Translate

Thursday, December 13, 2012

ગુજરાત ચૂંટણી : પ્રથમ તબક્કામાં આજે 87 બેઠકો માટે મતદાન

;


ડભોઈ : ગુજરાતમાં મોટા ભાગે એવું મનાય છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજીવાર ગાદી પર પાછા આવશે . મોદીના સમર્થકો માને છે કે જ્યારે 20 ડિસેમ્બરે મતગણતરી થશે ત્યારે ભાજપ જંગી બહુમતી મેળવશે એટલું નહી , પણ મોદી 2014 ની લોકસભાની ચૂંટણી માટે ભાજપના વડાપ્રધાનપદના અન્ય દાવેદારોને ઘણા પાછળ છોડી દેશે .

પ્રથમ તબક્કાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ ડભોઈ ખાતે ચૂંટણીસભામાં મોદીએ રાષ્ટ્રીય મુદ્દા ઉછાળ્યા હતા . તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસનો પ્રચાર દિશાની વાત કરે છે . જો તેઓ ગુજરાતની દિશાને અનુસર્યા હોત તો દેશ આવી દુર્દશામાં હોત .

ઉલ્લેખનીય છે કે , ગૂરૂવારે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 87 બેઠકો પર મતદાન થવાનું છે . કુલ 1.81 કરોડ મતદારો 846 ઉમેદવારોનું ભાવિ ઘડશે . સૌરાષ્ટ્રમાં 48 અને દક્ષિણ ગુજરાતમાં 35 બેઠકો માટે મતદાન થશે .

30 મિનિટના ભાષણમાં મોદીએ રાજ્યમાં કોંગ્રેસના પ્રચાર , વંશીય રાજકારણ તથા ગાંધી પરિવારના સભ્યો પર ચાબખા માર્યા હતા . બુધવારે મોદીએ વડાપ્રધાન મનમોહન સિંઘને એક પત્ર પણ લખ્યો હતો જેમાં વિવાદિત સર ક્રિક પાકિસ્તાનને સોંપી દેવાની વિચારણા કરવાની વિનંતી કરી હતી .

તેમણે જણાવ્યું હતું કે બાબતે ગુજરાતના લોકોનો મત અવશ્ય લેવો જોઈએ કેમ કે તે તેમને સૌથી વધારે અસર કરે છે .

મોદીએ ગર્જના કરતાં જણાવ્યું હતું કે અગાઉ કોંગ્રેસના પોસ્ટર્સમાં ફેમિલી આલ્બમ જોવા મળતા હતા . હવે તેઓ મોડલ્સનો ઉપયોગ કરી રહ્યા છે . મેં તો મોડલ્સને કોમર્શિયલ પ્રોડક્ટ્સનો પ્રચાર કરતા જોયા છે . મેં ક્યારેય મોડલ્સને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરતા જોયા નથી . બાબત દર્શાવે છે કે કોંગ્રેસને પરિવાર રાજની વ્યર્થતા સમજાઈ છે તથા ગુજરાત કોંગ્રેસને ભાન થયું છે કે તેમની સ્થિતિનું કારણ દિલ્હીનો પરિવારવાદ છે .

ભાજપે 2007 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદીની આગેવાની હેઠળ 182 બેઠકમાંથી 121 બેઠક મેળવી હતી . કોંગ્રેસ પાસે 55 બેઠક છે . ઓપિનિયન પોલ એવી આગાહી કરે છે કે મોદી ગુજરાતમાં ભાજપની સ્થિતિ વધારે મજબૂત બનાવશે .

આંકડો વધારવા માટે મુખ્યમંત્રી આકરી મહેનત કરી રહ્યા છે . જો તેઓ આમ કરવામાં સફળ રહેશે તો તેઓ નિઃશંકપણે 2014 માટે ભાજપના વડાપ્રધાનપદના પ્રબળ દાવેદાર બનશે . જોકે તેમના દેખાવમાં નબળાઈની નિશાનીનો પણ તેમની વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવશે .

આદિવાસી વિસ્તારોમાં પ્રચાર દરમિયાન સોનિયા ગાંધી તેમનાં સ્વર્ગસ્થ સાસુ ( ભૂતપૂર્વ વડાંપ્રધાન ઇંદિરા ગાંધી ) ના નામે મત માંગી રહ્યાં હતાં તેની પણ ઝાટકણી કાઢતા કહેલું કે , તેઓ ( સોનિયા ) કહેવા લાગ્યાં છે કે ઘણાં વર્ષો પહેલાં તેમનાં સાસુએ વિસ્તારની મુલાકાત લીધી હતી . આપણને આનંદ છે કે તેમનાં સાસુ આવ્યાં હતાં , પરંતુ તેને ચૂંટણી સાથે શી લેવાદેવા ?

મોદીએ રાહુલ સામે પણ પ્રહારો કર્યા હતા . રાહુલે સપ્તાહમાં અગાઉ ગુજરાતમાં ચૂંટણીપ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે ગાંધીજીના વિચારોને અનુસરવા તેઓ આતુર છે . આના સંદર્ભમાં મોદીએ પૂછ્યું હતું કે ચાર પેઢીથી નેહરુ પરિવાર દિલ્હીમાં સત્તા પર છે .

ગાંધીજીના વિચારોનો અમલ કરતાં તેમને કોણ રોકતું હતું ? તેમણે જણાવ્યું હતું કે પરંતુ મને ખાતરી છે કે તે ( રાહુલ ) ગાંધીજીની એક ઇચ્છાને પૂરી કરશે . તેઓ કોંગ્રેસને સમેટી લેવા માંગતા હતા , મને ખાતરી છે કે રાહુલબાબા તે કામ કરશે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports