Market Ticker

Translate

Friday, June 27, 2014

ક્રેડિટ કાર્ડનો ફ્રોડ ગ્રાહક નહીં, બેન્કે પુરવાર કરવો પડશે

બેન્કને ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો દુરુપયોગ થયો હોવાની વાત સમજાવવા ગ્રાહકોએ હવે માથાકૂટ નહીં કરવી પડે . રિઝર્વ બેન્કના એકમે જારી કરેલા નિર્દેશ પ્રમાણે ક્રેડિટ કે ડેબિટ કાર્ડના દુરુપયોગના કિસ્સામાં ગ્રાહકે ગોલમાલ કરી છે સાબિત કરવાની જવાબદારી હવે બેન્કની રહેશે . ઉલ્લેખનીય છે કે , કસૂરવાર નહીં હોવાનું પુરવાર કરવાની જવાબદારી અગાઉ ગ્રાહકની હતી .

ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન અંગેના વિવાદમાં ગ્રાહકો ઘણી વખત બિલ ચૂકવવાનો ઇનકાર કરતા હોય છે . તેને લીધે બેન્ક ગ્રાહક પાસેથી લેટ પેમેન્ટ પેનલ્ટી વસૂલે છે . નવો નિયમ રિઝર્વ બેન્કના એકમ બેન્કિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા ( BCSBI) તૈયાર કર્યો છે .

જેમાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ / એટીએમ કાર્ડના વિવાદિત ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહક જવાબદાર હોવાનું પુરવાર કરવાની જવાબદારી બેન્કની રહેશે . નિયમમાં જણાવ્યા અનુસાર ‘‘ અમે ( બેન્ક ) તમારી દલીલ સ્વીકારીએ તો તમારું ( ગ્રાહકનું ) ટ્રાન્ઝેક્શન અધિકૃત નહીં હોવા અંગે પુરાવો આપવાની જવાબદારી અમારી રહેશે .

રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર કોમર્શિયલ બેન્કના ઓમ્બડ્ઝમેનને 2012-13 માં મળેલી કુલ ફરિયાદમાં 25 ટકા હિસ્સો એટીએમ , ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સંબંધી ટ્રાન્ઝેક્શનનો હતો .

પિન આધારિત ઓથેન્ટિફિકેશન તેમજ દરેક ક્રેડિટ , ડેબિટ અને એટીએમ ટ્રાન્ઝેક્શન પછી ગ્રાહકને મેસેજ જેવા પગલાંથી કાર્ડનો દુરુપયોગ અટકાવવામાં મદદ મળી છે . ઉપરાંત , એટીએમ મશીન્સમાં ઇનબિલ્ટ કેમેરા પણ ગેરરીતિ અટકાવવામાં ઉપયોગી છે . તમામ બાબતોને લીધે બેન્ક ટ્રાન્ઝેક્શનની ખાતરી વધુ સારી રીતે કરી શકે છે . નવા નિયમમાં બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શન અથવા ગેરરીતિના કિસ્સામાં ગ્રાહકની જવાબદારી રૂ .10,000 રહેશે .

BCSBI અમુક કિસ્સામાં કાર્ડના દુરુપયોગની જવાબદારી ગ્રાહક પર પણ રાખી છે . ગ્રાહકે - મેઇલ , મોબાઇલ નંબર કે પોસ્ટલ એડ્રેસની માહિતી બેન્કમાં અપડેટ નહીં કરાવી હોય તો કાર્ડના દુરુપયોગની જવાબદારી બેન્કની નહીં રહે .

ઉપરાંત , ગ્રાહક જ્યાં સુધી કાર્ડની ગેરરીતિની જવાબદારી બેન્કને નહીં આપે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના દુરુપયોગની જવાબદારી તેની રહેશે . જોકે , બેન્કને કાર્ડ ખોવાયું કે ચોરાયું હોવાની અથવા પિન કે પાસવર્ડની માહિતી જાહેર થઈ હોવાની માહિતી ગ્રાહક બેન્કને આપશે ત્યારથી કોઈ પણ પ્રકારના બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શનની જવાબદારી ગ્રાહકની નહીં રહે .

BCSBI ના ચેરમેન એસી મહાજને જણાવ્યું હતું કે , કૌભાંડીઓ ઘણી વખત ટેક્‌નોલોજીના ઉપયોગથી સિસ્ટમની સુરક્ષા ભંગ કરવામાં સફળ રહે છે અને અન્યને નુકસાન કરે છે . એટલે નવો નિયમ કાર્ડધારકોને રક્ષણ આપશે

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports