપાત્ર હાજરી ધરાવતી બેન્ક ઓફ બરોડાના એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં એનઆરઆઈનો વિશ્વાસ મળવાનો હજુ બાકી છે ત્યારે વિવિધ એનઆરઆઈ થાપણ મારફત મજબૂત નાણાપ્રવાહ જોવાઇ રહ્યો છે.

એનઆરઆઈ થાપણના પ્રમાણમાં તિવ્ર વધારો થઇ રહ્યો છે ત્યારે નિવાસી થાપણની સ્થિતિ તેનાથી વિપરીત છે. નિવાસી ભારતીય ધીમેધીમે બેન્ક થાપણથી વેગળા થવાનું શરૂ કર્યું છે. પ્રથમ છમાસિક ગાળામાં બેન્કો દ્વારા એકઠી કરવામાં આવેલી થાપણોનું પ્રમાણ રૂ. 3,57,000 કરોડ (રૂ. 3,68,000 કરોડ) હતું.

નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા છ મહિનામાં ઘરઆંગણાની બેન્કોમાં વ્યાજના દર સતત ઘટ્યા હોવા છતાં એનઆરઆઈ નાણાનો પ્રવાહ વધ્યો છે. જોકે , આરબીઆઈએ ગયા વર્ષના સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન વૈશ્વિક નાણાકીય કટોકટીની નકારાત્મક અસરને ટાળવા માટે વિદેશી ચલણના બિન નિવાસી ખાતાઓ તથા બિનનિવાસી વિદેશી રૂપી ખાતાઓ માટે વ્યાજના દર ઉપરની મર્યાદાને ત્રણવાર વધારી છે. આ મર્યાદા પ્રવર્તમાન છ મહિનાના લિબોર દર સાથે સંકળાયેલી છે.

એક જાહેર ક્ષેત્રની બેન્કના અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક વ્યાજના દર ઘટ્યા હોવા છતાં પણ ભારતને હજુ પણ સલામત સ્વર્ગ માનવામાં આવે છે. વળી , ઘરઆંગણાના વ્યાજના દર હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતા વ્યાજદરની સરખામણીએ આકર્ષક છે.

એનઆરઆઈ પોતાની થાપણ ત્રણ યોજનાએફસીએનઆર( B), એનઆરઇ( RA) અને બિનનિવાસી સામાન્ય રૂપી એકાઉન્ટમાં મુકે છે. છેલ્લી યોજનામાં નાણાનો પ્રવાહ બિનરિપેટ્રિએબલ છે , જ્યારે પ્રથમ બે યોજનામાં રિપેટ્રિએબલ છે. બે રિપેટ્રિએબલ યોજનાને જે અલગ બનાવે છે તે એ છે કે એફસીએનઆર( B) ના કિસ્સામાં એક્સ્ચેન્જનું જોખમ થાપણ મેળવનાર બેન્ક દ્વારા ઉઠાવવામાં આવે છે.

આગામી બજેટમાં એક્સાઇઝ ડ્યૂટીની રાહતોનો અંત આવી શકે

નાના ઉદ્યોગોને ઉપલબ્ધ થતી એક્સાઇઝ ડ્યૂટીની રાહતોનો આગામી બજેટમાં અંત આવવાની શક્યતા છે કેમ કે સરકાર ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લાગુ કરવા માટે તખતો તૈયાર કરી રહી છે. જોકે આ ઉદ્યોગોને નીચી કર તથા ઓછામાં ઓછી પૂર્તતાનું ભારણ ધરાવતી અન્ય યોજનાઓમાં તબદીલ થવાનો વિકલ્પ રહેશે.

વાટાઘાટોથી સુપરિચિત એવા એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે , કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પરોક્ષ વેરામાં ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના કેટલાક હિસ્સાને લાગુ કરવા માંગે છે અને તેના સંદર્ભમાં એક કમ્પોઝિશન યોજનાની ચકાસણી કરવામાં આવી રહી છે.

આની પાછળનો વિચાર નાના ઉત્પાદકોને નુકસાન પહોંચાડ્યા સિવાય જીએસટીને અનુરૂપ કરવા વ્યાપને વિસ્તારવામાં આવે. સૂચિત કમ્પોઝિશન યોજના અનુસાર નાના પાયાના ઉત્પાદકે હાલમાં પ્રવર્તી રહેલા 12 ટકાના સેનવેટ દરની સામે ઓછામાં ઓછી પૂર્તતાનું ભારણ સાથે ઘણા નીચા દરે ડ્યૂટી ભરવી પડશે.

આ દર કુલ ટર્નઓવરના એક ટકા જેવો નીચો હોઈ શકે. જોકે મેન્યુફેક્ચરર્સ પાસે સંપૂર્ણ ડ્યૂટી ભરી દઈને પછી તેના કાચા માલ માટે ભરેલી ડ્યૂટી સામે ક્રેડિટ મેળવવાનો દાવો કરવાનો વિકલ્પ હશે. આ યોજના સૂચિત જીએસટી સાથે સુસંગત છે.

હાલમાં રૂ. 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના પાયાના ઉદ્યોગોને એક્સાઇઝ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ જીએસટી મુક્તિના ઉંબરને ઘટાડીને રૂ. 10 લાખ કરવાની દરખાસ્ત કરે છે. સરકાર કરના વ્યાપને વિસ્તારવા માટે ટર્નઓવરના ઉંબરને નીચો કરવા આતુર છે.

તેનો અર્થ એવો થયો કે રૂ. 10 લાખથી રૂ. એક કરોડની વચ્ચેનું ટર્નઓવર ધરાવતા એકમો 12 ટકાની એક્સાઇઝ ડ્યૂટીના કરપાત્ર ટર્નઓવરના સ્થાને ઘણા નીચા દર ધરાવતી યોજનાને અપનાવી શકે. કમ્પોઝિશન યોજના અપનાવનારા મેન્યુફેક્ચરિંગ એકમે રેકર્ડ જાળવવાની જરૂરિયાત રહેશે નહીં જોકે તે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવી શકશે નહીં.

તજ્જ્ઞો કહે છે કે આવી યોજનાના કારણે જીએસટીમાં વધારે સરળતાથી સંકમણ કરી શકાશે . હિસાબી પેઢી અર્ન્સ્ટ એન્ડ યંગના ભાગીદાર બિપીન સાપરાએ જણાવ્યું હતું કે , કમ્પોઝિશન યોજના ધિરાણના પ્રવાહના સંદર્ભમાં કદાચ આદર્શ બની શકે નહીં . પરંતુ નાનાકરદાતાઓને ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના માળખામાં લાવવા માટે એક સંક્રમણની વ્યવસ્થા તરીકે કામ કરી શકે .

મુખ્ય સમાચાર


ડિસેમ્બરમાં મારુતિ સુઝુકીનું વેચાણ 17 ટકા વધ્યું

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ડિસેમ્બર 2010માં 17.01 ટકાની વૃદ્ધિ સાથે 99,225 એકમનું વેચાણ કર્યું છે...


SBI, ICICI બેન્ક અને HDFC સહિતની દેશની પ્રમુખ બેન્કોએ પોતાના લેન્ડિંગ અને ડિપોઝિટ રેટમાં 1 ટકા સુધીનો વધારો કર્યો છે...

નેટ્કો ફાર્માએ અમેરિકા સ્થિત કંપની ફાઇઝરની એચઆઇવીની દવાની નકલ બનાવીને ભારતમાં વેચવા માટે કંપની પાસેથી સ્વૈચ્છિક લાઇસન્સની માંગણી કરી છે...

દેશની સાતમા ક્રમની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર પટણી કમ્પ્યુટર્સમાં નિયંત્રણાત્મક હિસ્સો ખરીદવાની દોડમાં વધુ એક સપ્તાહનો વિલંબ થઈ શકે છે...

ગુજરાતમાં નાનાં વિમાનોનું ઉત્પાદન થશે

અમદાવાદ : એન્જિનિયરિંગ સેક્ટરમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતા ગુજરાતમાં માઇક્રોલાઇટ એરક્રાફટ અને પ્રાઇવેટ કમ્યુટર એરક્રાફટનું ઉત્પાદન થશે. ગુજરાતની નેલટેક અને ગાયરો એરક્રાફટ કંપની આ માટે રાજ્ય સરકાર સાથે વાટઘાટ કરી રહી છે. રાજ્યમાં એવિયેશન સેક્ટરના છ પ્રોજેક્ટમાં રૂ. 1,255 કરોડનાં નવાં રોકાણ આવશે.

ગુજરાતમાં એવિયેશન સેક્ટરમાં મોટા પ્રોજેક્ટ મેળવવા ગુજરાત સરકારે અગાઉ કેટલીક કંપનીઓ સાથે મંત્રણા કરી હતી. નેલ ટેક કંપની રૂ. 600 કરોડના ખર્ચે ટુ સીટર એરક્રાફટ બનાવવાનો પ્રોજેક્ટ વડોદરામાં સ્થાપશે.

ગાયરો એરક્રાફટ કંપની રૂ. 250 કરોડના ખર્ચે સ્પોર્ટિંગ એરક્રાફટ બનાવશે જે હેલિકોપ્ટર અને નાના પ્લેનનું હાઈબ્રિડ મોડલ હોય છે અને તેનો ઉપયોગ નજીકના સ્થળે ઓછી જગ્યામાં પણ લેન્ડ કરી શકાય તેવા સ્થળે જવા માટે કરી શકાય છે. આ કંપની એક વર્ષમાં 250 એરક્રાફટ બનાવવાની ક્ષમતા ધરાવશે.

આ ઉપરાંત રાજ્યની પ્રથમ એવિયેશન ઇન્સ્ટિટ્યૂટ એમ-પાવર એનર્જી ઇન્ડિયા લિમિટેડ એવિયેશન સેક્ટરમાં એકેડેમિક અને એજ્યુકેશન સર્વિસ આપશે. હાલમાં દહેરાદૂન અને દક્ષિણ ભારતમાં હાજરી ધરાવતી આ કંપની રૂ. 200 કરોડના ખર્ચે સંસ્થા સ્થાપશે.

નાઇડ્સ પ્રાઇવેટ લિમિટેડ રાજ્યના નાના એરપોર્ટ કે એર સ્ટ્રીપ પર એરોસ્પોટ્સને લગતી પ્રવૃત્તિ કરશે. એબીજે એવિયેશન નામની કંપની ફિક્સ બેઝ ઓપરેશન (એફબીઓ) નાના એરપોર્ટ પર સર્વિસ આપશે. ગુજરાત સરકાર જે નાના એરપોર્ટ વિકસાવવા જઈ રહી છે , તેના ભાગરૂપે બેથી ત્રણ સ્થળો પર આ એફબીઓ સેવા શરૂ કરશે , જેમાં કંપની રૂ. 100 કરોડનું રોકાણ કરશે.

BSE સેન્સેક્સમાં 198 પોઈન્ટનું ગાબડું

રેટ સેન્સિટિવ શેરોમાં વેચવાલીથી મુંબઈ શેરબજાર આજે રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં

20,509.95 અને નીચામાં 20,243.95 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 197.62 પોઈન્ટ ઘટીને 20301.10 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.


વૈશ્વિક બજારોમાં નરમાઈ અને આરબીઆઈની બેઠક અગાઉ રેટ સેન્સિટિવ શેરોમાં રોકાણકારોએ વેચવાલી કરતાં સેન્સેક્સ ગગડ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 6,141.35 અને 6,062.35 પોઈન્ટ વચ્ચે અથડાયા બાદ 66.55 પોઈન્ટ ઘટીને 6079.80 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.27 ટકા અને 1.02 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE બેન્કેક્સ 2.19 ટકા , BSE રિયલ્ટી ઈન્ડેક્સ 2.03 ટકા અને BSE ઓટો ઈન્ડેક્સ 1.95 ટકા ઘટ્યા હતા.

આ વર્ષમાં સારા મિડ-કેપ શેરો ઝળકશે

શેર દલાલો કેટલાક એવા ફંડામેન્ટલી મજબૂત મિડ-કેપ શેરોની ભલામણ કરી રહ્યા છે જેઓ તેમના ભાવમાં ગરબડ થયાના આક્ષેપો પછી તૂટી ગયા હતા અને તેનાથી બજારના સેન્ટિમેન્ટ પર અસર થઇ હતી.

અર્થતંત્ર માટે આ વર્ષે 8.5 ટકા વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને વૃદ્ધિમાં વેગ આવ્યો હોવાથી અનેક શેર દલાલો મિડ-કેપ કંપનીઓ અને વ્યાપક રીતે ઉદ્યોગની તકો માટે આશાવાદી છે.

વેટુવેલ્થ બ્રોકર્સના પીએમએસ હેડ , આલોક રંજને જણાવ્યું હતું કે , આ વર્ષ મિડ-કેપનું રહેવાનું છે. રોકાણકારો વધતા દરેક શેરને જોવાના બદલે તેમના પોર્ટફોલિયોમાં યોગ્ય શેરોને પસંદ કરે તો તેમના માટે સારું રહેશે.

આ બ્રોકિંગ કંપની ઇન્ફર્મેશન ટેકનોલોજી , સિમેન્ટ , સ્થાનિક વપરાશ અને ઓટોમોબાઇલ જેવા ક્ષેત્રો માટે તેજીનું વલણ ધરાવે છે.

જોકે , રંજન નાના રોકાણકારો માટે સાવચેતીનો સૂર કાઢતા જણાવે છે કે તેમણે મિડ-કેપ શેરોમાં રોકાણ કરવામાં સાવચેતી રાખવાની જરૂર છે , કેમકે કેટલાક કાઉન્ટર્સમાં કોઇ વાજબી કારણ વિના જ પુષ્કળ પ્રવૃત્તિ થતી હોય છે.

તેમણે એવા સલામત શેરોમાં જ રોકાણ કરવું જોઇએ કે જેમાં કંપની તેની કામગીરી અને ડિવિડન્ડ ચુકવણીનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવતી હોય અને તેના મેનેજમેન્ટની પ્રતિષ્ઠા સારી હોય.

અત્યારે ઘણા મિડ-કેપ શેરો તેમના ટોચના મૂલ્યોથી ઘણા નીચા ભાવે મળે છે. કેટલાક કિસ્સામાં તો શેરનો ભાવ ઘણો નીચો હોય છે. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સે નવેમ્બરમાં તેની 52- સપ્તાહની ઊંચી સપાટી બનાવી હતી , તે પછી અત્યારે તે 10 ટકા નીચા સ્તરે છે.

આ ઇન્ડેક્સના 283 શેરોમાંથી 118 જેટલા શેરો કડાકા અગાઉની તેમની કિંમતોથી અત્યારે 10 ટકાથી 84 ટકા નીચે ચાલી રહ્યા છે. જેમના પર ભાવમાં ચાલાકી થયાના આક્ષેપો છે તેવી કંપનીઓના શેરો સિવાય યાદીમાં અન્ય કેટલીક મજબૂત કંપનીઓના શેરો પણ સામેલ છે , જેઓ સેબીની કડક કાર્યવાહીના કારણે આવેલા કડાકામાં ગબડ્યા છે.

ઇન્ડિયાબુલ્સ સિક્યોરિટીઝના સીઇઓ દિવ્યેશ શાહે જણાવ્યું હતું કે , આ વર્ષમાં મિડ-કેપ્સની માગ રહેશે. લાર્જ-કેપના ઘટી રહેલા દેખાવ વચ્ચે અમે આ શેરોમાં પ્રવૃત્તિ વધતી જોઇ શકીએ છીએ.

જોકે , તેમણે કહ્યું હતું કે જેમના મૂલ્યો વાજબી હશે અને નફાવૃદ્ધિની શક્યતા અને સારું મેનેજમેન્ટ હશે તેવી કંપનીઓ પર બધાનું ધ્યાન પડશે. કેટલીક નાની આઇટી કંપનીઓ , શિક્ષણ અને રીયલ્ટી કંપનીઓ ચાલુ વર્ષે સંભવિત વિજેતા હોઇ શકે છે.

2010 માં બીએસઇ મિડ - કેપ ઇન્ડેક્સ સેન્સેક્સની 16.8 ટકા વૃદ્ધિ સામે 14.5 ટકા વૃદ્ધિ નોંધાવીને થોડો નબળો રહ્યો હતો . જોકે , અગાઉના વર્ષોમાં આ ઇન્ડેક્સે ચડિયાતું વળતર આપ્યું હતું .

ફોર્ચ્યુન ફાઇનાન્શિયલ સર્વિસીસના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઇઓ દિવેશ કુમારના જણાવ્યા અનુસાર , તાજેતરમાં કિંમતોમાં ગેરરીતિના આક્ષેપો પછી રોકાણકારો તેમાં રોકાણ કરવાથી દૂર રહેવા લાગ્યા છે , તેથી મિડ - કેપ બાઉન્સ થતા થોડોક સમય લાગશે . બજાર મે પછી તાકાત બતાવશે અને ત્યારે મિડ - કેપ શેરોમાં સારો સુધારો જોવા મળશે.

Tuesday, January 4, 2011

અમૂલ દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો

અમદાવાદ : શાકભાજી બાદ હવે દૂધના ભાવમાં વધારો થશે. અમૂલ બ્રાન્ડ હેઠળ વિવિધ ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતી રાજ્યની સૌથી મોટી

દૂધ ઉત્પાદક ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)એ સમગ્ર દેશમાં તેના દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 2 નો વધારો કરવાની જાહેરાત કરી છે.


જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું હતું કે , '' અમે અમારી વિવિધ બ્રાન્ડ્સમાં રૂ. 1 થી રૂ. 2 નો વધારો કર્યો છે.

આ ભાવવધારો ગુજરાત અને દિલ્હીમાં 30 ડિસેમ્બરથી અને દેશના બાકીના ભાગમાં 3 જાન્યુઆરીથી અમલમાં આવશે.તેમણે જણાવ્યું હતું કે , અમારી ગોલ્ડ અને શક્તિ બ્રાન્ડની કિંમતમાં લિટર દીઠ રૂ. 2 નો વધારો થશે તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના ભાવમાં લિટર દીઠ રૂ. 1 નો વધારો થશે.

34 ભાવવધારા બાદ મુંબઈ , દિલ્હી , કોલકાતા અને ગુજરાતના કેટલાક જિલ્લામાં અમૂલ-ગોલ્ડની કિંમત પ્રતિ લિટર રૂ. 34 થશે , જ્યારે શક્તિ , તાઝા અને સ્લિમ એન્ડ ટ્રિમની કિંમત લિટર દીઠ રૂ. 30, રૂ. 25 અને રૂ. 23 થશે. મુંબઈમાં તાઝા બ્રાન્ડની કિંમતમાં લિટર દીઠ માત્ર રૂ. 1 નો વધારો થશે કારણ કે ત્યાં ગોલ્ડની કિંમત પહેલેથી રૂ. પ્રતિ લિટર છે.

કોલકાતામાં ગોલ્ડની કિંમતમાં લિટર દીઠ રૂ. 2 અને તાઝાની કિંમતમાં લિટર દીઠ રૂ. 2 નો વધારો થશે. ત્યાં આ ભાવવધારો 3 જાન્યુઆરીથી અમલી બનશે.

જીસીએમએમએફે ચાલુ વર્ષમાં ત્રીજી વખત ભાવવધારો કર્યો છે. અગાઉ ફેડરેશને ફેબ્રુઆરી અને જુલાઈમાં ભાવવધારો કર્યો હતો.

સોઢીએ જણાવ્યું હતું કે , અમારે દૂધની કિંમત વધારવાની ફરજ પડી છે કારણ કે દૂધ ઉત્પાદકો ફુગાવાના ભારે દબાણ હેઠળ જીવી રહ્યા છે. પશુઆહાર , શ્રમ , ઈંધણ અને ગેસની કિંમત પણ વધી છે.

તેમણે જણાવ્યું હતું કે , ગુજરાતમાં અમે માત્ર અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં જ ભાવવધારો કરી રહ્યા છીએ. ફેડરેશનના યુનિયનના અન્ય સભ્યો (વ્યક્તિગત ડેરીઓ) તેમના જિલ્લામાં ભાવવધારા અંગે નિર્ણય લેશે.

જીસીએમએમએફ નવી દિલ્હી , કોલકાતા અને મુંબઈમાં કુલ દૈનિક 27 થી 29 લાખ લિટર દૂધ સપ્લાય કરે છે.

3.32 ફેડરેશન 13 જિલ્લા સહકારીઓના નેટવર્ક સાથે 29 લાખ દૂધ ઉત્પાદકો ધરાવે છે. ફેડરેશન દૈનિક 91 લાખ લિટર દૂધની ખરીદી કરે છે અને રૂ. 8,000 કરોડનું ટર્નઓવર ધરાવે છે. 2009-'10 માં ફેડરેશનનું કુલ દૂધ કલેક્શન અબજનું છે.

અમદાવાદમાં હોટેલ ઓક્યુપન્સીમાં ઘટાડો થશે

અમદાવાદ : હોટેલિયર્સમાં ભાવ યુધ્ધ ફાટી નીકળવાની શક્યતા છે. અમદાવાદમાં અનેક દેશોમાં હાજરી ધરાવતી રેડિસન , ફોર પોઈન્ટ શેરટોન અને ક્રાઉની પ્લાઝા આગામી બે વર્ષમાં સક્રિય થઈ રહી છે ત્યારે 2012 સુધીમાં શહેરમાં 1600 નવા રૂમનો પુરવઠો આવતા ઓક્યુપન્સી દર ઘટીને 36 ટકા થશે , તેમ વૈશ્વિક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કનો તાજેતરનો અહેવાલ સૂચવે છે.

અહેવાલમાં જણાવાયું છે કે હોસ્પિટાલિટી સેક્ટરમાં સ્પર્ધા તીવ્ર બનશે જેને પગલે ઓક્યુપન્સી અને એવરેજ રૂમ રેન્ટલ(એઆરઆર)માં ઘટાડા તરફી દબાણ આવશે.

એઆરઆર અત્યારના 3756 રૂપિયાના સ્તરથી ઘટે તેવી શક્યતા છે. દેશના અન્ય મુખ્ય શહેરો કે જ્યાં રૂમની માંગનું મુખ્ય ચાલકબળ વિદેશી પ્રવાસીઓ છે તેનાથી વિપરિત અમદાવાદમાં તે સ્થાનિક પ્રવાસીઓ છે તેનાથી વિપરિત અમદાવાદમાં તે સ્થાનિક પ્રવાસી સેગમેન્ટ આધારિત છે.

રૂમનો આ નવો પુરવઠો માંગ કરતાં વધુ હશે. રૂમની દૈનિક માંગ 2010 ની 860 થી વધીને 2013 માં 1158 થશે તેની સામે 2013 માં નવો પુરવઠો આવ્યા બાદ રૂમની સંખ્યા હાલના 1789 રૂમથી વધીને 2013 થશે.

અમદાવાદમાં ક્રાઉની પ્લાઝા હોટેલનું નિર્માણ કરી રહેલી સાવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વડા જક્ષય શાહ જણાવે છે કે શહેરમાં હોટેલ રૂમની હંમેશા માંગ રહેશે જે કન્વેન્શન્સ , કાર્યક્રમો અને બિઝનેસ મિટિંગોમાં ભાગ લેવા શહેરની મુલાકાત લઈ રહ્યા છે.

ચાંદી નવી ઊંચી સપાટીએઃ સોનામાં સુધારો

મુંબઈઃ ચાંદીના ભાવ સોમવારે નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. સટોડિયા અને સ્ટોકિસ્ટ્સની લેવાલી તેમજ ઔદ્યોગિક માગને

પગલે મજબૂત વૈશ્વિક પ્રવાહ વચ્ચે ચાંદીમાં સુધારો નોંધાયો હતો.


350 99.5) સોનું પણ લગ્ન સિઝનની માગ અને સ્થાનિક ખરીદીને પગલે વધ્યું હતું. હાજર ચાંદી (શુદ્ધતા . 999) પ્રતિ કિગ્રા રૂ. ઊછળી ગયા શનિવારના રૂ. 47,120 ના બંધ સામે રૂ. 47,560 ના મથાળે બંધ રહી હતી. સ્ટાન્ડર્ડ સોનું (શુદ્ધતા પ્રતિ 10 ગ્રામ રૂ. 35 વધીને રૂ. 20,680 ના સ્તરે પહોંચ્યું હતું.

શુદ્ધ સોનું (શુદ્ધતા 99.9) રૂ. 35 વધીને પ્રતિ 10 ગ્રામ રૂ. 20,780 ના મથાળે પહોંચ્યું હતું. યુરો ઝોન ડેટ સમસ્યા અને વિકાસશીલ દેશોમાં ફુગાવાની ચિંતાને પગલે યુરોપમાં સોના-ચાંદીમાં સુધારાની ચાલ જોવા મળી હતી.

સિટી બેન્ક કૌભાંડમાં હીરો ગ્રૂપના વરિષ્ઠ અધિકારીની ધરપકડ

સિટી બેન્કના કૌભાંડમાં પોલીસે સોમવારે હીરો ગ્રૂપના વરિષ્ઠ અધિકારી સંજય ગુપ્તાની ધરપકડ કરી

હતી. હીરોના અધિકારીએ ગ્રૂપ કંપનીના પ્રમોટર્સના રૂ.
250 કરોડનું રોકાણ સિટી બેન્કની કથિત સ્કીમમાં કર્યું હતું.

હીરો કોર્પોરેટ સર્વિસિસમાં ગુપ્તા એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ તરીકે કામ કરે છે. ગુડગાંવના પોલીસ કમિશનર એસ એસ દેસવાલે જણાવ્યું હતું કે , ગુપ્તાએ હીરો ગ્રૂપની વિવિધ કંપનીઓ અને તેના પ્રમોટર્સના રૂ. 250 કરોડનું રોકાણ કર્યું હતું.

આ માટે ગુપ્તાએ બે ફાઇનાન્સ કંપનીઓ- બી જી ફાઇનાન્સ અને જીટુએસ કન્સલ્ટન્સીની રચના કરી હતી અને રકમના રોકાણ માટે સિટી બેન્કના અધિકારી પુરી પાસેથી કમિશન પેટે રૂ. 20 કરોડ મેળવ્યા હતા.

સિટી બેન્કની ગુડગાંવ શાખામાં રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરતા પુરીએ સેબીના બનાવટી પત્રના આધારે લોકોને 18 ટકા જેટલું ઊંચું વળતર આપવાની ખાતરી આપી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ વેચી હતી. તેની ગયા સપ્તાહમાં ધરપકડ થઈ હતી અને એક સપ્તાહ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.

પોલીસે જણાવ્યા પ્રમાણે હીરો ગ્રૂપના કેટલાક કર્મચારીઓ અને પ્રમોટર્સે શિવરાજ પુરીની સ્કીમ્સમાં રોકાણ કર્યું છે. જોકે રોકાણકારોના નામ અને રોકાણનું ચોક્કસ પ્રમાણ જાણી શકાયું નથી.

ગુપ્તાની ધરપકડ બાદ પોલીસે તેની 10 દિવસની કસ્ટડી માંગી હતી , પરંતુ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કમ એડિશનલ સિવિલ જજ (સિનિયર ડિવિઝન) ડી એન ભારદ્વાજે માત્ર પાંચ દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી.

પોલીસે અગાઉ ઇન્ડિયન પિનલ કોડની સેક્શન 120 બી હેઠળ તેની ધરપકડ કરી હતી જે ફોજદારી કૌભાંડ સંબંધિત છે. પોલીસે ગયા સપ્તાહમાં ગુપ્તાને શિવરાજ પુરી સાથે પૂછપરછ માટે બોલાવ્યો હતો જે સિટી બેન્કના રૂ. 300 કરોડના કૌભાંડમાં મુખ્ય આરોપી છે. દેસવાલે જણાવ્યું હતું કે , પુરીએ સ્વીકાર્યું હતું કે સેબીના બનાવટી પત્ર વિશે ગુપ્તાને જાણકારી હતી. સેબીના પત્રના આધારે હાઈ નેટવર્થ ક્લાયન્ટ્સને નાણાં રોકવા માટે લલચાવવામાં આવ્યા હતા.

દેસવાલે જણાવ્યું હતું કે અન્ય ત્રણ શકમંદ પુરીના દાદા દાદી પ્રેમનાથ ( ઉ . વ . 92) અને શીલા પ્રેમનાથ ( ઉ . વ . 86) અને પુરીની માતા દિક્ષા પુરીની ધરપકડ કરવામાં આવી નથી કારણ કે તેમની સામેલગીરી નગણ્ય જણાય છે .

ગયા સપ્તાહમાં બ્રિજમોહનલાલ મુંજાલની આગેવાની હેઠળના હીરો ગ્રૂપે સ્વીકાર્યું હતું કે તેની સાથે રૂ . 28.75 કરોડની છેતરપિંડી થઈ છે . ગ્રૂપે દાવો કર્યો છે કે તેની મુખ્ય કંપની હીરો હોન્ડાને આ છેતરપિંડી સાથે કોઈ લેવાદેવા નથી .

, પરંતુ અન્ય પેટા કંપનીઓ હીરો કોર્પોરેટ સર્વિસિસ , રોકમેન સાઇકલ્સ ઇન્ડસ્ટ્રીઝ , હીરો માઇન્ડમાઇન ઇન્સ્ટિટ્યૂટ ઇઝી બિલ અને હીરો મેનેજમેન્ટ સર્વિસિસને કૌભાંડની અસર થઈ છે કે નહીં તે વિશે મેનેજમેન્ટે ચુપકીદી સેવી છે .

જોકે ગુપ્તાના વકીલ સી એલ કક્કડે કોર્ટમાં જણાવ્યું હતું કે ગુપ્તા આરોપી નથી , પરંતુ ભોગ બનેલી વ્યક્તિ છે અને જરૂર પડે તો તે સાક્ષી બની શકે છે .

દેસવાલે અગાઉ જણાવ્યું હતું કે નાણાંનો મોટા ભાગનો હિસ્સો બ્રોકરેજ કંપનીઓ રેલિગેર અને બોનાન્ઝાને મળ્યો હતો જેના અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા

Monday, January 3, 2011

चांदी का नया रिकॉर्ड, सोना फिसला


चांदी की कीमतें हर रोज नए रिकॉर्ड बना रहीं हैं। घरेलू बाजार के हाजिर में चांदी 47,100 रुपये पर पहुंची। वहीं, एमसीएक्स पर चांदी ने 46,383 रुपये के रिकॉर्ड स्तर को छुआ। अंतर्राष्ट्रीय बाजार में चांदी 31 डॉलर के करीब पहुंच गई है।

अमेरिका में बेरोजगारी घटने से सोने में हल्की कमजोरी का रुख रहा। लेकिन, सोने की कीमतें अब भी 1,400 डॉलर के ऊपर बनी हुई हैं। घरेलू बाजार में सोना 20,713 रुपये पर है।

બેન્કોએ વ્યાજદર વધારતા લોન મોંઘી થશે

SBI, ICICI બેન્ક અને HDFC સહિતની દેશની પ્રમુખ બેન્કોએ પોતાના લેન્ડિંગ અને ડિપોઝિટ રેટમાં 1

ટકા સુધીનો વધારો કર્યો છે.


આ પગલાંથી હોમ , ઓટો તેમજ કોમર્શિયલ લોન હવે મોંઘી થશે. જોકે , સામે રોકાણકારોને તેમની થાપણો પર પણ હવે વધારે વ્યાજ મળશે. બેન્કોના આ પગલાંથી નવા ગ્રાહકોને લોન હવે મોંઘી પડશે.

8.5 સ્ટેટ બેન્ક ઈન્ડિયા તેના બેઝ રેટ 40 બેસિસ પોઈન્ટ વધારીને 8 ટકા કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બેઝ રેટ કરતાં ઓછા દરે બેન્કો ધિરાણ આપી શકે નહીં. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 555 દિવસ અને 1000 દિવસની થાપણ પર ટકાને બદલે હવે 9 ટકા વ્યાજ ચૂકવવાની જાહેરાત કરી છે.

2011માં સેન્સેક્સ 24000 થવાની ધારણા

2011 ના વર્ષમાં BSE સેન્સેક્સ 24000 ની નવી વિક્રમી સપાટી વટાવે તેવી આશા સેવવામાં આવી રહી

છે.


દેશનું અર્થતંત્ર ઊંચા દરે વિકાસ પામી રહ્યું છે , વિદેશી નાણાંનો જંગી પ્રવાહ પણ દેશમાં ઠલવાઈ રહ્યો છે તેમજ આ વર્ષે કૌભાંડીઓનો ગજ નહીં વાગે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતા માર્કેટ માટેનો આશાવાદ વધ્યો છે.

2010 ની શરૂઆત પહેલાં અનેક કૌભાંડો , નબળા વૈશ્વિક સંકેતો તેમજ ફુગાવા અને વ્યાજદરના નકારાત્મક સંકેતો વચ્ચે પણ વર્ષ દરમિયાન શેરબજારમાં 17 ટકાનો સુધારો જોવાયો છે અને રોકાણકારોની સંપત્તિમાં 12,00,000 કરોડનો જંગી વધારો જોવાયો છે. 2010 ના વર્ષ દરમિયાન સેન્સેક્સમાં 3000 પોઈન્ટનો વધારો જોવાયો છે.

શેરબજારમાં તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ 2009 ના અંતે 60,79,000 કરોડ હતું તે વધીને હવે 72,96,725.14 કરોડ થયું છે.

આ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સ 17,464.81 પોઈન્ટ ( 31 ડિસેમ્બર ,2009) થી વધીને 20,509.09 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો છે.

બજારના નિષ્ણાતોના મતે 2011 માં તેજીની આગેકૂચ જળવાઈ રહેવાની પૂરી શક્યતા છે. તેમના મતે સેન્સેક્સ અગાઉના તમામ વિક્રમો તોડીને 24,000 ની સપાટી વટાવે તેવી શક્યતા છે.

તેમણે વધુમાં એવો આશાવાદ પણ દર્શાવ્યો હતો કે 2010 માં તેજી ઓટો , બેન્કિંગ , ફાર્મા અને આઈટી શેરો પૂરતી સિમિત હતી પણ 2011 માં આ રેલી વધુ વ્યાપક બનશે.

2010 માં GDP નો દર 9 ટકાની નજીક પહોંચ્યો હોવાથી ફુગાવામાં વધારા જેવા નકારાત્મક પાસા છતાં પણ સેન્સેક્સ 24,000 ની સપાટી વટાવે તેવી પૂરી શક્યતા છે , તેમ ગ્લોબ કેપિટલના વડા કે કે મિત્તલે જણાવ્યું હતું.

ઈક્વિટી બ્રોકિંગ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ એડવાઈઝર કંપની કન્વેઝિટી સોલ્યુશનના MD & CEO સુદીપ બંદ્યોપાધ્યાએ પણ ઊંચા વિકાસ દર અને માર્કેટ માટે હકારાત્મક સંકેતો દર્શાવવા સાથે ચેતવણીનો સૂર પણ ઉચ્ચાર્યો હતો.

તેમણે કહ્યું હતું કે 2011 ભારત માટે અત્યંત સારું કે અત્યંત ખરાબ વર્ષ પણ પૂરવાર થઈ શકે છે. ભારત નવા વર્ષમાં GDP ના વૃદ્ધિ દરના સંદર્ભમાં પ્રથમવાર ઉદારીકરણ બાદ ચીનને પાછળ રાખી દે તેવી શક્યતા છે પણ ભ્રષ્ટાચાર આ બધી બાબતો પર પાણી ફેરવી શકે છે.

વિતેલાં વર્ષ દરમિયાન સુધરેલા વૈશ્વિક સંકેતોને પગલે માર્કેટમાં સુધારો જોવાયો હતો. FII તેમજ FDI નો પ્રવાહ પણ સતત ચાલુ રહ્યો હતો અને તેને કારણે 2010 માં દેશમાં લિક્વિડિટીમાં નોંધપાત્ર સુધારો જોવાયો હતો.

IDBI ફેડરલ લાઈફ ઈન્સ્યોરરન્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર અનીશ શ્રવાસ્તવે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે લિક્વિડિટીની સારી સ્થિતિ અને ભારતનો ઊંચો આર્થિક વિકાસ દરને પગલે ભારતીય શેરબજાર 2011 માં નવી ઊંચાઈ સર કરે તેવી શક્યતા છે.

આ ઉપરાંત નિષ્ણાતો જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી પરિણામોની મોસમમાં કોર્પોરેટ જગત સારા ત્રિમાસિક પરિણામ નોંધાવશે તેવી આશા રાખી રહ્યા છે.

ચાલુ વર્ષનું પ્રથમ ક્વાર્ટર 3 જા ક્વાર્ટરના પરિણામો સાથે શરૂ થશે અને બાદમાં ફેબ્રુઆરીમાં બજેટ આવશે. ઉદ્યોગ ક્ષેત્રે સારી ફાળવણી માર્કેટની તેજીની ગતિ વધારી શકે છે , તેમ યુનિકોન સિક્યોરિટિઝના વાઈસ-પ્રેસિડેન્ટ (રિર્સચ) મધુમિતા ઘોષે જણાવ્યું હતું.

વિતેલા વર્ષે સેન્સેક્સે દિવાળીના દિવસે એટલે કે 5 નવેમ્બરના રોજ 21,206.77 ની ઈન્ટ્રાડે સપાટી વટાવી હતી પણ તે 10 ફેબ્રુઆરી ,2008 ની વિક્રમી સપાટી વટાવી શક્યો ન હતો.

Sunday, January 2, 2011

વેલકમ 2011 : વિશ્વભરમાં શાનદાર ઉજવણી

સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણીનો દોર શરૂ થઈ ગયો છે જે હવે આગામી બે ત્રણ દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. શાનદાર આતિશબાજીનો નજારો વિશ્વના મોટા દેશોમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને સિડનીના હાર્બરબ્રિજ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે આતિશબાજી કરવામાં આવી હતી. વિશ્વભરમાં 2011ને આવકારવા માટે તૈયારી થઈ ચુકી છે. પાર્ટીઓનો દોર ચાલુ થઈ ચૂક્યો છે. 20 ઈંચ બરફ પડ્યો હોવા છતા ઉજવણીમાં કોઈ અસર થઈ નથી.

ઓસ્ટ્રેલિયાથી શરૂ થયેલી ઉજવણી એશિયન દેશોમાં થઈને અમેરિકા ખાતે પૂર્ણ થઈ હતી. જાપાનમાં મધ્યરાત્રિ પરંપરાગત પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. જ્યારે યૂરોપિયનો આર્થિક મંદીને ભૂલવા માટે મદ્દરૂપ થાય તે આશાએ નવા વર્ષને ઉજવણી કરી હતી. યૂરોપિયનોએ આર્થિક મંદીને ભૂલવા મદદરૂપ થાય તે આશાએ નવા વર્ષની ઉજવણી કરી હતી. ન્યૂયોર્ક શહેરમાં અંદાજે 10 લાખ લોકો પ્રસિદ્ધ ટાઈમ્સ સ્કવેર ખાતે એકઠા થયા હતા. જ્યા તેમણે પરંપરગત મીડનાઈટબોલ ડ્રોપની રમત સાથે નવા વર્ષને વધાવી લીધુ હતુ.

Saturday, January 1, 2011

હવે PFનો ઉપાડ કદાચ પહેલાં જેટલો સરળ નહીં રહે

તમે દર વખતે નોકરી બદલો ત્યારે તમારી નોકરીમાંથી પ્રોવિડન્ટ ફંડ ઉપાડી લેવાની વાત ટૂંક સમયમાં ભૂતકાળ બની શકે તેમ છે. દેશના સૌથી ટોચના રિટાયરમેન્ટ ભંડોળ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન( EPFO )એ સરકારને વિનંતી કરી છે કે તે પીએફના બેલેન્સનો સરળતાથી થતો ઉપાડ રોકે.

સેન્ટ્રલ પીએફ કમિશનર સમીરેન્દ્ર ચેટરજીએ જણાવ્યું હતું કે , દર છ મહિને કે વર્ષે તમે નોકરી બદલો છો અને પીએફ ઉપાડી લો છો. તેના લીધે પીએફ ઓફિસની સ્થિતિ બેન્ક જેવી થઈ ગઈ છે.

આ વર્ષે કર્નાલની ઓફિસમાં થયેલી પીએફ સેટલમેન્ટ્સનો આંતરિક અભ્યાસ પછી જાગી ઊઠેલા ઇપીએફઓએ આ પ્રકારના ફેરફારની માંગ કરી છે. કર્નાલની પીએફ એફિસે લગભગ 89 ટકા કેસ સેટલ કરવામાં આવ્યા હતા , જેમાં નવાં અને જૂનાં અર્થતંત્રો બંનેના ઉદ્યોગોને આવરી લેવામાં આવ્યા છે , જેમાં કામદારોએ નોકરી છોડ્યા બાદ પીએફ ઉપાડી લીધું છે.

ફક્ત 0.8 ટકા કામદારોએ જ પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાનો વિકલ્પ અપનાવ્યો હતો.
લગભગ 82 ટકા કામદારોએ ઉપાડેલી રકમ 30,000 રૂપિયાથી પણ ઓછી હતી.

લગભગ 65 ટકા કામદારોએ 35 વર્ષની વય પહેલાં તેમની નિવૃત્તિની બચત ઉપાડી લીધી હતી.
ઇપીએફના ફક્ત ત્રણ ટકા સભ્યો જ દસ વર્ષથી વધારે સમય નોકરી ચાલુ રાખી શક્યા હતા , જે વસ્તુ ઇપીએફઓમાં પેન્શનના ફાયદા માટે જરૂરી ગણાય છે.

આ અભ્યાસમાં 2.7 ટકા 50 ટકા ક્લેમ્સ એવા લોકોના હતા જેમણે 2.7 વર્ષ કામ કર્યું હતું અને તેમની સરેરાશ ઉંમર 31.33 વર્ષની હતી. તેઓ ઘરે બહુ-બહુ તો દસ હજાર રૂપિયાની રકમ લઈ જઈ શક્યા હશે. ચેટરજીએ જણાવ્યું હતું કે , લોકોને નાણાંની જરૂર હોય છે , પરંતુ તેઓએ દરેક તકે તેમની બધી બચતનો વપરાશ કરી નાખવો જોઈએ નહીં.

વર્તમાન પીએફ નિયમ મુજબ કર્મચારીઓ નોકરી છોડ્યાના બે મહિનામાં સમગ્ર ઇપીએફ ફાળો ઉપાડી શકે છે. પણ અહીં શરત એ છે કે આ સમયગાળા દરમિયાન કર્મચારીએ બીજે ક્યાંય કામ કરવાનો પ્રારંભ કરેલો ન હોવો જોઈએ.

જો તેણે આ બે મહિનામાં બીજે ક્યાંય કામ કરવાનો પ્રારંભ કર્યો હોય તો નવી ઇપીએફની રકમ તેના નવા પીએફ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પણ ઇપીએફઓ માટે આ પ્રકારના નિયમોનો કોઈ અર્થ નથી , કારણ કે દરેક નોકરી બદલવા સાથે કામદારોને નવું પીએફ ખાતું ખોલતા રોકવા માટે તેની પાસે કોઈ સિસ્ટમ નથી.

જોકે પીએફ બેલેન્સનું સરળ ટ્રાન્સફર કરવા માટે દિલ્હી અને કર્નાલની પીએફ ઓફિસમાં નવું સોફ્ટવેર ગોઠવવામાં આવ્યું છે , તેના દ્વારા મહિનામાં પીએફ બેલેન્સ ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સફર થઈ શકશે.

INDIAN AND WORLD STOCK MARKETS IN 2011

According to astrology, Jupiter is the main planet of real economic expansion and Saturn is the main planet for economic contraction and recession. Rahu is the planet for economic boom, which are a euphoric stage and a state of overestimation of the economic health, whereas Ketu stands for economic compression and extreme pessimism when stock markets world over get oversold. This is an extreme state of pessimism wherefrom optimism starts its renewed journey for a new bull phase in order to ultimately getting stampede and pasted in the condition of utter bearishness. This rotation is commonly known as economic or business cycle. Year 2011 is ushering with Saturday as the first day of the year. As such, the first trading session of the year would be at 0900 hours on Monday 3rd January 2011 when both the premier Indian Stock Market browsers viz. Bombay Stock Exchange (BSE) and National Stock Exchange (NSE) would commence their trading journey for the English Calendar Year 2011 in the Hora of Jupiter. Jupiter would be transiting his own sign Pisces till May 8, 2011 and then have ingress to sign Aries where it would be transiting throughout the remaining part of the year 2011. Jupiter would get combust from March 24, 2011 to April 21, 2011 for getting closer to the Sun. While in Pisces, it would be aspecting the signs Cancer ruled by Moon, Virgo ruled by Mercury and Scorpio ruled by Mars. From Aries, it would be aspecting signs Leo ruled by Sun, Libra ruled by Venus and Sagittarius ruled by Jupiter himself. The Saturn would be transiting in Virgo till 15th of November 2011 and would be entering into Libra, which is his sign of exaltation and remain there till the year-end. Rahu would be transiting Sagittarius upto June 6, 2011 and then would enter Scorpio and remain there till the remaining part of the year. Similarly, Ketu would have ingress in sign Taurus from June 07, 2011 onwards. Both Scorpio and Taurus are the respective sign of debilitations of Rahu and Ketu.
The first trading of the year 2011 would be commenced in dark half of the lunar phase in Chaturdashi Tithi, which is termed as Rikta Tithi and hence inauspicious. Moon in pungent Moola Nakshtra ruled by Ketu is equally inauspicious. These point towards manipulative and scandalous activities or freak trades in the stock market, which are likely to come into surface, subsequently. However, Muhrat ascendant being in short and dynamic Shravan Nakshtra is not that inauspicious. Mars who is the ascendant lord of the natural zodiac being combust in the 12th house with reference to the ascendant of the Opening Bell Chart (OBC) of the first trading session of the year is also not likely to be going down well for a further bull run with a year horizon. Moon in the 12th house in conjunction with Sun in the Muhrat chart of the first trading session of the year with Rahu afflicting Sun, Moon and Mars may prove to be counterproductive for a significant rise of the major stock market indices of the country. However, the Upachaya houses of the Muhrat chart are occupied by Jupiter (3rd), Ketu (6th), Mercury and Venus (11th) with 10th house being unoccupied. These planetary placements in Upachaya houses would contain downslide in the market. The above astrological factors along with transit of the slow moving planets like Jupiter, Saturn, Rahu and Ketu points towards mainly a consolidating phase for the Indian stock market during the year 2011. The cues emanating from the last Diwali Muhrat Trading pattern, which is considered as an Annual Trend Indicator for Indian Stock Markets for the period running upto next Diwali Muhrat Trading, is also supportive of a consolidating phase only. The domestic stock markets are, therefore, likely to be traded in a broad range during the year 2011 without any significant increase or decline. There may be some corrections in the Indian browses during the 2nd half of year. However, the following sectors are likely to remain active during the year 2011 because of the interplay of the celestial bodies in the zodiac.

પંજાબ એન્ડ સિંધ બેન્કનું 22% પ્રીમિયમથી લિસ્ટિંગ

મુંબઈ શેરબજારમાં પંજાબ એન્ડ સિંધ બેન્કની ધમાકેદાર શરૂઆત થઈ હતી. કંપનીના 120 રૂપિયાના ઈશ્યૂ ભાવની સામે

કંપનીના શેરનું આજે મુંબઈ શેરબજારમાં
22 ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ થયું હતું.

આજે સરકાર હસ્તકની આ બેન્કના શેર 146.10 રૂપિયાના ભાવે ખૂલ્યા હતા જે તેની ઓફર ભાવ કરતાં 21.75 ટકાનો વધારો દર્શાવે છે.

નેશનલ સ્ટોક એક્સચેંજમાં પણ આ બેન્કનો શેર 144 રૂપિયાના ભાવે ખૂલ્યો હતો જે ઈશ્યૂ ભાવની સરખામણીમાં 20 ટકાનો વધારો દર્શાવે છે.

બપોરે 12.08 વાગ્યે બેન્કનો શેર BSE માં 9.33 ટકા વધીને 131.20 રૂપિયા જ્યારે NSE માં 131.35 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બેન્કે તેના આઈપીઓ માટે 120 નો ભાવ નિર્ધારિત કર્યો હતો. આ ઈશ્યુ 50.75 ગણો છલકાયો હતો. આ પબ્લિક ઈશ્યૂ દ્વારા બેન્કે 480 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું હતું

પબ્લિક ઓફર્સમાં રોકાણ કરનારાઓને 2010 ફળ્યું

જે રોકાણકારોએ 2010 માં શેર ઇશ્યૂ કરનારી કે લિસ્ટ થયેલી કંપનીઓમાં રોકાણ કર્યું હતું તેમને 2007 માં લિસ્ટિંગ કરાવનારી કંપનીઓમાં રોકાણની સરખામણીમાં વધુ ફાયદો થયો હતો. છેલ્લે 2007 માં માર્કેટનું મૂલ્ય સારું હતું , પરંતુ 2010 માં લિસ્ટ થયેલી કંપનીઓનો દેખાવ તેના કરતા પણ ચઢિયાતો હતો તેમ ઇટી ઇન્ટેલિજન્સ ગ્રૂપનો એક અભ્યાસ દર્શાવે છે.

2007 ની સરખામણીમાં 1010 માં ટકાવારીની દષ્ટિએ વધુ રોકાણકારોએ તેમના રોકાણના મૂલ્યમાં વૃદ્ધિ જોઇ છે તેમ અભ્યાસ જણાવે છે. જોકે ચાલુ વર્ષે લિસ્ટ થયેલી દર ત્રણમાંથી માત્ર એક કંપની તેના ઇશ્યૂ ભાવથી ઊંચા ભાવે ટ્રેડ થાય છે જ્યારે 2005 માં દર પાંચમાથી એક કંપની (માત્ર 20 ટકા)ના શેર ઇશ્યૂ ભાવથી ઉપર રહી શક્યા હતા.

કેર રેટિંગ્સના ડી આર ડોગરાએ જણાવ્યું હતું કે , 2007 ની સરખામણીમાં માર્કેટ અત્યારે વધુ પરિપક્વ છે. 2007 માં દરેક ઇશ્યૂ છલકાતો હતો. 2010 માં પબ્લિક ઇશ્યૂની ગુણવત્તા પણ સારી હતી. આ વર્ષે સરકારી માલિકીની કંપનીઓના ઘણા સારા ઇશ્યૂ આવ્યા હતા.

ચાલુ વર્ષમાં લિસ્ટિંગ કરાવનારી જાહેર ક્ષેત્રની કંપનીઓમાં કોલ ઇન્ડિયા અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. ગુજરાત પીપાવાપ , ઓબેરોય રિયલ્ટી , સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ , વી એ ટેક વેબેગ અને આઇએલ એન્ડ એફએસ ટ્રાન્સપોર્ટ જેવી મોટી ખાનગી સેક્ટરની કંપનીઓએ પણ ચાલુ વર્ષમાં લિસ્ટિંગ કરાવ્યું હતું.

રોકાણકારોએ બેન્કમાં નાણાં મૂકીને જે વળતર મેળવ્યું હોત તેના કરતા પબ્લિક ઇશ્યૂમાં રોકાણથી ઘણો વધારે નફો મેળવ્યો હતો.

જોકે દરેક રોકાણકારને તેમાં ફાયદો થયો છે એવું નથી. 2010 માં લિસ્ટ થયેલી માત્ર 34 ટકા કંપનીઓના શેર ઇશ્યૂ ભાવથી ઊંચી સપાટીએ ચાલે છે. 2007 માં આ આંકડો તેનાથી પણ ખરાબ હતો જ્યારે તે વર્ષમાં લિસ્ટેડ માત્ર 20 ટકા કંપનીઓના શેર પોઝિટીવ રહ્યા હતા.

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઈશ્યૂ ભાવ કરતા ઊંચા ભાવે સ્ટોક એક્સ્ચેન્જ પર લિસ્ટ થનારી કંપનીઓનું પ્રમાણ પણ આ વર્ષે સારું છે. 2007 માં 62 ટકા નવી કંપનીઓએ ઇશ્યૂ ભાવ કરતા ઊંચા ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું જ્યારે ચાલુ વર્ષે 64 ટકા કંપનીઓએ લિસ્ટિંગ વખતે જ ફાયદો કરાવ્યો હતો.

આ અભ્યાસમાં એવી કંપનીઓને જ સામેલ કરવામાં આવી છે જેના ઇશ્યૂ ઓક્ટોબરના અંત સુધીમાં આવ્યા હતા જેથી તેમના ભાવની મૂવમેન્ટ સ્થિર થાય અને ભાવનો વધુ વિસ્તૃત ઇતિહાસ જાણી શકાય.

નવા ઇશ્યૂએ આ વર્ષમાં સારો દેખાવ કર્યો હતો , પરંતુ ભૂતકાળમાં આઇપીઓમાં રોકાણ કરીને આંગળા દઝાડનારા રોકાણકારો માટે વર્ષ સારું ન હતું . ભવિષ્યના ઇશ્યૂમાં વિવિધતાસભર રોકાણકારોને આકર્ષવા માગતા મર્ચન્ટ બેન્કર્સ માટે પણ તે એક પડકાર હતો .

આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ રવિ સરદાનાએ જણાવ્યું હતું કે , વધુ પબ્લિક હિસ્સેદારી માટે બેન્કર્સ રસ્તા શોધી રહ્યા છે જેમાં રિટેલ સેગમેન્ટને ડિસ્કાઉન્ટ આપવું , રોડ શો યોજવા અને પબ્લિક માટે ઇશ્યૂને વધુ એક દિવસ માટે ઓપન રાખવાના ઉપાય સામેલ છે.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports