માઈક્રોસોફ્ટ આગામી ચાર ક્વાર્ટરમાં 1.6 અબજ ડોલરની ટેક્સ પૂર્વેના ચાર્જિસની અપેક્ષા રાખે છે . તેમાં 80 કરોડ ડોલર નોકરી છોડતા કર્મચારીઓને આપવા પડશે તથા 35 થી 80 કરોડ ડોલરનો ચાર્જ અન્ય એસેટને લગતો હશે .
નાડેલાએ પાંચ મહિના અગાઉ કંપનીની જવાબદારી સંભાળી ત્યાર બાદ પહેલી વખત આ છટણી કરવામાં આવી રહી છે . જે 18,000 કર્મચારીને છૂટા કરવાના છે તેમાંથી 12,500 લોકોને નોકિયા ડિવાઇસ અને સર્વિસિસ બિઝનેસના વ્યૂહાત્મક એલાઇનમેન્ટના ભાગરૂપે છૂટા કરાશે .
જૂન 2015 સુધીમાં આ કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે . નાડેલાએ આ જાહેરાત કરતાં કહ્યું હતું કે કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય મુશ્કેલ હોવા છતાં આવશ્યક છે . મોટા ભાગના કર્મચારીઓને નોકરી છોડવા અંગે છ મહિનાની અંદર જણાવી દેવાશે . માઈક્રોસોફ્ટ ભારતમાં લગભગ 6,500 કર્મચારી ધરાવે છે જેમાં નોકિયાના કર્મચારીઓ પણ સામેલ છે .
No comments:
Post a Comment