Translate

Wednesday, August 20, 2014

વિશ્વ 2020માં કરે તે કામ આપણે 2018માં કરી લેવુ જોઈએઃ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે વૈજ્ઞાનિકોની તપસ્યા અને બલિદાનથી માનવ જાતિનુ કલ્યાણ થાય છે. વૈજ્ઞાનિકોએ સેનાની સવલતો માટે પણ કામ કરવુ જોઈએ.


નવી દિલ્હી,તા.20 ઓગસ્ટ,2014
ડીઓડીના એક કાર્યક્રમમાં મોદીએ કહ્યપ હતુ કે વૈજ્ઞાનિકોએ જનહિત માટે પ્રયોગશાળામાંથી બહાર આવવાની જરૂરત છે. વૈજ્ઞાનિકોએ વિશ્વવિધ્યાલયો સાથે જોડાવવુ જોઈએ. તેમણે એમ પણ કહ્યુ છે કે દેશના યુવા વૈજ્ઞાનિકોને તકો પણ આપવી જોઈએ. દેશમાં ઓછામાં ઓછી પાંચ પ્રયોગશાળાઓ 35 વર્ષથી ઓછી ઉંમરના વૈજ્ઞાનિકોને સોંપી દેવી જોઈએ. જેમાં તમામ નિર્ણયો લેવાનો અધિકાર પણ તેમની જ પાસે હોવો જોઈએ. આપણે યુવાઓને આગળ વધવા માટે આ કામનુ જોખમ ઉઠાવવું જોઈએ.તેમણે એમ પણ કહ્યુ હતુ કે વિશ્વ ખુબ ઝડપથી બદલાઈ રહ્યુ છે. આમાંના ઘણા દેશોએ પોતાના પેરામિટર્સ પણ નક્કી કરી લીધા છે. ટેકનોલોજી જ આપણામાં મહત્વની કડી સાબિત થશે.


મોદીએ કહ્યુ હતુ કે મે જોયુ છે કે આપણી સામે કેવી ચેલેન્જો છે.પણ તમામ ચેલેન્જોને આપણે સમય કરતા વહેલી પરિપૂર્ણ કરવી પડશે. વિશ્વ 2020માં જે કામ કરશે તે કામ આપણે 2018માં કરી દેવુ જોઈએ. તેમણે કહ્યુ તુ કે આપણા વૈજ્ઞાનિકો પ્રયોગશાળાઓમાં સખત મેહનત કરી રહ્યાં છે. તેમણે ઘણુ બલિદાન પણ આવ્યુ છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports