Translate

Monday, May 19, 2014

બજારમાં ફીલ ગૂડ: ડિસેમ્બર સુધી સેન્સેક્સ 28K થશે

સ્પષ્ટ જનાદેશને પગલે ભારતીય બજારમાં આગામી થોડા વર્ષો સુધી તેજીનો માહોલ જોવા મળશે એવો મત અગ્રણી બ્રોકર્સે વ્યક્ત કર્યો છે .

ઇટી સાથેની વાતચીતમાં ઘણી બ્રોકિંગ કંપનીઓએ ચૂંટણી પરિણામના ગણતરીના કલાકોમાં સેન્સેક્સ અને નિફ્ટીના લક્ષ્યાંકમાં વધારો કર્યો હતો . ઇટી દ્વારા 26 ફંડ મેનેજર અને બ્રોકર્સના સર્વેક્ષણ પ્રમાણે વર્ષ પૂરું થતાં સુધીમાં સેન્સેક્સ 28,000 ની સપાટીએ પહોંચશે .

જ્યારે રૂપિયો ડોલર સામે 57-58 ના સ્તરે સ્થિર થશે . કેટલાક બ્રોકર્સને તો બે વર્ષમાં સેન્સેક્સમાં હાલના સ્તરથી લગભગ 10,000 પોઇન્ટના ઉછાળાની શક્યતા જણાય છે .

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભારતીયોએ વિકાસ અને આર્થિક સુધારા માટે મતદાન કર્યું છે . એટલે નવી સરકાર નીતિવિષયક સુધારાની મદદથી આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે .

જેને લીધે ભારતીય શેરોમાં તેજી જોવાશે . સેન્ટ્રમ બ્રોકિંગના સીઇઓ સંદીપ નાયકે જણાવ્યું હતું કે , ભારતીય જનતા દ્વારા સ્પષ્ટ જનાદેશથી સાનુકૂળ પોલિસી માટેનો માહોલ ઊભો થશે . જેને લીધે આગામી કેટલાંક વર્ષમાં અર્થતંત્રની વૃદ્ધિને વેગ મળશે . એફઆઇઆઇ અને એફડીઆઇમાં વૃદ્ધિની ધારણા છે , જે આગામી બે વર્ષમાં નક્કર તેજીનો તખતો તૈયાર કરશે .

સર્વેક્ષણમાં ભાગ લેનારા લગભગ 50 ટકા લોકોને ડિસેમ્બર સુધીમાં સેન્સેક્સ 28,000 થવાનો અંદાજ છે . 15 ટકા લોકોએ સેન્સેક્સ 30,000 ની સપાટીએ પહોંચવાની આગાહી કરી છે . એમ્બિટ કેપિટલના ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીના સીઇઓ સૌરભ મુખરજીએ કહ્યું હતું કે , સેન્સેક્સ બે વર્ષમાં વાર્ષિક ૨૫ ટકાની વૃદ્ધિ દર્શાવે તોપણ પહેલા વર્ષે તો 30,000 અને બીજા વર્ષે 37,500 થઈ શકે .

ઇટી પોલમાં ભાગ લેનારા લગભગ 27 ટકા લોકોને રૂપિયો ડોલર સામે વધીને 57-58 ના સ્તરે પહોંચવાનો અંદાજ છે . જ્યારે 18 ટકા નિષ્ણાતો ભારતીય ચલણ 56-57 થવાની આગાહી કરી રહ્યા છે .

જેફરીઝ ઇન્ડિયાના વિશ્લેષક નિલેશ જસાણીએ કહ્યું હતું કે , નવી સરકારની નીતિ મજબૂત રૂપિયા તરફી હોઈ શકે . ઉપરાંત , રિઝર્વ બેન્ક પણ રાજકીય જોખમ ઘટ્યું હોવાથી કરન્સી માર્કેટમાં હસ્તક્ષેપ બંધ કરવાનો નિર્ણય લે તેવી શક્યતા છે .

ઇટી પોલમાં 58 ટકાએ ગુણવત્તાસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેર ખરીદવાની સલાહ આપી છે . જ્યારે 50 ટકા નિષ્ણાતોએ પીએસયુ બેન્કો પર પસંદગી ઉતારી છે . વધુમાં એનર્જી , કેપિટલ ગૂડ્ઝ અને મેટલ્સ શેરોમાંથી પણ સારું વળતર મળવાની શક્યતા છે . જોકે , મોટા ભાગનાએ હાલ એફએમસીજી , આઇટી , ફાર્મા અને રિયલ્ટી શેરોથી દૂર રહેવા જણાવ્યું છે .

આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના એમડી અને સીઇઓ અનૂપ બાગચીએ જણાવ્યું હતું કે , રોકાણકારોએ તબક્કાવાર ધોરણે ખરીદીની નીતિ અપનાવવી જોઈએ . ઉપરાંત , ટૂંકા ગાળાના કરેક્શનનો ઉપયોગ હાઈ - બિટા , નોંધપાત્ર મૂડીખર્ચ ધરાવતી અને મજબૂત બેલેન્સશીટવાળી કંપનીઓમાં રોકાણ માટે કરવો જોઈએ

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports