Translate

Monday, February 4, 2013

મોદી જ PM ઉમેદવાર

નવી દિલ્હી : ભાજપમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના

ઉમેદવાર
બનાવવા માટેની માંગણીને સોમવારે વધુ વેગ મળ્યો છે .

ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિંહાએ પક્ષના નેતૃત્વને વર્ષ 2014 માં પ્રસ્તાવિત લોકસભાની ચૂંટણી માટે મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની અપીલ કરી હતી તેમજ જનતા દળ ( યુ ) ના વિરોધની પરવા કર્યા વિના મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી માટે આગળ વધવું જોઈએ તેવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો .

સિંહાની અપીલને પગલે ભાજપના કેન્દ્રીય નેતાઓ પર વડાપ્રધાનપદના ઉમેદવાર અંગે સ્પષ્ટતા કરવાનું દબાણ વધ્યું છે . જોકે , ભાજપના પ્રમુખ રાજનાથ સિંહ વડાપ્રધાનપદનો નિર્ણય સંસદીય બોર્ડ દ્વારા લેવાશે તેવી સ્પષ્ટતા કરી હતી .

સિંહાએ સોમવારે કહ્યું હતું કે , નરેન્દ્ર મોદીના કરિશ્માથી ભાજપને ફાયદો થશે . અમારા કાર્યકર્તાઓ મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે . તેનાથી ભાજપને લાભ થશે .

જોકે પક્ષે સત્તાવાર રીતે અભિગમ જાળવી રાખ્યો છે કે એનડીએના ઘટક પક્ષો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી મુદ્દે નિર્ણય લેવાશે , કારણ કે મોદીને આગળ કરવાથી જનતા દળ ( યુ ) તેમજ વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા સેવતા ભાજપના વરિષ્ઠ નેતાઓમાં સંઘર્ષ થવાનું જોખમ છે .

દરમિયાન ભાજપના પ્રમુખ રાજનાથ સિંહે નાગપુરમાં કહ્યું હતું કે , નરેન્દ્ર મોદી લોકપ્રિય નેતા છે તેમાં બેમત નથી . પણ ભાજપમાં પ્રકારનો નિર્ણય પક્ષની કેન્દ્રિય સંસદીય બોર્ડ દ્વારા લેવાની વ્યવસ્થા છે .

યશવંત સિંહાએ જનતા દળ ( યુ ) ના વિરોધની પણ ચિંતા કરવા જણાવ્યું છે . તેમણે કહ્યું હતું કે , '' ભાજપે તેના રાજકીય નિર્ણયો માટે જનતા દળ ( યુ ) ને વશ થવું જોઈએ . ભાજપ સ્વતંત્ર રાજકીય પક્ષ છે . તેના નેતૃત્વનો નિર્ણય બહારના રાજકીય પક્ષો કે નેતાઓ કરી શકે .

તેઓ એનડીએનું નેતૃત્વ કરવા માટે મોદી પાસે યોગ્ય લાયકાત હોવાની નીતીશ કુમારની ટિપ્પણીઓ પણ વાજબી હોવાનું માને છે . તેમણે કહ્યું હતું કે , જનતા દળ ( યુ ) એક નેતાને નિશાન બનાવવો જોઈએ . આપણે બધા કટ્ટર છીએ અથવા તો ધર્મનિરપેક્ષ છીએ .

સાથેસાથે તેમણે જનતા દળ ( યુ ) ને મહત્ત્વપૂર્ણ સાથીદાર પક્ષ પણ ગણાવ્યો હતો . તેમણે ઉમેર્યું હતું કે , જનતા દળ ( યુ ) અમારો સૌથી જૂનો સાથીદાર પક્ષ છે . તેમની સાથે જોડાણ કર્યું ત્યારે બિહારમાં ભાજપ પ્રદેશપ્રમુખ હું હતો .

બીજી તરફ જનતા દળ ( યુ ) યશવંત સિંહાના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી હતી . પક્ષના પ્રવક્તા શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે , એનડીએના નેતૃત્વનો નિર્ણય ઘટક પક્ષો લેશે . ભાજપે કહ્યું છે કે નેતૃત્વનો નિર્ણય સાથીદાર પક્ષો સાથે ચર્ચાવિચારણા કર્યા પછી એનડીએ દ્વારા લેવાશે .

જોકે જનતા દળ ( યુ ) ના એક નેતાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે , અમે મોદીને લઈને અમારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે . ભાજપ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે મોદીનું નામ જાહેર કરશે તો અમે ભાજપ સાથેનું જોડાણ તોડી નાંખીશું .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports