Translate

Monday, June 9, 2014

80Cની રોકાણમર્યાદા વધારો: બચતને વેગ આપવા FMને સૂચન

છે બજારના નિયમનકર્તાઓએ નાણાપ્રધાન અરુણ જેટલીને તાકીદે બચતને પ્રોત્સાહિત કરવાનાં પગલાં લેવા જણાવ્યું છે . તેમણે વ્યક્તિગત કરદાતા અને હિંદુ અવિભક્ત કુટુંબ ( એચયુએફ ) 80 સી હેઠળની કરકપાતની રૂ .1 લાખની મર્યાદા વધારવાનું સૂચન કર્યું હોવાનું મનાય છે .

ઉલ્લેખનીય છે કે , કરદાતા હાલ 80 સી હેઠળ મહત્તમ રૂ .1 લાખનું રોકાણ કરી શકે છે , જે તેને કરપાત્ર આવકમાંથી બાદ મળે છે . રિઝર્વ બેન્ક અને અન્ય નિયમનકર્તાના જણાવ્યા અનુસાર પગલું બચતમાં થઈ રહેલા ઘટાડાને અટકાવશે . છેલ્લા કેટલાક સમયથી બચતનું પ્રમાણ ઘટી રહ્યું છે , જેને લીધે નીતિ ઘડવૈયાઓ ચિંતિત છે .

ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ ( FSDC) ની શનિવારની બેઠકમાં તમામ નિયમનકર્તાઓએ જેટલીને સૂચન કર્યું હતું . સતત વધી રહેલા ફુગાવાને પગલે દેશની બચત નવા વર્ષના તળિયે પહોંચી છે .

કંપનીઓના નફામાં ઘટાડો , સોનામાં વધુ અને અન્ય નાણાકીય ઇન્સ્ટ્રુમેન્ટમાં ઓછું રોકાણ કરવાની નીતિને કારણે બચતનો દર 2008 માં જીડીપીના 38 ટકાથી ઘટીને 2012-13 માં 30.1 ટકાના સ્તરે પહોંચ્યો છે . બચતમાં ઘરગથ્થુ રોકાણકારોનો હિસ્સો સૌથી વધુ છે ત્યારે 80 સી હેઠળ કપાતની મર્યાદા વધારવાની વાત વેગ પકડી રહી છે .

વધતા ફુગાવા અને ઘટતી બચત સામે રૂ .1 લાખની ટોચમર્યાદાનો આંકડો ઘણો ઓછો છે . ઉપરાંત , રોકાણના વિકલ્પો બહુ વધારે છે . જેમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ , ઇપીએફ , પીપીએફ , હોમ લોનની પુન : ચુકવણી , જીવન વીમાનું પ્રીમિયમ , ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમનો સમાવેશ થાય છે .

સરકાર આગામી સમયમાં ઇક્વિટી લિંક્ડ પ્રોડક્ટ્સ દ્વારા રિટેલ રોકાણકારોને પ્રોત્સાહિત કરવાનાં પગલાં લેશે એવી શક્યતા . રિટેલ બચતને શેરોમાં વાળવાનો પ્રયાસ ધીમો અને સતત હોઈ શકે , પરંતુ તાત્કાલિક એજન્ડા ઘરગથ્થુ રોકાણકારોની બચતમાં વધારો કરવાનો છે . થાપણો આકર્ષવા કોમર્શિયલ બેન્કોને વ્યાજદર ઊંચા રાખવાની ફરજ પડાઈ છે . તેને લીધે લોનના દરમાં ઘટાડો શક્ય બન્યો નથી .

ફુગાવામાં વૃદ્ધિ અને બજારની વોલેટિલિટીને પગલે સોના અને પ્રોપર્ટી જેવી ફિઝિકલ એસેટ્સમાં રોકાણકારોનું આકર્ષણ રહ્યું હતું . સોનાની ખરીદીને કારણે ઘરગથ્થુ રોકાણકારનું બેન્ક એફડી અને અન્ય ફાઇનાન્શિયલ એસેટ્સમાં રોકાણ ઘટે છે .

તેને બદલે એફડી , શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરાય તો સેન્ટિમેન્ટમાં સુધારો થાય ત્યારે સ્થાનિક મૂડીના માળખામાં સુધારાનો પાયો તૈયાર થાય છે . સરકારી આંકડા પ્રમાણે દેશના પરિવારોની ચોખ્ખી નાણાકીય બચત 2011-12 અગાઉનાં વર્ષોના 12 ટકાથી ઘટીને 2012-13 માં 8 ટકા થઈ છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports