Translate

Friday, August 29, 2014

LICની વેચવાલી: વિનિવેશમાં રોકાણની તૈયારી?


મુંબઈ:લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી) એ છેલ્લા કેટલાક સમયથી સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં

રોકાણની તૈયારી શરૂ કરી દીધી છે. બજાર રોજેરોજ નવાં શિખર સર કરી રહ્યું ત્યારે એલઆઇસીએ છેલ્લા કેટલાક

દિવસમાં બ્લૂ-ચિપ શેરોમાં રોકાણ ઘટાડ્યું છે. બેન્કર્સ અને બ્રોકર્સના જણાવ્યા અનુસાર એલઆઇસી જાહેર ક્ષેત્રની

કંપનીઓના હિસ્સાના વેચાણમાં રોકાણ કરવા તેમજ પીએસયુ બેન્કોના રિકેપિટલાઇઝેશન માટે ભંડોળ એકત્ર કરી રહી

છે.

બ્રોકર્સના જણાવ્યા અનુસાર દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસીએ ઓએનજીસી, આઇટીસી,

આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા મોટર્સ અને એચડીએફસી બેન્ક સહિતના શેરોમાં છેલ્લા સાત દિવસમાં નફો બુક કર્યો

છે.

છેલ્લા કેટલાક દિવસમાં એલઆઇસીની વેચવાલીનો આંકડો મળ્યો નથી, પરંતુ જાણકારોના મતે તેણે રૂ.15,000-

20,000 કરોડની વેચવાલી કરી છે. એલઆઇસીને આ મુદ્દે મોકલાયેલા ઇ-મેઇલનો કોઈ જવાબ મળ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે, સરકાર ઓક્ટોબરથી ડિસઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવાની યોજના ધરાવે છે. જેમાં તે ઓએનજીસીનો 5 ટકા

તેમજ ઓએનજીસી, સેઇલ અને કોલ ઇન્ડિયાનો 10 ટકા હિસ્સો વેચશે. વર્તમાન બજારભાવે ઓએનજીસીના હિસ્સાના

વેચાણમાંથી સરકારને લગભગ રૂ.18,000 કરોડ મળશે. કોલ ઇન્ડિયા અને સેઇલના ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી અનુક્રમે

રૂ.22,000 કરોડ અને રૂ.1,700 કરોડનું ભંડોળ એકત્ર થવાનો અંદાજ છે. બ્રોકર્સના જણાવ્યા અનુસાર શેરબજાર

સર્વોચ્ચ સપાટીએ છે અને વેલ્યુએશન ઊંચા હોવાથી એલઆઇસી નફો બુક કરી રહી છે.

એલઆઇસીએ હંમેશા ઊંચા ભાવે વેચાણ અને નીચા ભાવે ખરીદીની નીતિ અપનાવી છે. એક બ્રોકિંગ કંપનીના વરિષ્ઠ

અધિકારીએ જણાવ્યું હતું કે, ''ઊંચા વેલ્યુએશન ઉપરાંત, ડિસઇન્વેસ્ટમેન્ટે એલઆઇસીને વેચાણનું વધુ એક કારણ

આપ્યું છે.''

એલઆઇસીની વેચવાલીનો આંકડો મળ્યો નથી, પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો ડેટા તેની મોટી વેચવાલી તરફ

ઇશારો કરે છે. છેલ્લા સાત દિવસમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.3,000કરોડના શેર વેચ્યા છે. બ્રોકર્સના

જણાવ્યા અનુસાર સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)ની કેટેગરી હેઠળ વેચવાલીનો મોટો આંકડો એલઆઇસીને કારણે

હોઈ શકે.

એફઆઇઆઇએ સાત દિવસમાં રૂ.2,265 કરોડના શેર ખરીદ્યા છે. એક બ્રોકરે જણાવ્યું હતું કે, એલઆઇસીએ એકસાથે

જંગી વેચવાલી કરી નથી એ સારી બાબત છે. બજારને પ્રતિકૂળ અસર ન થાય એ રીતે તે વેચવાલી ચાલુ રાખી શકે.

બજાર વર્તુળો એલઆઇસીની વેચવાલીનો તાળો ડિસઇન્વેસ્ટમેન્ટ અને બેન્કોના રિકેપિટલાઇઝેશન પ્રોગ્રામ સાથે મેળવી

રહ્યા છે. કારણ કે અગાઉ 2013-14ના ડિસઇન્વેસ્ટમેન્ટમાં એલઆઇસીએ મોટા પાયે રોકાણ કર્યું હતું. આમ તો એ

રોકાણમાંથી એલઆઇસીને હાલ સારો નફો થઈ રહ્યો છે, પરંતુ એ વખતે વીમા કંપની પર સરકારી કંપનીઓના ઇશ્યૂને

ઉગારવાનો આરોપ મુકાયો હતો. 30 જૂન સુધીમાં નિફ્ટી શેરોમાં એલઆઇસીનું રોકાણ લગભગ રૂ.3.2 લાખ કરોડ હતું.



જેમાં સૌથી વધુ રોકાણ આઇટીસીમાં રૂ.37,257 કરોડ હતું. વીમા કંપનીએ એસબીઆઇમાં રૂ.29,000 કરોડ,

ઓએનજીસીમાં રૂ.28,227 કરોડ, એલ એન્ડ ટીમાં રૂ.26,180 કરોડ અને રિલાયન્સમાં રૂ.26,508 કરોડનું રોકાણ કર્યું

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports