Translate

Thursday, June 26, 2014

ચોમાસુ ઠપ: કઠોળ, તેલીબિયાંને ફટકો

નવી દિલ્હી : છેલ્લા 10 દિવસમાં ચોમાસુ એક ઇંચ પણ આગળ વધ્યું નથી , જેના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ રહી છે . સંજોગોમાં તેલીબિયાં , કઠોળ અને બીજા પાકનાં ખેતરો સૂકાંભઠ છે . નરેન્દ્ર મોદી સરકારે તેના પ્રથમ વર્ષમાં તીવ્ર ખાદ્યાન્ન ફુગાવો અને નબળી ગ્રામીણ માંગનો સામનો કરવો પડે તેવી શક્યતા છે .

વખતે જૂનનો વરસાદ છેલ્લી એક સદીમાં સૌથી ઓછો વરસાદ છે અને તેના કારણે શાકભાજી અને ડુંગળીના ભાવ ઝડપથી વધી રહ્યા છે . સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં વરસાદની ખાધ 37 ટકા છે અને મધ્ય , ઉત્તર અને પશ્ચિમ ભારતમાં મુખ્ય પાકોના વિસ્તારમાં પાણીની અછત છે . ઉપરાંત ચોમાસાના અંતમાં અલ નિનોની અસર પેદા થવાની આગાહી છે .

ભારતનાં સૌથી મોટાં જળાશયોમાં ઝડપથી પાણી ઘટી રહ્યું છે . જૂનની શરૂઆતમાં મોટાં જળાશયોમાં પાણીનું પ્રમાણ ગયા વર્ષ કરતાં 33 ટકા વધારે હતું . પરંતુ જૂન પૂરો થવા આવ્યો છે ત્યારે જળાશયોમાં પાણી ગયા વર્ષના સ્તરે પહોંચી ગયું છે . ઘણા ડેમમાં પાણી ગયા વર્ષના સ્તરથી નીચે છે .

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ચોમાસુ હવે ઝડપથી આગળ નહીં વધે તો ખાદ્ય પદાર્થોના ભાવ નિરંકુશ બનશે . રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના વડા બી પી યાદવે જણાવ્યા પ્રમાણે આગામી બે - ત્રણ દિવસમાં આગળ વધે તેવી શક્યતા નથી . દેશના પૂર્વ ભાગમાં થોડો વરસાદ પડશે , પરંતુ ઉત્તર ભારતમાં હવામાન સૂકું રહેશે .

સરકારે ડુંગળીની નિકાસ પર નિયંત્રણ લાદ્યાં છે અને બજારમાં વધારે ચોખા રિલીઝ કર્યા છે છતાં ખાદ્યાન્ન ફુગાવો વધવાનો ભય છે . દિલ્હી સ્થિત ભારતીય કૃષક સમાજના ચેરમેન અજય ઝાકરે જણાવ્યું કે વર્ષે તેલીબિયાં , શાકભાજી , કઠોળ અને ડાંગરનું વાવેતર ધીમું છે .

ડુંગળીનો ભાવ તાજેતરમાં 16 ટકા વધીને રૂ .14 થી 20 થયો હોવાનું નાશિકના ડુંગળીના વેપારીઓના સંગઠનના પ્રમુખ સોહનલાલ ભંડારી જણાવે છે . તેઓ કહે છે કે હલકી ગુણવત્તાની ડુંગળી પણ રૂ .14 થી નીચા ભાવે મળતી નથી . રમજાન મહિનો શરૂ થવાની તૈયારીમાં હોવાથી દિલ્હીના હોલસેલ માર્કેટમાં શાકભાજી અને ફળના ભાવ વધવાની શક્યતા છે .

સોયાબીન પ્રોસેસર્સ એસોસિયેશનના પ્રવક્તા અને કોઓર્ડિનેટર રાજેશ અગરવાલે જણાવ્યું કે , મહારાષ્ટ્રમાં સોયાબીનના વિસ્તારમાંથી માત્ર 10 ટકામાં વાવેતર થયું છે અને મધ્યપ્રદેશમાં સિંચાઈ હેઠળ કેટલાક ભાગોમાં સોયાબીનનું વાવેતર થયું છે . વાવેતરની સિઝન જુલાઈના મધ્ય સુધી ચાલશે .

અગાઉના વર્ષની સરખામણીમાં 21 જૂન સુધીમાં તેલીબિયાંનું વાવેતર 85 ટકા ઘટીને 1.23 લાખ હેક્ટર સુધી સીમિત રહ્યું હતું . મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સોયાબીનનો ૭૦ ટકા પાક વરસાદ પર આધારિત છે તેથી ખેડૂતો પાસે હજુ 15 દિવસનો સમય છે .

વર્ષે ભારતમાં ખાદ્ય તેલની આયાત વધીને 1.1 કરોડ ટન થવાની શક્યતા છે જે ગયા વર્ષે 1.04 કરોડ ટન હતી . સોયાબીન અને સૂર્યમૂખીના તેલની આયાત વધવાની શક્યતા છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports