Translate

Wednesday, May 28, 2014

સરકારમાં મોદીનું જ ચાલશે: PMOનો સંકેત

<a href='http://www.sify.com/news/modi-government-forms-sit-to-probe-black-money-news-national-of1uElhafcj.html'><b>PM Modi's first move: SIT to probe black money</b></a> | <a href='http://www.sify.com/news/in-pictures-pm-modi-and-team-s-first-day-at-work-imagegallery-national-of1r6Wghidc.html'><b>In pictures:</b> Team Modi's first day at work</a> | <a href='http://www.sify.com/news/the-underwhelming-cabinet-of-narendra-modi-imagegallery-national-of1qOIbgcdh.html'><b>Column:</b> <i>The underwhelming cabinet of Narendra Modi</i></a> | <a href='http://www.sify.com/news/complete-list-of-narendra-modi-s-ministers-news-national-of1nL4ijcdj.html'><b>Complete list of Modi's Ministers</b></a>નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતાંની સાથે કેટલીક બાબતો સ્પષ્ટ કરી દીધી છે . પહેલા દિવસે તેમણે સંકેત આપી દીધો છે કે , તમામ મહત્ત્વના નીતિવિષયક મુદ્દામાં વડાપ્રધાન કાર્યાલય ( પીએમઓ ) નો નિર્ણય આખરી રહેશે અને નવી સરકારમાં પ્રધાનોને છૂટો દોર આપવામાં નહીં આવે .

મનમોહન સિંઘના છેલ્લા દાયકાના શાસન કરતાં બિલકુલ વિપરીત વલણ છે . ઉલ્લેખનીય છે કે , સિંઘના કાર્યકાળમાં પીએમઓનું મહત્ત્વ ધીમે ધીમે ઘટતું ગયું હતું અને મંત્રીઓ નિરંકુશ બન્યા હતા . જેના લીધે કૌભાંડોની હારમાળા સર્જાઈ હતી અને વહીવટી તંત્ર ખાડે ગયું હતું .

મંગળવારે સવારે મોદીએ કાર્યભાર સંભાળ્યાના એક કલાક પછી મંત્રીઓનાં ખાતાંની ફાળવણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી . જેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે , મહત્ત્વની તમામ નીતિવિષયક બાબતોમાં વડાપ્રધાનનો નિર્ણય આખરી રહેશે . ઉપરાંત , જે ખાતાંની ફાળવણી કરવામાં આવી નથી તેનું કામ પણ વડાપ્રધાન સંભાળશે .

યુપીએના શાસનકાળમાં પીએમઓ દ્વારા મંત્રીઓને મોટા ભાગની બાબતોમાં નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી હતી અને માત્ર મહત્ત્વની નીતિવિષયક બાબતોની જાણ વડાપ્રધાનને કરવા જણાવાયું હતું . વ્યવસ્થાને લીધે ટેલિકોમ કૌભાંડના આરોપી રાજા જેવા પ્રધાનોને ટુજી સ્પેક્ટ્રમ લાઇસન્સ જારી કરવા છૂટો દોર મળ્યો હતો . રાજાએ કોર્ટમાં દલીલ કરી હતી કે , તેમણે વડાપ્રધાનને હંમેશા પ્રક્રિયાની જાણકારી આપી હતી .

ઉલ્લેખનીય છે કે , સ્પેક્ટ્રમની ફાળવણીમાં સરકારી તિજોરીને ~ . ૭૬ લાખ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ કેગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે . મનમોહન સિંઘના પીએમઓ દ્વારા તમામ મંત્રાલય અને વિભાગોને કાર્યકારી પદ્ધતિ અંગે જાણ કરવામાં આવી હતી કે , વડાપ્રધાનને સુપરત કરવામાં આવનારી વિવિધ બાબતો અંગેની ફાઇલનો આધાર બાબત પર રહેશે કે , વડાપ્રધાન મંત્રાલયનો પ્રત્યક્ષ હવાલો સંભાળે છે કે પછી ખાતાની જવાબદારી કોઈ કેબિનેટ પ્રધાન કે રાજ્યકક્ષાના મંત્રી પાસે છે .

જો ખાતાની જવાબદારી કેબિનેટ પ્રધાન કે રાજ્યકક્ષાના મંત્રી પાસે હોય તો મોટા ભાગની બાબતોમાં જે તે પ્રધાને નિર્ણય લેવાનો રહેશે . ’’ મોદીએ પ્રકારના ગૂંચવાડા માટે કોઈ અવકાશ રાખ્યો નથી . કારણ કે મંત્રીઓને તમામ બાબતોની જાણ વડાપ્રધાનને કરવાનું સ્પષ્ટ કરી દેવાયું છે .

ત્રણ વર્ષ પહેલાં મોદીને મળેલા ભૂતપૂર્વ ગૃહસચિવ જી કે પિલ્લાઈએ જણાવ્યું હતું કે , “ મોદી સાથે ગુજરાતમાં કામ કરનારા અધિકારીઓ પાસેથી મને જે જાણવા મળ્યું છે અનુસાર વડાપ્રધાનને જાતે નિર્ણયો લેવાનું ગમે છે . તે ઝડપી પરિણામ દર્શાવવા ઇચ્છુક હશે . એટલે મારી ધારણા પ્રમાણે સચિવોની નિમણૂકની પ્રક્રિયામાં ફેરફાર થશે .
ઉપરાંત , તેમને ખાતરી આપવામાં આવશે કે , તેઓ પરિણામલક્ષી કામ કરશે તો ખોટા પડનારાં પગલાંઓમાં સરકાર તેમની પડખે રહેશે . ટ્રાઇના ભૂતપૂર્વ વડા અને સુધારાના અમલીકરણમાં ચેમ્પિયન ગણાતા ન્રિપેન્દ્ર મિશ્રાની પીએમઓમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક મોદીના સ્વભાવનો ખ્યાલ આપે છે . વધુમાં મોદીએ એવા બે સંયુક્ત સચિવની નિમણૂક કરી છે જે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની કાર્યશૈલીથી વાકેફ છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports