Translate

Thursday, June 8, 2017

GSTના અમલથી બજારમાં થોડા કરેક્શનની ધારણા

બજારના મોટા ભાગના નિષ્ણાતો માને છે કે જીએસટી એક એવું પરિબળ છે કે જેનાથી બજારમાં થોડું કરેક્શન આવી શકે છે. કંપનીઓનાં રિઝલ્ટ નબળાં રહ્યાં હોવા છતાં છેલ્લા એક વર્ષમાં બજારના મજબૂત દેખાવને કારણે રોકાણકારો થોડા સાવધ છે. કેટલાક રોકાણકારો નફારૂપી વેચવાલી કરી રહ્યા છે અને બજારમાં પરત આવવા માટે થોડા કરેક્શનની રાહ જોઈ રહ્યા છે.

જોકે બજારમાં મજબૂતાઈ છે અને સતત નવી ઊંચાઈએ બંધ આવી રહ્યા છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં થોડી વોલેટિલિટી છે, પરંતુ લિક્વિડિટી મજબૂત છે અને બિઝનેસ આઉટલૂક નક્કર છે.

નિષ્ણાતો માને છે કે જીએસટીના અમલથી બજારમાં કરેક્શન આવી શકે છે, કારણ કે જીએસટીના અમલની તૈયારી અને માહિતીનો અભાવ હોવાથી ઘણા બિઝનેસ (ફોર્મલ અને ઇનફોર્મલ) સાવધ અભિગમ ધરાવે છે. કેટલાક ઉદ્યોગો માને છે કે નવી કરપ્રણાલીને સમજવા અને અમલ કરવા થોડા વધુ સમયની જરૂર છે. કેટલાક ઉદ્યોગો કહે છે કે જીએસટીના રેટ્સ ઊંચા છે.

ખરી અસર નવી પ્રક્રિયા ચાલુ થયા બાદ જ જાણી શકાશે. તેનાથી સપ્લાય ચેઇનમાં થોડો અવરોધ આવી શકે છે તથા ઇન્વેન્ટરી-આવકમાં ફેરફાર અને ફુગાવા પર અસર થઈ શકે છે. તેનાથી કંપનીઓના ત્રિમાસિક રિઝલ્ટમાં વોલેટિલિટી આવી શકે છે અને FY18માં અર્નિંગમાં વધારો થવાની ધારણા છે ત્યારે ભાવિ અર્નિંગનો ટ્રેન્ડ ખોરવાઈ શકે છે.

જીએસટી સંબંધિત આ કરેક્શનની ખામી એ છે કે તેની અગાઉથી પૂરી ધારણા છે અને તેનાથી લાંબા ગાળાના આઉટલૂકમાં સુધારો થશે અને રિટેલ ઇન્ડેક્સ (સીપીઆઇ) માટે ફુગાવા વિરોધી હશે. તેથી જીએસટીના અમલથી લિસ્ટેડ કંપનીઓને મોટી અસર ન થવાની ધારણા છે.

કંપનીઓના ચોથા ક્વાર્ટરનાં રિઝલ્ટ મિશ્ર રહ્યાં છે. સેન્સેક્સ કંપનીઓની PAT વૃદ્ધિ ૫થી 7 ટકાની ધારણા સામે લગભગ સપાટ રહી છે. વ્યાપક સૂચકાંકોની કંપનીઓનાં રિઝલ્ટ વધુ સારાં છે. નિફ્ટી-50 કંપનીઓની PAT વૃદ્ધિ વાર્ષિક ધોરણે સાત ટકા અને બીએસઇ100 કંપનીઓ માટેની પીએટી વૃદ્ધિ વાર્ષિક 11 ટકા રહી છે, જે અપેક્ષા કરતાં નીચી છે. સૌથી ખરાબ દેખાવ ફાઇનાન્શિયલ્સ અને ફાર્મા ક્ષેત્રનો રહ્યો છે. આ ક્ષેત્રોની કંપનીઓનાં રિઝલ્ટ ધારણા કરતાં ઘણાં ખરાબ રહ્યાં છે.

આપણે જાણીએ છીએ કે સરકાર અને નિયમનકારોએ પ્રયાસ કર્યા હોવા છતાં બેન્કોની એનપીએ સમસ્યા ક્વાર્ટર દર ક્વાર્ટરમાં ચાલુ રહી છે. એનાલિસ્ટ્સને આશા છે કે નીચી જોગવાઈને કારણે આગામી વર્ષ બેન્કો માટે વધુ સારું રહેશે. જોકે ગયા વર્ષે પણ આવી ધારણા હતી. પીએસયુ બેન્કો અને કેટલીક ખાનગી બેન્કોના અંદાજમાં થોડો ફેરફાર થયો છે.

બેન્કિંગ ક્ષેત્ર (ખાસ કરીને સરકારી બેન્કો) માટેની એક ચિંતા એ છે કે આરબીઆઇના નવા એનપીએ માળખા હેઠળ બેન્કોએ કેટલું નુકસાન ઉઠાવવું પડશે. આ ઉપરાંત કેટલીક બેન્કોએ જાહેર કરેલી એનપીએ અને આરબીઆઇના એસેસમેન્ટ વચ્ચેના તફાવતને કારણે પણ જોખમ ઊભું થયું છે.

આરબીઆઇએ નબળી બેન્કો માટે નવા PCA (પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન) માળખું જેવા નિયમો આકરા બનાવ્યા છે. કેટલીક બેન્કોને પીસીએ હેઠળ મૂકવામાં આવી છે. તેનાથી મધ્યમ ગાળામાં તેમની બિઝનેસ વૃદ્ધિને અસર થવાની ધારણા છે, પરંતુ તે લાંબા ગાળા માટે આ ક્ષેત્ર માટે હકારાત્મક છે.

ફાર્મા ક્ષેત્રના સંદર્ભમાં તેમના બિઝનેસ આઉટલૂકમાં અનિશ્ચિતતા છે. ફાર્મા ક્ષેત્રના નબળા દેખાવ માટે સ્પર્ધામાં વધારો, ચેનલ કોન્સોલિડેશન અને અમેરિકાના બજારમાં ભાવના દબાણ અને યુએસએફડીએ દ્વારા પ્લાન્ટની તપાસ જેવાં પરિબળો જવાબદાર છે. એવી ધારણા છે કે ફાર્મા ક્ષેત્ર આગામી વર્ષે પણ સમસ્યાના દબાણ હેઠળ રહેશે.

બીજી તરફ NPPA (નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી) ઘરેલુ બજારમાં વધુ ને વધુ દવાને ભાવઅંકુશ હેઠળ લાવી રહી છે. તેનાથી કંપનીઓના પ્રોફિટ માર્જિનને અસર થઈ છે.

એનાલિસ્ટ્સના સરેરાશ અંદાજ મુજબ ભાવ અને માર્જિનમાં ધોવાણ સાથે 2017-18નું નાણાકીય વર્ષ ફાર્મા ક્ષેત્ર માટે વધુ ખરાબ પુરવાર થઈ શકે છે. જીએસટીની ચિંતા ઉપરાંત વૃદ્ધિની ઊંચી ધારણા પણ કોન્સોલિડેશન લાવી શકે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports