Translate

Wednesday, January 5, 2011

દેશમાં NRI થાપણના પ્રવાહમાં જોરદાર વધારો નોંધાયો

વિદેશમાં વસતા ભારતીયો મોટાપાયે પુનરાગમન કરીને પોતાની બચત સ્થાનિક બેન્કોમાં રોકી રહ્યા

છે. એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં વિદેશી ભારતીયો દ્વારા વિવિધ ભારતીય બેન્કોમાં રોકવામાં આવેલાં નાણા બમણા કરતાં પણ વધી ગયા હતાં.


ભારતીય બેન્કોએ એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન બિનનિવાસી ભારતીય( NRI) પાસેથી 2.7 અબજ ડોલરની થાપણ મેળવી હતી. એક વર્ષ પહેલાના સમયગાળામાં આ પ્રવાહ 1.1 અબજ ડોલરનો હતો , તેમ ભારતીય રિઝર્વ બેન્ક ( RBI) દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા છેલ્લામાં છેલ્લા આંકડામાં દર્શાવાયું હતું. જોકે , મોટાભાગનો નાણા પ્રવાહ એપ્રિલથી જુલાઇના સમયગાળામાં જોવાયો હતો.

એનઆરઆઈ ડિપોઝિટ માર્કેટમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં નોંધપાત્ર હાજરી ધરાવતી બેન્ક ઓફ બરોડાના એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં એનઆરઆઈનો વિશ્વાસ મળવાનો હજુ બાકી છે ત્યારે વિવિધ એનઆરઆઈ થાપણ મારફત મજબૂત નાણાપ્રવાહ જોવાઇ રહ્યો છે.

એનઆરઆઈ થાપણના પ્રમાણમાં તિવ્ર વધારો થઇ રહ્યો છે ત્યારે નિવાસી થાપણની સ્થિતિ તેનાથી વિપરીત છે. નિવાસી ભારતીય ધીમેધીમે બેન્ક થાપણથી વેગળા થવાનું શરૂ કર્યું છે. પ્રથમ છમાસિક ગાળામાં બેન્કો દ્વારા એકઠી કરવામાં આવેલી થાપણોનું પ્રમાણ રૂ. 3,57,000 કરોડ (રૂ. 3,68,000 કરોડ) હતું.

નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા છ મહિનામાં ઘરઆંગણાની બેન્કોમાં વ્યાજના દર સતત ઘટ્યા હોવા છતાં એનઆરઆઈ નાણાનો પ્રવાહ વધ્યો છે. જોકે , આરબીઆઈએ ગયા વર્ષના સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન વૈશ્વિક નાણાકીય કટોકટીની નકારાત્મક અસરને ટાળવા માટે વિદેશી ચલણના બિન નિવાસી ખાતાઓ તથા બિનનિવાસી વિદેશી રૂપી ખાતાઓ માટે વ્યાજના દર ઉપરની મર્યાદાને ત્રણવાર વધારી છે. આ મર્યાદા પ્રવર્તમાન છ મહિનાના લિબોર દર સાથે સંકળાયેલી છે.

એક જાહેર ક્ષેત્રની બેન્કના અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક વ્યાજના દર ઘટ્યા હોવા છતાં પણ ભારતને હજુ પણ સલામત સ્વર્ગ માનવામાં આવે છે. વળી , ઘરઆંગણાના વ્યાજના દર હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતા વ્યાજદરની સરખામણીએ આકર્ષક છે.

એનઆરઆઈ પોતાની થાપણ ત્રણ યોજનાએફસીએનઆર( B), એનઆરઇ( RA) અને બિનનિવાસી સામાન્ય રૂપી એકાઉન્ટમાં મુકે છે. છેલ્લી યોજનામાં નાણાનો પ્રવાહ બિનરિપેટ્રિએબલ છે , જ્યારે પ્રથમ બે યોજનામાં રિપેટ્રિએબલ છે. બે રિપેટ્રિએબલ યોજનાને જે અલગ બનાવે છે તે એ છે કે એફસીએનઆર( B) ના કિસ્સામાં એક્સ્ચેન્જનું જોખમ થાપણ મેળવનાર બેન્ક દ્વારા ઉઠાવવામાં આવે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports