યુક્રેન
-
રશિયા
સંઘર્ષ
તેમજ
ગાઝાના
તણાવની
સીધી
અસર
ભારત
સહિતનાં
ઊભરતાં
બજારોમાં
FII
ના
પ્રવાહ
પર
થઈ
છે
.
જોકે
,
વિશ્લેષકોના
જણાવ્યા
અનુસાર
સ્થાનિક
મ્યુચ્યુઅલ
ફંડ્સના
રોકાણમાં
વૃદ્ધિથી
FII
ના
રોકાણમાં
ઘટાડાની
પ્રતિકૂળ
અસર
ભારતીય
શેરબજાર
પર
નહીં
થાય
.
એસોસિયેશન
ઓફ
મ્યુચ્યુઅલ
ફંડ્સ
ઓફ
ઇન્ડિયા
(
AMFI)
ના
જણાવ્યા
અનુસાર
ચાલુ
વર્ષની
શરૂઆતથી
ડોમેસ્ટિક
મ્યુ
.
ફંડ્સને
રૂ
.
20,784
કરોડનું
ભંડોળ
મળ્યું
છે
અને
જુલાઈમાં
તેનો
આંકડો
78
મહિનાની
ટોચે
પહોંચ્યો
છે
.
આરબીએસના
ચીફ
ઇન્વેસ્ટમેન્ટ
ઓફિસર
(
પ્રાઇવેટ
બેન્કિંગ
)
રાજેશ
ચેરુવુએ
જણાવ્યું
હતું
કે
,
‘
વિશ્વના
અમુક
ભાગોમાં
તણાવની
સ્થિતિને
લીધે
રોકાણકારો
જોખમ
લેતાં
ખચકાઈ
રહ્યા
છે
.
જોકે
,
ડોમેસ્ટિક
મ્યુ
.
ફંડ્સમાં
સારા
રોકાણ
પ્રવાહને
લીધે
ભારતીય
શેરોમાં
FII
રોકાણના
ઘટાડાથી
ખાસ
દબાણ
ઊભું
નહીં
થાય
.
ચેરુવુએ
વધુમાં
જણાવ્યું
હતું
કે
,
ડોમેસ્ટિક
ફંડ્સને
યોગ્ય
સમયે
ઇક્વિટીની
ખરીદીની
સારી
તક
મળશે
.
કારણ
કે
કેટલાક
FII
ઊભરતાં
બજારોમાં
રોકાણ
ઘટાડશે
.
છતાં
જુદા
જુદા
દેશો
વચ્ચેનો
તણાવ
જારી
રહેશે
ત્યાં
સુધી
બજાર
નિશ્ચિત
રેન્જમાં
રહેશે
.
નિષ્ણાતોના
જણાવ્યા
અનુસાર
FII
ના
રિડેમ્પશન
દબાણની
અસરને
સ્થાનિક
ફંડ્સનું
રોકાણ
બે
રીતે
હળવી
કરશે
.
સ્થાનિક
મ્યુચ્યુઅલ
ફંડ્સમાં
FII
નું
ચોખ્ખું
રોકાણ
તેમના
શેરબજારના
રોકાણ
કરતાં
ઘણું
વધારે
હોય
છે
.
આ
પગલાથી
વૈશ્વિક
તણાવથી
ઊભી
થનારી
સ્થિતિ
સામે
પૂરતા
પ્રમાણમાં
રોકડ
ઊભી
થશે
.
બીજી
મહત્ત્વની
વાત
એ
કે
,
રોકાણનું
પ્રમાણ
ઓછું
હોય
છે
જ્યારે
રોકાણ
પ્રવાહની
ઝડપ
વધારે
હોય
છે
.
એનો
અર્થ
એ
થયો
કે
,
મ્યુ
.
ફંડ્સ
હાલ
રોકડ
ભેગી
કરી
રહ્યા
છે
,
જે
આગામી
સમયમાં
બજારમાં
આવશે
.
તેને
લીધે
મધ્યમ
ગાળામાં
બજારની
ચાલ
જાળવી
રાખવામાં
મદદ
મળશે
.
ત્રણ
મહિનામાં
સ્થાનિક
મ્યુચ્યુઅલ
ફંડ્સમાં
લગભગ
રૂ
.20,576
કરોડનું
ચોખ્ખું
રોકાણ
થયું
છે
.
સૂચિત
ગાળામાં
મ્યુ
.
ફંડ્સે
શેરબજારમાં
રૂ
.8,509
કરોડ
રોક્યા
છે
.
તેને
લીધે
મ્યુ
.
ફંડ્સની
કેશ
સરપ્લસ
રૂ
.12,067
કરોડ
રહી
છે
.
જુલાઈમાં
રૂ
.5,100
કરોડના
રોકાણ
છતાં
આ
કેશ
સરપ્લસ
ઉપલબ્ધ
છે
.
આ
આંકડો
જાન્યુઆરી
2008
પછી
સૌથી
ઊંચો
છે
.
ડોઇચે
બેન્કે
તાજેતરના
અહેવાલમાં
જણાવ્યું
હતું
કે
,
અમારા
અંદાજ
મુજબ
ત્રણ
મહિનામાં
ઇક્વિટી
મ્યુચ્યુઅલ
ફંડ્સમાં
3.3
અબજ
ડોલર
ઠલવાયા
છે
અને
આ
પ્રવાહ
ચાલુ
રહેવાની
ધારણાને
કારણે
FII
ની
મોટી
વેચવાલીની
અસર
મર્યાદિત
રહેશે
.
અહેવાલમાં
જણાવ્યા
અનુસાર
છેલ્લા
ત્રણ
મહિનામાં
મ્યુ
.
ફંડ્સે
ભારતીય
શેરોમાં
લગભગ
1.4
અબજ
ડોલરનું
રોકાણ
કર્યું
છે
અને
મે
મહિનાથી
તેને
રોકાણકારો
પાસેથી
3.3
અબજ
ડોલર
મળ્યા
છે
,
જે
બે
અબજ
ડોલરની
ઇન્ક્રિમેન્ટલ
કેશ
સરપ્લસ
દર્શાવે
છે
.
No comments:
Post a Comment