Translate

Thursday, September 11, 2014

સીસીઈએ દ્રારા વિનિવેશને મંજૂરી

મોદી સરકાર રિફોર્મના મુદ્દે એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે અને એમાં સરકારની ખર્ચક્ષમતા વધે એ માટેના જરૂરી પગલાં લેવાનું શરૂ કરી નાખ્યું છે. ડીવેસ્ટમેન્ટના મુદ્દે કેબિનેટ કમિટી ઑન ઇકોનૉમિક અફેર્સ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

સીસીઈએ દ્વારા ત્રણ દિગ્ગજ કંપનીઓ કોલ ઇન્ડિયાઓએનજીસી અને એનએચપીસીમાં સરકારના હિસ્સાના વિનિવેશને મંજૂરી આપવામાં આવી છે. સરકાર કોલ ઇન્ડિયામાં 10, ઓએનજીસીમાં 5 અને એનએચપીસીમાં 11.36 ટકા હિસ્સો વેચશે. સરકાર આ ત્રણ કંપનીમાંથી હિસ્સો વેચી 40 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ઊભી કરશે એવું માનવામાં આવી રહ્યું છે.

સરકાર આ હિસ્સો ઓએફએસ મારફત વેચશે. જોકે હજી સુધી કોઈ ઓએફએસ માટેના ઇશ્યુ પ્રાઇસને નક્કી કરવામાં નથી આવ્યા. આ નિર્ણયથી બજારમાં નાના રોકાણકારોનો ઉત્સાહ ફરી વધશે એવું માનવામાં આવી રહ્યું છે કારણ કે ઓએફએસ દ્વારા વિનિવેશમાં રિટેલ રોકાણકારોને 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

હાલ સરકારની હિસ્સેદારી ઓએનજીસીમાં 68.94%, કોલ ઇન્ડિયામાં 89.65% અને એનએચપીસીમાં 85.96% હિસ્સેદારી છે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Jun 09
24h Whit Monday 0
04:15 Manufacturing Sales 1 1.1%
19:30 Wholesale Inventories 1 0% 0%
21:00 3-Month Bill Auction 1 4.25%
21:00 6-Month Bill Auction 1 4.15%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener