ગૌતમ
અદાણી
ઝડપી
વિસ્તરણ
માટે
5,000
મેગાવોટના
પાવર
પ્લાન્ટ્સ
હસ્તગત
કરવાની
યોજના
ધરાવે
છે
.
જોકે
,
રોકાણ
પર
સારું
વળતર
મળે
એ
માટે
તે
આક્રમક
બિડિંગ
કરવાનું
ટાળશે
.
રિલાયન્સ
પાવર
દ્વારા
જેપી
ગ્રૂપના
1,800
મેગાવોટના
હાઈડ્રાપાવર
પ્લાન્ટના
એક્વિઝિશન
પછી
માહિતગાર
સૂત્રએ
અદાણીની
યોજનાનો
ખુલાસો
કર્યો
હતો
.
ગૌતમ
અદાણી
વિવિધ
ઓફરના
મૂલ્યાંકન
અને
વાટાઘાટમાં
જાતે
જ
રસ
લઈ
રહ્યા
છે
.
અગાઉ
આવી
બાબતો
કંપનીના
એક્ઝિક્યુટિવ્સને
સોંપવામાં
આવતી
હતી
.
અદાણી
જૂથ
હાલ
જીએમઆર
,
લેન્કો
,
ઇન્ડિયાબુલ્સ
,
અવંથા
પાવર
,
એથેના
સહિતની
કંપનીઓ
સાથે
વાટાઘાટ
કરી
રહ્યું
છે
.
ઉલ્લેખનીય
છે
કે
,
રિલાયન્સ
પાવરે
અંદાજે
રૂ
.12,000
કરોડમાં
હસ્તગત
કરેલી
જેપી
ગ્રૂપની
એસેટ્સ
ખરીદવાની
દોડામાં
અદાણી
જૂથ
પણ
સામેલ
હતું
.
સૂત્રના
જણાવ્યા
અનુસાર
અદાણી
રૂ
.11,000
કરોડથી
વધુની
બિડ
કરવા
ઇચ્છુક
ન
હતા
.
કારણ
કે
આ
રકમની
ઉપર
ઇક્વિટી
પરનું
વળતર
તેમના
12
ટકાના
બેન્ચમાર્કથી
ઘણું
ઓછું
થાત
.
સૂત્રએ
જણાવ્યું
હતું
કે
,
રિલાયન્સ
પાવરે
રૂ
.12,300
કરોડની
ઓફર
કરી
હતી
.
અદાણીને
1,800
મેગાવોટની
હાઈડ્રોપાવર
એસેટ્સ
માટે
આ
ભાવ
ઘણો
ઊંચો
જણાયો
હતો
.
જેએસડબલ્યુએ
પણ
આકર્ષક
ભાવ
ઓફર
કર્યો
હતો
.
જોકે
,
કંપનીની
દરખાસ્તમાં
શેર
સ્વોપનો
સમાવેશ
થતો
હતો
,
જે
જે
પી
ગ્રૂપને
સ્વીકાર્ય
ન
હતું
.
કારણ
કે
ગ્રૂપ
દેવામાં
ઘટાડો
કરવા
ઇચ્છતું
હતું
.
અદાણી
જૂથના
અન્ય
એક
સૂત્રએ
જણાવ્યું
હતું
કે
,
બજારમાં
ઘણી
કંપનીઓ
લગભગ
50,000
મેગાવોટની
કુલ
ક્ષમતાના
પ્રોજેક્ટ્સ
ઓફર
કરી
રહી
છે
.
જૂથ
8,620
મેગાવોટની
ક્ષમતા
સાથે
દેશની
સૌથી
મોટી
ખાનગી
વીજ
ઉત્પાદક
છે
,
પરંતુ
તે
કદમાં
હજુ
નોંધપાત્ર
વધારો
કરવાની
યોજના
ધરાવે
છે
.
ઉદ્યોગવર્તુળોના
જણાવ્યા
અનુસાર
દેવાના
ઊંચા
પ્રમાણ
છતાં
અદાણી
પાવર
,
રિલાયન્સ
પાવર
,
ટાટા
પાવર
અને
એસ્સાર
પાવર
એક્વિઝિશન
માટે
સક્રિય
બન્યા
છે
.
સૂત્રના
જણાવ્યા
અનુસાર
અદાણી
જૂથે
2020
સુધીમાં
20
,
000
મેગાવોટના
વીજ
ઉત્પાદનનો
લક્ષ્યાંક
રાખ્યો
છે
અને
તેને
સિદ્ધિ
કરવા
એક્વિઝિશનની
ઘણી
તક
ઉપલબ્ધ
છે
.
જૂથે
ઇક્વિટી
પર
11-12
ટકાનું
વળતર
મળે
એ
રીતે
વીજ
ઉત્પાદન
એસેટ્સ
હસ્તગત
કરવાનો
નિર્ણય
લીધો
છે
.
જૂથ
પરંપરાગત
અને
રિન્યુએબલ
બંને
પ્રકારના
વીજ
પ્રોજેક્ટ્સ
ખરીદવા
તૈયાર
છે
.
No comments:
Post a Comment