ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ( DGCA) ને લખેલા પત્રમાં આ એરલાઇન કંપનીઓએ દલીલ કરી છે કે , “ અગાઉની સરકારે સપ્ટેમ્બર 2012 માં નિયમમાં કરેલા ફેરફાર મુજબ વિદેશી એરલાઇન્સ માત્ર વર્તમાન એરલાઇન્સમાં જ રોકાણ કરી શકે , કોઈ નવી કંપનીમાં નહીં .23 મેના રોજ લખાયેલા FIA ના પત્રમાં DGCA ના વડા પ્રભાત કુમારને સંબોધન કરવામાં આવ્યું છે . આ પત્રની નકલ ઇકોનોમિક ટાઇમ્સ પાસે છે .
ટાટા સન્સે સિંગાપોર એરલાઇન્સ સિવાય મલેશિયાની એરએશિયા અને અરુણ ભાટિયાની ટેલેસ્ટ્રા ટ્રેડપ્લેસ સાથે ભાગીદારી કરીને સસ્તાં ભાડાંની એરલાઇન એરએશિયા ઇન્ડિયા પણ શરૂ કરી છે . એરએશિયા ઇન્ડિયાને પણ ભારતમાં પ્રવેશતી અટકાવવા માટે FIA એ ફેબ્રુઆરીમાં પ્રયાસ કર્યો હતો .
તેમના આ વાંધાને DGCA એ ફગાવી દીધો હતો . તે વખતે પણ ભારતની કંપનીઓએ ઉડ્ડયન ઉદ્યોગમાં રોકાણ અંગેના નિયમને આગળ ધર્યો હતો પણ DGCA એ જણાવ્યું હતું કે , સરકારે તેના નિયમમાં સ્પષ્ટ કર્યું છે કે , આ નિયમ વર્તમાન તથા નવી એરલાઇન બંનેને લાગુ પડે છે . એરએશિયા ઇન્ડિયાએ 12 જૂનથી ફ્લાઇટ શરૂ કરી દીધી છે .
No comments:
Post a Comment